Odisha : દર્શન કરવા જઈ રહેલા ભક્તોને નડ્યો અકસ્માત, ટ્રક સાથે વાહન અથડાતા સર્જાઈ દુર્ઘટના, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-01 12:55:41

ઓડિશામાં એક ગોઝારો અકસ્માત સર્જાયો છે જેમાં 8 જેટલા લોકોના મોત થઈ ગયા છે. ઓડિશાના ક્યોંઝર જિલ્લામાં એક વાહનની ટ્રક સાથે ટક્કર થઈ જેને કારણે 8 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. મૃતકોમાં ત્રણ મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે તેવી માહિતી સામે આવી છે.  આ દુર્ઘટના ઘાટગાંવ વિસ્તારમાં આવેલા નેશનલ નં. હાઈવે 20 પર બની. મળતી માહિતી અનુસાર વાહનમાં સવાર લોકો સવારે મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા. જે લોકોના મોત થયા છે તે જાંગન જિલ્લાના પુદામારીથી દેવી ત્રારિણી દર્શન માટે જઈ રહ્યા હતા અને તે વખતે આ અકસ્માત સર્જાયો.   

ઘટનામાં થયા 8 જેટલા લોકોના મોત 

દેશભરમાં અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ અનેક લોકોના મોત અકસ્માતને કારણે થયા છે. ત્યારે એક ગોઝારો અકસ્માત ઓડિશામાં બન્યો છે જેમાં ઘટના સ્થળ પર 7 લોકોના મોત થઈ ગયા જ્યારે અન્ય એક વ્યક્તિનું મોત સારવાર દરમિયાન થઈ ગયું છે. મોટું વાહન લઈ લોકો મંદિરે દર્શન કરવા નીકળ્યા હતા અને તે વખતે તેમનું વાહન ટ્રક સાથે અથડાયું અને આ દુર્ઘટના સર્જાઈ. આ ઘટનામાં મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. એવી માહિતી સામે આવી છે કે જે વાહનમાં બેસીને મંદિરે દર્શન કરવા લોકો જઈ રહ્યા હતા તે વાહનના ડ્રાઈવરને અચાનક ઝબકી આવી ગઈ. જેને કારણે આ મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ મામલે પોલીસે તપાસ આરંભી છે.  

Bodies scattered on road: Eight killed, seven injured in road accident in Odisha's Keonjhar

અનેક કારણોસર સર્જાતા હોય છે અકસ્માત 

મહત્વનું છે કે અકસ્માતને કારણે અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હશે. કોઈ એકની ભૂલ બીજા માટે સજા સાબિત થઈ શકે છે તેવા અનેક કિસ્સાઓ આપણી સામે છે. કોઈ વખત ઓવરસ્પીડિંગને કારણે તો કોઈ વખત સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવવાને કારણે આવા અકસ્માતો સર્જાતા હોય છે અને લોકો મોતને ભેટતા હોય છે. તો કોઈ કિસ્સામાં ઓવરટેક કરવાના ચક્કરમાં ગંભીર અકસ્માત સર્જાવાય છે.     



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.