Dusheraના પર્વ પર ડ્રગ્સને લઈ Harsh Sanghviએ આપ્યું નિવેદન, કહ્યું નકારાત્મકતાના રાવણનું દહન કરીએ


  • Published By :
  • Published Date : 2023-10-24 16:49:05

ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ દારૂબંધીના કાયદાનો અમલ કેટલો અને કેવો થાય છે તે આપણે જાણીએ છીએ. દારૂબંધીના ધજાગરા ખુલ્લેઆમ ઉડતા હોય તેવા અનેક કિસ્સાઓ આપણી સામે છે. ગુજરાતને ડ્રાય સ્ટેટ પણ કહેવામાં આવે છે પરંતુ વાસ્તવિક્તા આપણા નજરોની સામે છે. કેટલો દારૂ ઝડપાય છે, કેટલા મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો પકડાય છે તે આપણે જાણીએ છીએ. દારૂ તો યુવા પેઢીને નુકસાન પહોંચાડે ઉપરાંત ડ્રગ્સ પણ શરીર માટે હાનિકારક છે. ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો પકડાઈ રહ્યો છે ત્યારે આજે દશેરાના દિવસે ગુજરાતમાં પકડાતા ડ્રગ્સને લઈ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે. 

ગુજરાતમાંથી અનેક વખત પકડાય છે ડ્રગ્સ 

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. એક સમયે ઉડતા પંજાબ કહેવાતું હતું પરંતુ આપણા રાજ્યમાંથી પણ અનેક વખત ડ્રગ્સનો મોટો જથ્થો પકડાય છે. ડ્રગ્સને પકડવા માટે ઝુંબેશ ચાલે છે. એક્શન ત્વરીત લેવામાં આવી રહ્યા છે. ત્યારે ડ્રગ્સને લઈ હર્ષ સંઘવીએ મહત્વનું નિવેદન આપ્યું છે. હર્ષ સંઘવીએ પહેલા રાજ્યના નાગરિકોને દશેરાની શુભકામના પાઠવી હતી અને તે બાદ કહ્યું કે વિજયાદશમીનું પવિત્ર પર્વ આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયનું પ્રતિક છે. દશેરા એટલે ખામીઓ સામે ખૂબીઓનો વિજય એમ જણાવી નકારાત્મકતાના રાવણનું દહન કરીને હૃદયમાં સકારાત્મકતાની જ્યોત પ્રગટાવવા આહ્વાન કર્યું હતું.   


પોલીસની કામગીરીને હર્ષ સંઘવીએ બિરદાવી 

ઉપરાંત તેમણે એવું પણ કહ્યું કે રાજ્યમાં છેલ્લાં બે વર્ષથી ડ્રગ્સના દૈત્યને નાથવાનું અને ડ્રગ્સ રેકેટનો સંપૂર્ણપણે સફાયો કરવાનું અભિયાન ચાલી રહ્યું છે. અમે ડ્રગ્સની સામે અભિયાન નથી ચલાવતા, અમે એક જંગ છેડી દીધી છે. ડ્રગ્સને સંપૂર્ણરીતે સાફ કરીને જ આ જંગ બંધ કરીશું તેવી હું બધાને ખાતરી આપું છું. ડ્રગ્સ સામેની લડાઈમાં અમે જીત મેળવીને રહીશું.  રાષ્ટ્ર, રાજ્યના લોકોની રક્ષા, સમાજ સુરક્ષા માટે પોલીસ દળની કર્તવ્યપરાયણતાને બિરદાવી હતી. ઉપરાંત એવું પણ કહ્યું હતું કે હું કહું છું કે કાયદામાં રહેશે તો જ ફાયદામાં રહેશે. કાયદો તોડનાર દરેકને જ્યાં સુધી સજા ન થયા ત્યાં સુધી ગુજરાત પોલીસ તેની પાછળ જ રહેશે. 



પોલીસ ધારે તો તેમના માટે અશક્ય કંઈ નથી 

મહત્વનું છે અનેક વખત અમે કહેતા હોઈએ છીએ કે પોલીસ ધારેને તો કોઈ પણ વસ્તુ અશક્ય નથી. એ ધારે તો ગુજરાતમાં દારૂબંધીનો અમલ કડકપણે થાય. ઘણી વખત બનતું હોય છે કે દારૂના અડ્ડાઓની જાણ હોવા છતાંય પોલીસ દ્વારા એક્શન નથી લેવામાં આવતા.  



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.