હવે NRI પણ કરી શકશે UPIથી ટ્રાન્ઝેક્શન, આ 10 દેશોમાં વસતા ભારતીયોને મળશે લાભ


  • Published By :
  • Published Date : 2023-01-13 13:04:22

દેશમાં ઓનલાઈન પેમેન્ટ મિડિયમ UPI લોકપ્રિય બની રહ્યું છે. હવે તેનો લાભ દસ દેશોમાં વસતા બિન નિવાસી ભારતીયો ( NRI) પણ કરી શકશે. નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના જણાવ્યા પ્રમાણે હવે NRI પણ તેમના ઈન્ટરનેશનલ નંબર મારફતે પેમેન્ટ માટે UPI એટલે કે યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસનો ઉપયોગ કરી શકશે. 


આ દેશોમાં વસતા NRIને મળશે લાભ


ઓનલાઈન પેમેન્ટ ફેસિલિટી UPIનો ઉપયોગ આ દસ દેશો જેવા કે સિંગાપોર, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, હોંગકોંગ, ઓમાન, કતાર, સઉદી અરબ, સંયુક્ત અરબ અમીરાત (યુએઇ) અને બ્રિટન (યુકે)માં વસતા લોકો કરી શકશે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અનુસાર ઇન્ટરનેશનલ મોબાઇલ નંબરવાળા NRI/NRO યુપીઆઇ દ્વારા લેવડદેવડ કરી શકશે. પેમેન્ટ કોર્પોરેશને નિર્દેશોનું પાલન કરવા માટે પાર્ટનર બેંકોને 30 એપ્રિલ સુધીનો સમય આપ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે NRI એકાઉન્ટ એનઆરઆઇને વિદેશી કમાણીને ભારતમાં ટ્રાન્સફર કરવામાં મદદ કરે છે જ્યારે NRO એકાઉન્ટ તેમને ભારતમાં અર્જિત આવકનું સંચાલન કરવામાં મદદ કરે છે.


FEMAના નિયમોનું પાલન અનિવાર્ય


આ ઓનલાઈન પેમેન્ટ ફેસિલિટી UPIનો ઉપયોગ કરવાને લઈ એક માત્ર શરત એ છે કે બેંક એ સુનિશ્ચિત કરે કે આવા ખાતાઓને ફેમાના નિયમો અનુસાર પરવાનગી આપવામાં આવે. બેંક આરબીઆઇના દિશાનિર્દેશોનું પાલન કરે અને મની લોન્ડરિંગ અથવા આતંકી ફંડિંગ વિરુદ્ધ સુરક્ષા રાખે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ મોટા નિર્ણયથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થાઓ, વિદેશમાં રહેતા પરિવારો અને સ્થાનિક ઉદ્યોગપતિઓને મદદ મળશે.




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.