શુક્રવારે શેર માર્કેટમાં નોંધાઈ તેજી, Sensexમાં આટલા પોઈન્ટનો અને Niftyમાં આટલા પોઈન્ટનો જોવા મળ્યો ઉછાળો


  • Published By :
  • Published Date : 2024-03-01 18:05:17

સામાન્ય રીતે જ્યારે કોઈ પણ સરકારી આંકડા જાહેર થતા હોય છે ત્યારે તેની સીધી અસર માર્કેટ પર જોવા મળતી હોય છે. જો સમાચાર સારા છે તો માર્કેટમાં નિવેશ કરવા વાળાને ફાયદો જ ફાયદો છે અને જો ખરાબ છે તો નિવેશકોની રાતોની ઉંઘ ઉડી જતી હોય છે. ત્યારે સરકાર દ્વારા ડિસેમ્બર ક્વાર્ટરના GDP ગ્રોથના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. જીડીપીની ગતિમાં વધારો જોવા મળ્યો હતો અને તેની સીધી અસર શુક્રવારે ભારતીય શેરબજારે પર જોવા મળી હતી. શુક્રવારે શેરબજારમાં તોફાની તેજી જોવા મળી હતી.  બોમ્બે સ્ટોક એક્ચેન્જનો સેન્સેક્સે 1000 પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ કર્યો હતો જ્યારે NSEના નિફ્ટીમાં પણ 300 પોઈન્ટનો ઉછાળો આવ્યો છે. 


નિફ્ટી અને સેન્સેક્સે નવો રેકોર્ડ રચ્યો !

ભારતીય શેરમાર્કેટમાં જે આજે તોફાની તેજી જોવા મળી હતી તેણે ઈતિહાસ રચ્યો છે. વિગતવાર વાત કરીએ તો NSE નિફ્ટીએ 22,312.65ના નવા રેકોર્ડ સર્જ્યો છે અને પહેલીવાર નિફ્ટી 22,300ને પાર પહોંચ્યો છે. આજે નિફ્ટીની શરૂઆત 22,048.30ના સ્તર પર થઈ હતી અને અંત 22,300 પર થયો. BSE સેન્સેક્સે પણ નવો રેકોર્ડ બનાવ્યો છે અને તે 73,590.58ના ઓલટાઇમ હાઈ લેવલ પર ચાલ્યો ગયો છે. તેની શરૂઆત આજે 72,606 પર થઈ હતી અને ઈન્ટ્રાડે સેન્સેક્સમાં બે કલાકના કારોબાર દરમિયાન તે 1000 ટકાથી વધુ ઉછાળો આવ્યો હતો. 



રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .