હવે તો હદ થઈ! અમદાવાદમાં હવે તો નકલી જજ અને નકલી કોર્ટ રૂમ! લોકોને છેતરવા હવે નવો રસ્તો લાવ્યા આ લોકો!


  • Published By :
  • Published Date : 2024-10-22 18:04:25

નકલીનું નામ સાંભળતા જ આપણા દિમાગમાં નકલી અધિકારી, નકલી કચેરી, નકલી આઈપીએસ જેવી વસ્તુઓ યાદ આવે.. આપણને થાય કે આનાથી વધારે તો કંઈ ના હોય.. જો તમે પણ આ વિચાર્યું તો તમે ખોટા પડી શકો છો... કારણ કે અમદાવાદથી નકલી જજ ઝડપાયા છે... ના માત્ર જજ પરંતુ નકલી કોર્ટ ઝડપાઈ છે... વાત સાંભળીને નવાઈ લાગીને કેવી રીતે આવું બને પરંતુ આવું બન્યું છે....

કેવી રીતે સામે આવ્યો આખો કાંડ?

અમદાવાદથી નકલી કોર્ટ ઝડપાઈ છે. નકલી જજ અસલી કાર્યવાહી કરવાનો ઢોંગ પણ કરતો હતો... નકલી જજનું નામ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિનની છે એ પોતે પાછા એડવોકેટ... પહેલાએ સમજીએ કે આ આખું નાટક કઈ રીતે સામે આવ્યું? આરોપીએ ખોટી ટ્રિબ્યુનલ એટલે કે કોર્ટ ઊભી કરી અને ન્યાયની કોર્ટ હોય તેવું વાતાવરણ ઉભું કર્યું હતું. કોર્ટ સ્ટાફ અને વકીલો ઊભા કરી પોતે જજની જેમ વર્તીને જાતે જ ક્લેઇમ સેટલમેન્ટ કરી દાવો તૈયાર કરી અને કરાવી સરકારી જમીન ખાનગી વ્યક્તિને આપી દીધી. કરોડોની સરકારી જમીન ખાનગી વ્યક્તિના નામે કરી અસલ કોર્ટમાં દરખાસ્ત કરી હતી. ખોટો આર્બિટ્રેશન ઓર્ડર કોર્ટમાં રજુ કરી છેતરપિંડી કરી...



આરોપી વિરૂદ્ધ કારંજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

આ કેસમાં સીટી સિવિલ કોર્ટ, ભદ્રના રજિસ્ટ્રાર હાર્દિક દેસાઈએ આરોપી મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન સામે કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ નોંધી છે હાલ અમદાવાદના પાલડી ખાતે આવેલી 200 કરોડની સરકારી જમીન બાબુજી પાસેથી ગેરકાયદેસર સંપાદિત કરાયેલ હોવાની વાત મળી છે. જોકે આ નકલી જજ માટે આ કઈ નવું ન હતું.. 



અગાઉ પણ આરોપી સામે થઈ છે કાર્યવાહી

આરોપી અગાઉ પણ આ પ્રકારની છેતરપિંડી કરી ચૂક્યો છે. તેની સામે વર્ષ 2015માં મણીનગર પોલીસ સ્ટેશનની ફરિયાદ નોંધાઈ ચૂકી છે. આ ઉપરાંત ગુજરાત હાઇકોર્ટે આરોપી સામે કોર્ટના તિરસ્કારની કાર્યવાહી પણ દાખલ કરી હતી. એટલે આ તો માય લોડ નકલી જજ અને નકલી કોર્ટ રૂમમાં બધુ પોલમ પોલ ચાલતું હતું તો હવે નકલી જજ અસલી કોર્ટ મે હાજીર હો .. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.