ઓડિશામાં કાચાકામના કેદી કેદીઓના પગની ઘૂંટીમાં GPS ટ્રેકર ફીટ કરાશે, જાણો અનોખી યોજના વિશે


  • Published By :
  • Published Date : 2023-08-29 16:26:16

ઓડિશાની જેલોમાં બંધ કેદીઓની સંખ્યામાં ભરાવો થતાં હવે રાજ્ય સરકારે મહત્વની યોજના બનાવી છે. યોજના મુજબ હવે કેદીઓના શરીર પર GPS ઉપકરણ લગાવીને તેમને તેમના ઘરોમાં કેદ કરવામાં આવશે. ઓડિશાના જેલ પ્રશાસને જેલ ખર્ચ ઘટાડવા અને જેલમાં કેદીઓની સંખ્યા ઘટાડવા માટે આ પ્રસ્તાવ મૂક્યો છે. ડીજી જેલ ડો. મનોજ છાબરાએ જણાવ્યું હતું કે તેમણે સરકારને આ દરખાસ્ત મોકલી છે. આ ઉપકરણની કિંમત 10 થી 15 હજારની વચ્ચે હશે. જો કોઈ કેદી નિશ્ચિત મર્યાદાની બહાર જવાનો પ્રયાસ કરશે તો આ ઉપકરણ એલર્ટ કરશે.


કાચાકામના કેદીઓ પર લગાવાશે GPS tracker


ડીજી જેલ ડો. મનોજ છાબરાએ કહ્યું કે સરકાર હજુ પણ આ પગલા પર વિચાર કરી રહી છે. આ ઉપકરણનો ઉપયોગ કાચાકામના કેદીઓમાં કરી શકાય છે. આ ઉપકરણ કેદીઓના પગની ઘૂંટીમાં ફીટ કરવામાં આવશે. તાજેતરમાં જ જેલ પ્રશાસને પણ સંસદીય સ્થાયી સમિતિ સમક્ષ આ પ્રકારનું ઉપકરણ રજૂ કર્યું હતું. આ પગલાથી જેલમાં કેદીઓની વધતી સંખ્યા અને તેમના ખર્ચમાંથી છુટકારો મળશે. સુપ્રીમ કોર્ટે પણ રાજ્યોને આદેશ આપ્યો હતો કે સાત વર્ષથી ઓછી કેદની સજા ધરાવતા ગુનેગારોની ધરપકડ ન કરો. સાત વર્ષથી ઓછી સજા હોય તેવા કેસમાં ધરપકડ કરવામાં આવેલા કેદીઓમાં ઓડિશાનો હિસ્સો 65 ટકા છે. રાજ્યની 87 જેલોમાં 20 હજાર જેટલા કેદીઓ છે.

 

કેદીઓના ગોપનીયતાના અધિકારનું શું?


ઓડિશા સરકારની આ મહત્વની યોજનાનો રાજ્યના માનવાધિકાર કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે જો ઉપકરણનો આ રીતે ઉપયોગ કરવામાં આવશે તો સૌથી પહેલા તે વ્યક્તિની ગોપનીયતાનું ઉલ્લંઘન કરશે. જે મૂળભૂત અધિકાર છે. એવું પણ બની શકે છે કે જો કોઈની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવે છે, તો તેનો તમામ ડેટા ઉપકરણમાં રાખવામાં આવશે. બાદમાં આ ડેટાનો દુરુપયોગ થઈ શકે છે. કોઈપણ ઉપકરણની જેમ તેને નિયમિતપણે ચાર્જ કરવું પડશે. જો કોઈ ચાર્જ નહીં કરે, તો તેની બેટરી કામ કરવાનું બંધ કરી દેશે. આ સિવાય આ એક ટેક્નિકલ ડિવાઈસ છે જે ગમે ત્યારે ખરાબ થઈ શકે છે. આવી સ્થિતિમાં આરોપીઓ સાથે ઉપકરણમાં છેડછાડ પણ થઇ શકે છે. 



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.