મહાશિવરાત્રી પર જાણો ભગવાન શંકરે કેમ સર્પ, ચંદ્ર અને ગંગાને કર્યા છે ધારણ, મહાદેવને કેમ કરાય છે ત્રિપુંડ


  • Published By :
  • Published Date : 2023-02-18 17:32:52

મહાશિવરાત્રીની ઉજવણી ધામધૂમથી થઈ રહી છે. મહાદેવને પ્રસન્ન કરવા ભક્તો વિશેષ ઉપાયો કરતા હોય છે. આપણને ખબર છે કે મહાદેવજી પાસે ત્રિશુળ છે, ડમરૂ છે , ચંદ્રને પોતાના શીશ પર ધારણ કરે છે તેમજ નંદી પર સવારી કરે છે માતા ગંગાને પોતાની જટામાં ધારણ કરે છે. પરંતુ શું તમને ખબર છે આ વસ્તુઓ મહાદેવજી સાથે કેવી રીતે જોડાયેલી છે અથવા તો આ વસ્તુઓ તેમને કેવી રીતે પ્રાપ્ત થઈ?

 HD trishul wallpapers | Peakpx

શા માટે ભગવાન શંકર હંમેશા ત્રિશુળને રાખે છે સાથે?

સૌથી પહેલા વાત કરીએ ત્રિશુળની. ભગવાન શંકરને સંહારક દેવ તરીકે ગણવામાં આવે છે. બ્રહ્માજી સૃષ્ટિની રચના કરે છે, ભગવાન વિષ્ણુ પાલનહાર છે જ્યારે સૃષ્ટિનો નાશ ભગવાન શંકર કરે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ રજ, તમ અને સત સાથે પ્રગટ થયા હતા જે ત્રિશુળના રૂપમાં ભગવાન શિવના અંશ બન્યા હતા. આ ત્રણેય ગુણો વિના બ્રહ્માંડનું કાર્ય શક્ય નથી તેથી ભગવાન શિવે તેમને હાથમાં ધારણ કર્યું છે.     

The Shiva Tribe - According to Puranas and Hindu scriptures, Vasuki is the  king of the Sarpas and the snake depicted around the neck of Lord Shiva.  Vasuki was born as the

કઠોર તપસ્યા બાદ વાસુકી બન્યા મહાદેવનું આભૂષણ 

ભગવાન શિવ પોતાના ગળામાં સર્પને ધારણ કરે છે. આભૂષણના રૂપમાં શંકર ભગવાને સર્પને ધારણ કર્યો છે જેને નાગરાજ વાસુકી કહેવામાં આવે છે, ભગવાનને પ્રસન્ન કરવા વાસુકીએ અનેક વર્ષો સુધી તપ કર્યું હતું જે બાદ ભગવાન શિવે પ્રસન્ન થઈ તેમને પોતાના ગળામાં ધારણ કર્યા હતા.

Chandra Sekhar Poudyal - Mahadev | Lord shiva painting, Angry lord shiva,  Photos of lord shiva

પ્રસન્ન થઈ શિવજીએ ચંદ્રને પોતાના મસ્તક પર કર્યા ધારણ 

શિવજી પોતાના મસ્તક પર ચંદ્રને ધારણ કરે છે. એવું માનવામાં આવે છે કે ચંદ્રએ પ્રજાપતિ દક્ષાની 27 કન્યાઓ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ રોહિણી પ્રત્યે ચંદ્રને વિશેષ પ્રેમ હતો. જેને લઈ પ્રજાપતિ દક્ષે ચંદ્રને ક્ષીણ થવાનો શ્રાપ આપ્યો હતો. શ્રાપથી બચવા માટે ચંદ્ર દેવે ભગવાન શિવની આરાધના કરી હતી. ચંદ્રની તપસ્યાથી ભગવાન શંકર પ્રસન્ન થયા અને તેમને પોતાના શિશ પર ધારણ કરી લીધા. એવું માનવામાં આવે છે પ્રજાપતિના શ્રાપને કારણે ચંદ્ર વધતો ઘટતો રહે છે. 

Mahadev Damru Photos | Shiva wallpaper, Lord shiva, Rudra shiva

ડમરૂના નાદથી સ્વર, તાલ, લય થયા ઉત્પન્ન 

જેમ દરેક દેવતા પાસે અલગ અલગ વાદ્ય છે, તેમ ડમરૂ ભગવાન શંકરનું વાદ્ય છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શંકર ડમરૂ સાથે પ્રગટ થયા હતા. પૌરાણીક કથા અનુસાર સરસ્વતીના દેખાવ સાથે બ્રહ્માંડમાં ધ્વનિનો સંચાર થયો હતો. ભગવાન શિવે નૃત્ય કરતી વખતે 14 વખત ડમરૂ વગાડ્યું હતું જે બાદ ધ્વનિ, તાલ અને નાદની ઉત્પત્તિ થઈ હતી.      

