અમદાવાદના આંબલી-બોપલ રોડ પર દારૂ પીને નબીરાએ અનેક વાહનોને લીધા અડફેટે, મોટી ઘટના થતા થતાં રહી ગઈ...


  • Published By :
  • Published Date : 2024-11-25 13:37:10

ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ અનેક ઘટનાઓ એવી સામે આવે છે જેને કારણે આ વાત ખોટી સાબિત થઈ રહી છે.. દારૂ પીને અનેક લોકો વાહન ચલાવે છે અને અકસ્માત સર્જે છે.... રસ્તાને પોતાના બાપની જાગીર સમજે છે અને બેફામ રીતે દારૂ પીને ગાડી ચલાવે છે.. નબીરાઓ બેફામ બન્યા છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો.... જે નબીરાએ આ અકસ્માત સર્જ્યો છે તેનું નામ છે રિપલ પંચાલ... આની પહેલા પણ તેના વિરૂદ્ધ ફરિયાદ થઈ હતી.. 

અનેક વાહનોને લીધા અડફેટે!

રફ્તારનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે... લોકો બેફામ બની રસ્તા પર વાહન ચલાવે છે અને લોકોના જીવ જોખમમાં મૂકે છે.... થોડા સમય બનેલો તથ્યકાંડ કેસ આપણને યાદ છે ત્યારે આજે તેવો જ અકસ્માત થતા થતા રહી ગયો તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી... આંબલી-બોપલ રોડ પર નબીરાએ અકસ્માત સર્જ્યો છે. વૈભવી ઓડી કારચાલકે પાંચ જેટલા વાહનોને અડફેટે લીધા હોવાની માહિતી સામે આવી છે... ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી..   


કાયદાનો નબીરાઓને નથી ડર! 

મહત્વનું છે કે જ્યારે આવા નબીરાઓ બેફામ બની ડ્રાઈવિંગ કરે છે ત્યારે તે સીધો પડકાર પોલીસને કરે છે.. કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથડી રહી છે તેવું કહીએ તો પણ આપણે ખોટા સાબિત નહીં થઈએ.. રાજ્યમાં બેફામ દારૂ પીને લોકો ગાડી ચલાવી રહ્યા છે અને બીજા લોકોના જીવને જોખમમાં મૂકે છે.. પોલીસને પડકાર કરતા આ લોકો સામે પોલીસ કેવી કાર્યવાહી કરશે તેની પર નજર છે..સવાલ થાય કે કાયદાનું પાલન લોકો કરે તે માટે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે?   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.