11 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન જશે મહાકાળના દર્શને


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-27 17:42:13

11 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉજ્જેન જવાના છે. પોતાના પ્રવાસ દરમિયાન પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ બાબા મહાકાલના નવનિર્મિત કોરિડોરનું લોકાર્પણ કરવાના છે. લોકાર્પણ થયા બાદ કોરિડોર લોકો માટે ખોલી દેવામાં આવશે. વડાપ્રધાનની મુલાકાતને લઈ અત્યારથી જ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આ અંગેની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

Ujjain: Massive preparations for Gala event on October 11; PM to pay  obeisance to Baba Mahakal before dedicating Mahakal Corridor


કેબિનેટ પહેલા કરી સીએમએ જાહેરાત 

મંગળવારના રોજ કેબિનેટ બેઠક મળી હતી. જેમાં આ કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરવામાં આવે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ કહ્યું  કે મહાકાલ કોરિડોર હવેથી શ્રી મહાકાળ લોકના નામથી ઓળખવામાં આવશે.

 

2 તબક્કામાં કરાશે કામગીરી

Exclusive: काशी विश्वनाथ कॉरिडोर से भी भव्य बन रहा है उज्जैन का महाकाल  कॉरिडोर

 

મધ્યપ્રદેશના મુખ્યનંત્રીએ કહ્યું કે પ્રારંભિક તબક્કામાં અમે નાગરિકો સાથે ચર્ચા કરી, મંદિર સમિતિના સભ્યો સાથે ચર્ચા કરી તેમની સૂચનાઓના આધારે અમે યોજના બનાવી. અમે 2018માં ચૂંટણી પૂર્વે ટેન્ડરો મંગાવ્યા હતા. સરકાર બદલાવવાને કારણે કામ રોકાઈ ગયું હતું પરંતુ અમારી સરકાર બની અને તરત જ અમે એની સમીક્ષા કરી 2 તબક્કામાં કામ કરવાનો નિર્ણય કર્યો છે. પહેલા તબક્કામાં 351 કરોડ છે અને બીજા તબક્કા માટે સરકારે 310 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.

 




ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.