28 ઓક્ટોબરે છે વર્ષનું છેલ્લુ ચંદ્રગ્રહણ, Gujaratના ધાર્મિક સ્થાનોની મુલાકાત લેતા પહેલા વાંચી લે જો આ સમાચાર


  • Published By :
  • Published Date : 2023-10-25 18:23:54

28 ઓક્ટોબરના રોજ શરદ પૂર્ણિમા છે. શરદ પૂર્ણિમાના દિવસે આપણે ત્યાં દૂધ પૌઆ ખાવાની પરંપરા છે. પૂનમને લઈ મંદિરોમાં પણ ભીડ જોવા મળતી હોય છે. ત્યારે આ વખતે શરદ પૂનમના દિવસે ચંદ્રગ્રહણ છે. આ ગ્રહણ ભારતમાં દેખાવાનું છે. ભારતમાં જ્યારે ગ્રહણ દેખાય છે ત્યારે ગ્રહણના નીતિ નિયમો પાળવા પડતા હોય છે. ગ્રહણને કારણે મંદિરોના સમયને બદલવામાં આવ્યો છે. ગુજરાતના વિવિધ ધાર્મિક સ્થોનાના સમયમાં ફેરફાર કરાયો છે. સોમનાથ મંદિર, દ્વારકા મંદિર, પાવાગઢ મંદિર સહિતના મંદિરોના દ્વાર નિર્ધારિત સમય પહેલા ગ્રહણ હોવાને કારણે બંધ થઈ જશે.     

 પાવાગઢ મંદિરના ટ્રસ્ટીઓનો મોટો નિર્ણય, છોલેલું શ્રીફળ મંદિરમાં લઇ જવા પર  પ્રતિબંધ | A big decision of the trustees of Pavagadh temple

28 ઓક્ટોબરે થશે ચંદ્રગ્રહણ

વર્ષનું છેલ્લું ગ્રહણ 28 ઓક્ટોબરે થવાનું છે. શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ થાય છે જ્યારે અમાસના દિવસે સૂર્ય ગ્રહણ થાય છે. ત્યારે આ વખતે ચંદ્રગ્રહણ થવાનું છે અને આ ચંદ્રગ્રહણ ભારતમાં પણ દેખાવાનું છે જેને કારણે શાસ્ત્ર પ્રમાણે મંદિરોના દ્વારા ગ્રહણના સમયે બંધ કરવામાં આવશે. ગ્રહણ હોવાને કારણે મંદિરના સમયમાં ફેરફાર કરાયો છે. મહત્વનું છે કે ગ્રહણ દરમિયાન પૂજા પાઠ કરવાથી અનેક ઘણું પુણ્ય મળે છે. 

fact file about jagat mandir dwarka

આ સમય દરમિયાન દ્વારકા મંદિરના દ્વાર રહેશે બંધ 

દ્વારકા મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 28 ના શનિવારે ચંદ્રગ્રહણ હોવાથી દ્વારકાધીશના મંદિરમાં સવારે 05 વાગ્યે મંગલા આરતી થશે. અનોસર સવારે 11 કલાકે તેમજ 11 થી બપોરે 12 સુધી મંદિર બંધ રહેશે અને ઉત્થાપન દર્શન બપોરે 12 કલાકે થશે જ્યારે શયન બપોરે 3 વાગ્યે થશે. આમ શરદ પૂર્ણિમાના દિવસે બપોરે 3 કલાકે મંદિર બંધ થશે ત્યારબાદ રવિવારે તા.29 ના રોજ રાબેતા મુજબ મંદિર ખુલશે તેમ દ્વારકાધીશ મંદિરના વહીવટદ્વારા જણાવાયું છે. 

સોમનાથ - વિકિપીડિયા

પાવાગઢ મંદિરના સમયમાં પણ કરાયો ફેરફાર 

પાવાગઢ મંદિરના દ્વાર પણ ગ્રહણ હોવાને કારણે ભક્તો માટે બંધ રહેશે. પાવાગઢ મંદિર 28 ઓક્ટોબરે બપોરના 2.30 વાગ્યા બાદ સંપૂર્ણ રીતે ભક્તો માટે બંધ રહેશે. મંદિરના દ્વાર 29 ઓક્ટોબરના રોજ સવારે નિયમિત સમયે ખોલવામાં આવશે. તે ઉપરાંત સોમનાથ મંદિર સહિતના મંદિરોના ટાઈમમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.  





ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.