Gujaratમાં વધી Corona સંક્રમિતોની સંખ્યા, Ahmedabadથી સામે આવ્યા કોરોનાના 6 નવા કેસ, આરોગ્ય વિભાગ એલર્ટ


  • Published By :
  • Published Date : 2023-12-21 16:58:51

ભારતમાં તેમજ વિશ્વમાં કોરોનાને કારણે ચિંતાની લહેર ઉઠી છે. ફરી એક વખત કોરોના દસ્તક આપી રહ્યું છે. કેરળમાં તો 2000થી વધારે કોરોનાના એક્ટિવ કેસ છે. ગુજરાતમાં પણ કોરોના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. પહેલા માત્ર ગાંધીનગરથી કોરોનાના કેસ સામે આવ્યા હતા પરંતુ હવે અમદાવાદમાં પણ કોરોના કેસ નોંધાયા છે. મળતી માહિતી અનુસાર એક બે નહીં પરંતુ 6 લોકોના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. ત્રણ મહિલા અને 3 પુરૂષોનો સમાવેશ થાય છે. આ સાથે જ શહેરમાં પોઝિટીવ કેસની સંખ્યા 13 પર પહોંચી ગઈ છે. 


ગુજરાતમાં સતત વધી રહ્યા છે કોરોના સંક્રમિતોનો આંકડો 

થોડા વર્ષો પહેલા કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો હતો. કોરોના સમયના અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં અનેક લોકોના મોત થયા છે. લાખોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થયા હતા. અનેક પરિવારો વિખેરાયા હતા ત્યારે ફરી એક વખત કોરોના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યમાં કોરોના કેસની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. જે કેસ નોંધાયા છે તે નવરંગપુરા, સરખેજ અને નારણપુરાથી સામે આવ્યા છે. એક જ દિવસમાં 6 કેસ સામે આવતા આરોગ્ય વિભાગ એક્ટિવ થયું છે. 6 કેસ જે સામે આવ્યા છે તેમાં 3 મહિલા અને 3 પુરૂષોનો સમાવેશ થાય છે. 


અમદાવાદમાં કોરોનાના 6 કેસ નોંધાયા 

દેશમાં તો એક તરફ કોરોનાનો ખતરો વધી રહ્યો છે. અનેક રાજ્યોમાં કોરોનાના નવા વેરિયન્ટના કેસ નોંધાયા છે.  ત્યારે ગુજરાતમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ ગઈ હતી. ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી ગાંધીનગરથી થઈ હતી. બે મહિલાઓનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.જે બાદ કોરોનાને લઈ આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે. ગુજરાતમાં પણ ધીરે ધીરે કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં પહેલા કોરોના કેસની સંખ્યા 13 હતી પરંતુ 6 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવતા આ આંકડો 20ની આસપાસ પહોંચી ગયો છે. કોરોનાને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે. હોસ્પિટલમાં વોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યા છે. 


કોરોના કેસમાં આવી શકે છે ઉછાળો 

મહત્વનું છે કે હમણાં કોરોના કેસનો આંકડો વધારે નથી તેને લઈ લોકો માનતા હશે કે આટલા કેસોમાં કંઈ ન થાય. વાત સાચી પણ છે એટલા કેસ નથી નોંધાયા કે ચિંતા કરવી પડે પરંતુ આ આંકડો વધી પણ શકે છે. અમારો હેતુ તમને લોકોને ડરાવવાનો નથી પરંતુ સાવચેત કરવાનો છે. જો શક્ય હોય તો જ્યારે ભીડભાડ વાળી જગ્યા પર જઈએ ત્યારે માસ્ક પહેરવા જોઈએ. શક્ય હોય તો ટ્રાવેલિંગ કરવાનું ટાળવું જોઈએ. કોરોના કેસ ન માત્ર ગુજરાતમાં પરંતુ દેશના અનેક રાજ્યોથી સામે આવી રહ્યા છે. કેરળમાં તો પરિસ્થિતિ એકદમ વિકટ છે. કેરળમાં કોરોના કેસની સંખ્યા 2000ને પાર પહોંચી ગઈ છે. 




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.