ભાજપને સમર્થનની જાહેરાત પર ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે કહ્યું, મારુ સમર્થન સમાજ સાથે છે..! જાણો શું લખ્યું છે સોશિયલ મીડિયા પર યુવરાજે?


  • Published By :
  • Published Date : 2024-05-03 17:18:18

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે... આ બધા વચ્ચે ગુજરાતમાં પીએમ મોદી આવ્યા હતા બે દિવસ પ્રચાર માટે... પીએમ મોદી ગુજરાત હતા તે દરમિયાન રાજકોટ સ્ટેટના રાજવી માંધાતાસિંહે જણાવ્યું હતું કે, ગુજરાતના 15 રાજવી પરિવાર અને 46 જેટલા રાજવીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખુલ્લેઆમ સમર્થન આપ્યું છે... રાજવી માંધાતાસિંહની જાહેરાત બાદ ભાવનગરના યુવરાજ જયરાજવીરસિંહ દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકવામાં આવી જેમાં તેમણે લખ્યું કે હું અને મારો પરિવાર સમાજ સાથે છીએ..

શું કહ્યું હતું રાજવી પરિવારે પ્રેસ કોન્ફરન્સમાં?

ભાજપને સમર્થનની જાહેરાત કરતા માંધાતાસિંહે જણાવ્યું હતું કે, "રાજાશાહી યુગના તપસ્વી, ત્યાગી અને પરાક્રમીની જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતને વિશ્વ ગુરુ બનાવવા માટે કાર્ય કરી રહ્યા છે. તો આપણે પ્રચંડ જનસમર્થન બતાવીને પૂર્ણ બહુમતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપીએ.અયોધ્યા રામ મંદિર હોઈ કે પછી બેટ દ્વારકાનો વિકાસ કરવાનો હોય. આ સાથે અંબાજી મંદિર અને સોમનાથનો વિકાસ પણ તેમણે કર્યો છે. રાજવીઓ જેમ કાર્ય કરતા હતા તેમની માફક વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કાર્ય કરી રહ્યા છે. કમળનું ફૂલ શુદ્ધતા અને આધ્યાત્મિકતાનું આંગણું છે. રાજવીઓનું સંપૂર્ણ સમર્થન વડાપ્રધાન મોદી સાથે છે."


ભાવનગરના યુવરાજે સોશિયલ મીડિયા પર લખી પોસ્ટ

તો માંધાતાસિંહ જાડેજાની જાહેરાત સામે ભાવનગર યુવરાજ જયવીરરાજસિંહે મોટું નિવેદન આપ્યું છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં જયવીરરાજસિંહે લખ્યું છે - 


“અમુક સોશિયલ મીડિયા માધ્યમ દ્વારા મારી બનાવટી તસવીરો નો ઉપયોગ કરીને મારા રાજપુત સમાજ ને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આ બાબતે હું સ્પષ્ટતા કરવા ઈચ્છું છું કે, હું અને મારો પરિવાર હંમેશા અમારા રાજપૂત સમાજની પડખે ઊભા રહ્યા છીએ. અમારા માટે અમારો સમાજ કાયમ માટે કોઈપણ રાજકીય પક્ષ કરતા ઉપર આવે છે. અમે ક્યારેય કોઈપણ પક્ષ સાથે સંકળાયેલા નથી, ન તો અમારામાંથી કોઈ પક્ષના સભ્ય છીએ અને ન તો અમે કોઈ પક્ષને મત આપવા માટે પ્રચાર કે સૂચન કરી રહ્યા છીએ. 


મારા રાજપૂત ભાઈઓ અને બહેનો અને હું એક લોકશાહી દેશમાં રહીએ છીએ, અને આપણે કોને પસંદ કરીએ તે પોતાનું અંગત મંતવ્ય છે. કોને મત આપવો કે ન આપવો તે હું સૂચન કરતો નથી અને મને વિશ્વાસ છે કે તમે બધા તે જાતે પસંદ કરવા માટે પૂરતા સમજદાર છો.”


જયવીરરાજસિંહે આ પોસ્ટમાં કોઈનું પણ નામ લખ્યા વિના આડકતરી રીતે કહી દીધું છે કે તેઓ માંધાતાસિંહે કરેલી જાહેરાત “15 રાજવી પરિવાર અને 46 જેટલા રાજવીઓ” સાથે સહમત નથી. ... 




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.