ઓલ્ડ પેન્શન સ્કીમ: સરકારી કર્મચારીઓના વોટ મેળવવા AAP અને કોંગ્રેસનો માસ્ટરસ્ટ્રોક


  • Published By :
  • Published Date : 2022-11-27 15:43:05

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટી દરરોજ પ્રજાલક્ષી જાહેરાતો કરી રહી છે. જો કે આપ કન્વિનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સરકારી કર્મચારીઓના દિલ જીતવા માટે મોટી જાહેરાત કરી છે. કેજરીવાલે AAPની સરકાર બનશે તો ઓલ્ડ પેન્શન સ્કિમ લાગૂ કરવાની ઘોષણા કરી છે. આજ પ્રકારની જાહેરાત કોંગ્રેસે પણ કરી છે. જો રાજ્ય સરાકારના તમામ કર્મચારીઓ અને પેન્શનર્સ ભાજપ સરકાર વિરૂધ્ધ મતદાન કરે તો આ ચૂંટણીમાં ભાજપને જોરદાર ફટકો પડી શકે છે. વળી સરકારી કર્મચારીઓ સાથે તેમના પરિવારજનો પણ ભાજપ વિરૂધ્ધ મતદાન કરે તે સ્વાભાવિક છે. હવે આ સ્થિતી ભાજપની વિરૂધ્ધ જઈ શકે તેવું નિર્વિવાદપણે કહીં શકાય.


OPSની જાહેરાત શા માટે?


ગુજરાત સરકારના 7 લાખ કર્મચારીઓ વર્ષોથી જૂની પેન્શન યોજના ચાલુ કરવાની માગણી સાથે ફિક્સ પગાર અને આઉટ સોર્સિંગની પ્રથા નાબૂદ કરવાની માગણી કરી રહ્યા છે. ગુજરાતમાં જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાની માંગણી સાથે ગુજરાતમાં ઠેર ઠેર કર્મચારીઓ દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ તથા ગુજરાત રાજ્ય સંયુક્ત મોરચા હેઠળ દેખાવો કરવામાં આવ્યા હતા. 


નિવૃત કર્મચારીઓ પણ OPSના પક્ષધર


ગુજરાતના 12 લાખથી વધુ પેન્શનર્સને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની ખાતરી આપનાર રાજકીય પક્ષને જ મત આપની જાહેરાત કરી છે. ગુજરાત સરકારના તમામ પેન્શનર્સ એસોસિયેશનોએ એકસુરમાં આગામી પહેલી અને પાંચમી ડિસેમ્બરે યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં OPS સમર્થક પક્ષને જ મત આપવાનો નિર્ધાર કર્યો છે. 2017ની ચૂંટણીમાં 99 બેઠક સાથે બહુમતી મેળવનાર અને 77 બેઠક મેળવનાર કોન્ગ્રેસને મળેલા મત વચ્ચે 22.85 લાખનો જ ગાળો હતો તે જોતાં પેન્શનર્સને આ નિર્ણય ચૂંટણી પર મોટી અસર કરનાર સાબિત થઈ શકે છે. 


OPSના લાભ શું છે?


જૂની પેન્શન યોજના ચાલુ કરવાની માગણી કરતાં કર્મચારીઓનું કહેવું છે કે જૂની પેન્શન સ્કીમ સુરક્ષિત છે. નવી પેન્શન યોજનામાં પેન્શનની રકમનો કોઈ જ ગેરન્ટી નથી. જૂની પેન્શન યોજનામાં કર્મચારીઓના નાણાંનું રોકાણ સરકારમાં જ થાય છે. જ્યારે નવે પેન્શન યોજનામાં કર્મચારીઓના નાણાંનું રોકાણ શેરબજારમાં કરવામાં આવે છે. જૂની પેન્શન યોજનામાં બેઝિક પગાર ઉપરાંત મળતા મોંઘવારી ભથ્થાને કારણે પેન્શનમાં સમયે સમયે વધારો થાય છે. નવી પેન્શન યોજનામાં આ પ્રકારના લાભ મળતા જ નથી. જૂની પેન્શન યોજનામાં કર્મચારીનું અવસાન થયા પછી તેના પરિવારના સભ્યોને મદદરૃપ થવા ફેમિલી પેન્શનની વ્યવસ્થા છે. જ્યારે નવી પેન્શન યોજનામાં ફેમિલી પેન્શનની કોઈ જ જોગવાઈ કરવામાં આવેલી નથી.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.