28 ઓક્ટોબરે છે વર્ષનું છેલ્લુ ચંદ્રગ્રહણ, Gujaratના ધાર્મિક સ્થાનોની મુલાકાત લેતા પહેલા વાંચી લે જો આ સમાચાર


  • Published By :
  • Published Date : 2023-10-25 18:23:54

28 ઓક્ટોબરના રોજ શરદ પૂર્ણિમા છે. શરદ પૂર્ણિમાના દિવસે આપણે ત્યાં દૂધ પૌઆ ખાવાની પરંપરા છે. પૂનમને લઈ મંદિરોમાં પણ ભીડ જોવા મળતી હોય છે. ત્યારે આ વખતે શરદ પૂનમના દિવસે ચંદ્રગ્રહણ છે. આ ગ્રહણ ભારતમાં દેખાવાનું છે. ભારતમાં જ્યારે ગ્રહણ દેખાય છે ત્યારે ગ્રહણના નીતિ નિયમો પાળવા પડતા હોય છે. ગ્રહણને કારણે મંદિરોના સમયને બદલવામાં આવ્યો છે. ગુજરાતના વિવિધ ધાર્મિક સ્થોનાના સમયમાં ફેરફાર કરાયો છે. સોમનાથ મંદિર, દ્વારકા મંદિર, પાવાગઢ મંદિર સહિતના મંદિરોના દ્વાર નિર્ધારિત સમય પહેલા ગ્રહણ હોવાને કારણે બંધ થઈ જશે.     

 પાવાગઢ મંદિરના ટ્રસ્ટીઓનો મોટો નિર્ણય, છોલેલું શ્રીફળ મંદિરમાં લઇ જવા પર  પ્રતિબંધ | A big decision of the trustees of Pavagadh temple

28 ઓક્ટોબરે થશે ચંદ્રગ્રહણ

વર્ષનું છેલ્લું ગ્રહણ 28 ઓક્ટોબરે થવાનું છે. શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ થાય છે જ્યારે અમાસના દિવસે સૂર્ય ગ્રહણ થાય છે. ત્યારે આ વખતે ચંદ્રગ્રહણ થવાનું છે અને આ ચંદ્રગ્રહણ ભારતમાં પણ દેખાવાનું છે જેને કારણે શાસ્ત્ર પ્રમાણે મંદિરોના દ્વારા ગ્રહણના સમયે બંધ કરવામાં આવશે. ગ્રહણ હોવાને કારણે મંદિરના સમયમાં ફેરફાર કરાયો છે. મહત્વનું છે કે ગ્રહણ દરમિયાન પૂજા પાઠ કરવાથી અનેક ઘણું પુણ્ય મળે છે. 

fact file about jagat mandir dwarka

આ સમય દરમિયાન દ્વારકા મંદિરના દ્વાર રહેશે બંધ 

દ્વારકા મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 28 ના શનિવારે ચંદ્રગ્રહણ હોવાથી દ્વારકાધીશના મંદિરમાં સવારે 05 વાગ્યે મંગલા આરતી થશે. અનોસર સવારે 11 કલાકે તેમજ 11 થી બપોરે 12 સુધી મંદિર બંધ રહેશે અને ઉત્થાપન દર્શન બપોરે 12 કલાકે થશે જ્યારે શયન બપોરે 3 વાગ્યે થશે. આમ શરદ પૂર્ણિમાના દિવસે બપોરે 3 કલાકે મંદિર બંધ થશે ત્યારબાદ રવિવારે તા.29 ના રોજ રાબેતા મુજબ મંદિર ખુલશે તેમ દ્વારકાધીશ મંદિરના વહીવટદ્વારા જણાવાયું છે. 

સોમનાથ - વિકિપીડિયા

પાવાગઢ મંદિરના સમયમાં પણ કરાયો ફેરફાર 

પાવાગઢ મંદિરના દ્વાર પણ ગ્રહણ હોવાને કારણે ભક્તો માટે બંધ રહેશે. પાવાગઢ મંદિર 28 ઓક્ટોબરે બપોરના 2.30 વાગ્યા બાદ સંપૂર્ણ રીતે ભક્તો માટે બંધ રહેશે. મંદિરના દ્વાર 29 ઓક્ટોબરના રોજ સવારે નિયમિત સમયે ખોલવામાં આવશે. તે ઉપરાંત સોમનાથ મંદિર સહિતના મંદિરોના ટાઈમમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.  





રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.