Teachers Day પર જાણીએ એવા શિક્ષકો વિશે તેમના સંઘર્ષો વિશે જેમણે નાની આંખોમાં રહેલા સપનાને સાકાર કરવા જીવન સમર્પિત કર્યું...


  • Published By :
  • Published Date : 2023-09-05 10:54:01

નાની આંખોમાં મોટા સપનાઓ લઈને અનેક લોકો ચાલતા હોય છે. નાના હોઈએ છીએ ત્યારે આપણે કહેતા હોઈએ છીએ કે મોટા થઈને મારે આ બનવું છે, મોટી સિદ્ધિ હાંસલ કરવી છે. આપણા સપનાઓને મંજીલ સુધી પહોંચાડવાનું કામ જો કોઈ કરતું હોય તો તે શિક્ષક છે. એ શિક્ષક પછી હાઈફાઈ સ્કૂલમાં ભણાવતા હોય કે પછી કોઈ અંતરિયાળ વિસ્તારમાં આવેલા એક નાનકડા ગામમાં. વિદ્યાર્થીઓને ભણાવવાનો ઉત્સાહ દરેક શિક્ષકોમાં સરખો જ હોય છે. આજે શિક્ષકોની વાત એટલા માટે કરવી છે કારણ કે આજે શિક્ષક દિવસ છે. 


શાળામાં થાય છે દેશના ભાવિનું ઘડતર 

દર વર્ષે 5મી સપ્ટેમ્બરે દેશના બીજા વડાપ્રધાન અને પહેલા ઉપરાષ્ટ્રપતિની યાદમાં આ દિવસે શિક્ષક દિવસ તરીકે મનાવાય છે. ચાણક્ય કહેતા હતા કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ ઉન્કી ગોદમાં પલતે હૈં.... આજે પણ આ વાત સાચી છે. શાળામાં ન માત્ર બાળકોનું ઘડતર થાય છે પરંતુ દેશના ભાવિનું ઘડતર થાય છે. જે સંસ્કારોનું સિંચન શાળામાંથી થાય છે તે સંસ્કારો, તે આદતો બાળક સાથે જીંદગી ભર સાથે રહે છે. ત્યારે આજે એક એવી શાળાની એક શિક્ષકની વાત કરવી છે જે વૃક્ષ નીચે ચાલે છે. અમે વાત કરી રહ્યા છીએ આલિયાબેટની.


બાળકોને ઝાડ નીચે ભણાવે છે શિક્ષક 

જ્યારે પહેલી વાર શિક્ષક એ સ્થળ પર પહોંચ્યા હતા ત્યારે તેમને જોઈ બાળકોને આશ્ચર્ય થયું હતું, કારણ કે પેન્ટ શર્ટ પહેરેલા લોકોને તે જાણતા ન હતા. તેમની દુનિયા સિવાય બીજી પણ દુનિયા છે તે બાળકો જાણતા ન હતા. બાળકોની વેદનાને સંભળાવતા સંભળાવતા શિક્ષક રડી પડ્યા હતા. બાળકોના ભવિષ્ય માટે વિનોદભાઈએ એક શિક્ષકે એ ગામમાં રહેવાનું પસંદ કર્યું અને બાળકોને ભણાવવા માટે પોતાનું જીવન સમપર્તિ કર્યું. દરેક વિષયો બાળકોને તે જ ભણાવતા હતા. ગામડામાં લાઈટો નથી, પીવા માટે પાણી નથી, કોઈ સુવિધા નથી પરંતુ બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય બને તે માટે શિક્ષક દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.  


ગુગલ મેપમાં પણ જે ગામ ન મળે ત્યાંના છોકરાઓ કરે છે કમાલ 

તે સિવાય સુરતમાં પણ એક શાળા છે જ્યાં બાળકો આસાનીથી એવા ગણિતના દાખલા સોલ્વ કરી લે છે જેનો જવાબ જો આપણે Calculatorમાંથી આપવાનો હોય તો પણ ગોઠે ચડીએ. Calculator જવાબ આપે તે પહેલા બાળકો જવાબ આપી દેતા હતા. આ તો થઈ ગણિતની વાત. એવા અનેક વિષયો છે જેમાં આ બાળકો નિષ્ણાંત છે. એક એવું ગામ જે ગુગલ મેપ પર નથી મળતું ત્યાંના બાળકો મતલબ આ શાળામાં ભણતા બાળકો જીપીએસસી અને યુપીએસસીની વાતો કરે છે. તેની તૈયારીઓ હમણાંથી શરૂ કરી દીધી છે. ધન્ય છે આવા શિક્ષકોને....



સલામ છે આવા શિક્ષકોને.... 

આવા શિક્ષકોને કારણે જ બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન થાય છે. દેશનું ભાવિ સુરક્ષિત હાથોમાં છે તે જાણીને આનંદ થાય છે. આવા શિક્ષકોને કારણે જ અંતરિયાળ વિસ્તારમાં રહેતા બાળકો સપના જોઈ શકે છે અને સાકાર કરી શકે છે. સો સો સલામ અને વંદન છે આવા શિક્ષકોને...   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.