શુક્રવારે શેર માર્કેટમાં નોંધાઈ તેજી, Sensexમાં આટલા પોઈન્ટનો અને Niftyમાં આટલા પોઈન્ટનો જોવા મળ્યો ઉછાળો


  • Published By :
  • Published Date : 2024-03-01 18:05:17

સામાન્ય રીતે જ્યારે કોઈ પણ સરકારી આંકડા જાહેર થતા હોય છે ત્યારે તેની સીધી અસર માર્કેટ પર જોવા મળતી હોય છે. જો સમાચાર સારા છે તો માર્કેટમાં નિવેશ કરવા વાળાને ફાયદો જ ફાયદો છે અને જો ખરાબ છે તો નિવેશકોની રાતોની ઉંઘ ઉડી જતી હોય છે. ત્યારે સરકાર દ્વારા ડિસેમ્બર ક્વાર્ટરના GDP ગ્રોથના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. જીડીપીની ગતિમાં વધારો જોવા મળ્યો હતો અને તેની સીધી અસર શુક્રવારે ભારતીય શેરબજારે પર જોવા મળી હતી. શુક્રવારે શેરબજારમાં તોફાની તેજી જોવા મળી હતી.  બોમ્બે સ્ટોક એક્ચેન્જનો સેન્સેક્સે 1000 પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ કર્યો હતો જ્યારે NSEના નિફ્ટીમાં પણ 300 પોઈન્ટનો ઉછાળો આવ્યો છે. 


નિફ્ટી અને સેન્સેક્સે નવો રેકોર્ડ રચ્યો !

ભારતીય શેરમાર્કેટમાં જે આજે તોફાની તેજી જોવા મળી હતી તેણે ઈતિહાસ રચ્યો છે. વિગતવાર વાત કરીએ તો NSE નિફ્ટીએ 22,312.65ના નવા રેકોર્ડ સર્જ્યો છે અને પહેલીવાર નિફ્ટી 22,300ને પાર પહોંચ્યો છે. આજે નિફ્ટીની શરૂઆત 22,048.30ના સ્તર પર થઈ હતી અને અંત 22,300 પર થયો. BSE સેન્સેક્સે પણ નવો રેકોર્ડ બનાવ્યો છે અને તે 73,590.58ના ઓલટાઇમ હાઈ લેવલ પર ચાલ્યો ગયો છે. તેની શરૂઆત આજે 72,606 પર થઈ હતી અને ઈન્ટ્રાડે સેન્સેક્સમાં બે કલાકના કારોબાર દરમિયાન તે 1000 ટકાથી વધુ ઉછાળો આવ્યો હતો. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.