Rajkot TRP Game Zoneમાં એક તરફ લોકો મરી રહ્યા હતા તો બીજી તરફ પોલીસના કર્મચારીઓએ બતાવ્યું કે ગુજરાતની સિસ્ટમમાં શું ચાલે છે?


  • Published By :
  • Published Date : 2024-05-26 16:29:19

ગઈકાલથી ગુજરાતના લોકોની આંખો ફાટી નીકળી છે. અને હૃદયના ધબકારા ધીમા પડી ગયા છે...  કાલાવડ રોડ પર આવેલા TRP Game Zone માં લાગેલી વિનાશકારી આગે અનેક લોકોને નિરાધાર કરી મૂક્યા છે. ત્યારે એક વીડિયો સામે આવ્યો છે જોઈને આપણને પણ શરમ આવે અને સવાલ થાય કે કોઈ આટલી હદ સુધી કેવી રીતે નીચે પડી શકે? એક વીડિયો પોલીસનો સામે આવ્યો છે જેમાં સાહેબ માટે પોસીસ વાળા ખુરશી લાવી રહ્યા છે..!  

સાહેબ માટે ખુરશી લાવતા દેખાયા પોલીસ અધિકારી

રાજકોટમાં બનેલી ઘટનામાં અત્યાર સુધી 27થી વધુ લોકોના મોત થયા હોવાનો આંકડો સામે આવ્યો છે. તો બીજી તરફ Civil Hospitalમાં પરિવારજનો આક્રંદ સાથે સ્વજનોને શોધી રહ્યા છે...આટલી મોટી દૂર્ઘટના અને કમનસીબી શું કે આપણે કશુ જ કરી નથી શકતા પણ હા પોલીસ કર્મચારીઓ શું કરી રહ્યાં છે.... તો સિસ્ટમનો સડો આપણી સામે રજુ કરી રહ્યાં છે... એક તરફ જીવતા માણસો આગમાં બળી રહ્યાં હતા અને બીજી તરફ ઘટનાસ્થળે સાહેબ માટે ખુરશીઓ લાવતી પોલીસ દેખાઈ...! 



આ મામલે શું માનવું છે તમારૂં?

સવાલ એ છે કે આટલી મોટી ગંભીર દૂર્ઘટના જેણે આપણું હૈયું પણ આક્રંદથી ભરી દીધું.. જ્યારે સમાચાર સાંભળ્યા તો સમજમાં નહોતુ આવતું કે શું કરીએ... અને આ પોલીસ કર્મચારીઓ જુઓ... સાહેબ માટે ખુરશીની વ્યવસ્થા કરતા દેખાઈ રહ્યાં છે.!.. અત્યારે તો પહેલું કામ માનવતાનું હોય.... શું આ પોલીસ અધિકારીઓને આ પ્રકારની ટ્રેનિંગ કોણે આપી હશે... અને સવાલ તો એ પણ થાયને કે આટલી મોટી દૂર્ઘટનામાં જ્યારે માબાપ બોલી ન શકતા હોય આંખનું આંસુ નીકળી ન શક્તુ હોય તો શું સાહેબે ખુરશી મંગાવી હશે ....? ત્યારે આ વીડિયો પર તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવો... 




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે