હવે રબારી સમાજે સરકાર સામે બાયો ચઢાવી, માલધારી એકતા સમિતિએ આંદોલનની કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-11-23 17:04:18

ગુજરાત સરકારની માલધારી સમાજ વિરોધી નિતીઓના કારણે ભારોભાર રોષનો માહોલ છે. માલધારી સમાજે ફરી એક વખત આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. માલધારી એકતા સમિતિના પ્રમુખ નાગજીભાઈ રબારીએ સરકારના અન્યાયી વલણ સામે આંદોલનનું શસ્ત્ર ઉગામવાની જાહેરાત કરી છે. માલધારી સમાજે 2500 લોકો સાથે આવતી કાલે શુક્રવારે 24 નવેમ્બરે અમદાવાદના બાપુનગરના ભીડભંજન મંદિરથી વિરોધ પ્રદર્શન રેલી કાઢવાનું આયોજન કર્યું છે.  નાગજી રબારીએ આજે એક વીડિયો શેર કરી આ અંગે જાણકારી આપી હતી. રાજ્યમાં એક તરફ જ્ઞાન સહાયકના વિરોધમાં ટેટ-ટાટ ઉમેદવારો તથા TRB જવાનો આંદોલન ચલાવી રહ્યા છે, ત્યારે હવે માલધારી સમાજે પણ આંદોલનની ઘોષણા કરતા રાજ્ય સરકારની મુશ્કેલી વધી છે.   


શા માટે આંદોલન?


માલધારી એકતા સમિતિના પ્રમુખ નાગજીભાઈ રબારીએ રાજ્ય સરકાર પર આરોપ લગાવ્યો હતો કે સરકાર ગુજરાતના પશુપાલન વ્યવસાયને ખતમ કરવા માંગે છે. રાજ્ય સરકારની પશુઓ રાખવા માટે લાયસન્સની નિતીનો તેમણે ઉગ્ર વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે રસ્તા પર રખડતા બે પગવાળા આખલાઓ ગોચર ગળી ગયા તેના વિરોધમાં આ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. નાગજીભાઈ રબારીએ એ પણ સ્પષ્ટતા કરી હતી કે રસ્તા પર રખડતા ઢોરને ડબ્બામાં પુરવામાં આવે તેનાથી માલધારી સમાજને કોઈ વાંધો નથી. માલધારી સમાજ કોઈ નિર્દોશ વ્યક્તિનું રસ્તા પર મોત થાય તેનું પણ સમર્થન કરતો નથી. ઉલ્લેખનિય છે કે રાજ્ય સરકારની  રખડતા ઢોર નિયંત્રણની નવી પોલીસી અને ગોચરને લઈને માલધારી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકારે ઢોર નિયંત્રણ પોલીસી જાહેર કરી હતી. જે બાદ શહેરમાં રખડતા પશુઓને પકડવાની કામગીરી વધુ ઝડપી બનાવવામાં આવી છે. 


જામાભાઈ રબારીના મોતથી સમાજમાં રોષ 


અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં રહેતા વૃધ્ધનું થોડા દિવસ પહેલા હાર્ટ અટેક આવતા મોત થતા વિવાદ સર્જાયો હતો. મૃતકના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે ઢોર પકડો પાર્ટીના ગેરવર્તન અને મારના લીધે જામાભાઈ રબારીને હાર્ટ અટેક આવ્યો હતો. આ મુદ્દે માલધારી સમાજના લોકોએ આક્ષેપ કર્યો હતો કે ઢોર પાર્ટી અને પોલીસ હપ્તા લે છે. બીજી તરફ AMCએ દાવો કર્યો હતો કે મૃતકને હ્રદય રોગ હોવાથી હાર્ટ એટેક આવ્યો છે. મૃતકના પરિવારજનોએ ઢોર પાર્ટીના લોકોએ મકાન તોડવાની ધમકી આપી હોવાનો અને તેમના પર હુમલો કર્યાનો પણ આરોપ લગાવ્યો હતો. મૃતકના જવાબદારો સામે કાર્યવાહીની માંગ સાથે માલધારી સમાજના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પશુ પકડવાની ટીમ પહોંચતા વૃદ્ધને હાર્ટ અટેક આવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે માલધારી સોસાયટીમાં પશુઓ પકડવા ટીમ પહોંચી હતી. વાડાના પશુઓને પકડવા ટીમ આવી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. આ સમગ્ર મામલે અમદાવાદ AMCએ તપાસ શરૂ કરી છે.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.