Delhiમાં હમણાં લાગુ નહીં થાય Odd-Even ફોર્મ્યુલા, વધતા પ્રદૂષણની વચ્ચે જાણો શા માટે લેવાયો આ નિર્ણય?


  • Published By :
  • Published Date : 2023-11-11 16:19:51

વાયુ પ્રદૂષણની સમસ્યા ન માત્ર દિલ્હીની પરંતુ દેશના અનેક રાજ્યોની બની ગઈ છે. અમદાવાદમાં પણ વાયુ પ્રદૂષણનું સ્તર પ્રતિદિન વધી રહ્યું છે. દિવાળી સમયે ગુજરાતના અનેક શહેરોનું એક્યુઆઈ વધી ગયું છે જેને કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે હવા ઝેરી બની છે. દિલ્હીમાં તો પ્રદૂષણએ માઝા મૂકી છે. પ્રદૂષણ પર નિયંત્રણ લાવવા માટે દિલ્હી સરકારે ફરી એક વખત ઓડ-ઈવનને લાગુ કરવાનો નિર્ણય લીધો હતો. 13થી 20 નવેમ્બર સુધી આ કાયદાનો કડક અમલ થવાનો હતો પરંતુ હમણાં માટે આ નિર્ણયને સ્થગિત રાખવામાં આવ્યો છે. આ અંગેની જાણકારી દિલ્હી સરકારના પર્યાવરણ મંત્રીએ આપી હતી.

પ્રદૂષણ ઘટાડવા માટે પાડવાનો હતો કૃત્રિમ વરસાદ

દિલ્હીના લોકો ભયંકર વાયુ પ્રદૂષણનો સામનો કરી રહ્યા છે. હવાની ગુણવત્તા સતત નીચે જઈ રહી છે. દિલ્હીની હવા ઝેરી બની રહી છે જેને કારણે લોકોના જીવ જોખમમાં મૂકાયા છે. પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે દિલ્હી સરકાર અનેક પગલા લઈ રહી છે. ઓડ-ઈવન ફોર્મ્યુલાને 13 નવેમ્બરથી 20 નવેમ્બર દરમિયાન લાગુ કરવામાં આવવાની હતી પરંતુ હાલઆ નિર્ણયને સ્થગિત રાખવામાં આવ્યો છે. આ નિર્ણય પાછળ જવાબદાર છે દિલ્હીમાં પડેલો વરસાદ. પ્રદૂષણ પર નિયંત્રણ લાવવા માટે કુત્રિમ વરસાદ કરવા અંગેની વિચારણા ચાલી રહી હતી પરંતુ કુદરતી વર્ષા થઈ ગઈ. વરસાદ થવાને કારણે પ્રદૂષણ ઘટ્યું છે અને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. આ નિર્ણયની જાણકારી પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે આપી હતી. 


શું કહ્યું પર્યાવરણ મંત્રીએ આ અંગે?

પર્યાવરણ મંત્રીએ કહ્યું કે દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિ સતત વણસી રહી છે. AQI સ્તર ખૂબ જ ગંભીર શ્રેણીને પણ વટાવી ગયું હતું. પરંતુ ગઈકાલે રાત્રે વરસાદના કારણે વાતાવરણમાં ઘણો પલટો આવ્યો હતો. પવનની ઝડપ પણ વધી છે. જેના કારણે પ્રદૂષણના સ્તરમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે. રાયે કહ્યું કે વરસાદ અને પવનની ઝડપ વધવાને કારણે દિલ્હીમાં હવાની ગુણવત્તામાં સુધારો થયો છે. તેથી દિલ્હીમાં 13 થી 20 નવેમ્બર સુધી ઓડ-ઈવન લાગુ કરવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે. દિવાળી પછી તેની ફરી સમીક્ષા કરવામાં આવશે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.