Rahul Gandhiના નિવેદન પર શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહી આ મોટી વાત.. સાંભળો શું કહ્યું?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-07-08 18:51:16

કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સંસદમાં તેમના હિન્દૂ ધર્મ પર અપાયેલું નિવેદન હાલ ચર્ચામાં છે.. તેમના નિવેદનને કારણે ખુબ જ વિવાદ થયો, નિવેદન બાદ જે કંઈ થયું તે આપણે જાણીએ છીએ. નિવેદનને લઈ ભારતીય જનતા પાર્ટીના સસ્પેન્ડેડ પ્રવક્તા નૂપુર શર્માએ ગાઝીયાબાદની ભાગવત કથામાં રાહુલ ગાંધીનું નામ લીધા વગર તેમની પર આકરા પ્રહાર કર્યા હતા પણ હવે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદની પ્રતિક્રિયા સામે આવી છે. 

જ્યારે શંકરાચાર્યને પૂછવામાં આવ્યું રાહુલ ગાંધીના નિવેદન વિશે...  

અવિમુક્તેશ્વરનંદજીને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે રાહુલ ગાંધીના હિન્દૂ ધર્મ પરના આ નિવેદન પર શું કહેશો? ત્યારે શંકરાચાર્યએ જવાબ આપતા કહ્યું કે , જ્યારે આપણને કોઈ કહે કે કાગડો કાન લઈ ગયો ત્યારે આપણે સૌપ્રથમ કાન પર હાથ લગાવીને ચેક કરીએ છીએ કે કાન છે કે નહીં. અને જો કાન ના હોય તો આપણે લોકોની પાછળ ભાગીએ છીએ. તમે જે વાત કહી રહ્યા છો કે રાહુલ ગાંધીએ હિન્દૂ ધર્મની વિરુદ્ધમાં વાત કરી દીધી આ બાદ અમને આ વાત જણાવવામાં આવી ત્યાર પછી અમે રાહુલ ગાંધીનું આખું પ્રવચન સાંભળ્યું જે તેમણે સંસદમાં આપ્યું હતું. 


સંસદમાં રાહુલ ગાંધીએ આપ્યું હતું નિવેદન

નિવેદન આપતા તેમણે કહ્યું કે રાહુલ ગાંધીના નિવેદનને બરાબરથી સાંભળ્યું , ખબર પડી કે રાહુલ ગાંધીએ તો કહ્યું છે કે હિન્દૂ ધર્મમાં તો હિંસાનું સ્થાન જ નથી. અને જયારે તેઓ આ વાત સ્પષ્ટ રીતે કહી રહ્યા છે ત્યારે તેમની પર આ આરોપ લગાવવો કે રાહુલ ગાંધીએ હિન્દૂ ધર્મની વિપરીત વાત કરી છે. તે અપરાધ છે.  દુષ્પ્રચાર છે .આવું કેહવા વાળાને દંડિત કરવા જોઈએ. રાહુલ ગાંધીએ તો ચોખ્ખું કહ્યું છે કે , હિન્દૂ આવું ના કરી શકે . મહત્વનું છે કે  પહેલી જુલાઈના રોજ કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ સંસદમાં નિવેદન આપ્યું હતું..  



22-23 ઓક્ટોબરે રશિયામાં યોજાનાાર 16માં બ્રિક્સ સંમેલનમાં સંભવતઃ પ્રધાનમંત્રી મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ સાથે મુલાકાત થઈ શકે છે.. પણ એ પહેલા ભારત-ચીન સરહદ વિવાદને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે..

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. અનેક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે...

સાવરકુંડલા તાલુકામાં વરસાદને કારણે પાકને નુકસાન થયું છે.. ત્યારે સરકાર દ્વારા નુકસાનીનો જલ્દી સર્વે કરવામાં આવે અને સહાય ચૂકવવામાં આવે તેવી માગ કરી છે...

બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.