એક તરફ સીઆઈડીની તપાસ તો બીજી તરફ ભૂપેન્દ્રસિંહ ઝાલા અંડરગ્રાઉન્ડ, ધવલસિંહ ઝાલાનો વીડિયો થયો વાયરલ


  • Published By :
  • Published Date : 2024-11-29 11:02:42

છેલ્લા ઘણા દિવસોથી BZ ગ્રુપ ચર્ચામાં છે... અરવલ્લી તેમજ સાંબરકાંઠામાં મોટા પ્રમાણમાં ચાલતા પોન્ઝી સ્કીમનો CID ક્રાઈમે ખુલ્લો પાડ્યો છે....  CIDએ BZ ગ્રુપ પર તવાઈ બોલાવી છે.... અલગ અલગ ઓફિસોમાં રેડ પાડવામાં આવી છે... 6 હજાર કરોડ રૂપિયાનું ફૂલેકુ ભૂપેન્દ્રસિંહ ઝાલા આ સામે આવ્યા બાદ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.... સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અનેક ઓફિસોમાં રેડ પાડવામાં આવી અને તપાસ કરવામાં આવી.. આ મામલે ગઈકાલે સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી... આરોપ એ છે કે કંપની પોન્ઝી સ્કીમ ચલાવતી હતી... અનેક લોકોએ આ કંપનીમાં પૈસા લગાડ્યા છે જેમના પૈસા દાવ પર લાગ્યા છે... 

ભૂપેન્દ્રસિંહ ઝાલાનું સોશિયલ મીડિયા અકાઉન્ટ જ્યારે ચેક કર્યું

આપણે ત્યાં કહેવાય છે કે લાલચ બૂરી બલા છે... એક વખત જો લાલચમાં ફસાઈ ગયા તો તે એવું વિષચક્ર છે જેમાંથી બહાર આવવું અશક્ય છે....  BZ કંપનીમાં પણ અનેક લોકોએ લાખો રુપિયા લગાવ્યા હતા જે હવે પાછા મળશે કે કેમ તેની કોઈ ગેરંટી નથી.. BZ ગ્રુપના સીઈઓ  ભૂપેન્દ્રસિંહ ઝાલા સોશિયલ મીડિયા પર એક્ટિવ છે...જ્યારે તેમની સોશિયલ મીડિયા પ્રોફાઈલ ચેક કરી ત્યારે એવા અનેક એવા વીડિયો સામે આવ્યા જેમાં તેની રહેણી કરણીની જાણ થઈ જાય... મોંઘીઘાટ ગાડીઓમાં ફરવાનું, ઉંચા શોખ રાખવાના... આ આખું પ્રકરણ સામે આવ્યું ત્યારથી તે ભૂગર્ભમાં છે... 

ધારાસભ્યનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 

આ બધા વચ્ચે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે કહી રહ્યા છે કે ભૂપેન્દ્ર ઝાલાને એક કા ડબલ કરતા આવડે છે... સવાલ થાય કે શું ધવલસિંહ ઝાલાને આ મામલે ખબર હતી? જ્યારે જમાવટની ટીમે ધવલસિંહનો સંપર્ક કર્યો ત્યારે તેમણે કહ્યું કે તેમને નથી ખબર...જે વીડિયો બતાવામાં આવી રહ્યો છે તેને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો છે... સંસ્થાના ગ્રોથની વાત કરી હતી તેવી તેમની પ્રતિક્રિયા સામે આવી છે...  મહત્વનુ છે કે જે લોકોના પૈસા દાવ પર લાગ્યા છે તેમાંથી અનેક તો શિક્ષકો છે... અનેક શિક્ષકો આ સ્કીમમાં ફસાયા હોવાની માહિતી સામે આવી છે... ત્યારે આ મામલે આગળ શું તપાસ થાય છે તેની પર નજર રહેલી છે... 



રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આજે પરિણામ આવી ગયા છે. રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ ૧૦,૦૦૫ બેઠક પર 26,196 ઉમેદવારના ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. 26 એપ્રિલે આ બેઠકો પર સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. જેમાં મહાનગરપાલિકાઓ , નગરપાલિકાઓ , જિલ્લા પંચાયત , તાલુકા પંચાયતોમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.