એક તરફ ગુલાબી ઠંડીનો અહેસાસ તો બીજી તરફ કમોસમી વરસાદની કરાઈ આગાહી! જાણો આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન?


  • Published By :
  • Published Date : 2023-12-14 10:55:42

હાલ શિયાળાની સિઝન ચાલી રહી છે પરંતુ અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. એક તરફ ઠંડીનો અહેસાસ ધીરે ધીરે થઈ રહ્યો છે તો બીજી તરફ કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ પણ શરૂ થશે તેવી આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાવાને કારણે ગુજરાતમાં ફરી એક વખત કમોસમી વરસાદની સિઝન જામી શકે છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો ગગડ્યો છે. નલિયા ઠંડોગાર પ્રદેશ બન્યું છે. તો સાથે જ અનેક શહેરો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીથી નીચે નોંધાયું છે. 



ક્યાં કેટલું નોંધાયું તાપમાન?  

વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ ગુજરાતીઓને થઈ રહ્યો છે. તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. નલિયામાં હાડ થીજવથી ઠંડી શરૂ થઈ શકે છે પરંતુ આવનાર દિવસોમાં આ તાપમાન હજી પણ ગગડી શકે છે તેવી સંભાવનાઓ છે. બપોર બાદ તડકો આવે છે અને તાપમાનનો પારો થોડો વધી જાય છે પરંતુ સાંજે ફરીથી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. અમદાવાદનું લઘુતમ તાપમાન 15.8 ડિગ્રી, જ્યારે મહત્તમ તાપમાન 29 ડિગ્રી નોંધાયું છે. ડીસાનું લઘુતમ તાપમાન 13.6 ડિગ્રી જ્યારે મહત્મ તાપમાન 29.6 ડિગ્રી નોંધાયું હતું. ગાંધીનગરનું તાપમાન 14 ડિગ્રી નોંધાયું છે જ્યારે વડોદરાનું તાપમાન 16.7 ડિગ્રી નોંધાયું છે. ભુજમાં તાપમાન 15.1 ડિગ્રીએ પહોંચ્યું જ્યારે સુરતમાં તાપમાન 18 ડિગ્રી નોંધાયું છે.ભાવનગરમાં 17.1 ડિગ્રી પર તાપમાન પહોંચ્યું છે. દ્વારકાનું તાપમાન પણ 17.4 ડિગ્રીએ પહોંચ્યું છે. 13.6 ડિગ્રી તાપમાન રાજકોટમાં નોંધાયું છે.  


અંબાલાલ કાકાએ માવઠાની આગાહી કરી પરંતુ હવામાન વિભાગ કહ્યું કે... 

એક તરફ શિયાળાની સિઝન શરૂ છે પરંતુ ગુજરાતમાં ફરી એક વખત માવઠું આવી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. માવઠાનો માર સહન કરવા માટે ફરી એક વખત ગુજરાતીઓએ તૈયાર રહેવું પડશે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 14 ડિસેમ્બર એટલે આજથી 18 ડિસેમ્બર સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ આવી શકે છે તેવી આગાહી કરી છે. અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે તેવી આગાહી તેમણે કરી હતી. જેનો ભેજ દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગો અને દેશના ઉત્તર પર્વતીય વિસ્તારમાં આવશે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ન માત્ર ગુજરાતમાં પરંતુ દેશના અલગ અલગ રાજ્યોમાં કમોમસી વરસાદ આવશે તેવી આગાહી કરવામાં આવી છે.



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."