કોંગ્રેસની સરકાર આવશે તો જૂની પેન્શન યોજના લાગુ થશે: જગદીશ ઠાકોર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 15:44:48

એક તરફ જૂની પેંશન યોજનાને લાગુ કરાવા આંદોલનો થઈ રહ્યા છે તો બીજી તરફ રાજકીય પાર્ટીઓ આવી પરિસ્થિતનો લાભ લેવા તત્પર બની છે. આંદોલન કરી રહેલા આંદોલન અંગે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે નિવેદન આપ્યું છે. નિવેદન આપતા કહ્યું કે જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે.

વિકાસશીલ ગુજરાત પર કર્યા પ્રહાર

કર્મચારીઓ જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગ કરી રહ્યા છે તો બીજી તરફ રાજસ્થાન અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં આ યોજના લાગુ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે ગુજરાત જેવા વિકસિત રાજ્ય કેમ જૂની પેન્શન યોજના લાગુ નથી કરતી. તેમણે ફિક્સ પગારને પણ ખોટી પ્રથા ગણાવી.

Gujarat Congress Pradesh Committee


સરકારની નિયત પર કર્યા સવાલ

નવી પેન્શન યોજનાને લઈ ઠેર-ઠેર વિરોધ થઈ રહ્યો છે. 2005 પહેલાની પેન્શન યોજના લાગૂ કરાવા કર્મચારીઓ મેદાને ઉતર્યા છે. હાલના પેન્શન યોજના મુજબ પેન્શન માટેની રકમ સરકાર નોકરી દરમિયાન કાપે છે. 2005માં લાગૂ કરાયેલ પેન્શન યોજના મુજબ છેલ્લા પગારના 50 ટકા પેન્શન મળે છે જ્યારે નવી પેન્શન યોજના હેઠળ ઓછુ પેન્શન કર્મચારીને મળે છે. સવાલ ઉઠાવતા તેમણે કહ્યું તે 2005 પહેલા અને 2005 પછીના એમ કર્મચારીઓના ભાગલા કેમ સરકાર કરે છે.


આંદોલનનો લાભ ઉઠાવતી રાજકીય પાર્ટી 

એક તરફ પોતાના હક માટે કર્મચારીઓ આંદોલન કરી સરકારને જગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે તો બીજી તરફ આ આંદોલનનો લાભ રાજકીય પાર્ટી લઈ રહી છે. ચૂંટણી સમયે આવા આંદોલનો થતા સરકારની ચિંતામાં વધારો થાય છે તો બીજી તરફ આંદોલનને કારણે વિપક્ષને સરકારને ઘેરવા મુદ્દો મળી જાય છે. આંદોલનકારીઓના પ્રશ્નનો ઉકેલ આવે છે કે માત્ર મુદ્દો બનીને રહી જાય છે તે આવનાર સમય જ બતાવશે.   



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .