ગૌતમ-નવાઝના ઝઘડામાં હવે પિતા વિજયપત સિંઘાનિયાની એન્ટ્રી, 'પુત્રને બધું આપીને મેં મૂર્ખામી કરી'


  • Published By :
  • Published Date : 2023-11-24 15:19:25

રેમન્ડ ગ્રૂપના વડા ગૌતમ સિંઘાનિયા અને તેમની પત્ની નવાઝ મોદી સિંઘાનિયા વચ્ચે ચાલી રહેલા છૂટાછેડાના વિવાદમાં હવે ગૌતમના પિતા વિજયપત સિંઘાનિયાએ પણ ઝંપલાવ્યું છે અને તેમના પુત્ર ગૌતમ સિંઘાનિયા પર નિશાન સાધી આકરા પ્રહારો કર્યા હતા. રેમન્ડને નાની કંપનીમાંથી વૈશ્વિક બ્રાન્ડમાં પરિવર્તિત કરનાર વિજયપત સિંઘાનિયાએ કહ્યું છે કે, 'મને રસ્તા પર જોઈને ગૌતમને આનંદ થાય છે.'


પુત્રને બધું આપીને મોટી ભૂલ કરી 


વિજયપત સિંઘાનિયાએ અફસોસ વ્યક્ત કરતા કહ્યું કે મેં પુત્રને બધું આપીને મોટી ભૂલ કરી હતી. રેમન્ડના સીએમડી વિજયપત સિંઘાનિયાએ કહ્યું છે કે ગૌતમ સિંઘાનિયા મને રસ્તા પર જોઈને ખુશ થશે. વર્ષ 2015માં તેમણે રેમન્ડનું સુકાન તેમના પુત્ર ગૌતમને સોંપી હતી, આ નિર્ણય અંગે પણ વિજયપત સિંઘાનિયાએ કહ્યું હતું કે, તેમણે તેમના પુત્રને બધું આપીને મૂર્ખામીભરી ભૂલ કરી હતી. તેમણે ગૌતમ સિંઘાનિયા અને તેમની પત્ની નવાઝ મોદીના છૂટાછેડા મુદ્દે આ વાત કહી હતી.

 

'...નહીંતર હું રસ્તા પર આવી ગયો હોત' 


વિજયપત સિંઘાનિયાએ તેમની સાથે બનેલી ઘટનાને યાદ કરતા કહ્યું હતું કે તેમને પુત્ર દ્વારા ઘરમાંથી કાઢી મુકવામાં આવ્યા બાદ મારી પાસે કોઈ કામ નથી, ગૌતમ અમુક કંપનીમાં હિસ્સો આપવા માટે સહેમત થયો હતો બાદમાં તે કહીંને ફરી ગયો હતો. મેં તેને બધું આપ્યું, પરંતુ ભૂલથી મારી પાસે થોડા પૈસા બચી ગયા હતા જેની મદદથી મારૂં ભરણપોષણ કરૂ છું. સદનશિબે હું બચી ગયો, નહીંતર આજે હું રસ્તા પર હોત. ગૌતમ-નવાઝના છુટાછેડાના મુદ્દે તેમણે કહ્યું કે મને ખાતરી છે કે જો તે તેના પિતાને ઘરની બહાર કાઢી શકે છે, તો તે તેની પત્નીને પણ તે જ રીતે ધક્કો મારી શકે છે, મને ખબર નથી કે તેમને કઈ બાબતે વિવાદ છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.