Navratriના સાતમા નોરતે શક્તિપીઠમાં ઉમટી ભાવિકોની ભીડ, અંબાજી-પાવાગઢમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર


  • Published By :
  • Published Date : 2023-10-22 13:33:42

નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે. માતાજીની આરાધના કરવામાં આવે છે. માઈ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે. શક્તિપીઠમાં નવરાત્રી દરમિયાન દર્શન કરવાનો અનેરો મહિમા હોય છે. દૂર દૂરથી માઈ ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે. ત્યારે આજે નવરાત્રીનો સાતમો દિવસ છે. સાતમા નોરતે માતા કાલરાત્રિની આરાધના કરવામાં આવે છે. ત્યારે શક્તિપીઠ પાવાગઢ ખાતે ભક્તોનો માનવ મહેરામણ ઉમટ્યો છે. મોટી સંખ્યામાં માઈ ભક્તો દર્શન કરવા પહોંચ્યા છે. કાલરાત્રિ માતાની આરાધના આજે કરવામાં આવતી હોવાથી આજે મંદિરમાં મોટી સંખ્યામાં માનવમહેરામણ ઉમટ્યો છે. માઈ ભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે મંદિર પ્રશાસન દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.


પાવાગઢમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર 

ગુજરાતમાં અનેક શક્તિપીઠ આવેલા છે. અંબાજી, ચોટીલા સહિતના માઈ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી છે. માતાજીના દર્શન કરી ભક્તો માતાજીના આશીર્વાદ મેળવતા હોય છે અને ધન્યતા અનુભવે છે. નવરાત્રીના દિવસો દરમિયાન માઈ મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટતી હોય છે. આજે નવરાત્રીના સાતમા નોરતે માતા કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના સાતમા નોરતે પાવાગઢ ખાતે ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો છે. હજારો ભક્તોએ દર્શનનો લાભ લીધો છે. માતાજીનું કાલરાત્રિ સ્વરૂપ ભલે ભયાનક હોય પરંતુ તે પોતાના ભક્તો માટે ખૂબ જ દયાળું છે. પાવાગઢ સિવાય શક્તિપીઠ અંબાજીમાં પણ ભક્તોનો માનવમહેરામણ ઉમટ્યો છે. વહેલી સવારથી દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે.


શું છે શક્તિપીઠનો ઈતિહાસ?  

પૌરાણીક કથા અનુસાર માતા સતીના પિતા દક્ષરાજાએ યજ્ઞનું આયોજન કર્યું હતું. તે યજ્ઞમાં દરેકને આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ તેમણે તેમની પુત્રી અને જમાઈ એટલે કે ભગવાન શંકરને આમંત્રણ આપ્યું ન હતું. યજ્ઞની વાત સાંભળતા જ સતી યજ્ઞસ્થળ પર પહોંચ્યા હતા. ત્યારે દક્ષ રાજાએ મહાદેવજીનું અપમાન કર્યું. સતી મહાદેવજીનું અપમાન ન સહી શક્યા. તેમણે પોતાની શક્તિથી પોતાના દેહનો ત્યાગ કર્યો. આ વાત સાંભળી મહાદેવ ક્રોધિત થઈ ગયા. મહાદેવજી સતીના શરીરને લઈ જઈ રહ્યા હતા ત્યારે ભગવાન નારાયણે સુદર્શન ચક્રથી તેમના શરીરના 52 ટુકડા કર્યા. જ્યાં જ્યાં માતા સતીના દેહના ટુકડા પડ્યા હતા ત્યાં ત્યાં શક્તિપીઠની સ્થાપના થઈ છે. ગુજરાતમાં પણ અનેક શક્તિપીઠો આવ્યા છે. નવરાત્રી દરમિયાન મંદિરો જય જય  અંબેના નારાથી ગુંજી ઉઠ્યા છે.     




ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..

મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અનેક કેરીનો રસ બનાવતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે..