Adivasi Divas પર જાણો એ આદિવાસી ઘડિયાળ વિશે જેના કાંટા અને અંક હોય છે સામાન્ય ઘડિયાળ કરતા વિરૂદ્ધ દિશામાં...


  • Published By :
  • Published Date : 2023-08-09 15:41:43

આજે આદિવાસી દિવસ છે.. આજે વાત કરવી છે આદિવાસી પરંપરાની.. આદિવાસી ઘડિયાળની... આપણા બધાના ઘરમાં ઘડિયાળ તો હશે જ, પણ આ અનોખી ઘડિયાળ છે કારણ કે આ ઘડિયાળમાં 12 પછી 11 પછી 10 એ રીતે આંકળા છે. 


આદિવાસી ઘડિયાળમાં ઉંધા હોય છે આંકડા 

આ ઘડિયાળ જોઈને લાગશે કે આ ઘડિયાળ ઉંધી હશે. પરંતુ ના આ ઘડિયાળ પણ ઉંધી નથી અને તમે પણ ઉંધા નથી. આ ઘડિયાળ આપણને ઉંધી એટલા માટે લાગે છે કારણ કે આ ઘડિયાળ સામાન્ય ઘડિયાળ કરતા અલગ છે. આદિવાસી દિવસ નિમિત્તે આજે તમને આદિવાસી ઘડિયાળ સાથે પરિચય કરાવો છે. આદિવાસીઓમાં આ ઘડિયાળનું આગવું મહત્વ છે સામાન્ય ઘડીયાળ કરતાં ઉલ્ટી દિશા માં એટલે કે જમણે થી ડાબે તેના આંકડા છે અને કાંટાઓ પણ જમણે થી ડાબે ડ ફરે છે. આ પ્રકૃતિની દિશા માં ફરતી ઘડિયાળ માનવમાં આવે છે


દાહોદમાં આદિવસી સંસ્કૃતિની ઝલક જોવા મળે છે...  

આદિવાસી સમાજના રીતરિવાજ અને પહેરવેશથી લઈ તેમની પરંપરા, તેમના વાજિંત્રો, તેમના તહેવારો એકદમ અનોખા હોય છે. દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. ત્યારે આદિવાસી સમાજની સંસ્કૃતિ અને પરંપરાની ઝાંખી અહી જોવા મળતી હોય છે. આદિવાસી સમાજ પ્રકૃતિ પૂજક સમાજ છે અને પ્રકૃતિને વરેલા હોય છે, ત્યારે તેના સંદેશ સાથે આદિવાસી સમાજમાં આદિવાસી ઘડિયાળ પણ ચલણમાં આવી છે.


પ્રકૃતિના નિયમોને ધ્યાનમાં રાખી બનાવાઈ આ ઘડિયાળ!

આદિવાસી ઘડીયાળની ખાસિયત એ છે કે તેમાં લખેલા અંક જમણે થી ડાબી તરફ હોય છે અને તેના કાંટા પણ જમણે થી ડાબી તરફ ફરતા હોય છે. સામાન્ય રીતે ઘડિયાળના આંકળા અને કાંટા ડાબેથી જમણી તરફ ફરતા હોય છે ત્યારે આ ઘડીયાળના પ્રતિક સાથે આદિવાસી સમાજ એ સંદેશ આપે છે કે કુદરતના નિયમ પ્રમાણે દરેક કાર્યો જમણે થી ડાબે થતાં હોય છે.



આદિવાસી પરંપરા વિશે નવી પેઢી જાણે તેવો પ્રયાસ

આ સમાચાર બતાવવાનો હેતુ એ છે કે આજની પેઢીને આ કલ્ચર વિશે ખબર પડે, આદિવાસી રિતરિવાજો વિશે ખબર પડે, તેમની પરંપરા વિશે ખ્યાલ આવે. નવી પેઢીમાં આદિવાસી પરંપરા અને સંસ્કૃતિ લુપ્ત ના થાય અને એ લોકો પણ આદિવાસી સંસ્કૃતિને સમજે અને જાણે તે માટે આ વાત આદિવાસી દિવસ નિમિત્તે કરી રહ્યા છીએ.  



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી