Gujaratમાં વધી Corona સંક્રમિતોની સંખ્યા, Ahmedabadથી સામે આવ્યા કોરોનાના 6 નવા કેસ, આરોગ્ય વિભાગ એલર્ટ


  • Published By :
  • Published Date : 2023-12-21 16:58:51

ભારતમાં તેમજ વિશ્વમાં કોરોનાને કારણે ચિંતાની લહેર ઉઠી છે. ફરી એક વખત કોરોના દસ્તક આપી રહ્યું છે. કેરળમાં તો 2000થી વધારે કોરોનાના એક્ટિવ કેસ છે. ગુજરાતમાં પણ કોરોના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. પહેલા માત્ર ગાંધીનગરથી કોરોનાના કેસ સામે આવ્યા હતા પરંતુ હવે અમદાવાદમાં પણ કોરોના કેસ નોંધાયા છે. મળતી માહિતી અનુસાર એક બે નહીં પરંતુ 6 લોકોના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. ત્રણ મહિલા અને 3 પુરૂષોનો સમાવેશ થાય છે. આ સાથે જ શહેરમાં પોઝિટીવ કેસની સંખ્યા 13 પર પહોંચી ગઈ છે. 


ગુજરાતમાં સતત વધી રહ્યા છે કોરોના સંક્રમિતોનો આંકડો 

થોડા વર્ષો પહેલા કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો હતો. કોરોના સમયના અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં અનેક લોકોના મોત થયા છે. લાખોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થયા હતા. અનેક પરિવારો વિખેરાયા હતા ત્યારે ફરી એક વખત કોરોના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યમાં કોરોના કેસની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. જે કેસ નોંધાયા છે તે નવરંગપુરા, સરખેજ અને નારણપુરાથી સામે આવ્યા છે. એક જ દિવસમાં 6 કેસ સામે આવતા આરોગ્ય વિભાગ એક્ટિવ થયું છે. 6 કેસ જે સામે આવ્યા છે તેમાં 3 મહિલા અને 3 પુરૂષોનો સમાવેશ થાય છે. 


અમદાવાદમાં કોરોનાના 6 કેસ નોંધાયા 

દેશમાં તો એક તરફ કોરોનાનો ખતરો વધી રહ્યો છે. અનેક રાજ્યોમાં કોરોનાના નવા વેરિયન્ટના કેસ નોંધાયા છે.  ત્યારે ગુજરાતમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ ગઈ હતી. ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી ગાંધીનગરથી થઈ હતી. બે મહિલાઓનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.જે બાદ કોરોનાને લઈ આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે. ગુજરાતમાં પણ ધીરે ધીરે કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં પહેલા કોરોના કેસની સંખ્યા 13 હતી પરંતુ 6 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવતા આ આંકડો 20ની આસપાસ પહોંચી ગયો છે. કોરોનાને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે. હોસ્પિટલમાં વોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યા છે. 


કોરોના કેસમાં આવી શકે છે ઉછાળો 

મહત્વનું છે કે હમણાં કોરોના કેસનો આંકડો વધારે નથી તેને લઈ લોકો માનતા હશે કે આટલા કેસોમાં કંઈ ન થાય. વાત સાચી પણ છે એટલા કેસ નથી નોંધાયા કે ચિંતા કરવી પડે પરંતુ આ આંકડો વધી પણ શકે છે. અમારો હેતુ તમને લોકોને ડરાવવાનો નથી પરંતુ સાવચેત કરવાનો છે. જો શક્ય હોય તો જ્યારે ભીડભાડ વાળી જગ્યા પર જઈએ ત્યારે માસ્ક પહેરવા જોઈએ. શક્ય હોય તો ટ્રાવેલિંગ કરવાનું ટાળવું જોઈએ. કોરોના કેસ ન માત્ર ગુજરાતમાં પરંતુ દેશના અનેક રાજ્યોથી સામે આવી રહ્યા છે. કેરળમાં તો પરિસ્થિતિ એકદમ વિકટ છે. કેરળમાં કોરોના કેસની સંખ્યા 2000ને પાર પહોંચી ગઈ છે. 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.