શુક્રવારે શેર માર્કેટમાં નોંધાઈ તેજી, Sensexમાં આટલા પોઈન્ટનો અને Niftyમાં આટલા પોઈન્ટનો જોવા મળ્યો ઉછાળો


  • Published By :
  • Published Date : 2024-03-01 18:05:17

સામાન્ય રીતે જ્યારે કોઈ પણ સરકારી આંકડા જાહેર થતા હોય છે ત્યારે તેની સીધી અસર માર્કેટ પર જોવા મળતી હોય છે. જો સમાચાર સારા છે તો માર્કેટમાં નિવેશ કરવા વાળાને ફાયદો જ ફાયદો છે અને જો ખરાબ છે તો નિવેશકોની રાતોની ઉંઘ ઉડી જતી હોય છે. ત્યારે સરકાર દ્વારા ડિસેમ્બર ક્વાર્ટરના GDP ગ્રોથના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. જીડીપીની ગતિમાં વધારો જોવા મળ્યો હતો અને તેની સીધી અસર શુક્રવારે ભારતીય શેરબજારે પર જોવા મળી હતી. શુક્રવારે શેરબજારમાં તોફાની તેજી જોવા મળી હતી.  બોમ્બે સ્ટોક એક્ચેન્જનો સેન્સેક્સે 1000 પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ કર્યો હતો જ્યારે NSEના નિફ્ટીમાં પણ 300 પોઈન્ટનો ઉછાળો આવ્યો છે. 


નિફ્ટી અને સેન્સેક્સે નવો રેકોર્ડ રચ્યો !

ભારતીય શેરમાર્કેટમાં જે આજે તોફાની તેજી જોવા મળી હતી તેણે ઈતિહાસ રચ્યો છે. વિગતવાર વાત કરીએ તો NSE નિફ્ટીએ 22,312.65ના નવા રેકોર્ડ સર્જ્યો છે અને પહેલીવાર નિફ્ટી 22,300ને પાર પહોંચ્યો છે. આજે નિફ્ટીની શરૂઆત 22,048.30ના સ્તર પર થઈ હતી અને અંત 22,300 પર થયો. BSE સેન્સેક્સે પણ નવો રેકોર્ડ બનાવ્યો છે અને તે 73,590.58ના ઓલટાઇમ હાઈ લેવલ પર ચાલ્યો ગયો છે. તેની શરૂઆત આજે 72,606 પર થઈ હતી અને ઈન્ટ્રાડે સેન્સેક્સમાં બે કલાકના કારોબાર દરમિયાન તે 1000 ટકાથી વધુ ઉછાળો આવ્યો હતો. 



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.