એક તરફ ગુલાબી ઠંડીનો અહેસાસ તો બીજી તરફ કમોસમી વરસાદની કરાઈ આગાહી! જાણો આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન?


  • Published By :
  • Published Date : 2023-12-14 10:55:42

હાલ શિયાળાની સિઝન ચાલી રહી છે પરંતુ અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. એક તરફ ઠંડીનો અહેસાસ ધીરે ધીરે થઈ રહ્યો છે તો બીજી તરફ કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ પણ શરૂ થશે તેવી આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાવાને કારણે ગુજરાતમાં ફરી એક વખત કમોસમી વરસાદની સિઝન જામી શકે છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો ગગડ્યો છે. નલિયા ઠંડોગાર પ્રદેશ બન્યું છે. તો સાથે જ અનેક શહેરો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીથી નીચે નોંધાયું છે. 



ક્યાં કેટલું નોંધાયું તાપમાન?  

વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ ગુજરાતીઓને થઈ રહ્યો છે. તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. નલિયામાં હાડ થીજવથી ઠંડી શરૂ થઈ શકે છે પરંતુ આવનાર દિવસોમાં આ તાપમાન હજી પણ ગગડી શકે છે તેવી સંભાવનાઓ છે. બપોર બાદ તડકો આવે છે અને તાપમાનનો પારો થોડો વધી જાય છે પરંતુ સાંજે ફરીથી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. અમદાવાદનું લઘુતમ તાપમાન 15.8 ડિગ્રી, જ્યારે મહત્તમ તાપમાન 29 ડિગ્રી નોંધાયું છે. ડીસાનું લઘુતમ તાપમાન 13.6 ડિગ્રી જ્યારે મહત્મ તાપમાન 29.6 ડિગ્રી નોંધાયું હતું. ગાંધીનગરનું તાપમાન 14 ડિગ્રી નોંધાયું છે જ્યારે વડોદરાનું તાપમાન 16.7 ડિગ્રી નોંધાયું છે. ભુજમાં તાપમાન 15.1 ડિગ્રીએ પહોંચ્યું જ્યારે સુરતમાં તાપમાન 18 ડિગ્રી નોંધાયું છે.ભાવનગરમાં 17.1 ડિગ્રી પર તાપમાન પહોંચ્યું છે. દ્વારકાનું તાપમાન પણ 17.4 ડિગ્રીએ પહોંચ્યું છે. 13.6 ડિગ્રી તાપમાન રાજકોટમાં નોંધાયું છે.  


અંબાલાલ કાકાએ માવઠાની આગાહી કરી પરંતુ હવામાન વિભાગ કહ્યું કે... 

એક તરફ શિયાળાની સિઝન શરૂ છે પરંતુ ગુજરાતમાં ફરી એક વખત માવઠું આવી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. માવઠાનો માર સહન કરવા માટે ફરી એક વખત ગુજરાતીઓએ તૈયાર રહેવું પડશે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 14 ડિસેમ્બર એટલે આજથી 18 ડિસેમ્બર સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ આવી શકે છે તેવી આગાહી કરી છે. અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે તેવી આગાહી તેમણે કરી હતી. જેનો ભેજ દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગો અને દેશના ઉત્તર પર્વતીય વિસ્તારમાં આવશે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ન માત્ર ગુજરાતમાં પરંતુ દેશના અલગ અલગ રાજ્યોમાં કમોમસી વરસાદ આવશે તેવી આગાહી કરવામાં આવી છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.