Teachers Day પર જાણીએ એવા શિક્ષકો વિશે તેમના સંઘર્ષો વિશે જેમણે નાની આંખોમાં રહેલા સપનાને સાકાર કરવા જીવન સમર્પિત કર્યું...


  • Published By :
  • Published Date : 2023-09-05 10:54:01

નાની આંખોમાં મોટા સપનાઓ લઈને અનેક લોકો ચાલતા હોય છે. નાના હોઈએ છીએ ત્યારે આપણે કહેતા હોઈએ છીએ કે મોટા થઈને મારે આ બનવું છે, મોટી સિદ્ધિ હાંસલ કરવી છે. આપણા સપનાઓને મંજીલ સુધી પહોંચાડવાનું કામ જો કોઈ કરતું હોય તો તે શિક્ષક છે. એ શિક્ષક પછી હાઈફાઈ સ્કૂલમાં ભણાવતા હોય કે પછી કોઈ અંતરિયાળ વિસ્તારમાં આવેલા એક નાનકડા ગામમાં. વિદ્યાર્થીઓને ભણાવવાનો ઉત્સાહ દરેક શિક્ષકોમાં સરખો જ હોય છે. આજે શિક્ષકોની વાત એટલા માટે કરવી છે કારણ કે આજે શિક્ષક દિવસ છે. 


શાળામાં થાય છે દેશના ભાવિનું ઘડતર 

દર વર્ષે 5મી સપ્ટેમ્બરે દેશના બીજા વડાપ્રધાન અને પહેલા ઉપરાષ્ટ્રપતિની યાદમાં આ દિવસે શિક્ષક દિવસ તરીકે મનાવાય છે. ચાણક્ય કહેતા હતા કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ ઉન્કી ગોદમાં પલતે હૈં.... આજે પણ આ વાત સાચી છે. શાળામાં ન માત્ર બાળકોનું ઘડતર થાય છે પરંતુ દેશના ભાવિનું ઘડતર થાય છે. જે સંસ્કારોનું સિંચન શાળામાંથી થાય છે તે સંસ્કારો, તે આદતો બાળક સાથે જીંદગી ભર સાથે રહે છે. ત્યારે આજે એક એવી શાળાની એક શિક્ષકની વાત કરવી છે જે વૃક્ષ નીચે ચાલે છે. અમે વાત કરી રહ્યા છીએ આલિયાબેટની.


બાળકોને ઝાડ નીચે ભણાવે છે શિક્ષક 

જ્યારે પહેલી વાર શિક્ષક એ સ્થળ પર પહોંચ્યા હતા ત્યારે તેમને જોઈ બાળકોને આશ્ચર્ય થયું હતું, કારણ કે પેન્ટ શર્ટ પહેરેલા લોકોને તે જાણતા ન હતા. તેમની દુનિયા સિવાય બીજી પણ દુનિયા છે તે બાળકો જાણતા ન હતા. બાળકોની વેદનાને સંભળાવતા સંભળાવતા શિક્ષક રડી પડ્યા હતા. બાળકોના ભવિષ્ય માટે વિનોદભાઈએ એક શિક્ષકે એ ગામમાં રહેવાનું પસંદ કર્યું અને બાળકોને ભણાવવા માટે પોતાનું જીવન સમપર્તિ કર્યું. દરેક વિષયો બાળકોને તે જ ભણાવતા હતા. ગામડામાં લાઈટો નથી, પીવા માટે પાણી નથી, કોઈ સુવિધા નથી પરંતુ બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય બને તે માટે શિક્ષક દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.  


ગુગલ મેપમાં પણ જે ગામ ન મળે ત્યાંના છોકરાઓ કરે છે કમાલ 

તે સિવાય સુરતમાં પણ એક શાળા છે જ્યાં બાળકો આસાનીથી એવા ગણિતના દાખલા સોલ્વ કરી લે છે જેનો જવાબ જો આપણે Calculatorમાંથી આપવાનો હોય તો પણ ગોઠે ચડીએ. Calculator જવાબ આપે તે પહેલા બાળકો જવાબ આપી દેતા હતા. આ તો થઈ ગણિતની વાત. એવા અનેક વિષયો છે જેમાં આ બાળકો નિષ્ણાંત છે. એક એવું ગામ જે ગુગલ મેપ પર નથી મળતું ત્યાંના બાળકો મતલબ આ શાળામાં ભણતા બાળકો જીપીએસસી અને યુપીએસસીની વાતો કરે છે. તેની તૈયારીઓ હમણાંથી શરૂ કરી દીધી છે. ધન્ય છે આવા શિક્ષકોને....



સલામ છે આવા શિક્ષકોને.... 

આવા શિક્ષકોને કારણે જ બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન થાય છે. દેશનું ભાવિ સુરક્ષિત હાથોમાં છે તે જાણીને આનંદ થાય છે. આવા શિક્ષકોને કારણે જ અંતરિયાળ વિસ્તારમાં રહેતા બાળકો સપના જોઈ શકે છે અને સાકાર કરી શકે છે. સો સો સલામ અને વંદન છે આવા શિક્ષકોને...   



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.