Electionના દિવસે શેર માર્કેટમાં આવેલા કડાકાને લઈ રાજકારણ ગરમાયું! પહેલા Rahul Gandhiના આરોપો, તો સામે Piyush Goyalની પ્રતિક્રિયા..


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-07 12:20:42

લોકસભા ચૂંટણીનું પરિણામ આવતા પહેલા શેર માર્કેટમાં ઘણો ઉછાળો જોવા મળ્યો હતો.. એક્ઝિટ પોલ બાદ શેર માર્કેટમાં ઉછાળો આવ્યો પરંતુ ચોથી જૂને માર્કેટમાં એકદમ કડાકો જોવા મળ્યો. રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાઈ ગયા.. ગઈકાલે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પ્રેસ કોન્ફરન્સમાં શેર માર્કેટને લઈ પીએમ મોદી, અમિત શાહ દ્વારા આપવામાં આવેલા નિવેદનની વાત કરી હતી... રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો તેની સામે ભાજપના પિયુષ ગોયલે પ્રતિક્રિયા આપી છે.. રાહુલ ગાંધીના આરોપોને તેમણે પાયા વિહોણા ગણાવ્યા છે..

રાહુલ ગાંધીએ પીએમ મોદી અને અમિત શાહ પર સાધ્યું હતું નિશાન 

ચૂંટણીના પરિણામની અસર શેર માર્કેટ પર ઘણી દેખાઈ હતી. પરિણામોના દિવસે ઉમેદવારોના જેમ  શ્વાસ અધ્ધર થઈ ગયા હશે તેવી જ રીતે શેર માર્કેટમાં ઈન્વેસ્ટ કરતા લોકોના પણ શ્વાસ અધ્ધર થઈ ગયા હશે.. માર્કેટમાં મોટો કડાકો જોવા મળ્યો હતો જેને કારણે રોકાણકારોની સંપત્તિનું ધોવાણ થયું હતું. ત્યારે ગઈકાલે શેર માર્કેટને લઈ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં પીએમ મોદી અને અમિત શાહ પર નિશાન સાધ્યું હતું..  


પિયુષ ગોયલે આપી પ્રતિક્રિયા 

રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સનો જવાબ ભાજપ નેતા પિયુષ ગોયલ દ્વારા આપવામાં આવ્યો. પ્રતિક્રિયા આપતા પિયુષ ગોયલે કહ્યું કે રાહુલ ગાંધી માર્કેટના ઈન્વેસ્ટરને ગુમરાહ કરવાની કોશિશ કરી રહ્યા છે. આજે ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. આજે પૂરી દુનિયાએ ભારતને fastest growing economyના રૂપમાં સ્વીકારી લીધું છે.. શેર માર્કેટને લઈને પણ રાજનીતિ શરૂ થઈ ગઈ છે.. ત્યારે તમારૂં આ મામલે શું કહેવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 



વધારે વરસાદ પડવાથી સામાન્ય માણસને વધારે ફરક નથી પડતો પરંતુ જગતના તાતની ચિંતા વધી જાય છે જ્યારે વરસાદ જરૂરિયાત કરતા વધારે વરસે અથવા તો ખેતરમાં પાણી ભરાઈ જાય તો.. સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદે તબાહી સર્જી છે. અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે..

આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..

ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.