Dusheraના પર્વ પર ડ્રગ્સને લઈ Harsh Sanghviએ આપ્યું નિવેદન, કહ્યું નકારાત્મકતાના રાવણનું દહન કરીએ


  • Published By :
  • Published Date : 2023-10-24 16:49:05

ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ દારૂબંધીના કાયદાનો અમલ કેટલો અને કેવો થાય છે તે આપણે જાણીએ છીએ. દારૂબંધીના ધજાગરા ખુલ્લેઆમ ઉડતા હોય તેવા અનેક કિસ્સાઓ આપણી સામે છે. ગુજરાતને ડ્રાય સ્ટેટ પણ કહેવામાં આવે છે પરંતુ વાસ્તવિક્તા આપણા નજરોની સામે છે. કેટલો દારૂ ઝડપાય છે, કેટલા મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો પકડાય છે તે આપણે જાણીએ છીએ. દારૂ તો યુવા પેઢીને નુકસાન પહોંચાડે ઉપરાંત ડ્રગ્સ પણ શરીર માટે હાનિકારક છે. ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો પકડાઈ રહ્યો છે ત્યારે આજે દશેરાના દિવસે ગુજરાતમાં પકડાતા ડ્રગ્સને લઈ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે. 

ગુજરાતમાંથી અનેક વખત પકડાય છે ડ્રગ્સ 

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. એક સમયે ઉડતા પંજાબ કહેવાતું હતું પરંતુ આપણા રાજ્યમાંથી પણ અનેક વખત ડ્રગ્સનો મોટો જથ્થો પકડાય છે. ડ્રગ્સને પકડવા માટે ઝુંબેશ ચાલે છે. એક્શન ત્વરીત લેવામાં આવી રહ્યા છે. ત્યારે ડ્રગ્સને લઈ હર્ષ સંઘવીએ મહત્વનું નિવેદન આપ્યું છે. હર્ષ સંઘવીએ પહેલા રાજ્યના નાગરિકોને દશેરાની શુભકામના પાઠવી હતી અને તે બાદ કહ્યું કે વિજયાદશમીનું પવિત્ર પર્વ આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયનું પ્રતિક છે. દશેરા એટલે ખામીઓ સામે ખૂબીઓનો વિજય એમ જણાવી નકારાત્મકતાના રાવણનું દહન કરીને હૃદયમાં સકારાત્મકતાની જ્યોત પ્રગટાવવા આહ્વાન કર્યું હતું.   


પોલીસની કામગીરીને હર્ષ સંઘવીએ બિરદાવી 

ઉપરાંત તેમણે એવું પણ કહ્યું કે રાજ્યમાં છેલ્લાં બે વર્ષથી ડ્રગ્સના દૈત્યને નાથવાનું અને ડ્રગ્સ રેકેટનો સંપૂર્ણપણે સફાયો કરવાનું અભિયાન ચાલી રહ્યું છે. અમે ડ્રગ્સની સામે અભિયાન નથી ચલાવતા, અમે એક જંગ છેડી દીધી છે. ડ્રગ્સને સંપૂર્ણરીતે સાફ કરીને જ આ જંગ બંધ કરીશું તેવી હું બધાને ખાતરી આપું છું. ડ્રગ્સ સામેની લડાઈમાં અમે જીત મેળવીને રહીશું.  રાષ્ટ્ર, રાજ્યના લોકોની રક્ષા, સમાજ સુરક્ષા માટે પોલીસ દળની કર્તવ્યપરાયણતાને બિરદાવી હતી. ઉપરાંત એવું પણ કહ્યું હતું કે હું કહું છું કે કાયદામાં રહેશે તો જ ફાયદામાં રહેશે. કાયદો તોડનાર દરેકને જ્યાં સુધી સજા ન થયા ત્યાં સુધી ગુજરાત પોલીસ તેની પાછળ જ રહેશે. 



પોલીસ ધારે તો તેમના માટે અશક્ય કંઈ નથી 

મહત્વનું છે અનેક વખત અમે કહેતા હોઈએ છીએ કે પોલીસ ધારેને તો કોઈ પણ વસ્તુ અશક્ય નથી. એ ધારે તો ગુજરાતમાં દારૂબંધીનો અમલ કડકપણે થાય. ઘણી વખત બનતું હોય છે કે દારૂના અડ્ડાઓની જાણ હોવા છતાંય પોલીસ દ્વારા એક્શન નથી લેવામાં આવતા.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.