Odisha : દર્શન કરવા જઈ રહેલા ભક્તોને નડ્યો અકસ્માત, ટ્રક સાથે વાહન અથડાતા સર્જાઈ દુર્ઘટના, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-01 12:55:41

ઓડિશામાં એક ગોઝારો અકસ્માત સર્જાયો છે જેમાં 8 જેટલા લોકોના મોત થઈ ગયા છે. ઓડિશાના ક્યોંઝર જિલ્લામાં એક વાહનની ટ્રક સાથે ટક્કર થઈ જેને કારણે 8 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. મૃતકોમાં ત્રણ મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે તેવી માહિતી સામે આવી છે.  આ દુર્ઘટના ઘાટગાંવ વિસ્તારમાં આવેલા નેશનલ નં. હાઈવે 20 પર બની. મળતી માહિતી અનુસાર વાહનમાં સવાર લોકો સવારે મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા. જે લોકોના મોત થયા છે તે જાંગન જિલ્લાના પુદામારીથી દેવી ત્રારિણી દર્શન માટે જઈ રહ્યા હતા અને તે વખતે આ અકસ્માત સર્જાયો.   

ઘટનામાં થયા 8 જેટલા લોકોના મોત 

દેશભરમાં અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ અનેક લોકોના મોત અકસ્માતને કારણે થયા છે. ત્યારે એક ગોઝારો અકસ્માત ઓડિશામાં બન્યો છે જેમાં ઘટના સ્થળ પર 7 લોકોના મોત થઈ ગયા જ્યારે અન્ય એક વ્યક્તિનું મોત સારવાર દરમિયાન થઈ ગયું છે. મોટું વાહન લઈ લોકો મંદિરે દર્શન કરવા નીકળ્યા હતા અને તે વખતે તેમનું વાહન ટ્રક સાથે અથડાયું અને આ દુર્ઘટના સર્જાઈ. આ ઘટનામાં મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. એવી માહિતી સામે આવી છે કે જે વાહનમાં બેસીને મંદિરે દર્શન કરવા લોકો જઈ રહ્યા હતા તે વાહનના ડ્રાઈવરને અચાનક ઝબકી આવી ગઈ. જેને કારણે આ મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ મામલે પોલીસે તપાસ આરંભી છે.  

Bodies scattered on road: Eight killed, seven injured in road accident in Odisha's Keonjhar

અનેક કારણોસર સર્જાતા હોય છે અકસ્માત 

મહત્વનું છે કે અકસ્માતને કારણે અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હશે. કોઈ એકની ભૂલ બીજા માટે સજા સાબિત થઈ શકે છે તેવા અનેક કિસ્સાઓ આપણી સામે છે. કોઈ વખત ઓવરસ્પીડિંગને કારણે તો કોઈ વખત સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવવાને કારણે આવા અકસ્માતો સર્જાતા હોય છે અને લોકો મોતને ભેટતા હોય છે. તો કોઈ કિસ્સામાં ઓવરટેક કરવાના ચક્કરમાં ગંભીર અકસ્માત સર્જાવાય છે.     



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.