Rajkot TRP Game Zoneમાં એક તરફ લોકો મરી રહ્યા હતા તો બીજી તરફ પોલીસના કર્મચારીઓએ બતાવ્યું કે ગુજરાતની સિસ્ટમમાં શું ચાલે છે?


  • Published By :
  • Published Date : 2024-05-26 16:29:19

ગઈકાલથી ગુજરાતના લોકોની આંખો ફાટી નીકળી છે. અને હૃદયના ધબકારા ધીમા પડી ગયા છે...  કાલાવડ રોડ પર આવેલા TRP Game Zone માં લાગેલી વિનાશકારી આગે અનેક લોકોને નિરાધાર કરી મૂક્યા છે. ત્યારે એક વીડિયો સામે આવ્યો છે જોઈને આપણને પણ શરમ આવે અને સવાલ થાય કે કોઈ આટલી હદ સુધી કેવી રીતે નીચે પડી શકે? એક વીડિયો પોલીસનો સામે આવ્યો છે જેમાં સાહેબ માટે પોસીસ વાળા ખુરશી લાવી રહ્યા છે..!  

સાહેબ માટે ખુરશી લાવતા દેખાયા પોલીસ અધિકારી

રાજકોટમાં બનેલી ઘટનામાં અત્યાર સુધી 27થી વધુ લોકોના મોત થયા હોવાનો આંકડો સામે આવ્યો છે. તો બીજી તરફ Civil Hospitalમાં પરિવારજનો આક્રંદ સાથે સ્વજનોને શોધી રહ્યા છે...આટલી મોટી દૂર્ઘટના અને કમનસીબી શું કે આપણે કશુ જ કરી નથી શકતા પણ હા પોલીસ કર્મચારીઓ શું કરી રહ્યાં છે.... તો સિસ્ટમનો સડો આપણી સામે રજુ કરી રહ્યાં છે... એક તરફ જીવતા માણસો આગમાં બળી રહ્યાં હતા અને બીજી તરફ ઘટનાસ્થળે સાહેબ માટે ખુરશીઓ લાવતી પોલીસ દેખાઈ...! 



આ મામલે શું માનવું છે તમારૂં?

સવાલ એ છે કે આટલી મોટી ગંભીર દૂર્ઘટના જેણે આપણું હૈયું પણ આક્રંદથી ભરી દીધું.. જ્યારે સમાચાર સાંભળ્યા તો સમજમાં નહોતુ આવતું કે શું કરીએ... અને આ પોલીસ કર્મચારીઓ જુઓ... સાહેબ માટે ખુરશીની વ્યવસ્થા કરતા દેખાઈ રહ્યાં છે.!.. અત્યારે તો પહેલું કામ માનવતાનું હોય.... શું આ પોલીસ અધિકારીઓને આ પ્રકારની ટ્રેનિંગ કોણે આપી હશે... અને સવાલ તો એ પણ થાયને કે આટલી મોટી દૂર્ઘટનામાં જ્યારે માબાપ બોલી ન શકતા હોય આંખનું આંસુ નીકળી ન શક્તુ હોય તો શું સાહેબે ખુરશી મંગાવી હશે ....? ત્યારે આ વીડિયો પર તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવો... 




મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.