પ્રથમ નોરતે લાખો દર્શનાર્થીઓએ કર્યા માંના દર્શન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-26 15:31:38

માતાજીના નવલા નોરતાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. નવરાત્રી દરમિયાન માં જગદંબાની આરાધના કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. ત્યારે નવરાત્રીના પ્રથમ નોરતે ગુજરાતમાં આવેલા શક્તિપીઠ અંબાજી ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા તેમજ પાવાગઢ ખાતે પણ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. દૂર-દૂરથી લોકો માં અંબાના દર્શન કરવા આવે છે. દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

બોલ મારી અંબે જય જય અંબે નાદથી ગુંજ્યુ ચાચર ચોક

આદ્યશક્તિના 52 શક્તિપીઠોમાંથી મુખ્ય ગણાતું અંબાજી શક્તિપીઠ ખાતે નવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. એવી માન્યતા છે કે માતા સતીનું હૃદય આ સ્થાનકે પડ્યું હતું. જેથી આ સ્થાનનું મહાત્મય વધી જાય છે. સામાન્ય દિવસોમાં પણ માં અંબાના દર્શને ભક્તો આવતા હોય છે પરંતુ નવરાત્રી દરમિયાન દર્શન કરવાનો અનેરો મહિમા હોય છે. જેને કારણે નવરાત્રીના પ્રથમ નોરતે જ ભાવિકોનું ઘોડાપુર અંબાજી ખાતે ઉમટી પડ્યું હતું. મોટી સંખ્યમાં ભક્તો ઉપસ્થિત રહેતા મંદિર પરિસર બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું હતું. અંબાજી મંદિરના મહારાજ દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ઘટસ્થાપના વિધિ કરવામાં આવી હતી.    

ભક્તોએ અંબાજી પહોંચી મા અંબાનાં દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવી


બોલ મારી અંબે, જય જય અંબે...ના નાદથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઊઠ્યું


પાવાગઢમાં પણ ઉમટ્યું ભાવિકોનું ઘોડાપુર

ગુજરાતમાં આવેલા બીજા શક્તિપીઠ પાવાગઢ ખાતે પણ માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. લાખોની સંખ્યામાં ભક્તોએ માં મહાકાળીના દર્શન કર્યા હતા. ભક્તોનું ઘોડાપુર ઉમટી પડતા સવારથી જ લાંબી કતારો જોવા મળી હતી. મંદિરમાં આવતા ભક્તોને અગવડ ન પડે તે માટે પોલીસ વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી હતી. બપોર સુધી અંદાજીત 2 લાખથી વધુ દર્શનાર્થીઓએ દર્શનનો લાભ લીધો હતો. નવરાત્રીના પ્રથમ નોરતે માં આગળ શિશ નમાવી માંના આશીર્વાદ મેળવી દર્શનાર્થીઓ ભાવવિભોર બન્યા હતા.   

 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.