એક તરફ સીઆઈડીની તપાસ તો બીજી તરફ ભૂપેન્દ્રસિંહ ઝાલા અંડરગ્રાઉન્ડ, ધવલસિંહ ઝાલાનો વીડિયો થયો વાયરલ


  • Published By :
  • Published Date : 2024-11-29 11:02:42

છેલ્લા ઘણા દિવસોથી BZ ગ્રુપ ચર્ચામાં છે... અરવલ્લી તેમજ સાંબરકાંઠામાં મોટા પ્રમાણમાં ચાલતા પોન્ઝી સ્કીમનો CID ક્રાઈમે ખુલ્લો પાડ્યો છે....  CIDએ BZ ગ્રુપ પર તવાઈ બોલાવી છે.... અલગ અલગ ઓફિસોમાં રેડ પાડવામાં આવી છે... 6 હજાર કરોડ રૂપિયાનું ફૂલેકુ ભૂપેન્દ્રસિંહ ઝાલા આ સામે આવ્યા બાદ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.... સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અનેક ઓફિસોમાં રેડ પાડવામાં આવી અને તપાસ કરવામાં આવી.. આ મામલે ગઈકાલે સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી... આરોપ એ છે કે કંપની પોન્ઝી સ્કીમ ચલાવતી હતી... અનેક લોકોએ આ કંપનીમાં પૈસા લગાડ્યા છે જેમના પૈસા દાવ પર લાગ્યા છે... 

ભૂપેન્દ્રસિંહ ઝાલાનું સોશિયલ મીડિયા અકાઉન્ટ જ્યારે ચેક કર્યું

આપણે ત્યાં કહેવાય છે કે લાલચ બૂરી બલા છે... એક વખત જો લાલચમાં ફસાઈ ગયા તો તે એવું વિષચક્ર છે જેમાંથી બહાર આવવું અશક્ય છે....  BZ કંપનીમાં પણ અનેક લોકોએ લાખો રુપિયા લગાવ્યા હતા જે હવે પાછા મળશે કે કેમ તેની કોઈ ગેરંટી નથી.. BZ ગ્રુપના સીઈઓ  ભૂપેન્દ્રસિંહ ઝાલા સોશિયલ મીડિયા પર એક્ટિવ છે...જ્યારે તેમની સોશિયલ મીડિયા પ્રોફાઈલ ચેક કરી ત્યારે એવા અનેક એવા વીડિયો સામે આવ્યા જેમાં તેની રહેણી કરણીની જાણ થઈ જાય... મોંઘીઘાટ ગાડીઓમાં ફરવાનું, ઉંચા શોખ રાખવાના... આ આખું પ્રકરણ સામે આવ્યું ત્યારથી તે ભૂગર્ભમાં છે... 

ધારાસભ્યનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 

આ બધા વચ્ચે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે કહી રહ્યા છે કે ભૂપેન્દ્ર ઝાલાને એક કા ડબલ કરતા આવડે છે... સવાલ થાય કે શું ધવલસિંહ ઝાલાને આ મામલે ખબર હતી? જ્યારે જમાવટની ટીમે ધવલસિંહનો સંપર્ક કર્યો ત્યારે તેમણે કહ્યું કે તેમને નથી ખબર...જે વીડિયો બતાવામાં આવી રહ્યો છે તેને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો છે... સંસ્થાના ગ્રોથની વાત કરી હતી તેવી તેમની પ્રતિક્રિયા સામે આવી છે...  મહત્વનુ છે કે જે લોકોના પૈસા દાવ પર લાગ્યા છે તેમાંથી અનેક તો શિક્ષકો છે... અનેક શિક્ષકો આ સ્કીમમાં ફસાયા હોવાની માહિતી સામે આવી છે... ત્યારે આ મામલે આગળ શું તપાસ થાય છે તેની પર નજર રહેલી છે... 



ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?