Teachers Day પર જાણીએ એવા શિક્ષકો વિશે તેમના સંઘર્ષો વિશે જેમણે નાની આંખોમાં રહેલા સપનાને સાકાર કરવા જીવન સમર્પિત કર્યું...


  • Published By :
  • Published Date : 2023-09-05 10:54:01

નાની આંખોમાં મોટા સપનાઓ લઈને અનેક લોકો ચાલતા હોય છે. નાના હોઈએ છીએ ત્યારે આપણે કહેતા હોઈએ છીએ કે મોટા થઈને મારે આ બનવું છે, મોટી સિદ્ધિ હાંસલ કરવી છે. આપણા સપનાઓને મંજીલ સુધી પહોંચાડવાનું કામ જો કોઈ કરતું હોય તો તે શિક્ષક છે. એ શિક્ષક પછી હાઈફાઈ સ્કૂલમાં ભણાવતા હોય કે પછી કોઈ અંતરિયાળ વિસ્તારમાં આવેલા એક નાનકડા ગામમાં. વિદ્યાર્થીઓને ભણાવવાનો ઉત્સાહ દરેક શિક્ષકોમાં સરખો જ હોય છે. આજે શિક્ષકોની વાત એટલા માટે કરવી છે કારણ કે આજે શિક્ષક દિવસ છે. 


શાળામાં થાય છે દેશના ભાવિનું ઘડતર 

દર વર્ષે 5મી સપ્ટેમ્બરે દેશના બીજા વડાપ્રધાન અને પહેલા ઉપરાષ્ટ્રપતિની યાદમાં આ દિવસે શિક્ષક દિવસ તરીકે મનાવાય છે. ચાણક્ય કહેતા હતા કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ ઉન્કી ગોદમાં પલતે હૈં.... આજે પણ આ વાત સાચી છે. શાળામાં ન માત્ર બાળકોનું ઘડતર થાય છે પરંતુ દેશના ભાવિનું ઘડતર થાય છે. જે સંસ્કારોનું સિંચન શાળામાંથી થાય છે તે સંસ્કારો, તે આદતો બાળક સાથે જીંદગી ભર સાથે રહે છે. ત્યારે આજે એક એવી શાળાની એક શિક્ષકની વાત કરવી છે જે વૃક્ષ નીચે ચાલે છે. અમે વાત કરી રહ્યા છીએ આલિયાબેટની.


બાળકોને ઝાડ નીચે ભણાવે છે શિક્ષક 

જ્યારે પહેલી વાર શિક્ષક એ સ્થળ પર પહોંચ્યા હતા ત્યારે તેમને જોઈ બાળકોને આશ્ચર્ય થયું હતું, કારણ કે પેન્ટ શર્ટ પહેરેલા લોકોને તે જાણતા ન હતા. તેમની દુનિયા સિવાય બીજી પણ દુનિયા છે તે બાળકો જાણતા ન હતા. બાળકોની વેદનાને સંભળાવતા સંભળાવતા શિક્ષક રડી પડ્યા હતા. બાળકોના ભવિષ્ય માટે વિનોદભાઈએ એક શિક્ષકે એ ગામમાં રહેવાનું પસંદ કર્યું અને બાળકોને ભણાવવા માટે પોતાનું જીવન સમપર્તિ કર્યું. દરેક વિષયો બાળકોને તે જ ભણાવતા હતા. ગામડામાં લાઈટો નથી, પીવા માટે પાણી નથી, કોઈ સુવિધા નથી પરંતુ બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય બને તે માટે શિક્ષક દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.  


ગુગલ મેપમાં પણ જે ગામ ન મળે ત્યાંના છોકરાઓ કરે છે કમાલ 

તે સિવાય સુરતમાં પણ એક શાળા છે જ્યાં બાળકો આસાનીથી એવા ગણિતના દાખલા સોલ્વ કરી લે છે જેનો જવાબ જો આપણે Calculatorમાંથી આપવાનો હોય તો પણ ગોઠે ચડીએ. Calculator જવાબ આપે તે પહેલા બાળકો જવાબ આપી દેતા હતા. આ તો થઈ ગણિતની વાત. એવા અનેક વિષયો છે જેમાં આ બાળકો નિષ્ણાંત છે. એક એવું ગામ જે ગુગલ મેપ પર નથી મળતું ત્યાંના બાળકો મતલબ આ શાળામાં ભણતા બાળકો જીપીએસસી અને યુપીએસસીની વાતો કરે છે. તેની તૈયારીઓ હમણાંથી શરૂ કરી દીધી છે. ધન્ય છે આવા શિક્ષકોને....



સલામ છે આવા શિક્ષકોને.... 

આવા શિક્ષકોને કારણે જ બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન થાય છે. દેશનું ભાવિ સુરક્ષિત હાથોમાં છે તે જાણીને આનંદ થાય છે. આવા શિક્ષકોને કારણે જ અંતરિયાળ વિસ્તારમાં રહેતા બાળકો સપના જોઈ શકે છે અને સાકાર કરી શકે છે. સો સો સલામ અને વંદન છે આવા શિક્ષકોને...   



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી