17 ઓક્ટોબરના રોજ અધ્યક્ષ પદ માટે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ વચ્ચે જામશે ખરાખરીનો જંગ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 09:02:05

સોમવારે કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને લઈ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. ત્યારે તેમની યાત્રામાં કોઈ વિધ્ન ન આવે તે માટે કર્ણાટકના બેલ્લારીમાં મતદાન માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. તેઓ કર્ણાટક ખાતેથી મતદાનમાં ભાગ લેવાના છે. સોનિયા ગાંધી દિલ્હીમાં આવેલ પાર્ટી મુખ્યાલયથી મતદાન કરવાના છે.

चुनी हुई सरकार पर राज्यपाल का हस्तक्षेप क्यों? राहुल गांधी ने 'भारत जोड़ो  यात्रा' के बीच उठाए सवाल - Rahul Gandhi spoke at length about interference  by Governors in ...

રાહુલ ગાંધી મતદાન કરી શકે તે માટે કરાઈ બૂથની વ્યવસ્થા

લોકસભા ચૂંટણી પહેલા વિખરાઈ ગયેલી કોંગ્રેસને એકઠી કરવા કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. અનેક રાજ્યોમાંથી આ યાત્રા પસાર થઈ રહી છે. તેમની યાત્રા દરમિયાન તેઓ રાષ્ટ્ર્રીય અધ્યક્ષ બનશે કે નહીં તે પ્રશ્ન અનેક વખત પૂછવામાં આવ્યો છે. ત્યારે તેઓ જવાબમાં હંમેશા ના પાડતા આવ્યા છે. એ વાત સત્ય થઈ રહી છે. કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ પદની ચૂંટણી સોમવારે યોજાવાની છે. શશિ થરૂર, મલ્લિકાર્જૂન ખડગે સહીતના નેતાઓ વચ્ચે  ચૂંટણી યોજાવાની છે. તેઓ ભારત જોડો યાત્રા દરમિયાન મતદાન કરી શકે તે માટે બૂથ બનાવામાં આવ્યો છે.  

How Long Will it Take for the Congress Party to Revive Itself? | NewsClick

19 ઓક્ટોબરના રોજ હાથ ધરાશે મતગણતરી

ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી સાથે અનેક કોંગ્રેસના નેતાઓ જોડાયેલા છે. ત્યારે તમામ લોકો મતદાન કરી શકે તે માટે એક કેમ્પ બૂથ બનાવવામાં આવ્યા છે. મતદાન સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી થશે. તમામ બેલેટ બોક્સને દિલ્હી લાવવામાં આવશે અને 19 ઓક્ટોબરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે અને તે બાદ પરિણામ જાહેર કરવામાં આવશે.       




પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.