ગાંધીનગરમાં જૂના સચિવાલયનું 100 કરોડના ખર્ચે થશે રિ-ડેવલપમેન્ટ, 8 બ્લોક તૈયાર કરાશે


  • Published By :
  • Published Date : 2023-06-25 19:43:10

ગુજરાતના પાટનગરમાં આવેલું દાયકાઓ જૂનું સચિવાલયનું હવે રિ-ડેવલપમેન્ટ કરવામાં આવશે. ગુજરતની ભાજપ સરકારે સચિવાલયની જગ્યાએ હવે નવું ભવન તૈયાર કરવાનો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. જૂનું સચિવાલય વર્ષ 1970-71માં બનાવામાં આવ્યું હતું. જૂના સચિવાલયનો રિ ડેવપમેન્ટ પ્રોજેક્ટ માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે.  ડો. જીવરાજ મહેતા ભવનમાં આવેલા બિલ્ડીંગોની હાલત જર્જરિત થઈ ગઈ છે. આ સંકુલમાં કચેરીઓ ખૂબ જૂની અને જર્જરિત થઈ ચૂકી છે. લિફ્ટ, ફાયર ફાઇટિંગ સિસ્ટમ, પાર્કિંગ સહિતની અન્ય પાયાની સુવિધાઓ પણ યોગ્ય નથી. જેથી જૂના સચિવાલયના રી-ડેવલપમેન્ટનો નિર્ણય લેવામાં આવ્યો છે.


8 બ્લોક તૈયાર કરાશે


જર્જરિત હાલતમાં ઉભેલા જૂના સચિવાલયમાં ક્રમશ 8 બ્લોક તૈયાર કરવામાં આવશે. જેમાં પહેલા તબક્કામાં 100 કરોડના ખર્ચે 2 બ્લોક તૈયાર કરાશે.જેમાં લિફ્ટ સહિતની અધતન સુવિધાઓ ઊભી કરવામાં આવશે. હાલ જૂના સચિવાલયમાં લિફ્ટ, પાર્કિંગ, ફાયર સિસ્ટમ સહિતની પાયાની સુવિધાઓ યોગ્ય નથી.જૂના સચિવાલયમાં કાર્યરત કચેરીઓની કામગીરીને વિક્ષેપ ન પડે તે માટે ક્રમશ: નવા બ્લોક બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ જૂના સચિવાલયમાં કાર્યરત કચેરીઓની ઈમારતને યથાવત રાખીને નવું સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે. 

ટૂંક સમયમાં ટેન્ડરીંગ પ્રક્રિયા શરૂ કરાશે


જૂના સચિવાલયના રિડેવલપમેન્ટ માટે નવા બ્લોક તૈયાર થઈ જાય ત્યાર બાદ કચેરીને શિફ્ટ કરીને જૂના બ્લોક તોડી પાડવામાં આવશે. હાલમાં જૂના સચિવાલયમાં 20 બ્લોક આવેલા છે. જેમાં 3 માળનું સ્ટ્રક્ચર આવેલું છે, તેના બદલે 8 માળનું સ્ટ્રક્ચર બનાવામાં આવશે. જૂના સચિવાલયના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટને મુખ્યમંત્રીની મંજૂરી મળ્યા બાદ હવે સીટીપી ઓફિસ દ્વારા પ્લાનને મંજૂરી આપી દેવામાં આવી છે. જૂના સચિવાલના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે આગામી ટૂંક સમયમાં ટેન્ડરીંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.