એક તરફ Gyan Sahayakનો વિરોધ તો બીજી તરફ સરકાર કરી શકે છે Vidhya Sahayakઓની ભરતી અંગે જાહેરાત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-23 10:03:09

એક તરફ જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ થઈ રહ્યો છે તો બીજી તરફ વિદ્યા સહાયકની ભરતી અંગે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે તેવી માહિતી સામે આવી છે. મળતી વિગતો અનુસાર ટૂંક સમયમાં વિદ્યા સહાયકોની મોટા પ્રમાણમાં ભરતી થઈ શકે છે. ગુજરાતમાં વિવિધ જગ્યાએ વિદ્યાસહાયકોની ભરતી માટેનો મહત્વપૂર્ણ નિર્ણય સરકારે લીધો છે. ટૂંક સમયમાં વિદ્યા સહાયકની નવી ભરતી જાહેર થઈ શકે છેએવા સમાચાર સામે આવી રહ્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા 2750 જગ્યાઓ ભરવાની મંજુરી આપી દેવામાં આવી છે. અગાઉ મંજુર કરેલી 5360 જગ્યાઓમાંથી 2600 જગ્યાઓ ભરવામાં આવી હતી. બાકી રહેલી જગ્યાઓ ભરવા માટે વિભાગ કામગીરી શરુ કરાઈ છે. 

Image

2750 જગ્યાઓ માટે થઈ શકે છે ભરતીની જાહેરાત!

ગુજરાતના ભાવિ શિક્ષકો કરાર આધારિત ભરતીનો વિરોધ કરી રહ્યા છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે. એક તરફ ટેટ-ટાટ પાસ ઉમેદવારો શિક્ષકોની કાયમી ભરતી માટે આંદોલન ચલાવી રહ્યા છે તો બીજી તરફ ગુજરાત સરકાર દ્વારા વિદ્યા સહાયકની ભરતી અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે તેવી માહિતી સામે આવી છે. ટૂંક સમયમાં બાકી રહેલી જગ્યાઓ માટે વિસ્તૃત કાર્યક્રમ જાહેર કરવામાં આવશે તેવી જાણકારી સામે આવી છે. 2750 જેટલી વિદ્યાસહાયકોની ભરતી અંગે જાહેરાત કરવામાં આવી શકે છે. આની પહેલા જ્યારે ભરતી કરવામાં આવી હતી ત્યારે 2600 જેટલી જગ્યાઓ ભરાઈ ચૂકી હતી અને હવે બાકીની 2750 જગ્યાઓ પર આ ભરતી કરવામાં આવી શકે છે તેવી માહિતી સામે આવી છે. 


ટેટ-ટાટ પાસ ઉમેદવારો કરી રહ્યા છે જ્ઞાન સહાયકનો વિરોધ 

જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ ટેટ-ટાટ પાસ ઉમેદવારો ઉગ્ર રીતે નોંધાવી રહ્યા છે. અલગ અલગ જગ્યાઓ પર પ્રદર્શન કરી રહ્યા છે. જ્ઞાન સહાયક ભરતીને રદ્દ કરી કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ સાથે ગાંધીનગર ખાતે આંદોલન કરવાનો અનેક વખત પ્રયાસ કર્યો પરંતુ આંદોલન કરવા સ્થળ પર પહોંચે તેની પહેલા જ તેમની અટકાયત કરી દેવામાં આવતી હતી. જ્ઞાન સહાયકના વિરોધ વચ્ચે સરકારે વિદ્યા સહાયકની ભરતી કરવાની વિચારણા કરી છે ત્યારે જોવું રહ્યું આવનાર સમયમાં શું થાય છે?   



રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.