અમદાવાદના આંબલી-બોપલ રોડ પર દારૂ પીને નબીરાએ અનેક વાહનોને લીધા અડફેટે, મોટી ઘટના થતા થતાં રહી ગઈ...


  • Published By :
  • Published Date : 2024-11-25 13:37:10

ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ અનેક ઘટનાઓ એવી સામે આવે છે જેને કારણે આ વાત ખોટી સાબિત થઈ રહી છે.. દારૂ પીને અનેક લોકો વાહન ચલાવે છે અને અકસ્માત સર્જે છે.... રસ્તાને પોતાના બાપની જાગીર સમજે છે અને બેફામ રીતે દારૂ પીને ગાડી ચલાવે છે.. નબીરાઓ બેફામ બન્યા છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો.... જે નબીરાએ આ અકસ્માત સર્જ્યો છે તેનું નામ છે રિપલ પંચાલ... આની પહેલા પણ તેના વિરૂદ્ધ ફરિયાદ થઈ હતી.. 

અનેક વાહનોને લીધા અડફેટે!

રફ્તારનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે... લોકો બેફામ બની રસ્તા પર વાહન ચલાવે છે અને લોકોના જીવ જોખમમાં મૂકે છે.... થોડા સમય બનેલો તથ્યકાંડ કેસ આપણને યાદ છે ત્યારે આજે તેવો જ અકસ્માત થતા થતા રહી ગયો તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી... આંબલી-બોપલ રોડ પર નબીરાએ અકસ્માત સર્જ્યો છે. વૈભવી ઓડી કારચાલકે પાંચ જેટલા વાહનોને અડફેટે લીધા હોવાની માહિતી સામે આવી છે... ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી..   


કાયદાનો નબીરાઓને નથી ડર! 

મહત્વનું છે કે જ્યારે આવા નબીરાઓ બેફામ બની ડ્રાઈવિંગ કરે છે ત્યારે તે સીધો પડકાર પોલીસને કરે છે.. કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથડી રહી છે તેવું કહીએ તો પણ આપણે ખોટા સાબિત નહીં થઈએ.. રાજ્યમાં બેફામ દારૂ પીને લોકો ગાડી ચલાવી રહ્યા છે અને બીજા લોકોના જીવને જોખમમાં મૂકે છે.. પોલીસને પડકાર કરતા આ લોકો સામે પોલીસ કેવી કાર્યવાહી કરશે તેની પર નજર છે..સવાલ થાય કે કાયદાનું પાલન લોકો કરે તે માટે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે?   



રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.