હવે Ahmedabadમાં ગુંડારાજ!ચાણક્યપુરીની એક સોસાયટીમાં હથિયાર સાથે ગુંડા ઘૂસ્યા! કર્યો પથ્થરમારો અને નીકાળી તલવાર!


  • Published By :
  • Published Date : 2024-09-30 17:51:16

ગુજરાતને શાંત રાજ્ય માનવામાં આવે છે, પરંતુ છેલ્લા થોડાક કેટલાય સમયથી એવા સમાચારો સામે આવી રહ્યા છે જેને લઈ પ્રશ્ન થાય કે ગુજરાતમાં ચાલી શું રહ્યું છે.. ચોરીની ઘટનાઓ તો પ્રતિદિન વધી રહી છે.. ત્યારે હવે અસામાજીક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે.. અમદાવાદના ચાણક્યપુરીમાં ગુંડાતત્વો બેફામ બન્યા છે.. ખુલ્લી તલવારો સાથે અસામાજીક તત્વોએ આતંક મચાવ્યો છે. શિવમ આર્કેડ સોસાયટીમાં અસામાજીક તત્વોએ ડરાવ્યા હતા.. મળતી માહિતી અનુસાર દારૂ પીને  અસામાજીક તત્વો હથિયારો સાથે ઘૂસી આવ્યા અને આતંક મચાવ્યો. 

રહીશો પર કર્યો પથ્થરમારો 

ના માત્ર તલવારો કાઢી પરંતુ લોકો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે ફરિયાદ નોંધી અશાંતિ ફેલાવનાર લોકો વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. 15માંથી 5 જેટલા લોકો હાલ પોલીસની ગિરફ્તમાં છે તેવી માહિતી સામે આવી છે.. પથ્થરમારો થવાને કારણે એક વ્યક્તિને ઈજા પણ પહોંચી છે... માહિતી અનુસાર મોડી રાત્રે સોસાયટીના એક ફ્લેટમાંથી શંકાસ્પદ હાલતમાં અનેક લોકો બહાર નીકળી રહ્યા હતા જેને કારણે ચેરમેને તેમને રોક્યા. તેમના વિશે જાણવાની કોશિશ કરી અને આ દરમિયાન તે લોકો ઉશ્કેરાયા.. તલવારો અને ધોકા જેવી વસ્તુઓ લઈને આવ્યા અને સ્થાનિક લોકો પર પથ્થરમારો કરવામાં આવ્યા.. 


પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી!

આ મામલે પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસ ઘટના સ્થળ પર પહોંચી.... પોલીસના પહોંચતાની સાથે જ અસામાજીક તત્વો ત્યાંથી ભાગી ગયા.. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી અને આ યુવાનોને પકડવાની તજવીજ હાથ ધરી. જ્યારે સ્થાનિકો ઘરમાં ગયા ત્યારે ફ્લેટની અંદરથી દારૂ તેમજ બિયરનો જથ્થો મળી આવ્યો હતો.. મહત્વનું છે કે ગુજરાતમાં તો દારૂબંધી છે.. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો... 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી