વાહનચાલકોની હાલાકી વધશે: જૂની-નવી નંબર પ્લેટનું કામ હવે RTO નહીં પણ ડીલરો કરશે


  • Published By :
  • Published Date : 2023-08-21 12:05:16

રાજ્યના વાહનવ્યવહાર વિભાગે તમામ જિલ્લા આરટીઓ કચેરીઓને મહત્વનો આદેશ કર્યો છે. આ હુકમ અંતર્ગત હવેથી હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ (HSRP)નું કામ  RTO કચેરીઓ કચેરીમાં કામ નહીં થાય. નવા નિયમ મુજબ હવેથી જૂની-નવી નંબર પ્લેટનું કામ હવે RTO નહીં પરંતું વાહન ડીલરો કરશે. નંબર પ્લેટનું કામ કરતી કંપનીનો કોન્ટ્રાક્ટ પૂરો થઇ જતાં આરટીઓ કચેરીમાંથી જગ્યા છોડવા આદેશ કરાયો છે. વ્યક્તીએ જ્યાંથી વાહનની ખરીદી કરી હશે તે ડીલરના શોરૂમ પર જ જૂના વાહનોની નંબર પ્લેટની કામગીરી થશે. આરટીઓ કચેરીમાં ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લઇ જતાં ગ્રાહકનું કામ સમય મર્યાદામાં થઇ જતું હતું. પરંતુ હવે વાહન ડીલરના શોરૂમ પર જઇને પ્રથમ પુરાવા અને ફી આપ્યા પછી બીજીવાર નંબર પ્લેટ ફીટ કરાવવા ધક્કો પણ ગ્રાહકે ખાવો પડશે. તે ઉપરાંત સર્વિસ ચાર્જ સ્વરૂપે વધારાનો બોજ હવે વાહન ચાલકો પર પડશે. 


વાહન ચાલકોની હાલાકી અને ખર્ચ વધશે


હવેથી વાહન ચાલકની નંબર પ્લેટ ડેમેજ થઇ હોય, ફિલ્મ દૂર થઇ ગઇ હોય કે ખોવાઇ ગઈ હોય તો આરટીઓ કચેરીમાં કામ નહીં થાય. જ્યાંથી વાહનની ખરીદી કરી હશે તે ડીલરના શોરૂમ પર જ જૂના વાહનોની નંબર પ્લેટની કામગીરી થશે. જૂના વાહનોમાં નંબર પ્લેટના કામ માટે વિવિધ દરો નક્કી કરાયા હતાં. પરંતુ હવે વાહન ડીલરોને કામગીરી સોંપાતા સર્વિસચાર્જ ઉમેરાશે. જેથી જૂના વાહનોમાં નંબર પ્લેટની કોઇ પણ કામગીરી કરાવવાનો ખર્ચ વધશે. અત્યાર સુધી એક જ વાહનમાં ત્રીજી વખત નંબર પ્લેટ તૂટી જાય તો તેવા કિસ્સામાં કંપની પોલીસ ફરિયાદનો આગ્રહ રાખતી હતી. પરંતુ વાહન ડીલરો તો પ્રથમવાર નંબર પ્લેટ તૂટી જાય તો પોલીસ ફરિયાદનો આગ્રહ રાખી રહ્યા છે. વાહન ડીલરોએ પોતાની રીતે સર્વિસ ચાર્જ વસૂલવાનું શરૂ કરી દીધું છે. 



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે