Rahul Gandhiના નિવેદન પર શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહી આ મોટી વાત.. સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-07-08 18:51:16

કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સંસદમાં તેમના હિન્દૂ ધર્મ પર અપાયેલું નિવેદન હાલ ચર્ચામાં છે.. તેમના નિવેદનને કારણે ખુબ જ વિવાદ થયો, નિવેદન બાદ જે કંઈ થયું તે આપણે જાણીએ છીએ. નિવેદનને લઈ ભારતીય જનતા પાર્ટીના સસ્પેન્ડેડ પ્રવક્તા નૂપુર શર્માએ ગાઝીયાબાદની ભાગવત કથામાં રાહુલ ગાંધીનું નામ લીધા વગર તેમની પર આકરા પ્રહાર કર્યા હતા પણ હવે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદની પ્રતિક્રિયા સામે આવી છે. 

જ્યારે શંકરાચાર્યને પૂછવામાં આવ્યું રાહુલ ગાંધીના નિવેદન વિશે...  

અવિમુક્તેશ્વરનંદજીને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે રાહુલ ગાંધીના હિન્દૂ ધર્મ પરના આ નિવેદન પર શું કહેશો? ત્યારે શંકરાચાર્યએ જવાબ આપતા કહ્યું કે , જ્યારે આપણને કોઈ કહે કે કાગડો કાન લઈ ગયો ત્યારે આપણે સૌપ્રથમ કાન પર હાથ લગાવીને ચેક કરીએ છીએ કે કાન છે કે નહીં. અને જો કાન ના હોય તો આપણે લોકોની પાછળ ભાગીએ છીએ. તમે જે વાત કહી રહ્યા છો કે રાહુલ ગાંધીએ હિન્દૂ ધર્મની વિરુદ્ધમાં વાત કરી દીધી આ બાદ અમને આ વાત જણાવવામાં આવી ત્યાર પછી અમે રાહુલ ગાંધીનું આખું પ્રવચન સાંભળ્યું જે તેમણે સંસદમાં આપ્યું હતું. 


સંસદમાં રાહુલ ગાંધીએ આપ્યું હતું નિવેદન

નિવેદન આપતા તેમણે કહ્યું કે રાહુલ ગાંધીના નિવેદનને બરાબરથી સાંભળ્યું , ખબર પડી કે રાહુલ ગાંધીએ તો કહ્યું છે કે હિન્દૂ ધર્મમાં તો હિંસાનું સ્થાન જ નથી. અને જયારે તેઓ આ વાત સ્પષ્ટ રીતે કહી રહ્યા છે ત્યારે તેમની પર આ આરોપ લગાવવો કે રાહુલ ગાંધીએ હિન્દૂ ધર્મની વિપરીત વાત કરી છે. તે અપરાધ છે.  દુષ્પ્રચાર છે .આવું કેહવા વાળાને દંડિત કરવા જોઈએ. રાહુલ ગાંધીએ તો ચોખ્ખું કહ્યું છે કે , હિન્દૂ આવું ના કરી શકે . મહત્વનું છે કે  પહેલી જુલાઈના રોજ કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ સંસદમાં નિવેદન આપ્યું હતું..  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.