હવે Ahmedabadમાં ગુંડારાજ!ચાણક્યપુરીની એક સોસાયટીમાં હથિયાર સાથે ગુંડા ઘૂસ્યા! કર્યો પથ્થરમારો અને નીકાળી તલવાર!


  • Published By :
  • Published Date : 2024-09-30 17:51:16

ગુજરાતને શાંત રાજ્ય માનવામાં આવે છે, પરંતુ છેલ્લા થોડાક કેટલાય સમયથી એવા સમાચારો સામે આવી રહ્યા છે જેને લઈ પ્રશ્ન થાય કે ગુજરાતમાં ચાલી શું રહ્યું છે.. ચોરીની ઘટનાઓ તો પ્રતિદિન વધી રહી છે.. ત્યારે હવે અસામાજીક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે.. અમદાવાદના ચાણક્યપુરીમાં ગુંડાતત્વો બેફામ બન્યા છે.. ખુલ્લી તલવારો સાથે અસામાજીક તત્વોએ આતંક મચાવ્યો છે. શિવમ આર્કેડ સોસાયટીમાં અસામાજીક તત્વોએ ડરાવ્યા હતા.. મળતી માહિતી અનુસાર દારૂ પીને  અસામાજીક તત્વો હથિયારો સાથે ઘૂસી આવ્યા અને આતંક મચાવ્યો. 

રહીશો પર કર્યો પથ્થરમારો 

ના માત્ર તલવારો કાઢી પરંતુ લોકો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે ફરિયાદ નોંધી અશાંતિ ફેલાવનાર લોકો વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. 15માંથી 5 જેટલા લોકો હાલ પોલીસની ગિરફ્તમાં છે તેવી માહિતી સામે આવી છે.. પથ્થરમારો થવાને કારણે એક વ્યક્તિને ઈજા પણ પહોંચી છે... માહિતી અનુસાર મોડી રાત્રે સોસાયટીના એક ફ્લેટમાંથી શંકાસ્પદ હાલતમાં અનેક લોકો બહાર નીકળી રહ્યા હતા જેને કારણે ચેરમેને તેમને રોક્યા. તેમના વિશે જાણવાની કોશિશ કરી અને આ દરમિયાન તે લોકો ઉશ્કેરાયા.. તલવારો અને ધોકા જેવી વસ્તુઓ લઈને આવ્યા અને સ્થાનિક લોકો પર પથ્થરમારો કરવામાં આવ્યા.. 


પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી!

આ મામલે પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસ ઘટના સ્થળ પર પહોંચી.... પોલીસના પહોંચતાની સાથે જ અસામાજીક તત્વો ત્યાંથી ભાગી ગયા.. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી અને આ યુવાનોને પકડવાની તજવીજ હાથ ધરી. જ્યારે સ્થાનિકો ઘરમાં ગયા ત્યારે ફ્લેટની અંદરથી દારૂ તેમજ બિયરનો જથ્થો મળી આવ્યો હતો.. મહત્વનું છે કે ગુજરાતમાં તો દારૂબંધી છે.. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો... 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.