Electionના દિવસે શેર માર્કેટમાં આવેલા કડાકાને લઈ રાજકારણ ગરમાયું! પહેલા Rahul Gandhiના આરોપો, તો સામે Piyush Goyalની પ્રતિક્રિયા..


  • Published By :
  • Published Date : 2024-06-07 12:20:42

લોકસભા ચૂંટણીનું પરિણામ આવતા પહેલા શેર માર્કેટમાં ઘણો ઉછાળો જોવા મળ્યો હતો.. એક્ઝિટ પોલ બાદ શેર માર્કેટમાં ઉછાળો આવ્યો પરંતુ ચોથી જૂને માર્કેટમાં એકદમ કડાકો જોવા મળ્યો. રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાઈ ગયા.. ગઈકાલે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પ્રેસ કોન્ફરન્સમાં શેર માર્કેટને લઈ પીએમ મોદી, અમિત શાહ દ્વારા આપવામાં આવેલા નિવેદનની વાત કરી હતી... રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો તેની સામે ભાજપના પિયુષ ગોયલે પ્રતિક્રિયા આપી છે.. રાહુલ ગાંધીના આરોપોને તેમણે પાયા વિહોણા ગણાવ્યા છે..

રાહુલ ગાંધીએ પીએમ મોદી અને અમિત શાહ પર સાધ્યું હતું નિશાન 

ચૂંટણીના પરિણામની અસર શેર માર્કેટ પર ઘણી દેખાઈ હતી. પરિણામોના દિવસે ઉમેદવારોના જેમ  શ્વાસ અધ્ધર થઈ ગયા હશે તેવી જ રીતે શેર માર્કેટમાં ઈન્વેસ્ટ કરતા લોકોના પણ શ્વાસ અધ્ધર થઈ ગયા હશે.. માર્કેટમાં મોટો કડાકો જોવા મળ્યો હતો જેને કારણે રોકાણકારોની સંપત્તિનું ધોવાણ થયું હતું. ત્યારે ગઈકાલે શેર માર્કેટને લઈ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં પીએમ મોદી અને અમિત શાહ પર નિશાન સાધ્યું હતું..  


પિયુષ ગોયલે આપી પ્રતિક્રિયા 

રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સનો જવાબ ભાજપ નેતા પિયુષ ગોયલ દ્વારા આપવામાં આવ્યો. પ્રતિક્રિયા આપતા પિયુષ ગોયલે કહ્યું કે રાહુલ ગાંધી માર્કેટના ઈન્વેસ્ટરને ગુમરાહ કરવાની કોશિશ કરી રહ્યા છે. આજે ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. આજે પૂરી દુનિયાએ ભારતને fastest growing economyના રૂપમાં સ્વીકારી લીધું છે.. શેર માર્કેટને લઈને પણ રાજનીતિ શરૂ થઈ ગઈ છે.. ત્યારે તમારૂં આ મામલે શું કહેવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.