હવે NRI પણ કરી શકશે UPIથી ટ્રાન્ઝેક્શન, આ 10 દેશોમાં વસતા ભારતીયોને મળશે લાભ


  • Published By :
  • Published Date : 2023-01-13 13:04:22

દેશમાં ઓનલાઈન પેમેન્ટ મિડિયમ UPI લોકપ્રિય બની રહ્યું છે. હવે તેનો લાભ દસ દેશોમાં વસતા બિન નિવાસી ભારતીયો ( NRI) પણ કરી શકશે. નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના જણાવ્યા પ્રમાણે હવે NRI પણ તેમના ઈન્ટરનેશનલ નંબર મારફતે પેમેન્ટ માટે UPI એટલે કે યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસનો ઉપયોગ કરી શકશે. 


આ દેશોમાં વસતા NRIને મળશે લાભ


ઓનલાઈન પેમેન્ટ ફેસિલિટી UPIનો ઉપયોગ આ દસ દેશો જેવા કે સિંગાપોર, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, હોંગકોંગ, ઓમાન, કતાર, સઉદી અરબ, સંયુક્ત અરબ અમીરાત (યુએઇ) અને બ્રિટન (યુકે)માં વસતા લોકો કરી શકશે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અનુસાર ઇન્ટરનેશનલ મોબાઇલ નંબરવાળા NRI/NRO યુપીઆઇ દ્વારા લેવડદેવડ કરી શકશે. પેમેન્ટ કોર્પોરેશને નિર્દેશોનું પાલન કરવા માટે પાર્ટનર બેંકોને 30 એપ્રિલ સુધીનો સમય આપ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે NRI એકાઉન્ટ એનઆરઆઇને વિદેશી કમાણીને ભારતમાં ટ્રાન્સફર કરવામાં મદદ કરે છે જ્યારે NRO એકાઉન્ટ તેમને ભારતમાં અર્જિત આવકનું સંચાલન કરવામાં મદદ કરે છે.


FEMAના નિયમોનું પાલન અનિવાર્ય


આ ઓનલાઈન પેમેન્ટ ફેસિલિટી UPIનો ઉપયોગ કરવાને લઈ એક માત્ર શરત એ છે કે બેંક એ સુનિશ્ચિત કરે કે આવા ખાતાઓને ફેમાના નિયમો અનુસાર પરવાનગી આપવામાં આવે. બેંક આરબીઆઇના દિશાનિર્દેશોનું પાલન કરે અને મની લોન્ડરિંગ અથવા આતંકી ફંડિંગ વિરુદ્ધ સુરક્ષા રાખે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ મોટા નિર્ણયથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થાઓ, વિદેશમાં રહેતા પરિવારો અને સ્થાનિક ઉદ્યોગપતિઓને મદદ મળશે.




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.