Rajkot TRP Gamezoneમાં ન્યાય માંગવા વિપક્ષ રસ્તા પર, Devanshi Joshiએ Jignesh Mevaniને પૂછ્યો આ સવાલ તો સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-06-15 12:47:15

લોકશાહીમાં જેટલા પ્રશ્નો સત્તાને થાય છે તેટલા જ પ્રશ્નો વિપક્ષને પણ થાય છે. વિપક્ષ મજબૂત હોવો જોઈએ તેવું આપણે માનીએ છીએ... વિપક્ષ જેટલો દમદાર હોય છે તેટલા કામ વધારે થાય છે તેવું આપણે માનતા હોઈએ છીએ.. અનેક વખત એવું લાગે છે કે ગુજરાતમાં વિપક્ષ જાણે છે જ નહીં. વિપક્ષની નબળી કામગીરી સામે આવી છે તેવી વાતો આપણે કરતા રહીએ છીએ. રાજકોટ અગ્નિકાંડને લઈ વિપક્ષ દ્વારા એવો અવાજ નથી ઉપાડવામાં આવતો જે રીતના અવાજ ઉપાડવો જોઈએ.. પરંતુ આ વખતે વિપક્ષ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યો છે.

કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે વિરોધ 

પીડિત પરિવારને ન્યાય મળે તે માટે કોંગ્રેસ દ્વારા થોડા દિવસ પહેલા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા. ઉપવાસ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ દ્વારા અનેક માગણી મૂકવામાં આવી છે. કોંગ્રેસે 25 તારીખે રાજકોટ બંધનું એલાન કર્યું છે. અને આજે પોલીસ કમિશનર ઓફિસનો ઘેરાવો કરી રહ્યા છે. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ, નેતાઓ હાજર છે.. સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, અમિત ચાવડા, જેની ઠુમ્મર સહિતના નેતાઓ હાજર છે.



શું કહ્યું જિગ્નેશ મેવાણીએ? 

ન્યાયની માગ સાથે રસ્તા પર ઉતરેલા વિપક્ષના નેતાઓને દેવાંશી જોશીએ સવાલ કર્યો. જિગ્નેશ મેવાણીને સવાલ કર્યો કે જેટલી બુલંદીથી નારા લગાવી રહ્યો છો તમને અપેક્ષા છે કે તે અવાજ સંભળાશે? તો જવાબમાં તેમણે કહ્યું કે જેટલા પણ લોકોને મળ્યા તે લોકોનું એક સૂરે કહેવું છે કે તક્ષશિલા કાંડ, મોરબી કાંડની જેમ પણ આ કિસ્સામાં પણ કુલડીમાં ગોળ ભગાશે.. પણ અમે લોકો પણ determined છીએ કે ભાજપના જે નેતાઓના ભ્રષ્ટાચારના પાપના કારણે અગ્નિકાંડ સર્જાયો એમની ધરપકડ ના થાય અને તપાસ તેના અંજામ સુધી ના પહોંચે ત્યાં સુધી આ લડતને ઉંચી મૂકવાના નથી.. મહત્વનું છે કે ત્યાં હાજર કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા નારા લગાવવામાં આવી રહ્યા છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.