28 ઓક્ટોબરે છે વર્ષનું છેલ્લુ ચંદ્રગ્રહણ, Gujaratના ધાર્મિક સ્થાનોની મુલાકાત લેતા પહેલા વાંચી લે જો આ સમાચાર


  • Published By :
  • Published Date : 2023-10-25 18:23:54

28 ઓક્ટોબરના રોજ શરદ પૂર્ણિમા છે. શરદ પૂર્ણિમાના દિવસે આપણે ત્યાં દૂધ પૌઆ ખાવાની પરંપરા છે. પૂનમને લઈ મંદિરોમાં પણ ભીડ જોવા મળતી હોય છે. ત્યારે આ વખતે શરદ પૂનમના દિવસે ચંદ્રગ્રહણ છે. આ ગ્રહણ ભારતમાં દેખાવાનું છે. ભારતમાં જ્યારે ગ્રહણ દેખાય છે ત્યારે ગ્રહણના નીતિ નિયમો પાળવા પડતા હોય છે. ગ્રહણને કારણે મંદિરોના સમયને બદલવામાં આવ્યો છે. ગુજરાતના વિવિધ ધાર્મિક સ્થોનાના સમયમાં ફેરફાર કરાયો છે. સોમનાથ મંદિર, દ્વારકા મંદિર, પાવાગઢ મંદિર સહિતના મંદિરોના દ્વાર નિર્ધારિત સમય પહેલા ગ્રહણ હોવાને કારણે બંધ થઈ જશે.     

 પાવાગઢ મંદિરના ટ્રસ્ટીઓનો મોટો નિર્ણય, છોલેલું શ્રીફળ મંદિરમાં લઇ જવા પર  પ્રતિબંધ | A big decision of the trustees of Pavagadh temple

28 ઓક્ટોબરે થશે ચંદ્રગ્રહણ

વર્ષનું છેલ્લું ગ્રહણ 28 ઓક્ટોબરે થવાનું છે. શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ થાય છે જ્યારે અમાસના દિવસે સૂર્ય ગ્રહણ થાય છે. ત્યારે આ વખતે ચંદ્રગ્રહણ થવાનું છે અને આ ચંદ્રગ્રહણ ભારતમાં પણ દેખાવાનું છે જેને કારણે શાસ્ત્ર પ્રમાણે મંદિરોના દ્વારા ગ્રહણના સમયે બંધ કરવામાં આવશે. ગ્રહણ હોવાને કારણે મંદિરના સમયમાં ફેરફાર કરાયો છે. મહત્વનું છે કે ગ્રહણ દરમિયાન પૂજા પાઠ કરવાથી અનેક ઘણું પુણ્ય મળે છે. 

fact file about jagat mandir dwarka

આ સમય દરમિયાન દ્વારકા મંદિરના દ્વાર રહેશે બંધ 

દ્વારકા મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 28 ના શનિવારે ચંદ્રગ્રહણ હોવાથી દ્વારકાધીશના મંદિરમાં સવારે 05 વાગ્યે મંગલા આરતી થશે. અનોસર સવારે 11 કલાકે તેમજ 11 થી બપોરે 12 સુધી મંદિર બંધ રહેશે અને ઉત્થાપન દર્શન બપોરે 12 કલાકે થશે જ્યારે શયન બપોરે 3 વાગ્યે થશે. આમ શરદ પૂર્ણિમાના દિવસે બપોરે 3 કલાકે મંદિર બંધ થશે ત્યારબાદ રવિવારે તા.29 ના રોજ રાબેતા મુજબ મંદિર ખુલશે તેમ દ્વારકાધીશ મંદિરના વહીવટદ્વારા જણાવાયું છે. 

સોમનાથ - વિકિપીડિયા

પાવાગઢ મંદિરના સમયમાં પણ કરાયો ફેરફાર 

પાવાગઢ મંદિરના દ્વાર પણ ગ્રહણ હોવાને કારણે ભક્તો માટે બંધ રહેશે. પાવાગઢ મંદિર 28 ઓક્ટોબરે બપોરના 2.30 વાગ્યા બાદ સંપૂર્ણ રીતે ભક્તો માટે બંધ રહેશે. મંદિરના દ્વાર 29 ઓક્ટોબરના રોજ સવારે નિયમિત સમયે ખોલવામાં આવશે. તે ઉપરાંત સોમનાથ મંદિર સહિતના મંદિરોના ટાઈમમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.  





ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.