મહાશિવરાત્રી પર જાણો ભગવાન શંકરે કેમ સર્પ, ચંદ્ર અને ગંગાને કર્યા છે ધારણ, મહાદેવને કેમ કરાય છે ત્રિપુંડ


  • Published By :
  • Published Date : 2023-02-18 17:32:52

મહાશિવરાત્રીની ઉજવણી ધામધૂમથી થઈ રહી છે. મહાદેવને પ્રસન્ન કરવા ભક્તો વિશેષ ઉપાયો કરતા હોય છે. આપણને ખબર છે કે મહાદેવજી પાસે ત્રિશુળ છે, ડમરૂ છે , ચંદ્રને પોતાના શીશ પર ધારણ કરે છે તેમજ નંદી પર સવારી કરે છે માતા ગંગાને પોતાની જટામાં ધારણ કરે છે. પરંતુ શું તમને ખબર છે આ વસ્તુઓ મહાદેવજી સાથે કેવી રીતે જોડાયેલી છે અથવા તો આ વસ્તુઓ તેમને કેવી રીતે પ્રાપ્ત થઈ?

 HD trishul wallpapers | Peakpx

શા માટે ભગવાન શંકર હંમેશા ત્રિશુળને રાખે છે સાથે?

સૌથી પહેલા વાત કરીએ ત્રિશુળની. ભગવાન શંકરને સંહારક દેવ તરીકે ગણવામાં આવે છે. બ્રહ્માજી સૃષ્ટિની રચના કરે છે, ભગવાન વિષ્ણુ પાલનહાર છે જ્યારે સૃષ્ટિનો નાશ ભગવાન શંકર કરે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ રજ, તમ અને સત સાથે પ્રગટ થયા હતા જે ત્રિશુળના રૂપમાં ભગવાન શિવના અંશ બન્યા હતા. આ ત્રણેય ગુણો વિના બ્રહ્માંડનું કાર્ય શક્ય નથી તેથી ભગવાન શિવે તેમને હાથમાં ધારણ કર્યું છે.     

The Shiva Tribe - According to Puranas and Hindu scriptures, Vasuki is the  king of the Sarpas and the snake depicted around the neck of Lord Shiva.  Vasuki was born as the

કઠોર તપસ્યા બાદ વાસુકી બન્યા મહાદેવનું આભૂષણ 

ભગવાન શિવ પોતાના ગળામાં સર્પને ધારણ કરે છે. આભૂષણના રૂપમાં શંકર ભગવાને સર્પને ધારણ કર્યો છે જેને નાગરાજ વાસુકી કહેવામાં આવે છે, ભગવાનને પ્રસન્ન કરવા વાસુકીએ અનેક વર્ષો સુધી તપ કર્યું હતું જે બાદ ભગવાન શિવે પ્રસન્ન થઈ તેમને પોતાના ગળામાં ધારણ કર્યા હતા.

Chandra Sekhar Poudyal - Mahadev | Lord shiva painting, Angry lord shiva,  Photos of lord shiva

પ્રસન્ન થઈ શિવજીએ ચંદ્રને પોતાના મસ્તક પર કર્યા ધારણ 

શિવજી પોતાના મસ્તક પર ચંદ્રને ધારણ કરે છે. એવું માનવામાં આવે છે કે ચંદ્રએ પ્રજાપતિ દક્ષાની 27 કન્યાઓ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ રોહિણી પ્રત્યે ચંદ્રને વિશેષ પ્રેમ હતો. જેને લઈ પ્રજાપતિ દક્ષે ચંદ્રને ક્ષીણ થવાનો શ્રાપ આપ્યો હતો. શ્રાપથી બચવા માટે ચંદ્ર દેવે ભગવાન શિવની આરાધના કરી હતી. ચંદ્રની તપસ્યાથી ભગવાન શંકર પ્રસન્ન થયા અને તેમને પોતાના શિશ પર ધારણ કરી લીધા. એવું માનવામાં આવે છે પ્રજાપતિના શ્રાપને કારણે ચંદ્ર વધતો ઘટતો રહે છે. 

