ઓલ્ડ પેન્શન સ્કીમ: સરકારી કર્મચારીઓના વોટ મેળવવા AAP અને કોંગ્રેસનો માસ્ટરસ્ટ્રોક


  • Published By :
  • Published Date : 2022-11-27 15:43:05

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટી દરરોજ પ્રજાલક્ષી જાહેરાતો કરી રહી છે. જો કે આપ કન્વિનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સરકારી કર્મચારીઓના દિલ જીતવા માટે મોટી જાહેરાત કરી છે. કેજરીવાલે AAPની સરકાર બનશે તો ઓલ્ડ પેન્શન સ્કિમ લાગૂ કરવાની ઘોષણા કરી છે. આજ પ્રકારની જાહેરાત કોંગ્રેસે પણ કરી છે. જો રાજ્ય સરાકારના તમામ કર્મચારીઓ અને પેન્શનર્સ ભાજપ સરકાર વિરૂધ્ધ મતદાન કરે તો આ ચૂંટણીમાં ભાજપને જોરદાર ફટકો પડી શકે છે. વળી સરકારી કર્મચારીઓ સાથે તેમના પરિવારજનો પણ ભાજપ વિરૂધ્ધ મતદાન કરે તે સ્વાભાવિક છે. હવે આ સ્થિતી ભાજપની વિરૂધ્ધ જઈ શકે તેવું નિર્વિવાદપણે કહીં શકાય.


OPSની જાહેરાત શા માટે?


ગુજરાત સરકારના 7 લાખ કર્મચારીઓ વર્ષોથી જૂની પેન્શન યોજના ચાલુ કરવાની માગણી સાથે ફિક્સ પગાર અને આઉટ સોર્સિંગની પ્રથા નાબૂદ કરવાની માગણી કરી રહ્યા છે. ગુજરાતમાં જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાની માંગણી સાથે ગુજરાતમાં ઠેર ઠેર કર્મચારીઓ દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ તથા ગુજરાત રાજ્ય સંયુક્ત મોરચા હેઠળ દેખાવો કરવામાં આવ્યા હતા. 


નિવૃત કર્મચારીઓ પણ OPSના પક્ષધર


ગુજરાતના 12 લાખથી વધુ પેન્શનર્સને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની ખાતરી આપનાર રાજકીય પક્ષને જ મત આપની જાહેરાત કરી છે. ગુજરાત સરકારના તમામ પેન્શનર્સ એસોસિયેશનોએ એકસુરમાં આગામી પહેલી અને પાંચમી ડિસેમ્બરે યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં OPS સમર્થક પક્ષને જ મત આપવાનો નિર્ધાર કર્યો છે. 2017ની ચૂંટણીમાં 99 બેઠક સાથે બહુમતી મેળવનાર અને 77 બેઠક મેળવનાર કોન્ગ્રેસને મળેલા મત વચ્ચે 22.85 લાખનો જ ગાળો હતો તે જોતાં પેન્શનર્સને આ નિર્ણય ચૂંટણી પર મોટી અસર કરનાર સાબિત થઈ શકે છે. 


OPSના લાભ શું છે?


જૂની પેન્શન યોજના ચાલુ કરવાની માગણી કરતાં કર્મચારીઓનું કહેવું છે કે જૂની પેન્શન સ્કીમ સુરક્ષિત છે. નવી પેન્શન યોજનામાં પેન્શનની રકમનો કોઈ જ ગેરન્ટી નથી. જૂની પેન્શન યોજનામાં કર્મચારીઓના નાણાંનું રોકાણ સરકારમાં જ થાય છે. જ્યારે નવે પેન્શન યોજનામાં કર્મચારીઓના નાણાંનું રોકાણ શેરબજારમાં કરવામાં આવે છે. જૂની પેન્શન યોજનામાં બેઝિક પગાર ઉપરાંત મળતા મોંઘવારી ભથ્થાને કારણે પેન્શનમાં સમયે સમયે વધારો થાય છે. નવી પેન્શન યોજનામાં આ પ્રકારના લાભ મળતા જ નથી. જૂની પેન્શન યોજનામાં કર્મચારીનું અવસાન થયા પછી તેના પરિવારના સભ્યોને મદદરૃપ થવા ફેમિલી પેન્શનની વ્યવસ્થા છે. જ્યારે નવી પેન્શન યોજનામાં ફેમિલી પેન્શનની કોઈ જ જોગવાઈ કરવામાં આવેલી નથી.



એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.