ઓલ્ડ પેન્શન સ્કીમ: સરકારી કર્મચારીઓના વોટ મેળવવા AAP અને કોંગ્રેસનો માસ્ટરસ્ટ્રોક


  • Published By :
  • Published Date : 2022-11-27 15:43:05

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટી દરરોજ પ્રજાલક્ષી જાહેરાતો કરી રહી છે. જો કે આપ કન્વિનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સરકારી કર્મચારીઓના દિલ જીતવા માટે મોટી જાહેરાત કરી છે. કેજરીવાલે AAPની સરકાર બનશે તો ઓલ્ડ પેન્શન સ્કિમ લાગૂ કરવાની ઘોષણા કરી છે. આજ પ્રકારની જાહેરાત કોંગ્રેસે પણ કરી છે. જો રાજ્ય સરાકારના તમામ કર્મચારીઓ અને પેન્શનર્સ ભાજપ સરકાર વિરૂધ્ધ મતદાન કરે તો આ ચૂંટણીમાં ભાજપને જોરદાર ફટકો પડી શકે છે. વળી સરકારી કર્મચારીઓ સાથે તેમના પરિવારજનો પણ ભાજપ વિરૂધ્ધ મતદાન કરે તે સ્વાભાવિક છે. હવે આ સ્થિતી ભાજપની વિરૂધ્ધ જઈ શકે તેવું નિર્વિવાદપણે કહીં શકાય.


OPSની જાહેરાત શા માટે?


ગુજરાત સરકારના 7 લાખ કર્મચારીઓ વર્ષોથી જૂની પેન્શન યોજના ચાલુ કરવાની માગણી સાથે ફિક્સ પગાર અને આઉટ સોર્સિંગની પ્રથા નાબૂદ કરવાની માગણી કરી રહ્યા છે. ગુજરાતમાં જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાની માંગણી સાથે ગુજરાતમાં ઠેર ઠેર કર્મચારીઓ દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ તથા ગુજરાત રાજ્ય સંયુક્ત મોરચા હેઠળ દેખાવો કરવામાં આવ્યા હતા. 


નિવૃત કર્મચારીઓ પણ OPSના પક્ષધર


ગુજરાતના 12 લાખથી વધુ પેન્શનર્સને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની ખાતરી આપનાર રાજકીય પક્ષને જ મત આપની જાહેરાત કરી છે. ગુજરાત સરકારના તમામ પેન્શનર્સ એસોસિયેશનોએ એકસુરમાં આગામી પહેલી અને પાંચમી ડિસેમ્બરે યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં OPS સમર્થક પક્ષને જ મત આપવાનો નિર્ધાર કર્યો છે. 2017ની ચૂંટણીમાં 99 બેઠક સાથે બહુમતી મેળવનાર અને 77 બેઠક મેળવનાર કોન્ગ્રેસને મળેલા મત વચ્ચે 22.85 લાખનો જ ગાળો હતો તે જોતાં પેન્શનર્સને આ નિર્ણય ચૂંટણી પર મોટી અસર કરનાર સાબિત થઈ શકે છે. 


OPSના લાભ શું છે?


જૂની પેન્શન યોજના ચાલુ કરવાની માગણી કરતાં કર્મચારીઓનું કહેવું છે કે જૂની પેન્શન સ્કીમ સુરક્ષિત છે. નવી પેન્શન યોજનામાં પેન્શનની રકમનો કોઈ જ ગેરન્ટી નથી. જૂની પેન્શન યોજનામાં કર્મચારીઓના નાણાંનું રોકાણ સરકારમાં જ થાય છે. જ્યારે નવે પેન્શન યોજનામાં કર્મચારીઓના નાણાંનું રોકાણ શેરબજારમાં કરવામાં આવે છે. જૂની પેન્શન યોજનામાં બેઝિક પગાર ઉપરાંત મળતા મોંઘવારી ભથ્થાને કારણે પેન્શનમાં સમયે સમયે વધારો થાય છે. નવી પેન્શન યોજનામાં આ પ્રકારના લાભ મળતા જ નથી. જૂની પેન્શન યોજનામાં કર્મચારીનું અવસાન થયા પછી તેના પરિવારના સભ્યોને મદદરૃપ થવા ફેમિલી પેન્શનની વ્યવસ્થા છે. જ્યારે નવી પેન્શન યોજનામાં ફેમિલી પેન્શનની કોઈ જ જોગવાઈ કરવામાં આવેલી નથી.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .