હવે તો હદ થઈ! અમદાવાદમાં હવે તો નકલી જજ અને નકલી કોર્ટ રૂમ! લોકોને છેતરવા હવે નવો રસ્તો લાવ્યા આ લોકો!


  • Published By :
  • Published Date : 2024-10-22 18:04:25

નકલીનું નામ સાંભળતા જ આપણા દિમાગમાં નકલી અધિકારી, નકલી કચેરી, નકલી આઈપીએસ જેવી વસ્તુઓ યાદ આવે.. આપણને થાય કે આનાથી વધારે તો કંઈ ના હોય.. જો તમે પણ આ વિચાર્યું તો તમે ખોટા પડી શકો છો... કારણ કે અમદાવાદથી નકલી જજ ઝડપાયા છે... ના માત્ર જજ પરંતુ નકલી કોર્ટ ઝડપાઈ છે... વાત સાંભળીને નવાઈ લાગીને કેવી રીતે આવું બને પરંતુ આવું બન્યું છે....

કેવી રીતે સામે આવ્યો આખો કાંડ?

અમદાવાદથી નકલી કોર્ટ ઝડપાઈ છે. નકલી જજ અસલી કાર્યવાહી કરવાનો ઢોંગ પણ કરતો હતો... નકલી જજનું નામ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિનની છે એ પોતે પાછા એડવોકેટ... પહેલાએ સમજીએ કે આ આખું નાટક કઈ રીતે સામે આવ્યું? આરોપીએ ખોટી ટ્રિબ્યુનલ એટલે કે કોર્ટ ઊભી કરી અને ન્યાયની કોર્ટ હોય તેવું વાતાવરણ ઉભું કર્યું હતું. કોર્ટ સ્ટાફ અને વકીલો ઊભા કરી પોતે જજની જેમ વર્તીને જાતે જ ક્લેઇમ સેટલમેન્ટ કરી દાવો તૈયાર કરી અને કરાવી સરકારી જમીન ખાનગી વ્યક્તિને આપી દીધી. કરોડોની સરકારી જમીન ખાનગી વ્યક્તિના નામે કરી અસલ કોર્ટમાં દરખાસ્ત કરી હતી. ખોટો આર્બિટ્રેશન ઓર્ડર કોર્ટમાં રજુ કરી છેતરપિંડી કરી...



આરોપી વિરૂદ્ધ કારંજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

આ કેસમાં સીટી સિવિલ કોર્ટ, ભદ્રના રજિસ્ટ્રાર હાર્દિક દેસાઈએ આરોપી મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન સામે કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ નોંધી છે હાલ અમદાવાદના પાલડી ખાતે આવેલી 200 કરોડની સરકારી જમીન બાબુજી પાસેથી ગેરકાયદેસર સંપાદિત કરાયેલ હોવાની વાત મળી છે. જોકે આ નકલી જજ માટે આ કઈ નવું ન હતું.. 



અગાઉ પણ આરોપી સામે થઈ છે કાર્યવાહી

આરોપી અગાઉ પણ આ પ્રકારની છેતરપિંડી કરી ચૂક્યો છે. તેની સામે વર્ષ 2015માં મણીનગર પોલીસ સ્ટેશનની ફરિયાદ નોંધાઈ ચૂકી છે. આ ઉપરાંત ગુજરાત હાઇકોર્ટે આરોપી સામે કોર્ટના તિરસ્કારની કાર્યવાહી પણ દાખલ કરી હતી. એટલે આ તો માય લોડ નકલી જજ અને નકલી કોર્ટ રૂમમાં બધુ પોલમ પોલ ચાલતું હતું તો હવે નકલી જજ અસલી કોર્ટ મે હાજીર હો .. 



રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.