Kutch Universityમાં ગધેડાને એડમિશન અપાવવા આવ્યાં NSUI સભ્યો, ગધેડાને એડમિશન આપો તેવી માંગ સાથે વિરોધ


  • Published By :
  • Published Date : 2024-01-06 11:00:20

વિરોધના અનેક દ્રશ્યો તમે જોયા હશે. કોઈ હાથમાં પોસ્ટર લઈને તો કોઈ સૂત્રોચ્ચારો કરી પોતાનો વિરોધ પ્રગટ કરે છે. ત્યારે કચ્છ યુનિવર્સિટીમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો.એડમિશન માટે કાર્યકર્તાઓ ગધેડાને લઈ પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓ ગધેડા સાથે કુલપતિની ચેમ્બરમાં પહોંચ્યા હતા અને ગધેડાને એડમિશન કરવામાં આવે તેવી માગ કરી હતી. એનએસયુઆઈના વિદ્યાર્થીઓએ વર્ષોથી અટવાયેલા પ્રશ્નો તેમજ પકડતર પ્રશ્નોને લઈ વિરોધ દર્શાવ્યો હતો. પીએચડીના એડમિશન અંગે નારાજગી વ્યક્ત કરી હતી.   

કયા મુદ્દાનો કાર્યકરોએ કર્યો વિરોધ? 

કચ્છ યુનિવર્સીટીમાં વિવિધ પ્રશ્નો મામલે એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓના વિવિધ મુદ્દા લઈને કાર્યકર્તાઓએ અનોખો વિરોધ પ્રદર્શન કર્યો હતો. અનોખો એટલા માટે કારણ કે યુનિવર્સિટીમાં એડમિશન કરાવવા માટે ગધેડાને લઈ આવ્યા હતા. એનએસયુઆઈના કાર્યકરો ગધેડાને લઈને યુનિવર્સીટી પહોચ્યા હતા અને ગધેડાને એડમિશન આપો તેવી માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો તમને જણાવી દઈએ કે કચ્છ યુનિવર્સિટીમાં છેલ્લા ત્રણ વર્ષથી પીએચડીનું  એડમિશન આપવામાં આવતું નથી સાથે જ યુનિવર્સીટીમાં કાયમી કુલપતિ , કાયમી સ્ટાફ જેવા મુદ્દે કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો.  

Kutch University : કચ્છ યુનિવર્સિટીમાં ગધેડાને એડમિશન અપાવવા આવ્યાં એનએસયુઆઈ સભ્યો


આ ઘટનાને લઈ શું કહ્યું ઈન્ચાર્જ કુલપતિએ? 

આ મામલે કચ્છ યુનિવર્સીટીના ઇન્ચાર્જ કુલપતિનું કહેવું છે કે વહેલી તકે વિદ્યાર્થીઓને પીએચડી વિષયમાં એડમિશન મળે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે . હાલ એનએસયુઆઇ યુનિવર્સીટીના  પ્રશ્નોને  લઈને લડી લેવાના મુડમાં જોવા મળી રહ્યા છે આગામી દિવસોમાં કચ્છ યુનિવર્સીટી વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ નહિ આવેતો  યુનિવર્સીટીને તાળા બંધી કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે . 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.