હવે તો હદ થઈ! અમદાવાદમાં હવે તો નકલી જજ અને નકલી કોર્ટ રૂમ! લોકોને છેતરવા હવે નવો રસ્તો લાવ્યા આ લોકો!


  • Published By :
  • Published Date : 2024-10-22 18:04:25

નકલીનું નામ સાંભળતા જ આપણા દિમાગમાં નકલી અધિકારી, નકલી કચેરી, નકલી આઈપીએસ જેવી વસ્તુઓ યાદ આવે.. આપણને થાય કે આનાથી વધારે તો કંઈ ના હોય.. જો તમે પણ આ વિચાર્યું તો તમે ખોટા પડી શકો છો... કારણ કે અમદાવાદથી નકલી જજ ઝડપાયા છે... ના માત્ર જજ પરંતુ નકલી કોર્ટ ઝડપાઈ છે... વાત સાંભળીને નવાઈ લાગીને કેવી રીતે આવું બને પરંતુ આવું બન્યું છે....

કેવી રીતે સામે આવ્યો આખો કાંડ?

અમદાવાદથી નકલી કોર્ટ ઝડપાઈ છે. નકલી જજ અસલી કાર્યવાહી કરવાનો ઢોંગ પણ કરતો હતો... નકલી જજનું નામ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિનની છે એ પોતે પાછા એડવોકેટ... પહેલાએ સમજીએ કે આ આખું નાટક કઈ રીતે સામે આવ્યું? આરોપીએ ખોટી ટ્રિબ્યુનલ એટલે કે કોર્ટ ઊભી કરી અને ન્યાયની કોર્ટ હોય તેવું વાતાવરણ ઉભું કર્યું હતું. કોર્ટ સ્ટાફ અને વકીલો ઊભા કરી પોતે જજની જેમ વર્તીને જાતે જ ક્લેઇમ સેટલમેન્ટ કરી દાવો તૈયાર કરી અને કરાવી સરકારી જમીન ખાનગી વ્યક્તિને આપી દીધી. કરોડોની સરકારી જમીન ખાનગી વ્યક્તિના નામે કરી અસલ કોર્ટમાં દરખાસ્ત કરી હતી. ખોટો આર્બિટ્રેશન ઓર્ડર કોર્ટમાં રજુ કરી છેતરપિંડી કરી...



આરોપી વિરૂદ્ધ કારંજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

આ કેસમાં સીટી સિવિલ કોર્ટ, ભદ્રના રજિસ્ટ્રાર હાર્દિક દેસાઈએ આરોપી મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન સામે કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ નોંધી છે હાલ અમદાવાદના પાલડી ખાતે આવેલી 200 કરોડની સરકારી જમીન બાબુજી પાસેથી ગેરકાયદેસર સંપાદિત કરાયેલ હોવાની વાત મળી છે. જોકે આ નકલી જજ માટે આ કઈ નવું ન હતું.. 



અગાઉ પણ આરોપી સામે થઈ છે કાર્યવાહી

આરોપી અગાઉ પણ આ પ્રકારની છેતરપિંડી કરી ચૂક્યો છે. તેની સામે વર્ષ 2015માં મણીનગર પોલીસ સ્ટેશનની ફરિયાદ નોંધાઈ ચૂકી છે. આ ઉપરાંત ગુજરાત હાઇકોર્ટે આરોપી સામે કોર્ટના તિરસ્કારની કાર્યવાહી પણ દાખલ કરી હતી. એટલે આ તો માય લોડ નકલી જજ અને નકલી કોર્ટ રૂમમાં બધુ પોલમ પોલ ચાલતું હતું તો હવે નકલી જજ અસલી કોર્ટ મે હાજીર હો .. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.