Rahul Gandhiના નિવેદન પર શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહી આ મોટી વાત.. સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-07-08 18:51:16

કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સંસદમાં તેમના હિન્દૂ ધર્મ પર અપાયેલું નિવેદન હાલ ચર્ચામાં છે.. તેમના નિવેદનને કારણે ખુબ જ વિવાદ થયો, નિવેદન બાદ જે કંઈ થયું તે આપણે જાણીએ છીએ. નિવેદનને લઈ ભારતીય જનતા પાર્ટીના સસ્પેન્ડેડ પ્રવક્તા નૂપુર શર્માએ ગાઝીયાબાદની ભાગવત કથામાં રાહુલ ગાંધીનું નામ લીધા વગર તેમની પર આકરા પ્રહાર કર્યા હતા પણ હવે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદની પ્રતિક્રિયા સામે આવી છે. 

જ્યારે શંકરાચાર્યને પૂછવામાં આવ્યું રાહુલ ગાંધીના નિવેદન વિશે...  

અવિમુક્તેશ્વરનંદજીને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે રાહુલ ગાંધીના હિન્દૂ ધર્મ પરના આ નિવેદન પર શું કહેશો? ત્યારે શંકરાચાર્યએ જવાબ આપતા કહ્યું કે , જ્યારે આપણને કોઈ કહે કે કાગડો કાન લઈ ગયો ત્યારે આપણે સૌપ્રથમ કાન પર હાથ લગાવીને ચેક કરીએ છીએ કે કાન છે કે નહીં. અને જો કાન ના હોય તો આપણે લોકોની પાછળ ભાગીએ છીએ. તમે જે વાત કહી રહ્યા છો કે રાહુલ ગાંધીએ હિન્દૂ ધર્મની વિરુદ્ધમાં વાત કરી દીધી આ બાદ અમને આ વાત જણાવવામાં આવી ત્યાર પછી અમે રાહુલ ગાંધીનું આખું પ્રવચન સાંભળ્યું જે તેમણે સંસદમાં આપ્યું હતું. 


સંસદમાં રાહુલ ગાંધીએ આપ્યું હતું નિવેદન

નિવેદન આપતા તેમણે કહ્યું કે રાહુલ ગાંધીના નિવેદનને બરાબરથી સાંભળ્યું , ખબર પડી કે રાહુલ ગાંધીએ તો કહ્યું છે કે હિન્દૂ ધર્મમાં તો હિંસાનું સ્થાન જ નથી. અને જયારે તેઓ આ વાત સ્પષ્ટ રીતે કહી રહ્યા છે ત્યારે તેમની પર આ આરોપ લગાવવો કે રાહુલ ગાંધીએ હિન્દૂ ધર્મની વિપરીત વાત કરી છે. તે અપરાધ છે.  દુષ્પ્રચાર છે .આવું કેહવા વાળાને દંડિત કરવા જોઈએ. રાહુલ ગાંધીએ તો ચોખ્ખું કહ્યું છે કે , હિન્દૂ આવું ના કરી શકે . મહત્વનું છે કે  પહેલી જુલાઈના રોજ કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ સંસદમાં નિવેદન આપ્યું હતું..  



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .