હવે રબારી સમાજે સરકાર સામે બાયો ચઢાવી, માલધારી એકતા સમિતિએ આંદોલનની કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-11-23 17:04:18

ગુજરાત સરકારની માલધારી સમાજ વિરોધી નિતીઓના કારણે ભારોભાર રોષનો માહોલ છે. માલધારી સમાજે ફરી એક વખત આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. માલધારી એકતા સમિતિના પ્રમુખ નાગજીભાઈ રબારીએ સરકારના અન્યાયી વલણ સામે આંદોલનનું શસ્ત્ર ઉગામવાની જાહેરાત કરી છે. માલધારી સમાજે 2500 લોકો સાથે આવતી કાલે શુક્રવારે 24 નવેમ્બરે અમદાવાદના બાપુનગરના ભીડભંજન મંદિરથી વિરોધ પ્રદર્શન રેલી કાઢવાનું આયોજન કર્યું છે.  નાગજી રબારીએ આજે એક વીડિયો શેર કરી આ અંગે જાણકારી આપી હતી. રાજ્યમાં એક તરફ જ્ઞાન સહાયકના વિરોધમાં ટેટ-ટાટ ઉમેદવારો તથા TRB જવાનો આંદોલન ચલાવી રહ્યા છે, ત્યારે હવે માલધારી સમાજે પણ આંદોલનની ઘોષણા કરતા રાજ્ય સરકારની મુશ્કેલી વધી છે.   


શા માટે આંદોલન?


માલધારી એકતા સમિતિના પ્રમુખ નાગજીભાઈ રબારીએ રાજ્ય સરકાર પર આરોપ લગાવ્યો હતો કે સરકાર ગુજરાતના પશુપાલન વ્યવસાયને ખતમ કરવા માંગે છે. રાજ્ય સરકારની પશુઓ રાખવા માટે લાયસન્સની નિતીનો તેમણે ઉગ્ર વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે રસ્તા પર રખડતા બે પગવાળા આખલાઓ ગોચર ગળી ગયા તેના વિરોધમાં આ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. નાગજીભાઈ રબારીએ એ પણ સ્પષ્ટતા કરી હતી કે રસ્તા પર રખડતા ઢોરને ડબ્બામાં પુરવામાં આવે તેનાથી માલધારી સમાજને કોઈ વાંધો નથી. માલધારી સમાજ કોઈ નિર્દોશ વ્યક્તિનું રસ્તા પર મોત થાય તેનું પણ સમર્થન કરતો નથી. ઉલ્લેખનિય છે કે રાજ્ય સરકારની  રખડતા ઢોર નિયંત્રણની નવી પોલીસી અને ગોચરને લઈને માલધારી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકારે ઢોર નિયંત્રણ પોલીસી જાહેર કરી હતી. જે બાદ શહેરમાં રખડતા પશુઓને પકડવાની કામગીરી વધુ ઝડપી બનાવવામાં આવી છે. 


જામાભાઈ રબારીના મોતથી સમાજમાં રોષ 


અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં રહેતા વૃધ્ધનું થોડા દિવસ પહેલા હાર્ટ અટેક આવતા મોત થતા વિવાદ સર્જાયો હતો. મૃતકના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે ઢોર પકડો પાર્ટીના ગેરવર્તન અને મારના લીધે જામાભાઈ રબારીને હાર્ટ અટેક આવ્યો હતો. આ મુદ્દે માલધારી સમાજના લોકોએ આક્ષેપ કર્યો હતો કે ઢોર પાર્ટી અને પોલીસ હપ્તા લે છે. બીજી તરફ AMCએ દાવો કર્યો હતો કે મૃતકને હ્રદય રોગ હોવાથી હાર્ટ એટેક આવ્યો છે. મૃતકના પરિવારજનોએ ઢોર પાર્ટીના લોકોએ મકાન તોડવાની ધમકી આપી હોવાનો અને તેમના પર હુમલો કર્યાનો પણ આરોપ લગાવ્યો હતો. મૃતકના જવાબદારો સામે કાર્યવાહીની માંગ સાથે માલધારી સમાજના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પશુ પકડવાની ટીમ પહોંચતા વૃદ્ધને હાર્ટ અટેક આવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે માલધારી સોસાયટીમાં પશુઓ પકડવા ટીમ પહોંચી હતી. વાડાના પશુઓને પકડવા ટીમ આવી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. આ સમગ્ર મામલે અમદાવાદ AMCએ તપાસ શરૂ કરી છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.