એક તરફ ગુલાબી ઠંડીનો અહેસાસ તો બીજી તરફ કમોસમી વરસાદની કરાઈ આગાહી! જાણો આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન?


  • Published By :
  • Published Date : 2023-12-14 10:55:42

હાલ શિયાળાની સિઝન ચાલી રહી છે પરંતુ અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. એક તરફ ઠંડીનો અહેસાસ ધીરે ધીરે થઈ રહ્યો છે તો બીજી તરફ કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ પણ શરૂ થશે તેવી આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાવાને કારણે ગુજરાતમાં ફરી એક વખત કમોસમી વરસાદની સિઝન જામી શકે છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો ગગડ્યો છે. નલિયા ઠંડોગાર પ્રદેશ બન્યું છે. તો સાથે જ અનેક શહેરો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીથી નીચે નોંધાયું છે. 



ક્યાં કેટલું નોંધાયું તાપમાન?  

વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ ગુજરાતીઓને થઈ રહ્યો છે. તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. નલિયામાં હાડ થીજવથી ઠંડી શરૂ થઈ શકે છે પરંતુ આવનાર દિવસોમાં આ તાપમાન હજી પણ ગગડી શકે છે તેવી સંભાવનાઓ છે. બપોર બાદ તડકો આવે છે અને તાપમાનનો પારો થોડો વધી જાય છે પરંતુ સાંજે ફરીથી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. અમદાવાદનું લઘુતમ તાપમાન 15.8 ડિગ્રી, જ્યારે મહત્તમ તાપમાન 29 ડિગ્રી નોંધાયું છે. ડીસાનું લઘુતમ તાપમાન 13.6 ડિગ્રી જ્યારે મહત્મ તાપમાન 29.6 ડિગ્રી નોંધાયું હતું. ગાંધીનગરનું તાપમાન 14 ડિગ્રી નોંધાયું છે જ્યારે વડોદરાનું તાપમાન 16.7 ડિગ્રી નોંધાયું છે. ભુજમાં તાપમાન 15.1 ડિગ્રીએ પહોંચ્યું જ્યારે સુરતમાં તાપમાન 18 ડિગ્રી નોંધાયું છે.ભાવનગરમાં 17.1 ડિગ્રી પર તાપમાન પહોંચ્યું છે. દ્વારકાનું તાપમાન પણ 17.4 ડિગ્રીએ પહોંચ્યું છે. 13.6 ડિગ્રી તાપમાન રાજકોટમાં નોંધાયું છે.  


અંબાલાલ કાકાએ માવઠાની આગાહી કરી પરંતુ હવામાન વિભાગ કહ્યું કે... 

એક તરફ શિયાળાની સિઝન શરૂ છે પરંતુ ગુજરાતમાં ફરી એક વખત માવઠું આવી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. માવઠાનો માર સહન કરવા માટે ફરી એક વખત ગુજરાતીઓએ તૈયાર રહેવું પડશે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 14 ડિસેમ્બર એટલે આજથી 18 ડિસેમ્બર સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ આવી શકે છે તેવી આગાહી કરી છે. અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે તેવી આગાહી તેમણે કરી હતી. જેનો ભેજ દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગો અને દેશના ઉત્તર પર્વતીય વિસ્તારમાં આવશે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ન માત્ર ગુજરાતમાં પરંતુ દેશના અલગ અલગ રાજ્યોમાં કમોમસી વરસાદ આવશે તેવી આગાહી કરવામાં આવી છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.