નંદી : એક ધ્યાની બળદ

ભોળાનાથના વાહન છે નંદી 

ભગવાન શંકર નંદીની સવારી કરે છે. પૌરાણીક કથા અનુસાર ભગવાન શિવે નંદીના રૂપમાં અવતાર લીધો હતો. એક અમર પુત્રની પ્રાપ્તિ થાય તે માટે ઋષિ શિલાદે કઠોર તપ કર્યું હતું. વરદાન સ્વરૂપે તેમને અમર પૂત્રની પ્રાપ્તિ થઈ જેને નંદી તરીકે ઓળખવામાં આવે છે. તે બાદ નંદીની કઠોર તપસ્યા કરી. ત્યારે પ્રસન્ન થઈને ભગવાન શિવે નંદીને પોતાનું વાહન બનાવ્યા. 

જાણો શિવજીને કેમ ત્રિપુંડ તિલક લગાવવામાં આવે છે,અને જો કોઈ વ્યક્તિ આ તિલક  લગાવે છે તો એને થાય છે આટલા બધા ફાયદા.... - જાણવા જેવું

શા માટે શંકર ભગવાનને કરવામાં આવે છે ત્રિપુંડ?     

શિવજીને ભસ્મ અર્પણ કરવામાં આવે છે. ભસ્મ આ સૃષ્ટિનો સાર છે. જીવન જ્યારે પૂર્ણ થાય છે ત્યારે રાખ જ વધે છે. આ રાખ શિવજી ધારણ કરે છે. આ રાખમાંથી ભગવાન શંકર ત્રિપુંડ કરે છે. એવું માનવામાં આવે છે કે આ ત્રિપુંડ ત્રણેય વિશ્વનું પ્રતીક છે. તેને રજ, તમ અને સત્વ ગુણનું પ્રતિક માનવામાં આવે છે. 

Here is Why Lord Shiva is known as Gangadhar

ગંગાને પોતાની ઘટામાં કરી હતી ધારણ 

શિવજીને ગંગાધર પણ કહેવામાં આવે છે. શિવજીએ પોતાની જટામાં ગંગાને ધારણ કરી છે. આની પાછળ પૌરાણીક કથાએ છે કે રાજાભગીરથ પોતાના પૂર્વજોની મુક્તિ માટે ગંગા નદીને ધરતી પર લાવવા ઈચ્છતા હતા અને તેમણે તપ કર્યું હતું. જો ગંગાજી સીધા ધરતી પર આવે તો તેઓ પાતાળમાં જતા રહે. ત્યારે ગંગાજીને ધારણ કરવાની સમક્ષતા માત્ર શિવજી પાસે હતી. જેને લઈ શિવજીએ પહેલા ગંગાજીને પોતાની જટામાં ધારણ કરી. અને તે બાદ ગંગાજીનું ધરતી પર આગમન થયું. ગંગાજીને પોતાના મસ્તક પર ધારણ કર્યા જેને કારણે તેઓ ગંગાધર કહેવાયા. 


*અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતા પર આધારીત છે.*  




સુપ્રીમ કોર્ટમાં આજે અરવલ્લી પર્વતમાળાને લઇને સુનાવણી હાથ ધરાઈ છે . જેમાં , સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાની પરિભાષાને લઇને આજે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આજે સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચ જેમાં , CJI સૂર્યકાન્ત , જસ્ટિસ જે કે મહેશ્વરી અને જસ્ટિસ એજી મસીહ છે તેમના દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે , સુઓમોટો સંજ્ઞાન લીધું હતું.

લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થઇ ગયું છે. બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવવામાં આવ્યો છે. ધ્રુવરાજસિંહ ચૌહાણ પર ૧૨મી ઓગસ્ટના રોજ હુમલો થયો હતો. ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા બંને વચ્ચે તકરાર થઈ હતી. હવે સોશ્યિલ મીડિયા પર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણની આ તસ્વીર ખુબ જ વાઇરલ થઇ રહી છે.

Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા અને શહેરમાં બાકી રહેલી નિયુક્તિઓને લઇને કવાયત તેજ કરવામાં આવી છે. છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લા અને શહેર પ્રમુખની નિયુક્તિઓ માટે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ માટે પ્રદેશપ્રમુખ જગદીશ પંચાલ અને સંગઠનમંત્રી રત્નાકર પાંડે તબક્કાવાર બેઠકો કરી રહ્યા છે જે અંતર્ગત વિવિધ જિલ્લાઓના હોદ્દેદારો સાથે બેઠક યોજવામાં આવી છે.