Delhiમાં હમણાં લાગુ નહીં થાય Odd-Even ફોર્મ્યુલા, વધતા પ્રદૂષણની વચ્ચે જાણો શા માટે લેવાયો આ નિર્ણય?


  • Published By :
  • Published Date : 2023-11-11 16:19:51

વાયુ પ્રદૂષણની સમસ્યા ન માત્ર દિલ્હીની પરંતુ દેશના અનેક રાજ્યોની બની ગઈ છે. અમદાવાદમાં પણ વાયુ પ્રદૂષણનું સ્તર પ્રતિદિન વધી રહ્યું છે. દિવાળી સમયે ગુજરાતના અનેક શહેરોનું એક્યુઆઈ વધી ગયું છે જેને કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે હવા ઝેરી બની છે. દિલ્હીમાં તો પ્રદૂષણએ માઝા મૂકી છે. પ્રદૂષણ પર નિયંત્રણ લાવવા માટે દિલ્હી સરકારે ફરી એક વખત ઓડ-ઈવનને લાગુ કરવાનો નિર્ણય લીધો હતો. 13થી 20 નવેમ્બર સુધી આ કાયદાનો કડક અમલ થવાનો હતો પરંતુ હમણાં માટે આ નિર્ણયને સ્થગિત રાખવામાં આવ્યો છે. આ અંગેની જાણકારી દિલ્હી સરકારના પર્યાવરણ મંત્રીએ આપી હતી.

પ્રદૂષણ ઘટાડવા માટે પાડવાનો હતો કૃત્રિમ વરસાદ

દિલ્હીના લોકો ભયંકર વાયુ પ્રદૂષણનો સામનો કરી રહ્યા છે. હવાની ગુણવત્તા સતત નીચે જઈ રહી છે. દિલ્હીની હવા ઝેરી બની રહી છે જેને કારણે લોકોના જીવ જોખમમાં મૂકાયા છે. પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે દિલ્હી સરકાર અનેક પગલા લઈ રહી છે. ઓડ-ઈવન ફોર્મ્યુલાને 13 નવેમ્બરથી 20 નવેમ્બર દરમિયાન લાગુ કરવામાં આવવાની હતી પરંતુ હાલઆ નિર્ણયને સ્થગિત રાખવામાં આવ્યો છે. આ નિર્ણય પાછળ જવાબદાર છે દિલ્હીમાં પડેલો વરસાદ. પ્રદૂષણ પર નિયંત્રણ લાવવા માટે કુત્રિમ વરસાદ કરવા અંગેની વિચારણા ચાલી રહી હતી પરંતુ કુદરતી વર્ષા થઈ ગઈ. વરસાદ થવાને કારણે પ્રદૂષણ ઘટ્યું છે અને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. આ નિર્ણયની જાણકારી પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે આપી હતી. 


શું કહ્યું પર્યાવરણ મંત્રીએ આ અંગે?

પર્યાવરણ મંત્રીએ કહ્યું કે દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિ સતત વણસી રહી છે. AQI સ્તર ખૂબ જ ગંભીર શ્રેણીને પણ વટાવી ગયું હતું. પરંતુ ગઈકાલે રાત્રે વરસાદના કારણે વાતાવરણમાં ઘણો પલટો આવ્યો હતો. પવનની ઝડપ પણ વધી છે. જેના કારણે પ્રદૂષણના સ્તરમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે. રાયે કહ્યું કે વરસાદ અને પવનની ઝડપ વધવાને કારણે દિલ્હીમાં હવાની ગુણવત્તામાં સુધારો થયો છે. તેથી દિલ્હીમાં 13 થી 20 નવેમ્બર સુધી ઓડ-ઈવન લાગુ કરવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે. દિવાળી પછી તેની ફરી સમીક્ષા કરવામાં આવશે.



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.