Delhiમાં હમણાં લાગુ નહીં થાય Odd-Even ફોર્મ્યુલા, વધતા પ્રદૂષણની વચ્ચે જાણો શા માટે લેવાયો આ નિર્ણય?


  • Published By :
  • Published Date : 2023-11-11 16:19:51

વાયુ પ્રદૂષણની સમસ્યા ન માત્ર દિલ્હીની પરંતુ દેશના અનેક રાજ્યોની બની ગઈ છે. અમદાવાદમાં પણ વાયુ પ્રદૂષણનું સ્તર પ્રતિદિન વધી રહ્યું છે. દિવાળી સમયે ગુજરાતના અનેક શહેરોનું એક્યુઆઈ વધી ગયું છે જેને કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે હવા ઝેરી બની છે. દિલ્હીમાં તો પ્રદૂષણએ માઝા મૂકી છે. પ્રદૂષણ પર નિયંત્રણ લાવવા માટે દિલ્હી સરકારે ફરી એક વખત ઓડ-ઈવનને લાગુ કરવાનો નિર્ણય લીધો હતો. 13થી 20 નવેમ્બર સુધી આ કાયદાનો કડક અમલ થવાનો હતો પરંતુ હમણાં માટે આ નિર્ણયને સ્થગિત રાખવામાં આવ્યો છે. આ અંગેની જાણકારી દિલ્હી સરકારના પર્યાવરણ મંત્રીએ આપી હતી.

પ્રદૂષણ ઘટાડવા માટે પાડવાનો હતો કૃત્રિમ વરસાદ

દિલ્હીના લોકો ભયંકર વાયુ પ્રદૂષણનો સામનો કરી રહ્યા છે. હવાની ગુણવત્તા સતત નીચે જઈ રહી છે. દિલ્હીની હવા ઝેરી બની રહી છે જેને કારણે લોકોના જીવ જોખમમાં મૂકાયા છે. પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે દિલ્હી સરકાર અનેક પગલા લઈ રહી છે. ઓડ-ઈવન ફોર્મ્યુલાને 13 નવેમ્બરથી 20 નવેમ્બર દરમિયાન લાગુ કરવામાં આવવાની હતી પરંતુ હાલઆ નિર્ણયને સ્થગિત રાખવામાં આવ્યો છે. આ નિર્ણય પાછળ જવાબદાર છે દિલ્હીમાં પડેલો વરસાદ. પ્રદૂષણ પર નિયંત્રણ લાવવા માટે કુત્રિમ વરસાદ કરવા અંગેની વિચારણા ચાલી રહી હતી પરંતુ કુદરતી વર્ષા થઈ ગઈ. વરસાદ થવાને કારણે પ્રદૂષણ ઘટ્યું છે અને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. આ નિર્ણયની જાણકારી પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે આપી હતી. 


શું કહ્યું પર્યાવરણ મંત્રીએ આ અંગે?

પર્યાવરણ મંત્રીએ કહ્યું કે દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિ સતત વણસી રહી છે. AQI સ્તર ખૂબ જ ગંભીર શ્રેણીને પણ વટાવી ગયું હતું. પરંતુ ગઈકાલે રાત્રે વરસાદના કારણે વાતાવરણમાં ઘણો પલટો આવ્યો હતો. પવનની ઝડપ પણ વધી છે. જેના કારણે પ્રદૂષણના સ્તરમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે. રાયે કહ્યું કે વરસાદ અને પવનની ઝડપ વધવાને કારણે દિલ્હીમાં હવાની ગુણવત્તામાં સુધારો થયો છે. તેથી દિલ્હીમાં 13 થી 20 નવેમ્બર સુધી ઓડ-ઈવન લાગુ કરવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે. દિવાળી પછી તેની ફરી સમીક્ષા કરવામાં આવશે.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.