28 ઓક્ટોબરે છે વર્ષનું છેલ્લુ ચંદ્રગ્રહણ, Gujaratના ધાર્મિક સ્થાનોની મુલાકાત લેતા પહેલા વાંચી લે જો આ સમાચાર


  • Published By :
  • Published Date : 2023-10-25 18:23:54

28 ઓક્ટોબરના રોજ શરદ પૂર્ણિમા છે. શરદ પૂર્ણિમાના દિવસે આપણે ત્યાં દૂધ પૌઆ ખાવાની પરંપરા છે. પૂનમને લઈ મંદિરોમાં પણ ભીડ જોવા મળતી હોય છે. ત્યારે આ વખતે શરદ પૂનમના દિવસે ચંદ્રગ્રહણ છે. આ ગ્રહણ ભારતમાં દેખાવાનું છે. ભારતમાં જ્યારે ગ્રહણ દેખાય છે ત્યારે ગ્રહણના નીતિ નિયમો પાળવા પડતા હોય છે. ગ્રહણને કારણે મંદિરોના સમયને બદલવામાં આવ્યો છે. ગુજરાતના વિવિધ ધાર્મિક સ્થોનાના સમયમાં ફેરફાર કરાયો છે. સોમનાથ મંદિર, દ્વારકા મંદિર, પાવાગઢ મંદિર સહિતના મંદિરોના દ્વાર નિર્ધારિત સમય પહેલા ગ્રહણ હોવાને કારણે બંધ થઈ જશે.     

 પાવાગઢ મંદિરના ટ્રસ્ટીઓનો મોટો નિર્ણય, છોલેલું શ્રીફળ મંદિરમાં લઇ જવા પર  પ્રતિબંધ | A big decision of the trustees of Pavagadh temple

28 ઓક્ટોબરે થશે ચંદ્રગ્રહણ

વર્ષનું છેલ્લું ગ્રહણ 28 ઓક્ટોબરે થવાનું છે. શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ થાય છે જ્યારે અમાસના દિવસે સૂર્ય ગ્રહણ થાય છે. ત્યારે આ વખતે ચંદ્રગ્રહણ થવાનું છે અને આ ચંદ્રગ્રહણ ભારતમાં પણ દેખાવાનું છે જેને કારણે શાસ્ત્ર પ્રમાણે મંદિરોના દ્વારા ગ્રહણના સમયે બંધ કરવામાં આવશે. ગ્રહણ હોવાને કારણે મંદિરના સમયમાં ફેરફાર કરાયો છે. મહત્વનું છે કે ગ્રહણ દરમિયાન પૂજા પાઠ કરવાથી અનેક ઘણું પુણ્ય મળે છે. 

fact file about jagat mandir dwarka

આ સમય દરમિયાન દ્વારકા મંદિરના દ્વાર રહેશે બંધ 

દ્વારકા મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 28 ના શનિવારે ચંદ્રગ્રહણ હોવાથી દ્વારકાધીશના મંદિરમાં સવારે 05 વાગ્યે મંગલા આરતી થશે. અનોસર સવારે 11 કલાકે તેમજ 11 થી બપોરે 12 સુધી મંદિર બંધ રહેશે અને ઉત્થાપન દર્શન બપોરે 12 કલાકે થશે જ્યારે શયન બપોરે 3 વાગ્યે થશે. આમ શરદ પૂર્ણિમાના દિવસે બપોરે 3 કલાકે મંદિર બંધ થશે ત્યારબાદ રવિવારે તા.29 ના રોજ રાબેતા મુજબ મંદિર ખુલશે તેમ દ્વારકાધીશ મંદિરના વહીવટદ્વારા જણાવાયું છે. 

સોમનાથ - વિકિપીડિયા

પાવાગઢ મંદિરના સમયમાં પણ કરાયો ફેરફાર 

પાવાગઢ મંદિરના દ્વાર પણ ગ્રહણ હોવાને કારણે ભક્તો માટે બંધ રહેશે. પાવાગઢ મંદિર 28 ઓક્ટોબરે બપોરના 2.30 વાગ્યા બાદ સંપૂર્ણ રીતે ભક્તો માટે બંધ રહેશે. મંદિરના દ્વાર 29 ઓક્ટોબરના રોજ સવારે નિયમિત સમયે ખોલવામાં આવશે. તે ઉપરાંત સોમનાથ મંદિર સહિતના મંદિરોના ટાઈમમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.  





ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી