હવે તો હદ થઈ...! જાહેરાતની હોર્ડિંગ દેખાય તે માટે કાપી નાખ્યા વૃક્ષ! ઝાડ કાપનાર એજન્સીને મનપાએ આપી આ સજા.. કપાયેલા વૃક્ષોનો આંકડો જોઈ તમે ચોંકી જશો..!


  • Published By :
  • Published Date : 2024-05-31 15:15:08

ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે.. ગરમીમાંથી મુક્તિ મળે તે માટે અને વાતાવરણની રક્ષા માટે વૃક્ષો વાવવા માટ આહ્વાવન કરવામાં આવી રહ્યું છે.. લાખોની સંખ્યામાં આપણે વૃક્ષો વાવીશું તો વાતાવરણમાં કંઈક ફરક પડશે તેવી વાત કરવામાં આવી રહી છે.. વૃક્ષો લગાવવામાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ મહેનત કરવામાં આવી રહી છે.. ડિવાઈડર પર અનેક વૃક્ષો લગાવામાં  આવતા હાય છે.. એક તરફ વૃક્ષોનું જતન કરવું જોઈએ તેવી વાત આપણે કરતા હોઈએ છીએ તો બીજી તરફ જાહેરાતના હોર્ડિંગ્સને કારણે એજન્સીઓ દ્વારા ઝાડ કાપવામાં આવી રહ્યા છે.. લોકો જાહેરાતના હોર્ડિંગ્સને જોઈ શકે તે માટે એક બે કે 10 વૃક્ષો નહીં પરંતુ 536 ઝાડ કાપવામાં આવ્યા..  




જાહેરાતના હોર્ડિંગ દેખાય તે માટે લીધું આ પગલું!

રસ્તા પર જ્યારે આપણે નિકળતા હોઈએ છીએ ત્યારે અનેક જાહેરાતોના હોર્ડિંગ આપણને દેખાતા હોય છે. લોકોને દેખાય એવી રીતે તેને લગાવવામાં આવે છે. જ્યારે આપણે આ હોર્ડિંગ જોઈતા હોઈએ છીએ ત્યારે શું આપણે ક્યારેય વિચાર્યું હશે કે આ લોકોને દેખાય તેવી રીતે હોર્ડિંગને લગાવવા માટે ઝાડ કપાવવામાં આવ્યા હશે..! તમે કહેશો ના.. હોર્ડિંગ માટે ઝાડને થોડી કપાય તેવું વાક્ય તમે કહી દીધું હશે.. પરંતુ અમદાવાદમાં એક કિસ્સો સામે આવ્યો છે જેમાં જાહેરાતના હોર્ડિંગ્સ લોકોને દેખાય તે માટે બે એજન્સીએ 536 ઝાડ કાપી નાખ્યા.... બે એજન્સી જેમણે ઝાડ કાપ્યા છે તેમાં ચિત્રા પબ્લિસિટી અને ઝવેરી એન્ડ કંપનીનો સમાવેશ થાય છે... સ્ટ્રીટ લાઈટ લાગેલા હોર્ડિંગ લોકોને દેખાય તે માટે એજન્સીઓએ ઝાડ કાપી નાખ્યા. 


બંને એજન્સીને આપવામાં આવી આ સજા. 

મીડિયા રિપોર્ટ પ્રમાણે સીજી રોડ પર અપર પ્લાઝા ખાતે ઝવેરી એન્ડ કંપની તેમજ ચિત્રા (બી) પબ્લિસિટીએ પોતાની જાહેરાતો દેખાય તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લગાવવામાં આવેલા ઝાડોને કાપી નાખ્યા. ડિવાઈડર વચ્ચે ઝાડ હોવાને કારણે જાહેરાત દેખાતી ના હતી જેને કારણે તેમણે 30થી વધારેના ઝાડ કાપી નાખ્યા.. એવી માહિતી સામે આવી છે કે 50 -50 લાખનો દંડ કરવામાં આવ્યો છે ઉપરાંત 2 હજાર છોડ વાવવા પડશે અને તેના ઉછેરનો સંપૂર્ણ ખર્ચ પણ તેમણે કરવાનો રહેશે..  



કઈ એજન્સીએ કેટલા ઝાડ કાપ્યા? 

માહિતી અનુસાર ચિત્રા પબ્લિસિટીએ સોલા બ્રિજથી શુકન મોલ સુધીની સેન્ટ્રીલ વર્જ (સાયન્સ સિટી રોડ) પર આવેલા 17 વૃક્ષો કાપી નાખ્યા. અંકુરથી કામેશ્વર મહાદેવ મંદિર તરફના રોડ પર આવેલા 7 વૃક્ષો કાપી નાખ્યા... તે સિવાય ઝવેરી એન્ડ કંપનીએ સાણંદ ચોકડીથી સમાથલ સુધીનો સેન્ટ્રલ વર્જ, સરખેજ પર આવેલા 214 વૃક્ષો કાપી નાખ્યા. તે ઉપરાંત વાયએમસીએ ક્લબથી કાકે દા ઢાબા સુધીની સેન્ટ્રલ વર્જ, સરખેજ રસ્તા પર આવેલા 75 વૃક્ષો કાપી નખાયા. તે સિવાય એલ,જે.કેમ્પસથી ઝવેરી સર્કલ સુધીની સેન્ટ્રલ વર્જ, સરખેજ - 188 વૃક્ષો કાપી નાખવામાં આવ્યા ઉપરાંત એશિયલ ગ્લોબલ સ્કૂલથી જે 18 એપાર્ટમેન્ટ સુધી ચાંદખેડા - 35 વૃક્ષો કાપી દેવામાં આવ્યા છે..


વૃક્ષને ઉછેરવામાં લાગે છે લાંબો સમય 

જ્યારે જ્યારે આવી ઘટનાઓ, સમાચારો સામે આવે છે ત્યારે દુ:ખ થાય.. ઝાડને ઉછેરવામાં ઘણો સમય લાગે, ઘણું જતન કરવું પડે ત્યારે તે ઝાડ ઘટાદાર થાય. એક તરફ વૃક્ષો વાવવામાં આવે તે પરંતુ માત્ર જાહેરાતો દેખાય તે માટે આટલા ઝાડોને કાપવું કેટલું યોગ્ય? તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવો..   




જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે