ભાજપને સમર્થનની જાહેરાત પર ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે કહ્યું, મારુ સમર્થન સમાજ સાથે છે..! જાણો શું લખ્યું છે સોશિયલ મીડિયા પર યુવરાજે?


  • Published By :
  • Published Date : 2024-05-03 17:18:18

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે... આ બધા વચ્ચે ગુજરાતમાં પીએમ મોદી આવ્યા હતા બે દિવસ પ્રચાર માટે... પીએમ મોદી ગુજરાત હતા તે દરમિયાન રાજકોટ સ્ટેટના રાજવી માંધાતાસિંહે જણાવ્યું હતું કે, ગુજરાતના 15 રાજવી પરિવાર અને 46 જેટલા રાજવીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખુલ્લેઆમ સમર્થન આપ્યું છે... રાજવી માંધાતાસિંહની જાહેરાત બાદ ભાવનગરના યુવરાજ જયરાજવીરસિંહ દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકવામાં આવી જેમાં તેમણે લખ્યું કે હું અને મારો પરિવાર સમાજ સાથે છીએ..

શું કહ્યું હતું રાજવી પરિવારે પ્રેસ કોન્ફરન્સમાં?

ભાજપને સમર્થનની જાહેરાત કરતા માંધાતાસિંહે જણાવ્યું હતું કે, "રાજાશાહી યુગના તપસ્વી, ત્યાગી અને પરાક્રમીની જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતને વિશ્વ ગુરુ બનાવવા માટે કાર્ય કરી રહ્યા છે. તો આપણે પ્રચંડ જનસમર્થન બતાવીને પૂર્ણ બહુમતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપીએ.અયોધ્યા રામ મંદિર હોઈ કે પછી બેટ દ્વારકાનો વિકાસ કરવાનો હોય. આ સાથે અંબાજી મંદિર અને સોમનાથનો વિકાસ પણ તેમણે કર્યો છે. રાજવીઓ જેમ કાર્ય કરતા હતા તેમની માફક વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કાર્ય કરી રહ્યા છે. કમળનું ફૂલ શુદ્ધતા અને આધ્યાત્મિકતાનું આંગણું છે. રાજવીઓનું સંપૂર્ણ સમર્થન વડાપ્રધાન મોદી સાથે છે."


ભાવનગરના યુવરાજે સોશિયલ મીડિયા પર લખી પોસ્ટ

તો માંધાતાસિંહ જાડેજાની જાહેરાત સામે ભાવનગર યુવરાજ જયવીરરાજસિંહે મોટું નિવેદન આપ્યું છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં જયવીરરાજસિંહે લખ્યું છે - 


“અમુક સોશિયલ મીડિયા માધ્યમ દ્વારા મારી બનાવટી તસવીરો નો ઉપયોગ કરીને મારા રાજપુત સમાજ ને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આ બાબતે હું સ્પષ્ટતા કરવા ઈચ્છું છું કે, હું અને મારો પરિવાર હંમેશા અમારા રાજપૂત સમાજની પડખે ઊભા રહ્યા છીએ. અમારા માટે અમારો સમાજ કાયમ માટે કોઈપણ રાજકીય પક્ષ કરતા ઉપર આવે છે. અમે ક્યારેય કોઈપણ પક્ષ સાથે સંકળાયેલા નથી, ન તો અમારામાંથી કોઈ પક્ષના સભ્ય છીએ અને ન તો અમે કોઈ પક્ષને મત આપવા માટે પ્રચાર કે સૂચન કરી રહ્યા છીએ. 


મારા રાજપૂત ભાઈઓ અને બહેનો અને હું એક લોકશાહી દેશમાં રહીએ છીએ, અને આપણે કોને પસંદ કરીએ તે પોતાનું અંગત મંતવ્ય છે. કોને મત આપવો કે ન આપવો તે હું સૂચન કરતો નથી અને મને વિશ્વાસ છે કે તમે બધા તે જાતે પસંદ કરવા માટે પૂરતા સમજદાર છો.”


જયવીરરાજસિંહે આ પોસ્ટમાં કોઈનું પણ નામ લખ્યા વિના આડકતરી રીતે કહી દીધું છે કે તેઓ માંધાતાસિંહે કરેલી જાહેરાત “15 રાજવી પરિવાર અને 46 જેટલા રાજવીઓ” સાથે સહમત નથી. ... 




ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.