Rahul Gandhiના નિવેદન પર શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહી આ મોટી વાત.. સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-07-08 18:51:16

કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સંસદમાં તેમના હિન્દૂ ધર્મ પર અપાયેલું નિવેદન હાલ ચર્ચામાં છે.. તેમના નિવેદનને કારણે ખુબ જ વિવાદ થયો, નિવેદન બાદ જે કંઈ થયું તે આપણે જાણીએ છીએ. નિવેદનને લઈ ભારતીય જનતા પાર્ટીના સસ્પેન્ડેડ પ્રવક્તા નૂપુર શર્માએ ગાઝીયાબાદની ભાગવત કથામાં રાહુલ ગાંધીનું નામ લીધા વગર તેમની પર આકરા પ્રહાર કર્યા હતા પણ હવે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદની પ્રતિક્રિયા સામે આવી છે. 

જ્યારે શંકરાચાર્યને પૂછવામાં આવ્યું રાહુલ ગાંધીના નિવેદન વિશે...  

અવિમુક્તેશ્વરનંદજીને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે રાહુલ ગાંધીના હિન્દૂ ધર્મ પરના આ નિવેદન પર શું કહેશો? ત્યારે શંકરાચાર્યએ જવાબ આપતા કહ્યું કે , જ્યારે આપણને કોઈ કહે કે કાગડો કાન લઈ ગયો ત્યારે આપણે સૌપ્રથમ કાન પર હાથ લગાવીને ચેક કરીએ છીએ કે કાન છે કે નહીં. અને જો કાન ના હોય તો આપણે લોકોની પાછળ ભાગીએ છીએ. તમે જે વાત કહી રહ્યા છો કે રાહુલ ગાંધીએ હિન્દૂ ધર્મની વિરુદ્ધમાં વાત કરી દીધી આ બાદ અમને આ વાત જણાવવામાં આવી ત્યાર પછી અમે રાહુલ ગાંધીનું આખું પ્રવચન સાંભળ્યું જે તેમણે સંસદમાં આપ્યું હતું. 


સંસદમાં રાહુલ ગાંધીએ આપ્યું હતું નિવેદન

નિવેદન આપતા તેમણે કહ્યું કે રાહુલ ગાંધીના નિવેદનને બરાબરથી સાંભળ્યું , ખબર પડી કે રાહુલ ગાંધીએ તો કહ્યું છે કે હિન્દૂ ધર્મમાં તો હિંસાનું સ્થાન જ નથી. અને જયારે તેઓ આ વાત સ્પષ્ટ રીતે કહી રહ્યા છે ત્યારે તેમની પર આ આરોપ લગાવવો કે રાહુલ ગાંધીએ હિન્દૂ ધર્મની વિપરીત વાત કરી છે. તે અપરાધ છે.  દુષ્પ્રચાર છે .આવું કેહવા વાળાને દંડિત કરવા જોઈએ. રાહુલ ગાંધીએ તો ચોખ્ખું કહ્યું છે કે , હિન્દૂ આવું ના કરી શકે . મહત્વનું છે કે  પહેલી જુલાઈના રોજ કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ સંસદમાં નિવેદન આપ્યું હતું..  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.