Electionના દિવસે શેર માર્કેટમાં આવેલા કડાકાને લઈ રાજકારણ ગરમાયું! પહેલા Rahul Gandhiના આરોપો, તો સામે Piyush Goyalની પ્રતિક્રિયા..


  • Published By :
  • Published Date : 2024-06-07 12:20:42

લોકસભા ચૂંટણીનું પરિણામ આવતા પહેલા શેર માર્કેટમાં ઘણો ઉછાળો જોવા મળ્યો હતો.. એક્ઝિટ પોલ બાદ શેર માર્કેટમાં ઉછાળો આવ્યો પરંતુ ચોથી જૂને માર્કેટમાં એકદમ કડાકો જોવા મળ્યો. રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાઈ ગયા.. ગઈકાલે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પ્રેસ કોન્ફરન્સમાં શેર માર્કેટને લઈ પીએમ મોદી, અમિત શાહ દ્વારા આપવામાં આવેલા નિવેદનની વાત કરી હતી... રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો તેની સામે ભાજપના પિયુષ ગોયલે પ્રતિક્રિયા આપી છે.. રાહુલ ગાંધીના આરોપોને તેમણે પાયા વિહોણા ગણાવ્યા છે..

રાહુલ ગાંધીએ પીએમ મોદી અને અમિત શાહ પર સાધ્યું હતું નિશાન 

ચૂંટણીના પરિણામની અસર શેર માર્કેટ પર ઘણી દેખાઈ હતી. પરિણામોના દિવસે ઉમેદવારોના જેમ  શ્વાસ અધ્ધર થઈ ગયા હશે તેવી જ રીતે શેર માર્કેટમાં ઈન્વેસ્ટ કરતા લોકોના પણ શ્વાસ અધ્ધર થઈ ગયા હશે.. માર્કેટમાં મોટો કડાકો જોવા મળ્યો હતો જેને કારણે રોકાણકારોની સંપત્તિનું ધોવાણ થયું હતું. ત્યારે ગઈકાલે શેર માર્કેટને લઈ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં પીએમ મોદી અને અમિત શાહ પર નિશાન સાધ્યું હતું..  


પિયુષ ગોયલે આપી પ્રતિક્રિયા 

રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સનો જવાબ ભાજપ નેતા પિયુષ ગોયલ દ્વારા આપવામાં આવ્યો. પ્રતિક્રિયા આપતા પિયુષ ગોયલે કહ્યું કે રાહુલ ગાંધી માર્કેટના ઈન્વેસ્ટરને ગુમરાહ કરવાની કોશિશ કરી રહ્યા છે. આજે ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. આજે પૂરી દુનિયાએ ભારતને fastest growing economyના રૂપમાં સ્વીકારી લીધું છે.. શેર માર્કેટને લઈને પણ રાજનીતિ શરૂ થઈ ગઈ છે.. ત્યારે તમારૂં આ મામલે શું કહેવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.