17 ઓક્ટોબરના રોજ અધ્યક્ષ પદ માટે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ વચ્ચે જામશે ખરાખરીનો જંગ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 09:02:05

સોમવારે કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને લઈ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. ત્યારે તેમની યાત્રામાં કોઈ વિધ્ન ન આવે તે માટે કર્ણાટકના બેલ્લારીમાં મતદાન માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. તેઓ કર્ણાટક ખાતેથી મતદાનમાં ભાગ લેવાના છે. સોનિયા ગાંધી દિલ્હીમાં આવેલ પાર્ટી મુખ્યાલયથી મતદાન કરવાના છે.

चुनी हुई सरकार पर राज्यपाल का हस्तक्षेप क्यों? राहुल गांधी ने 'भारत जोड़ो  यात्रा' के बीच उठाए सवाल - Rahul Gandhi spoke at length about interference  by Governors in ...

રાહુલ ગાંધી મતદાન કરી શકે તે માટે કરાઈ બૂથની વ્યવસ્થા

લોકસભા ચૂંટણી પહેલા વિખરાઈ ગયેલી કોંગ્રેસને એકઠી કરવા કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. અનેક રાજ્યોમાંથી આ યાત્રા પસાર થઈ રહી છે. તેમની યાત્રા દરમિયાન તેઓ રાષ્ટ્ર્રીય અધ્યક્ષ બનશે કે નહીં તે પ્રશ્ન અનેક વખત પૂછવામાં આવ્યો છે. ત્યારે તેઓ જવાબમાં હંમેશા ના પાડતા આવ્યા છે. એ વાત સત્ય થઈ રહી છે. કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ પદની ચૂંટણી સોમવારે યોજાવાની છે. શશિ થરૂર, મલ્લિકાર્જૂન ખડગે સહીતના નેતાઓ વચ્ચે  ચૂંટણી યોજાવાની છે. તેઓ ભારત જોડો યાત્રા દરમિયાન મતદાન કરી શકે તે માટે બૂથ બનાવામાં આવ્યો છે.  

How Long Will it Take for the Congress Party to Revive Itself? | NewsClick

19 ઓક્ટોબરના રોજ હાથ ધરાશે મતગણતરી

ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી સાથે અનેક કોંગ્રેસના નેતાઓ જોડાયેલા છે. ત્યારે તમામ લોકો મતદાન કરી શકે તે માટે એક કેમ્પ બૂથ બનાવવામાં આવ્યા છે. મતદાન સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી થશે. તમામ બેલેટ બોક્સને દિલ્હી લાવવામાં આવશે અને 19 ઓક્ટોબરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે અને તે બાદ પરિણામ જાહેર કરવામાં આવશે.       




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.