એક તરફ સરકાર જ્યાં ફાયર એનઓસી નથી ત્યાં કાર્યવાહી કરી રહી છે તો બીજી તરફ જૂનાગઢમાં સરકારી કોલેજ, હોસ્પિટલ પાસે જ NOC નથી! સવાલ થાય કે...


  • Published By :
  • Published Date : 2024-05-29 10:42:29

રાજકોટમાં બનેલી ઘટના બાદ સરકાર ઉંઘમાંથી જાગી હોય તેવું લાગે છે.. એવા આદેશ આપ્યા છે કે જ્યાં ફાયર એનઓસી નથી ત્યાં પગલા લો.. અલગ અલગ જગ્યાઓ પર ચેકિંગ કરાઈ રહ્યું છે.. સરકાર દ્વારા ફાયર એનઓસી નથી ત્યાં એક્શન લેવાઈ રહ્યા છે. જગ્યાને સિલ કરવામાં આવી રહી છે.. ત્યારે સવાલ થાય કે શું સરકાર જૂનાગઢમાં આવેલી મેડિકલ કોલેજ, હોસ્પિટલ વિરૂદ્ધ પગલા લેશે?  જૂનાગઢમાં આવેલી મેડીકલ કૉલેજ પાસે આજની તારીખે પણ ફાયર એનઓસી છે જ નહીં. મેડિકલ કોલેજ શરૂ થયે વર્ષો વિતી ગયા પરંતુ હજી સુધી ત્યાં ફાયર એનઓસી નથી.. જે લોકો જીવ કેવી રીતે બચાવવો તેની ટ્રેનિંગ લઈ રહ્યા હોય તેમના જીવ સુરક્ષિત નથી... 

શું અધિકારીઓની જવાબદારી નથી કે તે સમયાંતરે ચેકિંગ કરે?

સરકાર દ્વારા એક્શન લેવાઈ રહ્યા છે તેની ના નથી પરંતુ તે મુખ્યત્વે મર્યાદીત હોય છે..હમણાં ગેમ ઝોનમાં દુર્ઘટના બની છે એટલે રાજ્યમાં આવેલા ગેન ઝોનમાં ચેકિંગ કરાઈ રહ્યું છે..મોરબી ઝૂલતા પૂલમાં જે દુર્ઘટના સર્જાઈ તે બાદ બ્રિજોનું ચેકિંગ કરવામાં આવ્યું વગેરે વગેરે.. આપણે શા માટે એક્શન કોઈ દુર્ઘટના ઘટે છે તે બાદ લઈએ છીએ? શું તંત્રની, અધિકારીઓની જવાબદારીમાં નથી આવતું તે સમયાંતરે આવું ચેકિંગ હાથ ધરે? સરકારની આંખ ત્યારે જ ખુલે છે જ્યારે આવી દુર્ઘટનાઓ થાય છે,અનેક જિંદગીઓ જાય છે..!  



આપણે આપણી અને આપણા બાળકોની રક્ષા માટે બોલવું પડશે... 

અનેક વખત અમે કહીએ છીએ કે પોતાના માટે અવાજ ઉઠાવો.. પોતાના સ્વજનોની રક્ષા કરવા માટે  બોલો.. મૌન તમને બાળે તે પહેલા બોલો.. દરેક શહેરના નાગરીકોએ પોતાના શહેરની, પોતાના સ્વજનોની પોતાના બાળકોની ચિંતા કરવી પડશે, બાકી આપણી પાસે કશું જ નહીં બચે. સુરતમાં કશુંક થાય તો સુરતમાં ફેલાયેલા સન્નાટાની વાત કરીએ, મોરબીમાં કોઈ મરે તો ત્યાં મરશીયા ગાઈએ રાજકોટ રડે તો ત્યાંના રોકકળની વાત કરીએ.. પરંતુ આપણે આપણા માટે બોલવું પડશે..   



જૂનાગઢમાં આવેલી મેડિકલ કોલેજ પાસે નથી એનઓસી 

જૂનાગઢ વિશે વાત કરીને વારાફરતી અનેક શહેરોની સ્થિતિ વિશે વાત કરવાની શરૂઆત કરવી છે.તમને જાણીને આઘાત લાગશે કે ગુજરાતના આ અતિશય સુંદર અને પવિત્ર શહેરને અત્યાર સુધી ભગવાને બચાવીને રાખ્યું છે, બાકી અંધાધુંધી તો અહીંયા ભયાનક હદે ફેલાયેલી છે.એ અંધાધુંધી માત્ર ખાનગી માલિકીની જગ્યાઓમાં નહીં, સરકારી જગ્યાઓમાં પણ છે. જૂનાગઢમાં આવેલી મેડીકલ કૉલેજ પાસે આજની તારીખે પણ ફાયર એનઓસી છે જ નહીં. અને ફાયર એનઓસી ના હોય તો કોઈ પણ ખાનગી જગ્યાએ બીયુ પરમિશન ના મળે અને બીયુ ના મળે તો તમે એ જગ્યા વાપરી ના શકો અને વાપરો તો ગુનો બને.... પણ જો એ સરકારી ઈમારત છે તો નિયમો અને એમને જાણે કોઈ જ લેવાદેવા નથી. 



8 વખત નોટિસ ફટકારવામાં આવી પરંતુ.. 

આ સંદર્ભે જમાવટની ટીમે જૂનાગઢના ચીફ ફાયર ઓફીસર સાથે પણ વાત કરી, એમનું નામ દિપક જાની છે અને એ પોતે સ્વિકારી રહ્યા છે કે 8-8 વખત એમને નોટીસ ફટકારવા છતાં હજુ પણ ફાયર સેફ્ટી માટેનું કામ ચાલુ જ છે, અને સરકારી કામ છે, ધીરે ધીરે થાય એમ કરીને જબરદસ્ત ખેંચાઈ રહ્યું છે... આ ધીરે ધીરે કેટલું ધીરે એનો કોઈ પાસે જવાબ નથી કેમ કે કૉલેજ શરૂ થયે પણ વર્ષો થઈ ગયા છે. પણ દુનિયાનો જીવ બચાવવાનું ભણતા છોકરાઓના પોતાના જીવ જોખમમાં છે. આવું જ ત્યાંની હોસ્પિટલમાં પણ છે...

 જે લોકો ત્યાં જીવ બચાવવા માટે આવ્યા છે તેમનો જીવ પણ જોખમમાં છે.. કદાચ આવી તો અનેક સરકારી ઈમારતો હશે જેની પાસે ફાયર એનઓસી નહીં હોય.. ત્યારે એટલું જ કહેવું છે કે માંઝી હી નાંવ ડુબોયે તો ઉસે કૌન બચાયે... 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.