Rajkot TRP Gamezoneમાં ન્યાય માંગવા વિપક્ષ રસ્તા પર, Devanshi Joshiએ Jignesh Mevaniને પૂછ્યો આ સવાલ તો સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-06-15 12:47:15

લોકશાહીમાં જેટલા પ્રશ્નો સત્તાને થાય છે તેટલા જ પ્રશ્નો વિપક્ષને પણ થાય છે. વિપક્ષ મજબૂત હોવો જોઈએ તેવું આપણે માનીએ છીએ... વિપક્ષ જેટલો દમદાર હોય છે તેટલા કામ વધારે થાય છે તેવું આપણે માનતા હોઈએ છીએ.. અનેક વખત એવું લાગે છે કે ગુજરાતમાં વિપક્ષ જાણે છે જ નહીં. વિપક્ષની નબળી કામગીરી સામે આવી છે તેવી વાતો આપણે કરતા રહીએ છીએ. રાજકોટ અગ્નિકાંડને લઈ વિપક્ષ દ્વારા એવો અવાજ નથી ઉપાડવામાં આવતો જે રીતના અવાજ ઉપાડવો જોઈએ.. પરંતુ આ વખતે વિપક્ષ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યો છે.

કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે વિરોધ 

પીડિત પરિવારને ન્યાય મળે તે માટે કોંગ્રેસ દ્વારા થોડા દિવસ પહેલા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા. ઉપવાસ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ દ્વારા અનેક માગણી મૂકવામાં આવી છે. કોંગ્રેસે 25 તારીખે રાજકોટ બંધનું એલાન કર્યું છે. અને આજે પોલીસ કમિશનર ઓફિસનો ઘેરાવો કરી રહ્યા છે. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ, નેતાઓ હાજર છે.. સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, અમિત ચાવડા, જેની ઠુમ્મર સહિતના નેતાઓ હાજર છે.



શું કહ્યું જિગ્નેશ મેવાણીએ? 

ન્યાયની માગ સાથે રસ્તા પર ઉતરેલા વિપક્ષના નેતાઓને દેવાંશી જોશીએ સવાલ કર્યો. જિગ્નેશ મેવાણીને સવાલ કર્યો કે જેટલી બુલંદીથી નારા લગાવી રહ્યો છો તમને અપેક્ષા છે કે તે અવાજ સંભળાશે? તો જવાબમાં તેમણે કહ્યું કે જેટલા પણ લોકોને મળ્યા તે લોકોનું એક સૂરે કહેવું છે કે તક્ષશિલા કાંડ, મોરબી કાંડની જેમ પણ આ કિસ્સામાં પણ કુલડીમાં ગોળ ભગાશે.. પણ અમે લોકો પણ determined છીએ કે ભાજપના જે નેતાઓના ભ્રષ્ટાચારના પાપના કારણે અગ્નિકાંડ સર્જાયો એમની ધરપકડ ના થાય અને તપાસ તેના અંજામ સુધી ના પહોંચે ત્યાં સુધી આ લડતને ઉંચી મૂકવાના નથી.. મહત્વનું છે કે ત્યાં હાજર કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા નારા લગાવવામાં આવી રહ્યા છે.  



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .