ભાજપને સમર્થનની જાહેરાત પર ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે કહ્યું, મારુ સમર્થન સમાજ સાથે છે..! જાણો શું લખ્યું છે સોશિયલ મીડિયા પર યુવરાજે?


  • Published By :
  • Published Date : 2024-05-03 17:18:18

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે... આ બધા વચ્ચે ગુજરાતમાં પીએમ મોદી આવ્યા હતા બે દિવસ પ્રચાર માટે... પીએમ મોદી ગુજરાત હતા તે દરમિયાન રાજકોટ સ્ટેટના રાજવી માંધાતાસિંહે જણાવ્યું હતું કે, ગુજરાતના 15 રાજવી પરિવાર અને 46 જેટલા રાજવીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખુલ્લેઆમ સમર્થન આપ્યું છે... રાજવી માંધાતાસિંહની જાહેરાત બાદ ભાવનગરના યુવરાજ જયરાજવીરસિંહ દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકવામાં આવી જેમાં તેમણે લખ્યું કે હું અને મારો પરિવાર સમાજ સાથે છીએ..

શું કહ્યું હતું રાજવી પરિવારે પ્રેસ કોન્ફરન્સમાં?

ભાજપને સમર્થનની જાહેરાત કરતા માંધાતાસિંહે જણાવ્યું હતું કે, "રાજાશાહી યુગના તપસ્વી, ત્યાગી અને પરાક્રમીની જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતને વિશ્વ ગુરુ બનાવવા માટે કાર્ય કરી રહ્યા છે. તો આપણે પ્રચંડ જનસમર્થન બતાવીને પૂર્ણ બહુમતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપીએ.અયોધ્યા રામ મંદિર હોઈ કે પછી બેટ દ્વારકાનો વિકાસ કરવાનો હોય. આ સાથે અંબાજી મંદિર અને સોમનાથનો વિકાસ પણ તેમણે કર્યો છે. રાજવીઓ જેમ કાર્ય કરતા હતા તેમની માફક વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કાર્ય કરી રહ્યા છે. કમળનું ફૂલ શુદ્ધતા અને આધ્યાત્મિકતાનું આંગણું છે. રાજવીઓનું સંપૂર્ણ સમર્થન વડાપ્રધાન મોદી સાથે છે."


ભાવનગરના યુવરાજે સોશિયલ મીડિયા પર લખી પોસ્ટ

તો માંધાતાસિંહ જાડેજાની જાહેરાત સામે ભાવનગર યુવરાજ જયવીરરાજસિંહે મોટું નિવેદન આપ્યું છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં જયવીરરાજસિંહે લખ્યું છે - 


“અમુક સોશિયલ મીડિયા માધ્યમ દ્વારા મારી બનાવટી તસવીરો નો ઉપયોગ કરીને મારા રાજપુત સમાજ ને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આ બાબતે હું સ્પષ્ટતા કરવા ઈચ્છું છું કે, હું અને મારો પરિવાર હંમેશા અમારા રાજપૂત સમાજની પડખે ઊભા રહ્યા છીએ. અમારા માટે અમારો સમાજ કાયમ માટે કોઈપણ રાજકીય પક્ષ કરતા ઉપર આવે છે. અમે ક્યારેય કોઈપણ પક્ષ સાથે સંકળાયેલા નથી, ન તો અમારામાંથી કોઈ પક્ષના સભ્ય છીએ અને ન તો અમે કોઈ પક્ષને મત આપવા માટે પ્રચાર કે સૂચન કરી રહ્યા છીએ. 


મારા રાજપૂત ભાઈઓ અને બહેનો અને હું એક લોકશાહી દેશમાં રહીએ છીએ, અને આપણે કોને પસંદ કરીએ તે પોતાનું અંગત મંતવ્ય છે. કોને મત આપવો કે ન આપવો તે હું સૂચન કરતો નથી અને મને વિશ્વાસ છે કે તમે બધા તે જાતે પસંદ કરવા માટે પૂરતા સમજદાર છો.”


જયવીરરાજસિંહે આ પોસ્ટમાં કોઈનું પણ નામ લખ્યા વિના આડકતરી રીતે કહી દીધું છે કે તેઓ માંધાતાસિંહે કરેલી જાહેરાત “15 રાજવી પરિવાર અને 46 જેટલા રાજવીઓ” સાથે સહમત નથી. ... 




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે