હવે NRI પણ કરી શકશે UPIથી ટ્રાન્ઝેક્શન, આ 10 દેશોમાં વસતા ભારતીયોને મળશે લાભ


  • Published By :
  • Published Date : 2023-01-13 13:04:22

દેશમાં ઓનલાઈન પેમેન્ટ મિડિયમ UPI લોકપ્રિય બની રહ્યું છે. હવે તેનો લાભ દસ દેશોમાં વસતા બિન નિવાસી ભારતીયો ( NRI) પણ કરી શકશે. નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના જણાવ્યા પ્રમાણે હવે NRI પણ તેમના ઈન્ટરનેશનલ નંબર મારફતે પેમેન્ટ માટે UPI એટલે કે યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસનો ઉપયોગ કરી શકશે. 


આ દેશોમાં વસતા NRIને મળશે લાભ


ઓનલાઈન પેમેન્ટ ફેસિલિટી UPIનો ઉપયોગ આ દસ દેશો જેવા કે સિંગાપોર, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, હોંગકોંગ, ઓમાન, કતાર, સઉદી અરબ, સંયુક્ત અરબ અમીરાત (યુએઇ) અને બ્રિટન (યુકે)માં વસતા લોકો કરી શકશે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અનુસાર ઇન્ટરનેશનલ મોબાઇલ નંબરવાળા NRI/NRO યુપીઆઇ દ્વારા લેવડદેવડ કરી શકશે. પેમેન્ટ કોર્પોરેશને નિર્દેશોનું પાલન કરવા માટે પાર્ટનર બેંકોને 30 એપ્રિલ સુધીનો સમય આપ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે NRI એકાઉન્ટ એનઆરઆઇને વિદેશી કમાણીને ભારતમાં ટ્રાન્સફર કરવામાં મદદ કરે છે જ્યારે NRO એકાઉન્ટ તેમને ભારતમાં અર્જિત આવકનું સંચાલન કરવામાં મદદ કરે છે.


FEMAના નિયમોનું પાલન અનિવાર્ય


આ ઓનલાઈન પેમેન્ટ ફેસિલિટી UPIનો ઉપયોગ કરવાને લઈ એક માત્ર શરત એ છે કે બેંક એ સુનિશ્ચિત કરે કે આવા ખાતાઓને ફેમાના નિયમો અનુસાર પરવાનગી આપવામાં આવે. બેંક આરબીઆઇના દિશાનિર્દેશોનું પાલન કરે અને મની લોન્ડરિંગ અથવા આતંકી ફંડિંગ વિરુદ્ધ સુરક્ષા રાખે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ મોટા નિર્ણયથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થાઓ, વિદેશમાં રહેતા પરિવારો અને સ્થાનિક ઉદ્યોગપતિઓને મદદ મળશે.




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.