Adivasi Divas પર જાણો એ આદિવાસી ઘડિયાળ વિશે જેના કાંટા અને અંક હોય છે સામાન્ય ઘડિયાળ કરતા વિરૂદ્ધ દિશામાં...


  • Published By :
  • Published Date : 2023-08-09 15:41:43

આજે આદિવાસી દિવસ છે.. આજે વાત કરવી છે આદિવાસી પરંપરાની.. આદિવાસી ઘડિયાળની... આપણા બધાના ઘરમાં ઘડિયાળ તો હશે જ, પણ આ અનોખી ઘડિયાળ છે કારણ કે આ ઘડિયાળમાં 12 પછી 11 પછી 10 એ રીતે આંકળા છે. 


આદિવાસી ઘડિયાળમાં ઉંધા હોય છે આંકડા 

આ ઘડિયાળ જોઈને લાગશે કે આ ઘડિયાળ ઉંધી હશે. પરંતુ ના આ ઘડિયાળ પણ ઉંધી નથી અને તમે પણ ઉંધા નથી. આ ઘડિયાળ આપણને ઉંધી એટલા માટે લાગે છે કારણ કે આ ઘડિયાળ સામાન્ય ઘડિયાળ કરતા અલગ છે. આદિવાસી દિવસ નિમિત્તે આજે તમને આદિવાસી ઘડિયાળ સાથે પરિચય કરાવો છે. આદિવાસીઓમાં આ ઘડિયાળનું આગવું મહત્વ છે સામાન્ય ઘડીયાળ કરતાં ઉલ્ટી દિશા માં એટલે કે જમણે થી ડાબે તેના આંકડા છે અને કાંટાઓ પણ જમણે થી ડાબે ડ ફરે છે. આ પ્રકૃતિની દિશા માં ફરતી ઘડિયાળ માનવમાં આવે છે


દાહોદમાં આદિવસી સંસ્કૃતિની ઝલક જોવા મળે છે...  

આદિવાસી સમાજના રીતરિવાજ અને પહેરવેશથી લઈ તેમની પરંપરા, તેમના વાજિંત્રો, તેમના તહેવારો એકદમ અનોખા હોય છે. દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. ત્યારે આદિવાસી સમાજની સંસ્કૃતિ અને પરંપરાની ઝાંખી અહી જોવા મળતી હોય છે. આદિવાસી સમાજ પ્રકૃતિ પૂજક સમાજ છે અને પ્રકૃતિને વરેલા હોય છે, ત્યારે તેના સંદેશ સાથે આદિવાસી સમાજમાં આદિવાસી ઘડિયાળ પણ ચલણમાં આવી છે.


પ્રકૃતિના નિયમોને ધ્યાનમાં રાખી બનાવાઈ આ ઘડિયાળ!

આદિવાસી ઘડીયાળની ખાસિયત એ છે કે તેમાં લખેલા અંક જમણે થી ડાબી તરફ હોય છે અને તેના કાંટા પણ જમણે થી ડાબી તરફ ફરતા હોય છે. સામાન્ય રીતે ઘડિયાળના આંકળા અને કાંટા ડાબેથી જમણી તરફ ફરતા હોય છે ત્યારે આ ઘડીયાળના પ્રતિક સાથે આદિવાસી સમાજ એ સંદેશ આપે છે કે કુદરતના નિયમ પ્રમાણે દરેક કાર્યો જમણે થી ડાબે થતાં હોય છે.



આદિવાસી પરંપરા વિશે નવી પેઢી જાણે તેવો પ્રયાસ

આ સમાચાર બતાવવાનો હેતુ એ છે કે આજની પેઢીને આ કલ્ચર વિશે ખબર પડે, આદિવાસી રિતરિવાજો વિશે ખબર પડે, તેમની પરંપરા વિશે ખ્યાલ આવે. નવી પેઢીમાં આદિવાસી પરંપરા અને સંસ્કૃતિ લુપ્ત ના થાય અને એ લોકો પણ આદિવાસી સંસ્કૃતિને સમજે અને જાણે તે માટે આ વાત આદિવાસી દિવસ નિમિત્તે કરી રહ્યા છીએ.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.