એક તરફ સીઆઈડીની તપાસ તો બીજી તરફ ભૂપેન્દ્રસિંહ ઝાલા અંડરગ્રાઉન્ડ, ધવલસિંહ ઝાલાનો વીડિયો થયો વાયરલ


  • Published By :
  • Published Date : 2024-11-29 11:02:42

છેલ્લા ઘણા દિવસોથી BZ ગ્રુપ ચર્ચામાં છે... અરવલ્લી તેમજ સાંબરકાંઠામાં મોટા પ્રમાણમાં ચાલતા પોન્ઝી સ્કીમનો CID ક્રાઈમે ખુલ્લો પાડ્યો છે....  CIDએ BZ ગ્રુપ પર તવાઈ બોલાવી છે.... અલગ અલગ ઓફિસોમાં રેડ પાડવામાં આવી છે... 6 હજાર કરોડ રૂપિયાનું ફૂલેકુ ભૂપેન્દ્રસિંહ ઝાલા આ સામે આવ્યા બાદ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.... સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અનેક ઓફિસોમાં રેડ પાડવામાં આવી અને તપાસ કરવામાં આવી.. આ મામલે ગઈકાલે સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી... આરોપ એ છે કે કંપની પોન્ઝી સ્કીમ ચલાવતી હતી... અનેક લોકોએ આ કંપનીમાં પૈસા લગાડ્યા છે જેમના પૈસા દાવ પર લાગ્યા છે... 

ભૂપેન્દ્રસિંહ ઝાલાનું સોશિયલ મીડિયા અકાઉન્ટ જ્યારે ચેક કર્યું

આપણે ત્યાં કહેવાય છે કે લાલચ બૂરી બલા છે... એક વખત જો લાલચમાં ફસાઈ ગયા તો તે એવું વિષચક્ર છે જેમાંથી બહાર આવવું અશક્ય છે....  BZ કંપનીમાં પણ અનેક લોકોએ લાખો રુપિયા લગાવ્યા હતા જે હવે પાછા મળશે કે કેમ તેની કોઈ ગેરંટી નથી.. BZ ગ્રુપના સીઈઓ  ભૂપેન્દ્રસિંહ ઝાલા સોશિયલ મીડિયા પર એક્ટિવ છે...જ્યારે તેમની સોશિયલ મીડિયા પ્રોફાઈલ ચેક કરી ત્યારે એવા અનેક એવા વીડિયો સામે આવ્યા જેમાં તેની રહેણી કરણીની જાણ થઈ જાય... મોંઘીઘાટ ગાડીઓમાં ફરવાનું, ઉંચા શોખ રાખવાના... આ આખું પ્રકરણ સામે આવ્યું ત્યારથી તે ભૂગર્ભમાં છે... 

ધારાસભ્યનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 

આ બધા વચ્ચે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે કહી રહ્યા છે કે ભૂપેન્દ્ર ઝાલાને એક કા ડબલ કરતા આવડે છે... સવાલ થાય કે શું ધવલસિંહ ઝાલાને આ મામલે ખબર હતી? જ્યારે જમાવટની ટીમે ધવલસિંહનો સંપર્ક કર્યો ત્યારે તેમણે કહ્યું કે તેમને નથી ખબર...જે વીડિયો બતાવામાં આવી રહ્યો છે તેને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો છે... સંસ્થાના ગ્રોથની વાત કરી હતી તેવી તેમની પ્રતિક્રિયા સામે આવી છે...  મહત્વનુ છે કે જે લોકોના પૈસા દાવ પર લાગ્યા છે તેમાંથી અનેક તો શિક્ષકો છે... અનેક શિક્ષકો આ સ્કીમમાં ફસાયા હોવાની માહિતી સામે આવી છે... ત્યારે આ મામલે આગળ શું તપાસ થાય છે તેની પર નજર રહેલી છે... 



ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.

"આપણે સમાજને ના તોડીએ. સમાજને તોડનારી વ્યક્તિઓને વ્યક્તિઓને સમજીએ." આ શબ્દો છે ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠાના શહેરના પાલનપુરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર ટીપ્પણી કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.