ગૌતમ-નવાઝના ઝઘડામાં હવે પિતા વિજયપત સિંઘાનિયાની એન્ટ્રી, 'પુત્રને બધું આપીને મેં મૂર્ખામી કરી'


  • Published By :
  • Published Date : 2023-11-24 15:19:25

રેમન્ડ ગ્રૂપના વડા ગૌતમ સિંઘાનિયા અને તેમની પત્ની નવાઝ મોદી સિંઘાનિયા વચ્ચે ચાલી રહેલા છૂટાછેડાના વિવાદમાં હવે ગૌતમના પિતા વિજયપત સિંઘાનિયાએ પણ ઝંપલાવ્યું છે અને તેમના પુત્ર ગૌતમ સિંઘાનિયા પર નિશાન સાધી આકરા પ્રહારો કર્યા હતા. રેમન્ડને નાની કંપનીમાંથી વૈશ્વિક બ્રાન્ડમાં પરિવર્તિત કરનાર વિજયપત સિંઘાનિયાએ કહ્યું છે કે, 'મને રસ્તા પર જોઈને ગૌતમને આનંદ થાય છે.'


પુત્રને બધું આપીને મોટી ભૂલ કરી 


વિજયપત સિંઘાનિયાએ અફસોસ વ્યક્ત કરતા કહ્યું કે મેં પુત્રને બધું આપીને મોટી ભૂલ કરી હતી. રેમન્ડના સીએમડી વિજયપત સિંઘાનિયાએ કહ્યું છે કે ગૌતમ સિંઘાનિયા મને રસ્તા પર જોઈને ખુશ થશે. વર્ષ 2015માં તેમણે રેમન્ડનું સુકાન તેમના પુત્ર ગૌતમને સોંપી હતી, આ નિર્ણય અંગે પણ વિજયપત સિંઘાનિયાએ કહ્યું હતું કે, તેમણે તેમના પુત્રને બધું આપીને મૂર્ખામીભરી ભૂલ કરી હતી. તેમણે ગૌતમ સિંઘાનિયા અને તેમની પત્ની નવાઝ મોદીના છૂટાછેડા મુદ્દે આ વાત કહી હતી.

 

'...નહીંતર હું રસ્તા પર આવી ગયો હોત' 


વિજયપત સિંઘાનિયાએ તેમની સાથે બનેલી ઘટનાને યાદ કરતા કહ્યું હતું કે તેમને પુત્ર દ્વારા ઘરમાંથી કાઢી મુકવામાં આવ્યા બાદ મારી પાસે કોઈ કામ નથી, ગૌતમ અમુક કંપનીમાં હિસ્સો આપવા માટે સહેમત થયો હતો બાદમાં તે કહીંને ફરી ગયો હતો. મેં તેને બધું આપ્યું, પરંતુ ભૂલથી મારી પાસે થોડા પૈસા બચી ગયા હતા જેની મદદથી મારૂં ભરણપોષણ કરૂ છું. સદનશિબે હું બચી ગયો, નહીંતર આજે હું રસ્તા પર હોત. ગૌતમ-નવાઝના છુટાછેડાના મુદ્દે તેમણે કહ્યું કે મને ખાતરી છે કે જો તે તેના પિતાને ઘરની બહાર કાઢી શકે છે, તો તે તેની પત્નીને પણ તે જ રીતે ધક્કો મારી શકે છે, મને ખબર નથી કે તેમને કઈ બાબતે વિવાદ છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે