હવે ઘરથી નીકળતા એક વાર વિચારજો કેમ કે અમદાવાદની હવા બની રહી છે ઝેરી !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-09 12:56:20


અમદાવાદની હવા દિવસેને દિવસે જોખમી બની રહી છે.જેમાં હવાનું પ્રદુષણ ગંભીર બાબત ગણાય છે. ત્યારે દિવાળીમાં ફટાકડા ફોડવાની મોજે શહેરની હવા પ્રદૂષિત કરી છે. જેમાં શહેરના અનેક વિસ્તરાઓમાં હવાનું પ્રદુષણ 300 AQI ને પાર નોંધાયું છે. જ્યારે બીજી તરફ પ્રદુષણ દર્શાવતા બોર્ડ શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. 


શહેરની હવામાં ઠંડક વધી પણ હવા ઝેરી બની ગઈ !!!

દિલ્હી બાદ હવે અમદાવાદની હવામાં પણ પ્રદૂષણની માત્રા વધતી જોવા મળી રહી છે .  અમદાવાદ શહેરની હવામાં ઠંડક વધતાની સાથે જ હવા ઝેરી બની ગઈ છે. સતત હવામાં પ્રદૂષણની માત્રામાં વધારો થઇ રહ્યો છે. જે શહેરીજનો માટે ચિંતાજનક બાબત બની ગઈ છે. 

AIQના જુદા જુદા એકમો પ્રદૂષણનું સ્તર નક્કી કરે છે જેમાં 200 થી 300 વચ્ચેનો AQI ખરાબ ગણાય છે. 300 થી 400 વચ્ચેનો AQI અત્યંત ખરાબ ગણાય છે. આ જોતાં અમદાવાદની હવા પણ હવે ઝેરી બનતી રહી છે. આ વાત સ્વીકાર્યા સિવાય છૂટકો નથી. આમ દિલ્લી બાદ હવે અમદાવાદનું વધતું જતું પ્રદુષણ એક ગંભીર સમસ્યા બની ગઇ છે.


બોપલનો AQI 321 !!!


બોપલ અને આસપાસના વિસ્તારમાં પ્રદૂષણ ચિંતાજનક સ્તરે પહોંચી ગયું છે. સતત બીજા દિવસે પણ બોપલનો AQI 321 નોંધાયો છે. જ્યારે પીરાણા અને આસપાસના વિસ્તારમાં AQI 301 નોંધાયો છે. સામાન્ય રીતે આવી પરિસ્થિતિ તહેવારોની સિઝનમાં આ પ્રદુષણની માત્રા વધી જતી હોય છે. તેમાંય દિવાળી જેવા તહેવારોમાં તો ખાસ. દિવાળીમાં નાના બાળકોથી લઈને મોટા સૌ કોઈ ફટાકડા ફોડવાની મજા લેતા હોય છે. પરંતુ તેમને એ ખ્યાલ નથી આવતો કે આ ફડાકડામાં રહેલા ઝેરી તત્વો હવામાં ભળે છે. 

આમ દિવાળીના તહેવારમાં શહેરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ વધી ગયો છે. જેમાં શહેરના અનેક વિસ્તરાઓમાં હવાનું પ્રદુષણ દર્શાવતા બોર્ડ શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.