અમદાવાદના આંબલી-બોપલ રોડ પર દારૂ પીને નબીરાએ અનેક વાહનોને લીધા અડફેટે, મોટી ઘટના થતા થતાં રહી ગઈ...


  • Published By :
  • Published Date : 2024-11-25 13:37:10

ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ અનેક ઘટનાઓ એવી સામે આવે છે જેને કારણે આ વાત ખોટી સાબિત થઈ રહી છે.. દારૂ પીને અનેક લોકો વાહન ચલાવે છે અને અકસ્માત સર્જે છે.... રસ્તાને પોતાના બાપની જાગીર સમજે છે અને બેફામ રીતે દારૂ પીને ગાડી ચલાવે છે.. નબીરાઓ બેફામ બન્યા છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો.... જે નબીરાએ આ અકસ્માત સર્જ્યો છે તેનું નામ છે રિપલ પંચાલ... આની પહેલા પણ તેના વિરૂદ્ધ ફરિયાદ થઈ હતી.. 

અનેક વાહનોને લીધા અડફેટે!

રફ્તારનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે... લોકો બેફામ બની રસ્તા પર વાહન ચલાવે છે અને લોકોના જીવ જોખમમાં મૂકે છે.... થોડા સમય બનેલો તથ્યકાંડ કેસ આપણને યાદ છે ત્યારે આજે તેવો જ અકસ્માત થતા થતા રહી ગયો તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી... આંબલી-બોપલ રોડ પર નબીરાએ અકસ્માત સર્જ્યો છે. વૈભવી ઓડી કારચાલકે પાંચ જેટલા વાહનોને અડફેટે લીધા હોવાની માહિતી સામે આવી છે... ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી..   


કાયદાનો નબીરાઓને નથી ડર! 

મહત્વનું છે કે જ્યારે આવા નબીરાઓ બેફામ બની ડ્રાઈવિંગ કરે છે ત્યારે તે સીધો પડકાર પોલીસને કરે છે.. કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથડી રહી છે તેવું કહીએ તો પણ આપણે ખોટા સાબિત નહીં થઈએ.. રાજ્યમાં બેફામ દારૂ પીને લોકો ગાડી ચલાવી રહ્યા છે અને બીજા લોકોના જીવને જોખમમાં મૂકે છે.. પોલીસને પડકાર કરતા આ લોકો સામે પોલીસ કેવી કાર્યવાહી કરશે તેની પર નજર છે..સવાલ થાય કે કાયદાનું પાલન લોકો કરે તે માટે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે?   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.