Janmashtamiના દિવસે Gujaratમાં જોવા મળી મેઘમહેર, આટલા તાલુકામાં વરસ્યો વરસાદ, જાણો વરસાદને લઈ હવામાન વિભાગે શું કરી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2023-09-07 12:07:57

આજે જન્માષ્ટમી છે. અનરાધાર વરસાદ વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો. આપણે ત્યાં સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે જન્માષ્ટમીના દિવસે અમી છાંટણા વરસાદના થતા હોય છે. અમી છાંટડા નહીં પરંતુ આજે તો જન્માષ્ટમીના દિવસે ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે. ઓગસ્ટ કોરોકટ સાબિત થયો હતો ત્યારે ઘણા લાંબા સમય બાદ વરસાદની પધરામણી થઈ છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદનું આગમન થઈ ગયું છે. 24 કલાકમાં રાજ્યના 112 તાલુકામાં વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાત પર મેઘરાજા મહેરબાન થયા છે. લાંબા સમય બાદ વરસાદ આવ્યો પરંતુ ધમાકેદાર આવ્યો. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજકોટમાં, મહેસાણામાં, નવસારીમાં, અમદાવાદ સહિત અનેક જગ્યાઓ પર મેહુલો મહેરબાન થયો છે. 

વરસાદને લઈ કરવામાં આવેલી આગાહી સાચી પડી.... 

એક સમય એવો હતો જ્યારે વરસાદે ધબધબાટી બોલાવી હતી. અનેક ટકા વરસાદ વરસ્યો હતો. જેને લઈ જગતનો તાત ખુશ હતો. પરંતુ ઓગસ્ટ મહિનાએ ખેડૂતોની ચિંતા વધારી દીધી. ઓગસ્ટ મહિનો કોરોકટ સાબિત થયો. આખો મહિનો કોરો સાબિત થતાં જગતના તાતની ચિંતા વધી ગઈ હતી. વરસાદના આગમનની ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે સપ્ટેમ્બર મહિનામાં કેવો વરસાદ થશે તેને લઈ આગાહી હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી હતી. આગાહી સાચી પણ પડી રહી છે. 


112 તાલુકામાં જોવા મળી મેઘમહેર 

સપ્ટેમ્બરમાં વરસાદનું આગમન થઈ ગયું છે. લાંબા સમયથી વિરામ લીધેલા વરસાદે રિ-એન્ટ્રી ધમાકેદાર કરી છે. 7 તારીખ બાદ વરસાદને લઈ આગાહી કરવામાં આવી હતી અને તે આગાહી સાચી પણ સાબિત થઈ છે. ગુજરાતના 112 તાલુકામાં વરસાદ વરસ્યો છે. ગઈકાલ રાતથી રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. 


આ જિલ્લાઓમાં વરસ્યો વરસાદ 

ગુજરાતના 112 તાલુકામાં મેઘમહેર જોવા મળી હતી. અનેક જિલ્લાઓમાં તો માત્ર થોડા સમયની અંદર ચાર ઈંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો હતો. નવસારીના વાંસદામાં 3.7 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. તે ઉપરાંત ધરમપુર અને પારડીમાં ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. 15 જેટલા તાલુકાઓ એવા હતા જ્યાં એક ઈંચથી બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. સુરત, રાજકોટ, વડોદરા, સુરેન્દ્રનગરમાં પણ મેહૂલો મહેરબાન થયો હતો. અમદાવાદમાં વરસાદી ઝાપટા આવ્યા હતા. તે સિવાય ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ નોંધાયો હતો. વરસાદનું આગમન થતાં જગતના તાતના ચહેરા પર ફરી એક વખત ખુશી દેખાઈ હતી. 

આગામી દિવસો માટે હવામાન વિભાગની આગાહી  

રાજ્યના હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં ભારે વરસાદ વરસશે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદને લઇ આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને આજે હવામાન વિભાગે 23 તાલુકામાં વરસાદની આગાહી કરી છે. તેમાં પણ દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાશે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામશે હવામાન વિભાગના મતે કાલથી વરસાદનું જોર વધશે અને સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ મૂશળધાર વરસાદ વરસશે.  તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠા જિલ્લા અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ થશે.  




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.