એક તરફ સરકાર જ્યાં ફાયર એનઓસી નથી ત્યાં કાર્યવાહી કરી રહી છે તો બીજી તરફ જૂનાગઢમાં સરકારી કોલેજ, હોસ્પિટલ પાસે જ NOC નથી! સવાલ થાય કે...


  • Published By :
  • Published Date : 2024-05-29 10:42:29

રાજકોટમાં બનેલી ઘટના બાદ સરકાર ઉંઘમાંથી જાગી હોય તેવું લાગે છે.. એવા આદેશ આપ્યા છે કે જ્યાં ફાયર એનઓસી નથી ત્યાં પગલા લો.. અલગ અલગ જગ્યાઓ પર ચેકિંગ કરાઈ રહ્યું છે.. સરકાર દ્વારા ફાયર એનઓસી નથી ત્યાં એક્શન લેવાઈ રહ્યા છે. જગ્યાને સિલ કરવામાં આવી રહી છે.. ત્યારે સવાલ થાય કે શું સરકાર જૂનાગઢમાં આવેલી મેડિકલ કોલેજ, હોસ્પિટલ વિરૂદ્ધ પગલા લેશે?  જૂનાગઢમાં આવેલી મેડીકલ કૉલેજ પાસે આજની તારીખે પણ ફાયર એનઓસી છે જ નહીં. મેડિકલ કોલેજ શરૂ થયે વર્ષો વિતી ગયા પરંતુ હજી સુધી ત્યાં ફાયર એનઓસી નથી.. જે લોકો જીવ કેવી રીતે બચાવવો તેની ટ્રેનિંગ લઈ રહ્યા હોય તેમના જીવ સુરક્ષિત નથી... 

શું અધિકારીઓની જવાબદારી નથી કે તે સમયાંતરે ચેકિંગ કરે?

સરકાર દ્વારા એક્શન લેવાઈ રહ્યા છે તેની ના નથી પરંતુ તે મુખ્યત્વે મર્યાદીત હોય છે..હમણાં ગેમ ઝોનમાં દુર્ઘટના બની છે એટલે રાજ્યમાં આવેલા ગેન ઝોનમાં ચેકિંગ કરાઈ રહ્યું છે..મોરબી ઝૂલતા પૂલમાં જે દુર્ઘટના સર્જાઈ તે બાદ બ્રિજોનું ચેકિંગ કરવામાં આવ્યું વગેરે વગેરે.. આપણે શા માટે એક્શન કોઈ દુર્ઘટના ઘટે છે તે બાદ લઈએ છીએ? શું તંત્રની, અધિકારીઓની જવાબદારીમાં નથી આવતું તે સમયાંતરે આવું ચેકિંગ હાથ ધરે? સરકારની આંખ ત્યારે જ ખુલે છે જ્યારે આવી દુર્ઘટનાઓ થાય છે,અનેક જિંદગીઓ જાય છે..!  



આપણે આપણી અને આપણા બાળકોની રક્ષા માટે બોલવું પડશે... 

અનેક વખત અમે કહીએ છીએ કે પોતાના માટે અવાજ ઉઠાવો.. પોતાના સ્વજનોની રક્ષા કરવા માટે  બોલો.. મૌન તમને બાળે તે પહેલા બોલો.. દરેક શહેરના નાગરીકોએ પોતાના શહેરની, પોતાના સ્વજનોની પોતાના બાળકોની ચિંતા કરવી પડશે, બાકી આપણી પાસે કશું જ નહીં બચે. સુરતમાં કશુંક થાય તો સુરતમાં ફેલાયેલા સન્નાટાની વાત કરીએ, મોરબીમાં કોઈ મરે તો ત્યાં મરશીયા ગાઈએ રાજકોટ રડે તો ત્યાંના રોકકળની વાત કરીએ.. પરંતુ આપણે આપણા માટે બોલવું પડશે..   



જૂનાગઢમાં આવેલી મેડિકલ કોલેજ પાસે નથી એનઓસી 

જૂનાગઢ વિશે વાત કરીને વારાફરતી અનેક શહેરોની સ્થિતિ વિશે વાત કરવાની શરૂઆત કરવી છે.તમને જાણીને આઘાત લાગશે કે ગુજરાતના આ અતિશય સુંદર અને પવિત્ર શહેરને અત્યાર સુધી ભગવાને બચાવીને રાખ્યું છે, બાકી અંધાધુંધી તો અહીંયા ભયાનક હદે ફેલાયેલી છે.એ અંધાધુંધી માત્ર ખાનગી માલિકીની જગ્યાઓમાં નહીં, સરકારી જગ્યાઓમાં પણ છે. જૂનાગઢમાં આવેલી મેડીકલ કૉલેજ પાસે આજની તારીખે પણ ફાયર એનઓસી છે જ નહીં. અને ફાયર એનઓસી ના હોય તો કોઈ પણ ખાનગી જગ્યાએ બીયુ પરમિશન ના મળે અને બીયુ ના મળે તો તમે એ જગ્યા વાપરી ના શકો અને વાપરો તો ગુનો બને.... પણ જો એ સરકારી ઈમારત છે તો નિયમો અને એમને જાણે કોઈ જ લેવાદેવા નથી. 



8 વખત નોટિસ ફટકારવામાં આવી પરંતુ.. 

આ સંદર્ભે જમાવટની ટીમે જૂનાગઢના ચીફ ફાયર ઓફીસર સાથે પણ વાત કરી, એમનું નામ દિપક જાની છે અને એ પોતે સ્વિકારી રહ્યા છે કે 8-8 વખત એમને નોટીસ ફટકારવા છતાં હજુ પણ ફાયર સેફ્ટી માટેનું કામ ચાલુ જ છે, અને સરકારી કામ છે, ધીરે ધીરે થાય એમ કરીને જબરદસ્ત ખેંચાઈ રહ્યું છે... આ ધીરે ધીરે કેટલું ધીરે એનો કોઈ પાસે જવાબ નથી કેમ કે કૉલેજ શરૂ થયે પણ વર્ષો થઈ ગયા છે. પણ દુનિયાનો જીવ બચાવવાનું ભણતા છોકરાઓના પોતાના જીવ જોખમમાં છે. આવું જ ત્યાંની હોસ્પિટલમાં પણ છે...

 જે લોકો ત્યાં જીવ બચાવવા માટે આવ્યા છે તેમનો જીવ પણ જોખમમાં છે.. કદાચ આવી તો અનેક સરકારી ઈમારતો હશે જેની પાસે ફાયર એનઓસી નહીં હોય.. ત્યારે એટલું જ કહેવું છે કે માંઝી હી નાંવ ડુબોયે તો ઉસે કૌન બચાયે... 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.