11 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન જશે મહાકાળના દર્શને


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-27 17:42:13

11 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉજ્જેન જવાના છે. પોતાના પ્રવાસ દરમિયાન પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ બાબા મહાકાલના નવનિર્મિત કોરિડોરનું લોકાર્પણ કરવાના છે. લોકાર્પણ થયા બાદ કોરિડોર લોકો માટે ખોલી દેવામાં આવશે. વડાપ્રધાનની મુલાકાતને લઈ અત્યારથી જ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આ અંગેની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

Ujjain: Massive preparations for Gala event on October 11; PM to pay  obeisance to Baba Mahakal before dedicating Mahakal Corridor


કેબિનેટ પહેલા કરી સીએમએ જાહેરાત 

મંગળવારના રોજ કેબિનેટ બેઠક મળી હતી. જેમાં આ કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરવામાં આવે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ કહ્યું  કે મહાકાલ કોરિડોર હવેથી શ્રી મહાકાળ લોકના નામથી ઓળખવામાં આવશે.

 

2 તબક્કામાં કરાશે કામગીરી

Exclusive: काशी विश्वनाथ कॉरिडोर से भी भव्य बन रहा है उज्जैन का महाकाल  कॉरिडोर

 

મધ્યપ્રદેશના મુખ્યનંત્રીએ કહ્યું કે પ્રારંભિક તબક્કામાં અમે નાગરિકો સાથે ચર્ચા કરી, મંદિર સમિતિના સભ્યો સાથે ચર્ચા કરી તેમની સૂચનાઓના આધારે અમે યોજના બનાવી. અમે 2018માં ચૂંટણી પૂર્વે ટેન્ડરો મંગાવ્યા હતા. સરકાર બદલાવવાને કારણે કામ રોકાઈ ગયું હતું પરંતુ અમારી સરકાર બની અને તરત જ અમે એની સમીક્ષા કરી 2 તબક્કામાં કામ કરવાનો નિર્ણય કર્યો છે. પહેલા તબક્કામાં 351 કરોડ છે અને બીજા તબક્કા માટે સરકારે 310 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.

 




ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .