પ્રથમ નોરતે લાખો દર્શનાર્થીઓએ કર્યા માંના દર્શન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-26 15:31:38

માતાજીના નવલા નોરતાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. નવરાત્રી દરમિયાન માં જગદંબાની આરાધના કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. ત્યારે નવરાત્રીના પ્રથમ નોરતે ગુજરાતમાં આવેલા શક્તિપીઠ અંબાજી ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા તેમજ પાવાગઢ ખાતે પણ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. દૂર-દૂરથી લોકો માં અંબાના દર્શન કરવા આવે છે. દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

બોલ મારી અંબે જય જય અંબે નાદથી ગુંજ્યુ ચાચર ચોક

આદ્યશક્તિના 52 શક્તિપીઠોમાંથી મુખ્ય ગણાતું અંબાજી શક્તિપીઠ ખાતે નવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. એવી માન્યતા છે કે માતા સતીનું હૃદય આ સ્થાનકે પડ્યું હતું. જેથી આ સ્થાનનું મહાત્મય વધી જાય છે. સામાન્ય દિવસોમાં પણ માં અંબાના દર્શને ભક્તો આવતા હોય છે પરંતુ નવરાત્રી દરમિયાન દર્શન કરવાનો અનેરો મહિમા હોય છે. જેને કારણે નવરાત્રીના પ્રથમ નોરતે જ ભાવિકોનું ઘોડાપુર અંબાજી ખાતે ઉમટી પડ્યું હતું. મોટી સંખ્યમાં ભક્તો ઉપસ્થિત રહેતા મંદિર પરિસર બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું હતું. અંબાજી મંદિરના મહારાજ દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ઘટસ્થાપના વિધિ કરવામાં આવી હતી.    

ભક્તોએ અંબાજી પહોંચી મા અંબાનાં દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવી


બોલ મારી અંબે, જય જય અંબે...ના નાદથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઊઠ્યું


પાવાગઢમાં પણ ઉમટ્યું ભાવિકોનું ઘોડાપુર

ગુજરાતમાં આવેલા બીજા શક્તિપીઠ પાવાગઢ ખાતે પણ માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. લાખોની સંખ્યામાં ભક્તોએ માં મહાકાળીના દર્શન કર્યા હતા. ભક્તોનું ઘોડાપુર ઉમટી પડતા સવારથી જ લાંબી કતારો જોવા મળી હતી. મંદિરમાં આવતા ભક્તોને અગવડ ન પડે તે માટે પોલીસ વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી હતી. બપોર સુધી અંદાજીત 2 લાખથી વધુ દર્શનાર્થીઓએ દર્શનનો લાભ લીધો હતો. નવરાત્રીના પ્રથમ નોરતે માં આગળ શિશ નમાવી માંના આશીર્વાદ મેળવી દર્શનાર્થીઓ ભાવવિભોર બન્યા હતા.   

 




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે