ઓડિશામાં કાચાકામના કેદી કેદીઓના પગની ઘૂંટીમાં GPS ટ્રેકર ફીટ કરાશે, જાણો અનોખી યોજના વિશે


  • Published By :
  • Published Date : 2023-08-29 16:26:16

ઓડિશાની જેલોમાં બંધ કેદીઓની સંખ્યામાં ભરાવો થતાં હવે રાજ્ય સરકારે મહત્વની યોજના બનાવી છે. યોજના મુજબ હવે કેદીઓના શરીર પર GPS ઉપકરણ લગાવીને તેમને તેમના ઘરોમાં કેદ કરવામાં આવશે. ઓડિશાના જેલ પ્રશાસને જેલ ખર્ચ ઘટાડવા અને જેલમાં કેદીઓની સંખ્યા ઘટાડવા માટે આ પ્રસ્તાવ મૂક્યો છે. ડીજી જેલ ડો. મનોજ છાબરાએ જણાવ્યું હતું કે તેમણે સરકારને આ દરખાસ્ત મોકલી છે. આ ઉપકરણની કિંમત 10 થી 15 હજારની વચ્ચે હશે. જો કોઈ કેદી નિશ્ચિત મર્યાદાની બહાર જવાનો પ્રયાસ કરશે તો આ ઉપકરણ એલર્ટ કરશે.


કાચાકામના કેદીઓ પર લગાવાશે GPS tracker


ડીજી જેલ ડો. મનોજ છાબરાએ કહ્યું કે સરકાર હજુ પણ આ પગલા પર વિચાર કરી રહી છે. આ ઉપકરણનો ઉપયોગ કાચાકામના કેદીઓમાં કરી શકાય છે. આ ઉપકરણ કેદીઓના પગની ઘૂંટીમાં ફીટ કરવામાં આવશે. તાજેતરમાં જ જેલ પ્રશાસને પણ સંસદીય સ્થાયી સમિતિ સમક્ષ આ પ્રકારનું ઉપકરણ રજૂ કર્યું હતું. આ પગલાથી જેલમાં કેદીઓની વધતી સંખ્યા અને તેમના ખર્ચમાંથી છુટકારો મળશે. સુપ્રીમ કોર્ટે પણ રાજ્યોને આદેશ આપ્યો હતો કે સાત વર્ષથી ઓછી કેદની સજા ધરાવતા ગુનેગારોની ધરપકડ ન કરો. સાત વર્ષથી ઓછી સજા હોય તેવા કેસમાં ધરપકડ કરવામાં આવેલા કેદીઓમાં ઓડિશાનો હિસ્સો 65 ટકા છે. રાજ્યની 87 જેલોમાં 20 હજાર જેટલા કેદીઓ છે.

 

કેદીઓના ગોપનીયતાના અધિકારનું શું?


ઓડિશા સરકારની આ મહત્વની યોજનાનો રાજ્યના માનવાધિકાર કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે જો ઉપકરણનો આ રીતે ઉપયોગ કરવામાં આવશે તો સૌથી પહેલા તે વ્યક્તિની ગોપનીયતાનું ઉલ્લંઘન કરશે. જે મૂળભૂત અધિકાર છે. એવું પણ બની શકે છે કે જો કોઈની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવે છે, તો તેનો તમામ ડેટા ઉપકરણમાં રાખવામાં આવશે. બાદમાં આ ડેટાનો દુરુપયોગ થઈ શકે છે. કોઈપણ ઉપકરણની જેમ તેને નિયમિતપણે ચાર્જ કરવું પડશે. જો કોઈ ચાર્જ નહીં કરે, તો તેની બેટરી કામ કરવાનું બંધ કરી દેશે. આ સિવાય આ એક ટેક્નિકલ ડિવાઈસ છે જે ગમે ત્યારે ખરાબ થઈ શકે છે. આવી સ્થિતિમાં આરોપીઓ સાથે ઉપકરણમાં છેડછાડ પણ થઇ શકે છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.