Rajkot TRP Gamezoneમાં ન્યાય માંગવા વિપક્ષ રસ્તા પર, Devanshi Joshiએ Jignesh Mevaniને પૂછ્યો આ સવાલ તો સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-06-15 12:47:15

લોકશાહીમાં જેટલા પ્રશ્નો સત્તાને થાય છે તેટલા જ પ્રશ્નો વિપક્ષને પણ થાય છે. વિપક્ષ મજબૂત હોવો જોઈએ તેવું આપણે માનીએ છીએ... વિપક્ષ જેટલો દમદાર હોય છે તેટલા કામ વધારે થાય છે તેવું આપણે માનતા હોઈએ છીએ.. અનેક વખત એવું લાગે છે કે ગુજરાતમાં વિપક્ષ જાણે છે જ નહીં. વિપક્ષની નબળી કામગીરી સામે આવી છે તેવી વાતો આપણે કરતા રહીએ છીએ. રાજકોટ અગ્નિકાંડને લઈ વિપક્ષ દ્વારા એવો અવાજ નથી ઉપાડવામાં આવતો જે રીતના અવાજ ઉપાડવો જોઈએ.. પરંતુ આ વખતે વિપક્ષ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યો છે.

કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે વિરોધ 

પીડિત પરિવારને ન્યાય મળે તે માટે કોંગ્રેસ દ્વારા થોડા દિવસ પહેલા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા. ઉપવાસ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ દ્વારા અનેક માગણી મૂકવામાં આવી છે. કોંગ્રેસે 25 તારીખે રાજકોટ બંધનું એલાન કર્યું છે. અને આજે પોલીસ કમિશનર ઓફિસનો ઘેરાવો કરી રહ્યા છે. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ, નેતાઓ હાજર છે.. સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, અમિત ચાવડા, જેની ઠુમ્મર સહિતના નેતાઓ હાજર છે.



શું કહ્યું જિગ્નેશ મેવાણીએ? 

ન્યાયની માગ સાથે રસ્તા પર ઉતરેલા વિપક્ષના નેતાઓને દેવાંશી જોશીએ સવાલ કર્યો. જિગ્નેશ મેવાણીને સવાલ કર્યો કે જેટલી બુલંદીથી નારા લગાવી રહ્યો છો તમને અપેક્ષા છે કે તે અવાજ સંભળાશે? તો જવાબમાં તેમણે કહ્યું કે જેટલા પણ લોકોને મળ્યા તે લોકોનું એક સૂરે કહેવું છે કે તક્ષશિલા કાંડ, મોરબી કાંડની જેમ પણ આ કિસ્સામાં પણ કુલડીમાં ગોળ ભગાશે.. પણ અમે લોકો પણ determined છીએ કે ભાજપના જે નેતાઓના ભ્રષ્ટાચારના પાપના કારણે અગ્નિકાંડ સર્જાયો એમની ધરપકડ ના થાય અને તપાસ તેના અંજામ સુધી ના પહોંચે ત્યાં સુધી આ લડતને ઉંચી મૂકવાના નથી.. મહત્વનું છે કે ત્યાં હાજર કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા નારા લગાવવામાં આવી રહ્યા છે.  



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .