ઓડિશામાં કાચાકામના કેદી કેદીઓના પગની ઘૂંટીમાં GPS ટ્રેકર ફીટ કરાશે, જાણો અનોખી યોજના વિશે


  • Published By :
  • Published Date : 2023-08-29 16:26:16

ઓડિશાની જેલોમાં બંધ કેદીઓની સંખ્યામાં ભરાવો થતાં હવે રાજ્ય સરકારે મહત્વની યોજના બનાવી છે. યોજના મુજબ હવે કેદીઓના શરીર પર GPS ઉપકરણ લગાવીને તેમને તેમના ઘરોમાં કેદ કરવામાં આવશે. ઓડિશાના જેલ પ્રશાસને જેલ ખર્ચ ઘટાડવા અને જેલમાં કેદીઓની સંખ્યા ઘટાડવા માટે આ પ્રસ્તાવ મૂક્યો છે. ડીજી જેલ ડો. મનોજ છાબરાએ જણાવ્યું હતું કે તેમણે સરકારને આ દરખાસ્ત મોકલી છે. આ ઉપકરણની કિંમત 10 થી 15 હજારની વચ્ચે હશે. જો કોઈ કેદી નિશ્ચિત મર્યાદાની બહાર જવાનો પ્રયાસ કરશે તો આ ઉપકરણ એલર્ટ કરશે.


કાચાકામના કેદીઓ પર લગાવાશે GPS tracker


ડીજી જેલ ડો. મનોજ છાબરાએ કહ્યું કે સરકાર હજુ પણ આ પગલા પર વિચાર કરી રહી છે. આ ઉપકરણનો ઉપયોગ કાચાકામના કેદીઓમાં કરી શકાય છે. આ ઉપકરણ કેદીઓના પગની ઘૂંટીમાં ફીટ કરવામાં આવશે. તાજેતરમાં જ જેલ પ્રશાસને પણ સંસદીય સ્થાયી સમિતિ સમક્ષ આ પ્રકારનું ઉપકરણ રજૂ કર્યું હતું. આ પગલાથી જેલમાં કેદીઓની વધતી સંખ્યા અને તેમના ખર્ચમાંથી છુટકારો મળશે. સુપ્રીમ કોર્ટે પણ રાજ્યોને આદેશ આપ્યો હતો કે સાત વર્ષથી ઓછી કેદની સજા ધરાવતા ગુનેગારોની ધરપકડ ન કરો. સાત વર્ષથી ઓછી સજા હોય તેવા કેસમાં ધરપકડ કરવામાં આવેલા કેદીઓમાં ઓડિશાનો હિસ્સો 65 ટકા છે. રાજ્યની 87 જેલોમાં 20 હજાર જેટલા કેદીઓ છે.

 

કેદીઓના ગોપનીયતાના અધિકારનું શું?


ઓડિશા સરકારની આ મહત્વની યોજનાનો રાજ્યના માનવાધિકાર કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે જો ઉપકરણનો આ રીતે ઉપયોગ કરવામાં આવશે તો સૌથી પહેલા તે વ્યક્તિની ગોપનીયતાનું ઉલ્લંઘન કરશે. જે મૂળભૂત અધિકાર છે. એવું પણ બની શકે છે કે જો કોઈની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવે છે, તો તેનો તમામ ડેટા ઉપકરણમાં રાખવામાં આવશે. બાદમાં આ ડેટાનો દુરુપયોગ થઈ શકે છે. કોઈપણ ઉપકરણની જેમ તેને નિયમિતપણે ચાર્જ કરવું પડશે. જો કોઈ ચાર્જ નહીં કરે, તો તેની બેટરી કામ કરવાનું બંધ કરી દેશે. આ સિવાય આ એક ટેક્નિકલ ડિવાઈસ છે જે ગમે ત્યારે ખરાબ થઈ શકે છે. આવી સ્થિતિમાં આરોપીઓ સાથે ઉપકરણમાં છેડછાડ પણ થઇ શકે છે. 



સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના વાલેવડા ગામે પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થયું છે. આ મામલે , દસાડા પોલીસ મથકે એક વ્યક્તિ સામે ફરજમાં રુકાવટ અંગેની ફરિયાદ પોતે પોલીસ કર્મચારી દ્વારા નોંધાવવામાં આવી છે. બીજી બાજુ કોંગ્રેસના પૂર્વ MLA અને ગ્રામજનો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે , સ્થાનિક PI દ્વારા રિવોલ્વર મૂકીને ધમકી આપીને માર મારવામાં આવ્યો છે.

There is a lot of discussion on the relations between India and America, whether it is Donald Trump's tariff hike or calling PM Modi a special friend, everyone's eyes are on these relations between India and America. Amidst all this, US Ambassador to India Sergio Gore reached Mumbai and this visit is considered a very important one.

ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.