હવે રબારી સમાજે સરકાર સામે બાયો ચઢાવી, માલધારી એકતા સમિતિએ આંદોલનની કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-11-23 17:04:18

ગુજરાત સરકારની માલધારી સમાજ વિરોધી નિતીઓના કારણે ભારોભાર રોષનો માહોલ છે. માલધારી સમાજે ફરી એક વખત આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. માલધારી એકતા સમિતિના પ્રમુખ નાગજીભાઈ રબારીએ સરકારના અન્યાયી વલણ સામે આંદોલનનું શસ્ત્ર ઉગામવાની જાહેરાત કરી છે. માલધારી સમાજે 2500 લોકો સાથે આવતી કાલે શુક્રવારે 24 નવેમ્બરે અમદાવાદના બાપુનગરના ભીડભંજન મંદિરથી વિરોધ પ્રદર્શન રેલી કાઢવાનું આયોજન કર્યું છે.  નાગજી રબારીએ આજે એક વીડિયો શેર કરી આ અંગે જાણકારી આપી હતી. રાજ્યમાં એક તરફ જ્ઞાન સહાયકના વિરોધમાં ટેટ-ટાટ ઉમેદવારો તથા TRB જવાનો આંદોલન ચલાવી રહ્યા છે, ત્યારે હવે માલધારી સમાજે પણ આંદોલનની ઘોષણા કરતા રાજ્ય સરકારની મુશ્કેલી વધી છે.   


શા માટે આંદોલન?


માલધારી એકતા સમિતિના પ્રમુખ નાગજીભાઈ રબારીએ રાજ્ય સરકાર પર આરોપ લગાવ્યો હતો કે સરકાર ગુજરાતના પશુપાલન વ્યવસાયને ખતમ કરવા માંગે છે. રાજ્ય સરકારની પશુઓ રાખવા માટે લાયસન્સની નિતીનો તેમણે ઉગ્ર વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે રસ્તા પર રખડતા બે પગવાળા આખલાઓ ગોચર ગળી ગયા તેના વિરોધમાં આ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. નાગજીભાઈ રબારીએ એ પણ સ્પષ્ટતા કરી હતી કે રસ્તા પર રખડતા ઢોરને ડબ્બામાં પુરવામાં આવે તેનાથી માલધારી સમાજને કોઈ વાંધો નથી. માલધારી સમાજ કોઈ નિર્દોશ વ્યક્તિનું રસ્તા પર મોત થાય તેનું પણ સમર્થન કરતો નથી. ઉલ્લેખનિય છે કે રાજ્ય સરકારની  રખડતા ઢોર નિયંત્રણની નવી પોલીસી અને ગોચરને લઈને માલધારી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકારે ઢોર નિયંત્રણ પોલીસી જાહેર કરી હતી. જે બાદ શહેરમાં રખડતા પશુઓને પકડવાની કામગીરી વધુ ઝડપી બનાવવામાં આવી છે. 


જામાભાઈ રબારીના મોતથી સમાજમાં રોષ 


અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં રહેતા વૃધ્ધનું થોડા દિવસ પહેલા હાર્ટ અટેક આવતા મોત થતા વિવાદ સર્જાયો હતો. મૃતકના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે ઢોર પકડો પાર્ટીના ગેરવર્તન અને મારના લીધે જામાભાઈ રબારીને હાર્ટ અટેક આવ્યો હતો. આ મુદ્દે માલધારી સમાજના લોકોએ આક્ષેપ કર્યો હતો કે ઢોર પાર્ટી અને પોલીસ હપ્તા લે છે. બીજી તરફ AMCએ દાવો કર્યો હતો કે મૃતકને હ્રદય રોગ હોવાથી હાર્ટ એટેક આવ્યો છે. મૃતકના પરિવારજનોએ ઢોર પાર્ટીના લોકોએ મકાન તોડવાની ધમકી આપી હોવાનો અને તેમના પર હુમલો કર્યાનો પણ આરોપ લગાવ્યો હતો. મૃતકના જવાબદારો સામે કાર્યવાહીની માંગ સાથે માલધારી સમાજના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પશુ પકડવાની ટીમ પહોંચતા વૃદ્ધને હાર્ટ અટેક આવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે માલધારી સોસાયટીમાં પશુઓ પકડવા ટીમ પહોંચી હતી. વાડાના પશુઓને પકડવા ટીમ આવી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. આ સમગ્ર મામલે અમદાવાદ AMCએ તપાસ શરૂ કરી છે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી