એક તરફ Gyan Sahayakનો વિરોધ તો બીજી તરફ સરકાર કરી શકે છે Vidhya Sahayakઓની ભરતી અંગે જાહેરાત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-23 10:03:09

એક તરફ જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ થઈ રહ્યો છે તો બીજી તરફ વિદ્યા સહાયકની ભરતી અંગે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે તેવી માહિતી સામે આવી છે. મળતી વિગતો અનુસાર ટૂંક સમયમાં વિદ્યા સહાયકોની મોટા પ્રમાણમાં ભરતી થઈ શકે છે. ગુજરાતમાં વિવિધ જગ્યાએ વિદ્યાસહાયકોની ભરતી માટેનો મહત્વપૂર્ણ નિર્ણય સરકારે લીધો છે. ટૂંક સમયમાં વિદ્યા સહાયકની નવી ભરતી જાહેર થઈ શકે છેએવા સમાચાર સામે આવી રહ્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા 2750 જગ્યાઓ ભરવાની મંજુરી આપી દેવામાં આવી છે. અગાઉ મંજુર કરેલી 5360 જગ્યાઓમાંથી 2600 જગ્યાઓ ભરવામાં આવી હતી. બાકી રહેલી જગ્યાઓ ભરવા માટે વિભાગ કામગીરી શરુ કરાઈ છે. 

Image

2750 જગ્યાઓ માટે થઈ શકે છે ભરતીની જાહેરાત!

ગુજરાતના ભાવિ શિક્ષકો કરાર આધારિત ભરતીનો વિરોધ કરી રહ્યા છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે. એક તરફ ટેટ-ટાટ પાસ ઉમેદવારો શિક્ષકોની કાયમી ભરતી માટે આંદોલન ચલાવી રહ્યા છે તો બીજી તરફ ગુજરાત સરકાર દ્વારા વિદ્યા સહાયકની ભરતી અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે તેવી માહિતી સામે આવી છે. ટૂંક સમયમાં બાકી રહેલી જગ્યાઓ માટે વિસ્તૃત કાર્યક્રમ જાહેર કરવામાં આવશે તેવી જાણકારી સામે આવી છે. 2750 જેટલી વિદ્યાસહાયકોની ભરતી અંગે જાહેરાત કરવામાં આવી શકે છે. આની પહેલા જ્યારે ભરતી કરવામાં આવી હતી ત્યારે 2600 જેટલી જગ્યાઓ ભરાઈ ચૂકી હતી અને હવે બાકીની 2750 જગ્યાઓ પર આ ભરતી કરવામાં આવી શકે છે તેવી માહિતી સામે આવી છે. 


ટેટ-ટાટ પાસ ઉમેદવારો કરી રહ્યા છે જ્ઞાન સહાયકનો વિરોધ 

જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ ટેટ-ટાટ પાસ ઉમેદવારો ઉગ્ર રીતે નોંધાવી રહ્યા છે. અલગ અલગ જગ્યાઓ પર પ્રદર્શન કરી રહ્યા છે. જ્ઞાન સહાયક ભરતીને રદ્દ કરી કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ સાથે ગાંધીનગર ખાતે આંદોલન કરવાનો અનેક વખત પ્રયાસ કર્યો પરંતુ આંદોલન કરવા સ્થળ પર પહોંચે તેની પહેલા જ તેમની અટકાયત કરી દેવામાં આવતી હતી. જ્ઞાન સહાયકના વિરોધ વચ્ચે સરકારે વિદ્યા સહાયકની ભરતી કરવાની વિચારણા કરી છે ત્યારે જોવું રહ્યું આવનાર સમયમાં શું થાય છે?   



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.