છોટાઉદેપુરમાં પ્રસૂતા મહિલાના મોત પર હાઈકોર્ટે સુઓમોટો લેતા સરકાર પાસેથી માંગ્યો જવાબ, શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-10-05 15:26:53

ગુજરાતને આપણે ભલે વિકસીત ગુજરાત કહેતા હોઈએ પરંતુ અનેક વિસ્તારો એવા છે જ્યાં કહેવાતો વિકાસ હજી સુધી નથી પહોંચ્યો.. અનેક અંતરિયાળ વિસ્તારો એવા છે જ્યાં રસ્તો નથી પહોંચ્યો જેને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.. થોડા દિવસ પહેલા તુરખેડાથી એક વીડિયો સામે આવ્યો હતો જેમાં મહિલાને ઝોળી કરીને લઈ જવા લોકો મજબૂર બન્યા હતા... રસ્તાના અભાવે બાળકે પોતાની માતાને ગુમાવી છે.. આ ઘટનાની નોંધ હાઈકોર્ટે લીધી છે અને સુઓમોટો દાખલ કરી છે.. સરકારને તીખા સવાલો કર્યા છે અને જવાબ આપવા માટે કહ્યું છે.... 

શું કહ્યું જજના બેન્ચે?

ત્રણ ઓક્ટોબરના દિવસે ગુજરાત હાઈકોર્ટમાં જજ બિરેન વૈષ્ણવ અને નીશા ઠાકોરની બેન્ચ દ્વારા તુરખેડાની આ ઘટના પર માધ્યમોમાં પ્રસારિત થયેલા અહેવાલના આધારે સુઓમોટો અરજી દાખલ કરવામાં આવી છે... જજ બિરેન વૈષ્ણવે કોર્ટમાં કહ્યું હતું કે, આ સમાચાર વાંચીને અમારા માથા શરમથી ઝૂકી ગયા છે.... મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીના જન્મદિને સમાચાર પત્રોમાં આ અહેવાલ આવ્યો હતો કે, આદિજાતિના જિલ્લા છોટાઉદેપુરના તુરખેડા ગામમાં એક મહિલાને પ્રસવની પીડા ઉપડતા ઝોળીમાં નાંખીને પરિવારના લોકો ચાલતા 5 કિલોમીટર દુર લઈ જતા હતા.. 



ઘણા સમયથી લોકો કરી રહ્યા છે રોડની માગ

જ્યા 108 એમ્બ્યુલન્સ આવવાની હતી. ત્યાંથી 108 મહિલાને પ્રાથમિક સારવાર કેન્દ્ર ખાતે લઈ જવાની હતી જે 25 કિમી દૂર હતું, પરંતુ રસ્તામાં જ મહિલાને પ્રસુતિ થઇ તેણે દીકરીને જન્મ આપ્યો અને મૃત્યુ પામી. આ તેની છેલ્લી યાત્રા બની રહી છે. કેટલાક વર્ષોથી ગામડાનના લોકો સરકાર પાસે રોડની માગ કરી રહ્યા હતા. ટેન્ડર નીકળે પાંચ વર્ષ થઇ ચૂ્ક્યા છે પણ કશું જ થયું નથી. આ ગામડામાં પ્રાથમિક સારવાર કેન્દ્ર અને રોડ જેવી પાયાની મૂળભૂત સુવિધાઓ નથી. આ ગામડામાં ત્રીજો બનાવ બન્યો છે. આ ગામડું નર્મદાના કિનારે આવેલું છે. નર્મદામાં જ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલું છે અને આપણે વિકસિત ગુજરાતમાં સમાનતાની વાત કરીએ છીએ.....



17 તારીખ સુધીનો આપવામાં આવ્યો છે સમય  

હાઇકોર્ટે રજીસ્ટ્રાર જ્યુડિશિયલને આ બાબતને સુઓ મોટો પિટિશન તરીકે લેવા આદેશ આપ્યો હતો. ગુજરાતના ચીફ સેક્રેટરી આ બાબતે હાઇકોર્ટને 17 ઓકટોબરે જવાબ આપે. કયા સંજોગોમાં આ દુઃખદ ઘટના બની તેનો રિપોર્ટ ચીફ સેક્રેટરી ચીફ જજની કોર્ટમાં મૂકશે.સાથે જ ગુજરાત લીગલ સર્વિસ ઓથોરિટીના મેમ્બર સેક્રેટરી દ્વારા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વીસ ઓથોરિટીનો સંપર્ક સાધીને આ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત લઈને તેમની તકલીફ જાણવામાં આવશે. ઉપરાંત ગામડામાં વસતા અન્ય લોકોની પણ તકલીફો જાણવામાં આવશે. તે પણ જોવામાં આવશે કે, ગામડામાં કેવી સુવિધાઓ છે.... 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.