હવે Ahmedabadમાં ગુંડારાજ!ચાણક્યપુરીની એક સોસાયટીમાં હથિયાર સાથે ગુંડા ઘૂસ્યા! કર્યો પથ્થરમારો અને નીકાળી તલવાર!


  • Published By :
  • Published Date : 2024-09-30 17:51:16

ગુજરાતને શાંત રાજ્ય માનવામાં આવે છે, પરંતુ છેલ્લા થોડાક કેટલાય સમયથી એવા સમાચારો સામે આવી રહ્યા છે જેને લઈ પ્રશ્ન થાય કે ગુજરાતમાં ચાલી શું રહ્યું છે.. ચોરીની ઘટનાઓ તો પ્રતિદિન વધી રહી છે.. ત્યારે હવે અસામાજીક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે.. અમદાવાદના ચાણક્યપુરીમાં ગુંડાતત્વો બેફામ બન્યા છે.. ખુલ્લી તલવારો સાથે અસામાજીક તત્વોએ આતંક મચાવ્યો છે. શિવમ આર્કેડ સોસાયટીમાં અસામાજીક તત્વોએ ડરાવ્યા હતા.. મળતી માહિતી અનુસાર દારૂ પીને  અસામાજીક તત્વો હથિયારો સાથે ઘૂસી આવ્યા અને આતંક મચાવ્યો. 

રહીશો પર કર્યો પથ્થરમારો 

ના માત્ર તલવારો કાઢી પરંતુ લોકો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે ફરિયાદ નોંધી અશાંતિ ફેલાવનાર લોકો વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. 15માંથી 5 જેટલા લોકો હાલ પોલીસની ગિરફ્તમાં છે તેવી માહિતી સામે આવી છે.. પથ્થરમારો થવાને કારણે એક વ્યક્તિને ઈજા પણ પહોંચી છે... માહિતી અનુસાર મોડી રાત્રે સોસાયટીના એક ફ્લેટમાંથી શંકાસ્પદ હાલતમાં અનેક લોકો બહાર નીકળી રહ્યા હતા જેને કારણે ચેરમેને તેમને રોક્યા. તેમના વિશે જાણવાની કોશિશ કરી અને આ દરમિયાન તે લોકો ઉશ્કેરાયા.. તલવારો અને ધોકા જેવી વસ્તુઓ લઈને આવ્યા અને સ્થાનિક લોકો પર પથ્થરમારો કરવામાં આવ્યા.. 


પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી!

આ મામલે પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસ ઘટના સ્થળ પર પહોંચી.... પોલીસના પહોંચતાની સાથે જ અસામાજીક તત્વો ત્યાંથી ભાગી ગયા.. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી અને આ યુવાનોને પકડવાની તજવીજ હાથ ધરી. જ્યારે સ્થાનિકો ઘરમાં ગયા ત્યારે ફ્લેટની અંદરથી દારૂ તેમજ બિયરનો જથ્થો મળી આવ્યો હતો.. મહત્વનું છે કે ગુજરાતમાં તો દારૂબંધી છે.. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો... 



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.