ઓડિશામાં કાચાકામના કેદી કેદીઓના પગની ઘૂંટીમાં GPS ટ્રેકર ફીટ કરાશે, જાણો અનોખી યોજના વિશે


  • Published By :
  • Published Date : 2023-08-29 16:26:16

ઓડિશાની જેલોમાં બંધ કેદીઓની સંખ્યામાં ભરાવો થતાં હવે રાજ્ય સરકારે મહત્વની યોજના બનાવી છે. યોજના મુજબ હવે કેદીઓના શરીર પર GPS ઉપકરણ લગાવીને તેમને તેમના ઘરોમાં કેદ કરવામાં આવશે. ઓડિશાના જેલ પ્રશાસને જેલ ખર્ચ ઘટાડવા અને જેલમાં કેદીઓની સંખ્યા ઘટાડવા માટે આ પ્રસ્તાવ મૂક્યો છે. ડીજી જેલ ડો. મનોજ છાબરાએ જણાવ્યું હતું કે તેમણે સરકારને આ દરખાસ્ત મોકલી છે. આ ઉપકરણની કિંમત 10 થી 15 હજારની વચ્ચે હશે. જો કોઈ કેદી નિશ્ચિત મર્યાદાની બહાર જવાનો પ્રયાસ કરશે તો આ ઉપકરણ એલર્ટ કરશે.


કાચાકામના કેદીઓ પર લગાવાશે GPS tracker


ડીજી જેલ ડો. મનોજ છાબરાએ કહ્યું કે સરકાર હજુ પણ આ પગલા પર વિચાર કરી રહી છે. આ ઉપકરણનો ઉપયોગ કાચાકામના કેદીઓમાં કરી શકાય છે. આ ઉપકરણ કેદીઓના પગની ઘૂંટીમાં ફીટ કરવામાં આવશે. તાજેતરમાં જ જેલ પ્રશાસને પણ સંસદીય સ્થાયી સમિતિ સમક્ષ આ પ્રકારનું ઉપકરણ રજૂ કર્યું હતું. આ પગલાથી જેલમાં કેદીઓની વધતી સંખ્યા અને તેમના ખર્ચમાંથી છુટકારો મળશે. સુપ્રીમ કોર્ટે પણ રાજ્યોને આદેશ આપ્યો હતો કે સાત વર્ષથી ઓછી કેદની સજા ધરાવતા ગુનેગારોની ધરપકડ ન કરો. સાત વર્ષથી ઓછી સજા હોય તેવા કેસમાં ધરપકડ કરવામાં આવેલા કેદીઓમાં ઓડિશાનો હિસ્સો 65 ટકા છે. રાજ્યની 87 જેલોમાં 20 હજાર જેટલા કેદીઓ છે.

 

કેદીઓના ગોપનીયતાના અધિકારનું શું?


ઓડિશા સરકારની આ મહત્વની યોજનાનો રાજ્યના માનવાધિકાર કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે જો ઉપકરણનો આ રીતે ઉપયોગ કરવામાં આવશે તો સૌથી પહેલા તે વ્યક્તિની ગોપનીયતાનું ઉલ્લંઘન કરશે. જે મૂળભૂત અધિકાર છે. એવું પણ બની શકે છે કે જો કોઈની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવે છે, તો તેનો તમામ ડેટા ઉપકરણમાં રાખવામાં આવશે. બાદમાં આ ડેટાનો દુરુપયોગ થઈ શકે છે. કોઈપણ ઉપકરણની જેમ તેને નિયમિતપણે ચાર્જ કરવું પડશે. જો કોઈ ચાર્જ નહીં કરે, તો તેની બેટરી કામ કરવાનું બંધ કરી દેશે. આ સિવાય આ એક ટેક્નિકલ ડિવાઈસ છે જે ગમે ત્યારે ખરાબ થઈ શકે છે. આવી સ્થિતિમાં આરોપીઓ સાથે ઉપકરણમાં છેડછાડ પણ થઇ શકે છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.