એક તરફ ગુલાબી ઠંડીનો અહેસાસ તો બીજી તરફ કમોસમી વરસાદની કરાઈ આગાહી! જાણો આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન?


  • Published By :
  • Published Date : 2023-12-14 10:55:42

હાલ શિયાળાની સિઝન ચાલી રહી છે પરંતુ અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. એક તરફ ઠંડીનો અહેસાસ ધીરે ધીરે થઈ રહ્યો છે તો બીજી તરફ કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ પણ શરૂ થશે તેવી આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાવાને કારણે ગુજરાતમાં ફરી એક વખત કમોસમી વરસાદની સિઝન જામી શકે છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો ગગડ્યો છે. નલિયા ઠંડોગાર પ્રદેશ બન્યું છે. તો સાથે જ અનેક શહેરો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીથી નીચે નોંધાયું છે. 



ક્યાં કેટલું નોંધાયું તાપમાન?  

વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ ગુજરાતીઓને થઈ રહ્યો છે. તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. નલિયામાં હાડ થીજવથી ઠંડી શરૂ થઈ શકે છે પરંતુ આવનાર દિવસોમાં આ તાપમાન હજી પણ ગગડી શકે છે તેવી સંભાવનાઓ છે. બપોર બાદ તડકો આવે છે અને તાપમાનનો પારો થોડો વધી જાય છે પરંતુ સાંજે ફરીથી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. અમદાવાદનું લઘુતમ તાપમાન 15.8 ડિગ્રી, જ્યારે મહત્તમ તાપમાન 29 ડિગ્રી નોંધાયું છે. ડીસાનું લઘુતમ તાપમાન 13.6 ડિગ્રી જ્યારે મહત્મ તાપમાન 29.6 ડિગ્રી નોંધાયું હતું. ગાંધીનગરનું તાપમાન 14 ડિગ્રી નોંધાયું છે જ્યારે વડોદરાનું તાપમાન 16.7 ડિગ્રી નોંધાયું છે. ભુજમાં તાપમાન 15.1 ડિગ્રીએ પહોંચ્યું જ્યારે સુરતમાં તાપમાન 18 ડિગ્રી નોંધાયું છે.ભાવનગરમાં 17.1 ડિગ્રી પર તાપમાન પહોંચ્યું છે. દ્વારકાનું તાપમાન પણ 17.4 ડિગ્રીએ પહોંચ્યું છે. 13.6 ડિગ્રી તાપમાન રાજકોટમાં નોંધાયું છે.  


અંબાલાલ કાકાએ માવઠાની આગાહી કરી પરંતુ હવામાન વિભાગ કહ્યું કે... 

એક તરફ શિયાળાની સિઝન શરૂ છે પરંતુ ગુજરાતમાં ફરી એક વખત માવઠું આવી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. માવઠાનો માર સહન કરવા માટે ફરી એક વખત ગુજરાતીઓએ તૈયાર રહેવું પડશે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 14 ડિસેમ્બર એટલે આજથી 18 ડિસેમ્બર સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ આવી શકે છે તેવી આગાહી કરી છે. અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે તેવી આગાહી તેમણે કરી હતી. જેનો ભેજ દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગો અને દેશના ઉત્તર પર્વતીય વિસ્તારમાં આવશે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ન માત્ર ગુજરાતમાં પરંતુ દેશના અલગ અલગ રાજ્યોમાં કમોમસી વરસાદ આવશે તેવી આગાહી કરવામાં આવી છે.



સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .