ઓલ્ડ પેન્શન સ્કીમ: સરકારી કર્મચારીઓના વોટ મેળવવા AAP અને કોંગ્રેસનો માસ્ટરસ્ટ્રોક


  • Published By :
  • Published Date : 2022-11-27 15:43:05

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટી દરરોજ પ્રજાલક્ષી જાહેરાતો કરી રહી છે. જો કે આપ કન્વિનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સરકારી કર્મચારીઓના દિલ જીતવા માટે મોટી જાહેરાત કરી છે. કેજરીવાલે AAPની સરકાર બનશે તો ઓલ્ડ પેન્શન સ્કિમ લાગૂ કરવાની ઘોષણા કરી છે. આજ પ્રકારની જાહેરાત કોંગ્રેસે પણ કરી છે. જો રાજ્ય સરાકારના તમામ કર્મચારીઓ અને પેન્શનર્સ ભાજપ સરકાર વિરૂધ્ધ મતદાન કરે તો આ ચૂંટણીમાં ભાજપને જોરદાર ફટકો પડી શકે છે. વળી સરકારી કર્મચારીઓ સાથે તેમના પરિવારજનો પણ ભાજપ વિરૂધ્ધ મતદાન કરે તે સ્વાભાવિક છે. હવે આ સ્થિતી ભાજપની વિરૂધ્ધ જઈ શકે તેવું નિર્વિવાદપણે કહીં શકાય.


OPSની જાહેરાત શા માટે?


ગુજરાત સરકારના 7 લાખ કર્મચારીઓ વર્ષોથી જૂની પેન્શન યોજના ચાલુ કરવાની માગણી સાથે ફિક્સ પગાર અને આઉટ સોર્સિંગની પ્રથા નાબૂદ કરવાની માગણી કરી રહ્યા છે. ગુજરાતમાં જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાની માંગણી સાથે ગુજરાતમાં ઠેર ઠેર કર્મચારીઓ દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ તથા ગુજરાત રાજ્ય સંયુક્ત મોરચા હેઠળ દેખાવો કરવામાં આવ્યા હતા. 


નિવૃત કર્મચારીઓ પણ OPSના પક્ષધર


ગુજરાતના 12 લાખથી વધુ પેન્શનર્સને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની ખાતરી આપનાર રાજકીય પક્ષને જ મત આપની જાહેરાત કરી છે. ગુજરાત સરકારના તમામ પેન્શનર્સ એસોસિયેશનોએ એકસુરમાં આગામી પહેલી અને પાંચમી ડિસેમ્બરે યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં OPS સમર્થક પક્ષને જ મત આપવાનો નિર્ધાર કર્યો છે. 2017ની ચૂંટણીમાં 99 બેઠક સાથે બહુમતી મેળવનાર અને 77 બેઠક મેળવનાર કોન્ગ્રેસને મળેલા મત વચ્ચે 22.85 લાખનો જ ગાળો હતો તે જોતાં પેન્શનર્સને આ નિર્ણય ચૂંટણી પર મોટી અસર કરનાર સાબિત થઈ શકે છે. 


OPSના લાભ શું છે?


જૂની પેન્શન યોજના ચાલુ કરવાની માગણી કરતાં કર્મચારીઓનું કહેવું છે કે જૂની પેન્શન સ્કીમ સુરક્ષિત છે. નવી પેન્શન યોજનામાં પેન્શનની રકમનો કોઈ જ ગેરન્ટી નથી. જૂની પેન્શન યોજનામાં કર્મચારીઓના નાણાંનું રોકાણ સરકારમાં જ થાય છે. જ્યારે નવે પેન્શન યોજનામાં કર્મચારીઓના નાણાંનું રોકાણ શેરબજારમાં કરવામાં આવે છે. જૂની પેન્શન યોજનામાં બેઝિક પગાર ઉપરાંત મળતા મોંઘવારી ભથ્થાને કારણે પેન્શનમાં સમયે સમયે વધારો થાય છે. નવી પેન્શન યોજનામાં આ પ્રકારના લાભ મળતા જ નથી. જૂની પેન્શન યોજનામાં કર્મચારીનું અવસાન થયા પછી તેના પરિવારના સભ્યોને મદદરૃપ થવા ફેમિલી પેન્શનની વ્યવસ્થા છે. જ્યારે નવી પેન્શન યોજનામાં ફેમિલી પેન્શનની કોઈ જ જોગવાઈ કરવામાં આવેલી નથી.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.