Dusheraના પર્વ પર ડ્રગ્સને લઈ Harsh Sanghviએ આપ્યું નિવેદન, કહ્યું નકારાત્મકતાના રાવણનું દહન કરીએ


  • Published By :
  • Published Date : 2023-10-24 16:49:05

ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ દારૂબંધીના કાયદાનો અમલ કેટલો અને કેવો થાય છે તે આપણે જાણીએ છીએ. દારૂબંધીના ધજાગરા ખુલ્લેઆમ ઉડતા હોય તેવા અનેક કિસ્સાઓ આપણી સામે છે. ગુજરાતને ડ્રાય સ્ટેટ પણ કહેવામાં આવે છે પરંતુ વાસ્તવિક્તા આપણા નજરોની સામે છે. કેટલો દારૂ ઝડપાય છે, કેટલા મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો પકડાય છે તે આપણે જાણીએ છીએ. દારૂ તો યુવા પેઢીને નુકસાન પહોંચાડે ઉપરાંત ડ્રગ્સ પણ શરીર માટે હાનિકારક છે. ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો પકડાઈ રહ્યો છે ત્યારે આજે દશેરાના દિવસે ગુજરાતમાં પકડાતા ડ્રગ્સને લઈ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે. 

ગુજરાતમાંથી અનેક વખત પકડાય છે ડ્રગ્સ 

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. એક સમયે ઉડતા પંજાબ કહેવાતું હતું પરંતુ આપણા રાજ્યમાંથી પણ અનેક વખત ડ્રગ્સનો મોટો જથ્થો પકડાય છે. ડ્રગ્સને પકડવા માટે ઝુંબેશ ચાલે છે. એક્શન ત્વરીત લેવામાં આવી રહ્યા છે. ત્યારે ડ્રગ્સને લઈ હર્ષ સંઘવીએ મહત્વનું નિવેદન આપ્યું છે. હર્ષ સંઘવીએ પહેલા રાજ્યના નાગરિકોને દશેરાની શુભકામના પાઠવી હતી અને તે બાદ કહ્યું કે વિજયાદશમીનું પવિત્ર પર્વ આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયનું પ્રતિક છે. દશેરા એટલે ખામીઓ સામે ખૂબીઓનો વિજય એમ જણાવી નકારાત્મકતાના રાવણનું દહન કરીને હૃદયમાં સકારાત્મકતાની જ્યોત પ્રગટાવવા આહ્વાન કર્યું હતું.   


પોલીસની કામગીરીને હર્ષ સંઘવીએ બિરદાવી 

ઉપરાંત તેમણે એવું પણ કહ્યું કે રાજ્યમાં છેલ્લાં બે વર્ષથી ડ્રગ્સના દૈત્યને નાથવાનું અને ડ્રગ્સ રેકેટનો સંપૂર્ણપણે સફાયો કરવાનું અભિયાન ચાલી રહ્યું છે. અમે ડ્રગ્સની સામે અભિયાન નથી ચલાવતા, અમે એક જંગ છેડી દીધી છે. ડ્રગ્સને સંપૂર્ણરીતે સાફ કરીને જ આ જંગ બંધ કરીશું તેવી હું બધાને ખાતરી આપું છું. ડ્રગ્સ સામેની લડાઈમાં અમે જીત મેળવીને રહીશું.  રાષ્ટ્ર, રાજ્યના લોકોની રક્ષા, સમાજ સુરક્ષા માટે પોલીસ દળની કર્તવ્યપરાયણતાને બિરદાવી હતી. ઉપરાંત એવું પણ કહ્યું હતું કે હું કહું છું કે કાયદામાં રહેશે તો જ ફાયદામાં રહેશે. કાયદો તોડનાર દરેકને જ્યાં સુધી સજા ન થયા ત્યાં સુધી ગુજરાત પોલીસ તેની પાછળ જ રહેશે. 



પોલીસ ધારે તો તેમના માટે અશક્ય કંઈ નથી 

મહત્વનું છે અનેક વખત અમે કહેતા હોઈએ છીએ કે પોલીસ ધારેને તો કોઈ પણ વસ્તુ અશક્ય નથી. એ ધારે તો ગુજરાતમાં દારૂબંધીનો અમલ કડકપણે થાય. ઘણી વખત બનતું હોય છે કે દારૂના અડ્ડાઓની જાણ હોવા છતાંય પોલીસ દ્વારા એક્શન નથી લેવામાં આવતા.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.