Navratriના સાતમા નોરતે શક્તિપીઠમાં ઉમટી ભાવિકોની ભીડ, અંબાજી-પાવાગઢમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર


  • Published By :
  • Published Date : 2023-10-22 13:33:42

નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે. માતાજીની આરાધના કરવામાં આવે છે. માઈ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે. શક્તિપીઠમાં નવરાત્રી દરમિયાન દર્શન કરવાનો અનેરો મહિમા હોય છે. દૂર દૂરથી માઈ ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે. ત્યારે આજે નવરાત્રીનો સાતમો દિવસ છે. સાતમા નોરતે માતા કાલરાત્રિની આરાધના કરવામાં આવે છે. ત્યારે શક્તિપીઠ પાવાગઢ ખાતે ભક્તોનો માનવ મહેરામણ ઉમટ્યો છે. મોટી સંખ્યામાં માઈ ભક્તો દર્શન કરવા પહોંચ્યા છે. કાલરાત્રિ માતાની આરાધના આજે કરવામાં આવતી હોવાથી આજે મંદિરમાં મોટી સંખ્યામાં માનવમહેરામણ ઉમટ્યો છે. માઈ ભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે મંદિર પ્રશાસન દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.


પાવાગઢમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર 

ગુજરાતમાં અનેક શક્તિપીઠ આવેલા છે. અંબાજી, ચોટીલા સહિતના માઈ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી છે. માતાજીના દર્શન કરી ભક્તો માતાજીના આશીર્વાદ મેળવતા હોય છે અને ધન્યતા અનુભવે છે. નવરાત્રીના દિવસો દરમિયાન માઈ મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટતી હોય છે. આજે નવરાત્રીના સાતમા નોરતે માતા કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના સાતમા નોરતે પાવાગઢ ખાતે ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો છે. હજારો ભક્તોએ દર્શનનો લાભ લીધો છે. માતાજીનું કાલરાત્રિ સ્વરૂપ ભલે ભયાનક હોય પરંતુ તે પોતાના ભક્તો માટે ખૂબ જ દયાળું છે. પાવાગઢ સિવાય શક્તિપીઠ અંબાજીમાં પણ ભક્તોનો માનવમહેરામણ ઉમટ્યો છે. વહેલી સવારથી દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે.


શું છે શક્તિપીઠનો ઈતિહાસ?  

પૌરાણીક કથા અનુસાર માતા સતીના પિતા દક્ષરાજાએ યજ્ઞનું આયોજન કર્યું હતું. તે યજ્ઞમાં દરેકને આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ તેમણે તેમની પુત્રી અને જમાઈ એટલે કે ભગવાન શંકરને આમંત્રણ આપ્યું ન હતું. યજ્ઞની વાત સાંભળતા જ સતી યજ્ઞસ્થળ પર પહોંચ્યા હતા. ત્યારે દક્ષ રાજાએ મહાદેવજીનું અપમાન કર્યું. સતી મહાદેવજીનું અપમાન ન સહી શક્યા. તેમણે પોતાની શક્તિથી પોતાના દેહનો ત્યાગ કર્યો. આ વાત સાંભળી મહાદેવ ક્રોધિત થઈ ગયા. મહાદેવજી સતીના શરીરને લઈ જઈ રહ્યા હતા ત્યારે ભગવાન નારાયણે સુદર્શન ચક્રથી તેમના શરીરના 52 ટુકડા કર્યા. જ્યાં જ્યાં માતા સતીના દેહના ટુકડા પડ્યા હતા ત્યાં ત્યાં શક્તિપીઠની સ્થાપના થઈ છે. ગુજરાતમાં પણ અનેક શક્તિપીઠો આવ્યા છે. નવરાત્રી દરમિયાન મંદિરો જય જય  અંબેના નારાથી ગુંજી ઉઠ્યા છે.     




ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.