17 ઓક્ટોબરના રોજ અધ્યક્ષ પદ માટે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ વચ્ચે જામશે ખરાખરીનો જંગ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 09:02:05

સોમવારે કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને લઈ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. ત્યારે તેમની યાત્રામાં કોઈ વિધ્ન ન આવે તે માટે કર્ણાટકના બેલ્લારીમાં મતદાન માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. તેઓ કર્ણાટક ખાતેથી મતદાનમાં ભાગ લેવાના છે. સોનિયા ગાંધી દિલ્હીમાં આવેલ પાર્ટી મુખ્યાલયથી મતદાન કરવાના છે.

चुनी हुई सरकार पर राज्यपाल का हस्तक्षेप क्यों? राहुल गांधी ने 'भारत जोड़ो  यात्रा' के बीच उठाए सवाल - Rahul Gandhi spoke at length about interference  by Governors in ...

રાહુલ ગાંધી મતદાન કરી શકે તે માટે કરાઈ બૂથની વ્યવસ્થા

લોકસભા ચૂંટણી પહેલા વિખરાઈ ગયેલી કોંગ્રેસને એકઠી કરવા કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. અનેક રાજ્યોમાંથી આ યાત્રા પસાર થઈ રહી છે. તેમની યાત્રા દરમિયાન તેઓ રાષ્ટ્ર્રીય અધ્યક્ષ બનશે કે નહીં તે પ્રશ્ન અનેક વખત પૂછવામાં આવ્યો છે. ત્યારે તેઓ જવાબમાં હંમેશા ના પાડતા આવ્યા છે. એ વાત સત્ય થઈ રહી છે. કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ પદની ચૂંટણી સોમવારે યોજાવાની છે. શશિ થરૂર, મલ્લિકાર્જૂન ખડગે સહીતના નેતાઓ વચ્ચે  ચૂંટણી યોજાવાની છે. તેઓ ભારત જોડો યાત્રા દરમિયાન મતદાન કરી શકે તે માટે બૂથ બનાવામાં આવ્યો છે.  

How Long Will it Take for the Congress Party to Revive Itself? | NewsClick

19 ઓક્ટોબરના રોજ હાથ ધરાશે મતગણતરી

ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી સાથે અનેક કોંગ્રેસના નેતાઓ જોડાયેલા છે. ત્યારે તમામ લોકો મતદાન કરી શકે તે માટે એક કેમ્પ બૂથ બનાવવામાં આવ્યા છે. મતદાન સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી થશે. તમામ બેલેટ બોક્સને દિલ્હી લાવવામાં આવશે અને 19 ઓક્ટોબરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે અને તે બાદ પરિણામ જાહેર કરવામાં આવશે.       




ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.