એક તરફ કાળઝાળ ગરમી તો બીજી તરફ આ વિસ્તારોમાં આવી શકે છે માવઠું, જાણો શું કહે છે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતની આગાહી?


  • Published By :
  • Published Date : 2024-05-13 12:06:43

ગુજરાતના રાજકારણમાં ભલે ગરમાવો આવ્યો હોય નેતાઓના નિવેદનને લઈ પરંતુ રાજ્યના હવામાનમાં પલટો આવી શકે છે.. રાજ્યના અનેક ભાગો માટે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.. ધોધમાર વરસાદની આગાહી કરાતા ધરતીપુત્રો ચિંતામાં આવી ગયા છે.. ચોમાસામાં આવતા વરસાદથી ખેડૂતોના શ્વાસમાં શ્વાસ આવે છે પરંતુ કમોસમી વરસાદને કારણે જગતના તાતની ચિંતા વધી જાય છે.. પાક નિષ્ફળ જવાની ભીતિં સેવાતી હોય છે.. ત્યારે હવામાન વિભાગ દ્વારા આ જગ્યાઓ માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે..

News18 Gujarati

News18 Gujarati

આજે આ જગ્યાઓ પર વરસી શકે છે કમોસમી વરસાદ 

આજ માટે હવામાન વિભાગે કરેલી કમોસમી વરસાદની આગાહી પ્રમાણે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, સુરત, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, મહીસાગર, સાબરકાંઠા, અરવલ્લી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.. તે સિવાય અમદાવાદ, વડોદરા, પંચમહાલ, પાટણ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ આવી શકે છે.. તે ઉપરાંત 14 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, ભરૂચ, સુરત, પંચમહાલ, મોરબી, બનાસકાંઠા, દાહોદ જિલ્લાના અનેક વિસ્તારો માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 


કમોસમી વરસાદ આવી શકે છે આ વિસ્તારોમાં 

15 મે માટે કરવામાં આવેલી આગાહી અનુસાર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, કચ્છ,મહીસાગર, દાહોદ, ગીરસોમનાથના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.. તે ઉપરાંત 16 તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, દાહોદ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરના અનેક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે..   

News18 Gujarati

News18 Gujarati

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ કરાઈ આગાહી

અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર 16 તારીખ સુધી રાજ્યના અનેક ભાગોમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે.. મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવી શકે છે... અમદાવાદ, મેહસાણા, દક્ષિણ ગુજરાત, બનાસકાંઠા, સૌરાષ્ટ્રનાં અનેક ભાગોમાં પણ વાતાવરણમાં પલટો આવી શકે છે અને ત્યાં વરસાદ પડવાની શક્યતા છે.... મહત્વનું છે કે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.. મહત્વનું છે કે માવઠાને કારણે ખેડૂતોની સ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ છે...   



જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"

સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. તબીબોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો કેમ કે , ન્યુરો વિભાગના તબીબ પર જે હુમલો થયો તે હજુ પકડાયો નથી. તો હવે જુનિયર તબીબો ચાર મુખ્ય માંગણીઓ સાથે હડતાલ પર ઉતરી ચુક્યા છે. જેના કારણે , રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી સિવાય તમામ સેવાઓ ઠપ થઇ ગઈ છે. આમ , ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ પર સંકટના વાદળો છવાયા છે.