Rajkot TRP Game Zoneમાં એક તરફ લોકો મરી રહ્યા હતા તો બીજી તરફ પોલીસના કર્મચારીઓએ બતાવ્યું કે ગુજરાતની સિસ્ટમમાં શું ચાલે છે?


  • Published By :
  • Published Date : 2024-05-26 16:29:19

ગઈકાલથી ગુજરાતના લોકોની આંખો ફાટી નીકળી છે. અને હૃદયના ધબકારા ધીમા પડી ગયા છે...  કાલાવડ રોડ પર આવેલા TRP Game Zone માં લાગેલી વિનાશકારી આગે અનેક લોકોને નિરાધાર કરી મૂક્યા છે. ત્યારે એક વીડિયો સામે આવ્યો છે જોઈને આપણને પણ શરમ આવે અને સવાલ થાય કે કોઈ આટલી હદ સુધી કેવી રીતે નીચે પડી શકે? એક વીડિયો પોલીસનો સામે આવ્યો છે જેમાં સાહેબ માટે પોસીસ વાળા ખુરશી લાવી રહ્યા છે..!  

સાહેબ માટે ખુરશી લાવતા દેખાયા પોલીસ અધિકારી

રાજકોટમાં બનેલી ઘટનામાં અત્યાર સુધી 27થી વધુ લોકોના મોત થયા હોવાનો આંકડો સામે આવ્યો છે. તો બીજી તરફ Civil Hospitalમાં પરિવારજનો આક્રંદ સાથે સ્વજનોને શોધી રહ્યા છે...આટલી મોટી દૂર્ઘટના અને કમનસીબી શું કે આપણે કશુ જ કરી નથી શકતા પણ હા પોલીસ કર્મચારીઓ શું કરી રહ્યાં છે.... તો સિસ્ટમનો સડો આપણી સામે રજુ કરી રહ્યાં છે... એક તરફ જીવતા માણસો આગમાં બળી રહ્યાં હતા અને બીજી તરફ ઘટનાસ્થળે સાહેબ માટે ખુરશીઓ લાવતી પોલીસ દેખાઈ...! 



આ મામલે શું માનવું છે તમારૂં?

સવાલ એ છે કે આટલી મોટી ગંભીર દૂર્ઘટના જેણે આપણું હૈયું પણ આક્રંદથી ભરી દીધું.. જ્યારે સમાચાર સાંભળ્યા તો સમજમાં નહોતુ આવતું કે શું કરીએ... અને આ પોલીસ કર્મચારીઓ જુઓ... સાહેબ માટે ખુરશીની વ્યવસ્થા કરતા દેખાઈ રહ્યાં છે.!.. અત્યારે તો પહેલું કામ માનવતાનું હોય.... શું આ પોલીસ અધિકારીઓને આ પ્રકારની ટ્રેનિંગ કોણે આપી હશે... અને સવાલ તો એ પણ થાયને કે આટલી મોટી દૂર્ઘટનામાં જ્યારે માબાપ બોલી ન શકતા હોય આંખનું આંસુ નીકળી ન શક્તુ હોય તો શું સાહેબે ખુરશી મંગાવી હશે ....? ત્યારે આ વીડિયો પર તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવો... 




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .