કોંગ્રેસની સરકાર આવશે તો જૂની પેન્શન યોજના લાગુ થશે: જગદીશ ઠાકોર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 15:44:48

એક તરફ જૂની પેંશન યોજનાને લાગુ કરાવા આંદોલનો થઈ રહ્યા છે તો બીજી તરફ રાજકીય પાર્ટીઓ આવી પરિસ્થિતનો લાભ લેવા તત્પર બની છે. આંદોલન કરી રહેલા આંદોલન અંગે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે નિવેદન આપ્યું છે. નિવેદન આપતા કહ્યું કે જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે.

વિકાસશીલ ગુજરાત પર કર્યા પ્રહાર

કર્મચારીઓ જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગ કરી રહ્યા છે તો બીજી તરફ રાજસ્થાન અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં આ યોજના લાગુ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે ગુજરાત જેવા વિકસિત રાજ્ય કેમ જૂની પેન્શન યોજના લાગુ નથી કરતી. તેમણે ફિક્સ પગારને પણ ખોટી પ્રથા ગણાવી.

Gujarat Congress Pradesh Committee


સરકારની નિયત પર કર્યા સવાલ

નવી પેન્શન યોજનાને લઈ ઠેર-ઠેર વિરોધ થઈ રહ્યો છે. 2005 પહેલાની પેન્શન યોજના લાગૂ કરાવા કર્મચારીઓ મેદાને ઉતર્યા છે. હાલના પેન્શન યોજના મુજબ પેન્શન માટેની રકમ સરકાર નોકરી દરમિયાન કાપે છે. 2005માં લાગૂ કરાયેલ પેન્શન યોજના મુજબ છેલ્લા પગારના 50 ટકા પેન્શન મળે છે જ્યારે નવી પેન્શન યોજના હેઠળ ઓછુ પેન્શન કર્મચારીને મળે છે. સવાલ ઉઠાવતા તેમણે કહ્યું તે 2005 પહેલા અને 2005 પછીના એમ કર્મચારીઓના ભાગલા કેમ સરકાર કરે છે.


આંદોલનનો લાભ ઉઠાવતી રાજકીય પાર્ટી 

એક તરફ પોતાના હક માટે કર્મચારીઓ આંદોલન કરી સરકારને જગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે તો બીજી તરફ આ આંદોલનનો લાભ રાજકીય પાર્ટી લઈ રહી છે. ચૂંટણી સમયે આવા આંદોલનો થતા સરકારની ચિંતામાં વધારો થાય છે તો બીજી તરફ આંદોલનને કારણે વિપક્ષને સરકારને ઘેરવા મુદ્દો મળી જાય છે. આંદોલનકારીઓના પ્રશ્નનો ઉકેલ આવે છે કે માત્ર મુદ્દો બનીને રહી જાય છે તે આવનાર સમય જ બતાવશે.   



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.