ગાંધીનગરમાં જૂના સચિવાલયનું 100 કરોડના ખર્ચે થશે રિ-ડેવલપમેન્ટ, 8 બ્લોક તૈયાર કરાશે


  • Published By :
  • Published Date : 2023-06-25 19:43:10

ગુજરાતના પાટનગરમાં આવેલું દાયકાઓ જૂનું સચિવાલયનું હવે રિ-ડેવલપમેન્ટ કરવામાં આવશે. ગુજરતની ભાજપ સરકારે સચિવાલયની જગ્યાએ હવે નવું ભવન તૈયાર કરવાનો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. જૂનું સચિવાલય વર્ષ 1970-71માં બનાવામાં આવ્યું હતું. જૂના સચિવાલયનો રિ ડેવપમેન્ટ પ્રોજેક્ટ માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે.  ડો. જીવરાજ મહેતા ભવનમાં આવેલા બિલ્ડીંગોની હાલત જર્જરિત થઈ ગઈ છે. આ સંકુલમાં કચેરીઓ ખૂબ જૂની અને જર્જરિત થઈ ચૂકી છે. લિફ્ટ, ફાયર ફાઇટિંગ સિસ્ટમ, પાર્કિંગ સહિતની અન્ય પાયાની સુવિધાઓ પણ યોગ્ય નથી. જેથી જૂના સચિવાલયના રી-ડેવલપમેન્ટનો નિર્ણય લેવામાં આવ્યો છે.


8 બ્લોક તૈયાર કરાશે


જર્જરિત હાલતમાં ઉભેલા જૂના સચિવાલયમાં ક્રમશ 8 બ્લોક તૈયાર કરવામાં આવશે. જેમાં પહેલા તબક્કામાં 100 કરોડના ખર્ચે 2 બ્લોક તૈયાર કરાશે.જેમાં લિફ્ટ સહિતની અધતન સુવિધાઓ ઊભી કરવામાં આવશે. હાલ જૂના સચિવાલયમાં લિફ્ટ, પાર્કિંગ, ફાયર સિસ્ટમ સહિતની પાયાની સુવિધાઓ યોગ્ય નથી.જૂના સચિવાલયમાં કાર્યરત કચેરીઓની કામગીરીને વિક્ષેપ ન પડે તે માટે ક્રમશ: નવા બ્લોક બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ જૂના સચિવાલયમાં કાર્યરત કચેરીઓની ઈમારતને યથાવત રાખીને નવું સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે. 

ટૂંક સમયમાં ટેન્ડરીંગ પ્રક્રિયા શરૂ કરાશે


જૂના સચિવાલયના રિડેવલપમેન્ટ માટે નવા બ્લોક તૈયાર થઈ જાય ત્યાર બાદ કચેરીને શિફ્ટ કરીને જૂના બ્લોક તોડી પાડવામાં આવશે. હાલમાં જૂના સચિવાલયમાં 20 બ્લોક આવેલા છે. જેમાં 3 માળનું સ્ટ્રક્ચર આવેલું છે, તેના બદલે 8 માળનું સ્ટ્રક્ચર બનાવામાં આવશે. જૂના સચિવાલયના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટને મુખ્યમંત્રીની મંજૂરી મળ્યા બાદ હવે સીટીપી ઓફિસ દ્વારા પ્લાનને મંજૂરી આપી દેવામાં આવી છે. જૂના સચિવાલના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે આગામી ટૂંક સમયમાં ટેન્ડરીંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.