વિશ્વ હિન્દી દિવસ નિમિત્તે આજે સાહિત્યના સમીપમાં વાંચો રામધારી સિંહ દિનકરની રચના - सिंहासन खाली करो कि जनता आती है


  • Published By :
  • Published Date : 2024-01-10 09:34:25

10 જાન્યુઆરી એટલે વિશ્વ હિન્દી દિવસ. દર વર્ષે 10 જાન્યુઆરીએ વિશ્વ હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવે છે. હિન્દી ભાષાનો પ્રચાર થાય તે માટે આ દિવસને ઉજવવાની શરૂઆત કરવામાં આવી. સાહિત્યના સમીપમાં આજે એક એવા કવિની રચના પ્રસ્તુત કરવી છે જેમના શબ્દો લોકોને અંદરથી હચમચાવી નાખે છે. હિન્દી સાહિત્યમાં તેમનું યોગદાન અમુલ્ય છે. હિન્દી દિવસમાં આજે કવિ રામધારી સિંહ દિનકરની રચના - સિંહાસન ખાલી કરો કી જનતા આતી હૈં....

 

જનતાને ભૂલી જાય છે સત્તાધીશો!

જનતા... આ શબ્દની કિંમત સત્તાધીશો, રાજકીય પાર્ટીઓને એ સમયે જ થાય છે જ્યારે ચૂંટણી આવતી હોય છે. ચૂંટણી આવતા જનતા ભગવાન છે તેવી અનુભૂતિ કરાવવામાં આવતી હોય છે, અને ચૂંટણી પૂર્ણ થયા પછી?  અનેક એવા કિસ્સાઓ સામે આવતા રહે છે જેમાં સામાન્ય લોકો સાથે કેવી રીતે વ્યવહાર થાય છે તે આપણે જાણીએ છીએ. સિંહાસન પર બેઠેલા લોકો સામાન્ય માણસને પડતી મુશ્કેલીનો અંદાજો નથી લગાવી શક્તા. એવું લાગે કે રાજકીય પાર્ટી માટે જનતા માત્ર વોટ બેંકનું સાધન છે.... એ લોકોના મતથી રાજકીય પાર્ટી સત્તા મેળવે છે સત્તા મેળવ્યા પછી તે જ જનતાને ભૂલી જાય છે. ! 



सिंहासन खाली करो कि जनता आती है 


सदियों की ठण्डी-बुझी राख सुगबुगा उठी

मिट्टी सोने का ताज पहन इठलाती है

दो राह, समय के रथ का घर्घर-नाद सुनो

सिंहासन खाली करो कि जनता आती है 

 

जनता ? हाँ, मिट्टी की अबोध मूरतें वही

जाड़े-पाले की कसक सदा सहनेवाली 

जब अँग-अँग में लगे साँप हो चूस रहे

तब भी न कभी मुँह खोल दर्द कहनेवाली 


जनता ? हाँ, लम्बी-बडी जीभ की वही कसम

"जनता,सचमुच ही, बडी वेदना सहती है।" 

"सो ठीक, मगर, आखिर, इस पर जनमत क्या है ?" 

'है प्रश्न गूढ़ जनता इस पर क्या कहती है ?" 


मानो,जनता ही फूल जिसे अहसास नहीं

जब चाहो तभी उतार सजा लो दोनों में

अथवा कोई दूधमुँही जिसे बहलाने के 

जन्तर-मन्तर सीमित हों चार खिलौनों में 


लेकिन होता भूडोल, बवण्डर उठते हैं

जनता जब कोपाकुल हो भृकुटि चढाती है

दो राह, समय के रथ का घर्घर-नाद सुनो

सिंहासन खाली करो कि जनता आती है 


हुँकारों से महलों की नींव उखड़ जाती

साँसों के बल से ताज हवा में उड़ता है

जनता की रोके राह, समय में ताव कहाँ ? 

वह जिधर चाहती, काल उधर ही मुड़ता है 


अब्दों, शताब्दियों, सहस्त्राब्द का अन्धकार 

बीता; गवाक्ष अम्बर के दहके जाते हैं

यह और नहीं कोई, जनता के स्वप्न अजय 

चीरते तिमिर का वक्ष उमड़ते जाते हैं 


सब से विराट जनतन्त्र जगत का आ पहुँचा

तैंतीस कोटि-हित सिंहासन तय करो 

अभिषेक आज राजा का नहीं, प्रजा का है

तैंतीस कोटि जनता के सिर पर मुकुट धरो 


आरती लिए तू किसे ढूँढ़ता है मूरख

मन्दिरों, राजप्रासादों में, तहखानों में ? 

देवता कहीं सड़कों पर गिट्टी तोड़ रहे

देवता मिलेंगे खेतों में, खलिहानों में 


फावड़े और हल राजदण्ड बनने को हैं

धूसरता सोने से शृँगार सजाती है

दो राह, समय के रथ का घर्घर-नाद सुनो

सिंहासन खाली करो कि जनता आती है  

 - रामधारी सिंह दिनकर 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.