Mahadev Damru Photos | Shiva wallpaper, Lord shiva, Rudra shiva

ડમરૂના નાદથી સ્વર, તાલ, લય થયા ઉત્પન્ન 

જેમ દરેક દેવતા પાસે અલગ અલગ વાદ્ય છે, તેમ ડમરૂ ભગવાન શંકરનું વાદ્ય છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શંકર ડમરૂ સાથે પ્રગટ થયા હતા. પૌરાણીક કથા અનુસાર સરસ્વતીના દેખાવ સાથે બ્રહ્માંડમાં ધ્વનિનો સંચાર થયો હતો. ભગવાન શિવે નૃત્ય કરતી વખતે 14 વખત ડમરૂ વગાડ્યું હતું જે બાદ ધ્વનિ, તાલ અને નાદની ઉત્પત્તિ થઈ હતી.      

નંદી : એક ધ્યાની બળદ

ભોળાનાથના વાહન છે નંદી 

ભગવાન શંકર નંદીની સવારી કરે છે. પૌરાણીક કથા અનુસાર ભગવાન શિવે નંદીના રૂપમાં અવતાર લીધો હતો. એક અમર પુત્રની પ્રાપ્તિ થાય તે માટે ઋષિ શિલાદે કઠોર તપ કર્યું હતું. વરદાન સ્વરૂપે તેમને અમર પૂત્રની પ્રાપ્તિ થઈ જેને નંદી તરીકે ઓળખવામાં આવે છે. તે બાદ નંદીની કઠોર તપસ્યા કરી. ત્યારે પ્રસન્ન થઈને ભગવાન શિવે નંદીને પોતાનું વાહન બનાવ્યા. 

જાણો શિવજીને કેમ ત્રિપુંડ તિલક લગાવવામાં આવે છે,અને જો કોઈ વ્યક્તિ આ તિલક  લગાવે છે તો એને થાય છે આટલા બધા ફાયદા.... - જાણવા જેવું

શા માટે શંકર ભગવાનને કરવામાં આવે છે ત્રિપુંડ?     

શિવજીને ભસ્મ અર્પણ કરવામાં આવે છે. ભસ્મ આ સૃષ્ટિનો સાર છે. જીવન જ્યારે પૂર્ણ થાય છે ત્યારે રાખ જ વધે છે. આ રાખ શિવજી ધારણ કરે છે. આ રાખમાંથી ભગવાન શંકર ત્રિપુંડ કરે છે. એવું માનવામાં આવે છે કે આ ત્રિપુંડ ત્રણેય વિશ્વનું પ્રતીક છે. તેને રજ, તમ અને સત્વ ગુણનું પ્રતિક માનવામાં આવે છે. 

Here is Why Lord Shiva is known as Gangadhar

ગંગાને પોતાની ઘટામાં કરી હતી ધારણ 

શિવજીને ગંગાધર પણ કહેવામાં આવે છે. શિવજીએ પોતાની જટામાં ગંગાને ધારણ કરી છે. આની પાછળ પૌરાણીક કથાએ છે કે રાજાભગીરથ પોતાના પૂર્વજોની મુક્તિ માટે ગંગા નદીને ધરતી પર લાવવા ઈચ્છતા હતા અને તેમણે તપ કર્યું હતું. જો ગંગાજી સીધા ધરતી પર આવે તો તેઓ પાતાળમાં જતા રહે. ત્યારે ગંગાજીને ધારણ કરવાની સમક્ષતા માત્ર શિવજી પાસે હતી. જેને લઈ શિવજીએ પહેલા ગંગાજીને પોતાની જટામાં ધારણ કરી. અને તે બાદ ગંગાજીનું ધરતી પર આગમન થયું. ગંગાજીને પોતાના મસ્તક પર ધારણ કર્યા જેને કારણે તેઓ ગંગાધર કહેવાયા. 


*અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતા પર આધારીત છે.*  




ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?