Electionના દિવસે શેર માર્કેટમાં આવેલા કડાકાને લઈ રાજકારણ ગરમાયું! પહેલા Rahul Gandhiના આરોપો, તો સામે Piyush Goyalની પ્રતિક્રિયા..


  • Published By :
  • Published Date : 2024-06-07 12:20:42

લોકસભા ચૂંટણીનું પરિણામ આવતા પહેલા શેર માર્કેટમાં ઘણો ઉછાળો જોવા મળ્યો હતો.. એક્ઝિટ પોલ બાદ શેર માર્કેટમાં ઉછાળો આવ્યો પરંતુ ચોથી જૂને માર્કેટમાં એકદમ કડાકો જોવા મળ્યો. રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાઈ ગયા.. ગઈકાલે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પ્રેસ કોન્ફરન્સમાં શેર માર્કેટને લઈ પીએમ મોદી, અમિત શાહ દ્વારા આપવામાં આવેલા નિવેદનની વાત કરી હતી... રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો તેની સામે ભાજપના પિયુષ ગોયલે પ્રતિક્રિયા આપી છે.. રાહુલ ગાંધીના આરોપોને તેમણે પાયા વિહોણા ગણાવ્યા છે..

રાહુલ ગાંધીએ પીએમ મોદી અને અમિત શાહ પર સાધ્યું હતું નિશાન 

ચૂંટણીના પરિણામની અસર શેર માર્કેટ પર ઘણી દેખાઈ હતી. પરિણામોના દિવસે ઉમેદવારોના જેમ  શ્વાસ અધ્ધર થઈ ગયા હશે તેવી જ રીતે શેર માર્કેટમાં ઈન્વેસ્ટ કરતા લોકોના પણ શ્વાસ અધ્ધર થઈ ગયા હશે.. માર્કેટમાં મોટો કડાકો જોવા મળ્યો હતો જેને કારણે રોકાણકારોની સંપત્તિનું ધોવાણ થયું હતું. ત્યારે ગઈકાલે શેર માર્કેટને લઈ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં પીએમ મોદી અને અમિત શાહ પર નિશાન સાધ્યું હતું..  


પિયુષ ગોયલે આપી પ્રતિક્રિયા 

રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સનો જવાબ ભાજપ નેતા પિયુષ ગોયલ દ્વારા આપવામાં આવ્યો. પ્રતિક્રિયા આપતા પિયુષ ગોયલે કહ્યું કે રાહુલ ગાંધી માર્કેટના ઈન્વેસ્ટરને ગુમરાહ કરવાની કોશિશ કરી રહ્યા છે. આજે ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. આજે પૂરી દુનિયાએ ભારતને fastest growing economyના રૂપમાં સ્વીકારી લીધું છે.. શેર માર્કેટને લઈને પણ રાજનીતિ શરૂ થઈ ગઈ છે.. ત્યારે તમારૂં આ મામલે શું કહેવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.