એક તરફ સરકાર જ્યાં ફાયર એનઓસી નથી ત્યાં કાર્યવાહી કરી રહી છે તો બીજી તરફ જૂનાગઢમાં સરકારી કોલેજ, હોસ્પિટલ પાસે જ NOC નથી! સવાલ થાય કે...


  • Published By :
  • Published Date : 2024-05-29 10:42:29

રાજકોટમાં બનેલી ઘટના બાદ સરકાર ઉંઘમાંથી જાગી હોય તેવું લાગે છે.. એવા આદેશ આપ્યા છે કે જ્યાં ફાયર એનઓસી નથી ત્યાં પગલા લો.. અલગ અલગ જગ્યાઓ પર ચેકિંગ કરાઈ રહ્યું છે.. સરકાર દ્વારા ફાયર એનઓસી નથી ત્યાં એક્શન લેવાઈ રહ્યા છે. જગ્યાને સિલ કરવામાં આવી રહી છે.. ત્યારે સવાલ થાય કે શું સરકાર જૂનાગઢમાં આવેલી મેડિકલ કોલેજ, હોસ્પિટલ વિરૂદ્ધ પગલા લેશે?  જૂનાગઢમાં આવેલી મેડીકલ કૉલેજ પાસે આજની તારીખે પણ ફાયર એનઓસી છે જ નહીં. મેડિકલ કોલેજ શરૂ થયે વર્ષો વિતી ગયા પરંતુ હજી સુધી ત્યાં ફાયર એનઓસી નથી.. જે લોકો જીવ કેવી રીતે બચાવવો તેની ટ્રેનિંગ લઈ રહ્યા હોય તેમના જીવ સુરક્ષિત નથી... 

શું અધિકારીઓની જવાબદારી નથી કે તે સમયાંતરે ચેકિંગ કરે?

સરકાર દ્વારા એક્શન લેવાઈ રહ્યા છે તેની ના નથી પરંતુ તે મુખ્યત્વે મર્યાદીત હોય છે..હમણાં ગેમ ઝોનમાં દુર્ઘટના બની છે એટલે રાજ્યમાં આવેલા ગેન ઝોનમાં ચેકિંગ કરાઈ રહ્યું છે..મોરબી ઝૂલતા પૂલમાં જે દુર્ઘટના સર્જાઈ તે બાદ બ્રિજોનું ચેકિંગ કરવામાં આવ્યું વગેરે વગેરે.. આપણે શા માટે એક્શન કોઈ દુર્ઘટના ઘટે છે તે બાદ લઈએ છીએ? શું તંત્રની, અધિકારીઓની જવાબદારીમાં નથી આવતું તે સમયાંતરે આવું ચેકિંગ હાથ ધરે? સરકારની આંખ ત્યારે જ ખુલે છે જ્યારે આવી દુર્ઘટનાઓ થાય છે,અનેક જિંદગીઓ જાય છે..!  



આપણે આપણી અને આપણા બાળકોની રક્ષા માટે બોલવું પડશે... 

અનેક વખત અમે કહીએ છીએ કે પોતાના માટે અવાજ ઉઠાવો.. પોતાના સ્વજનોની રક્ષા કરવા માટે  બોલો.. મૌન તમને બાળે તે પહેલા બોલો.. દરેક શહેરના નાગરીકોએ પોતાના શહેરની, પોતાના સ્વજનોની પોતાના બાળકોની ચિંતા કરવી પડશે, બાકી આપણી પાસે કશું જ નહીં બચે. સુરતમાં કશુંક થાય તો સુરતમાં ફેલાયેલા સન્નાટાની વાત કરીએ, મોરબીમાં કોઈ મરે તો ત્યાં મરશીયા ગાઈએ રાજકોટ રડે તો ત્યાંના રોકકળની વાત કરીએ.. પરંતુ આપણે આપણા માટે બોલવું પડશે..   



જૂનાગઢમાં આવેલી મેડિકલ કોલેજ પાસે નથી એનઓસી 

જૂનાગઢ વિશે વાત કરીને વારાફરતી અનેક શહેરોની સ્થિતિ વિશે વાત કરવાની શરૂઆત કરવી છે.તમને જાણીને આઘાત લાગશે કે ગુજરાતના આ અતિશય સુંદર અને પવિત્ર શહેરને અત્યાર સુધી ભગવાને બચાવીને રાખ્યું છે, બાકી અંધાધુંધી તો અહીંયા ભયાનક હદે ફેલાયેલી છે.એ અંધાધુંધી માત્ર ખાનગી માલિકીની જગ્યાઓમાં નહીં, સરકારી જગ્યાઓમાં પણ છે. જૂનાગઢમાં આવેલી મેડીકલ કૉલેજ પાસે આજની તારીખે પણ ફાયર એનઓસી છે જ નહીં. અને ફાયર એનઓસી ના હોય તો કોઈ પણ ખાનગી જગ્યાએ બીયુ પરમિશન ના મળે અને બીયુ ના મળે તો તમે એ જગ્યા વાપરી ના શકો અને વાપરો તો ગુનો બને.... પણ જો એ સરકારી ઈમારત છે તો નિયમો અને એમને જાણે કોઈ જ લેવાદેવા નથી. 



8 વખત નોટિસ ફટકારવામાં આવી પરંતુ.. 

આ સંદર્ભે જમાવટની ટીમે જૂનાગઢના ચીફ ફાયર ઓફીસર સાથે પણ વાત કરી, એમનું નામ દિપક જાની છે અને એ પોતે સ્વિકારી રહ્યા છે કે 8-8 વખત એમને નોટીસ ફટકારવા છતાં હજુ પણ ફાયર સેફ્ટી માટેનું કામ ચાલુ જ છે, અને સરકારી કામ છે, ધીરે ધીરે થાય એમ કરીને જબરદસ્ત ખેંચાઈ રહ્યું છે... આ ધીરે ધીરે કેટલું ધીરે એનો કોઈ પાસે જવાબ નથી કેમ કે કૉલેજ શરૂ થયે પણ વર્ષો થઈ ગયા છે. પણ દુનિયાનો જીવ બચાવવાનું ભણતા છોકરાઓના પોતાના જીવ જોખમમાં છે. આવું જ ત્યાંની હોસ્પિટલમાં પણ છે...

 જે લોકો ત્યાં જીવ બચાવવા માટે આવ્યા છે તેમનો જીવ પણ જોખમમાં છે.. કદાચ આવી તો અનેક સરકારી ઈમારતો હશે જેની પાસે ફાયર એનઓસી નહીં હોય.. ત્યારે એટલું જ કહેવું છે કે માંઝી હી નાંવ ડુબોયે તો ઉસે કૌન બચાયે... 



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.