હવે Ahmedabadમાં ગુંડારાજ!ચાણક્યપુરીની એક સોસાયટીમાં હથિયાર સાથે ગુંડા ઘૂસ્યા! કર્યો પથ્થરમારો અને નીકાળી તલવાર!


  • Published By :
  • Published Date : 2024-09-30 17:51:16

ગુજરાતને શાંત રાજ્ય માનવામાં આવે છે, પરંતુ છેલ્લા થોડાક કેટલાય સમયથી એવા સમાચારો સામે આવી રહ્યા છે જેને લઈ પ્રશ્ન થાય કે ગુજરાતમાં ચાલી શું રહ્યું છે.. ચોરીની ઘટનાઓ તો પ્રતિદિન વધી રહી છે.. ત્યારે હવે અસામાજીક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે.. અમદાવાદના ચાણક્યપુરીમાં ગુંડાતત્વો બેફામ બન્યા છે.. ખુલ્લી તલવારો સાથે અસામાજીક તત્વોએ આતંક મચાવ્યો છે. શિવમ આર્કેડ સોસાયટીમાં અસામાજીક તત્વોએ ડરાવ્યા હતા.. મળતી માહિતી અનુસાર દારૂ પીને  અસામાજીક તત્વો હથિયારો સાથે ઘૂસી આવ્યા અને આતંક મચાવ્યો. 

રહીશો પર કર્યો પથ્થરમારો 

ના માત્ર તલવારો કાઢી પરંતુ લોકો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે ફરિયાદ નોંધી અશાંતિ ફેલાવનાર લોકો વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. 15માંથી 5 જેટલા લોકો હાલ પોલીસની ગિરફ્તમાં છે તેવી માહિતી સામે આવી છે.. પથ્થરમારો થવાને કારણે એક વ્યક્તિને ઈજા પણ પહોંચી છે... માહિતી અનુસાર મોડી રાત્રે સોસાયટીના એક ફ્લેટમાંથી શંકાસ્પદ હાલતમાં અનેક લોકો બહાર નીકળી રહ્યા હતા જેને કારણે ચેરમેને તેમને રોક્યા. તેમના વિશે જાણવાની કોશિશ કરી અને આ દરમિયાન તે લોકો ઉશ્કેરાયા.. તલવારો અને ધોકા જેવી વસ્તુઓ લઈને આવ્યા અને સ્થાનિક લોકો પર પથ્થરમારો કરવામાં આવ્યા.. 


પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી!

આ મામલે પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસ ઘટના સ્થળ પર પહોંચી.... પોલીસના પહોંચતાની સાથે જ અસામાજીક તત્વો ત્યાંથી ભાગી ગયા.. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી અને આ યુવાનોને પકડવાની તજવીજ હાથ ધરી. જ્યારે સ્થાનિકો ઘરમાં ગયા ત્યારે ફ્લેટની અંદરથી દારૂ તેમજ બિયરનો જથ્થો મળી આવ્યો હતો.. મહત્વનું છે કે ગુજરાતમાં તો દારૂબંધી છે.. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો... 



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.