Odisha : દર્શન કરવા જઈ રહેલા ભક્તોને નડ્યો અકસ્માત, ટ્રક સાથે વાહન અથડાતા સર્જાઈ દુર્ઘટના, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-01 12:55:41

ઓડિશામાં એક ગોઝારો અકસ્માત સર્જાયો છે જેમાં 8 જેટલા લોકોના મોત થઈ ગયા છે. ઓડિશાના ક્યોંઝર જિલ્લામાં એક વાહનની ટ્રક સાથે ટક્કર થઈ જેને કારણે 8 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. મૃતકોમાં ત્રણ મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે તેવી માહિતી સામે આવી છે.  આ દુર્ઘટના ઘાટગાંવ વિસ્તારમાં આવેલા નેશનલ નં. હાઈવે 20 પર બની. મળતી માહિતી અનુસાર વાહનમાં સવાર લોકો સવારે મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા. જે લોકોના મોત થયા છે તે જાંગન જિલ્લાના પુદામારીથી દેવી ત્રારિણી દર્શન માટે જઈ રહ્યા હતા અને તે વખતે આ અકસ્માત સર્જાયો.   

ઘટનામાં થયા 8 જેટલા લોકોના મોત 

દેશભરમાં અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ અનેક લોકોના મોત અકસ્માતને કારણે થયા છે. ત્યારે એક ગોઝારો અકસ્માત ઓડિશામાં બન્યો છે જેમાં ઘટના સ્થળ પર 7 લોકોના મોત થઈ ગયા જ્યારે અન્ય એક વ્યક્તિનું મોત સારવાર દરમિયાન થઈ ગયું છે. મોટું વાહન લઈ લોકો મંદિરે દર્શન કરવા નીકળ્યા હતા અને તે વખતે તેમનું વાહન ટ્રક સાથે અથડાયું અને આ દુર્ઘટના સર્જાઈ. આ ઘટનામાં મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. એવી માહિતી સામે આવી છે કે જે વાહનમાં બેસીને મંદિરે દર્શન કરવા લોકો જઈ રહ્યા હતા તે વાહનના ડ્રાઈવરને અચાનક ઝબકી આવી ગઈ. જેને કારણે આ મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ મામલે પોલીસે તપાસ આરંભી છે.  

Bodies scattered on road: Eight killed, seven injured in road accident in Odisha's Keonjhar

અનેક કારણોસર સર્જાતા હોય છે અકસ્માત 

મહત્વનું છે કે અકસ્માતને કારણે અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હશે. કોઈ એકની ભૂલ બીજા માટે સજા સાબિત થઈ શકે છે તેવા અનેક કિસ્સાઓ આપણી સામે છે. કોઈ વખત ઓવરસ્પીડિંગને કારણે તો કોઈ વખત સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવવાને કારણે આવા અકસ્માતો સર્જાતા હોય છે અને લોકો મોતને ભેટતા હોય છે. તો કોઈ કિસ્સામાં ઓવરટેક કરવાના ચક્કરમાં ગંભીર અકસ્માત સર્જાવાય છે.     



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે