આ તારીખે ગુજરાતના અનેક ભાગોમાં આવી શકે છે મુસીબતનું માવઠું, જાણો હવામાન વિભાગ અને Ambalal Patelએ કમોસમી વરસાદને લઈ શું કરી આગાહી?


  • Published By :
  • Published Date : 2024-04-08 14:09:30

ગરમીની શરૂઆત રાજ્યમાં એક તરફ થઈ રહી છે તો બીજી તરફ જગતના તાતની ચિંતા વધી છે કારણ કે કમોસમી વરસાદની આગાહી રાજ્યના અનેક ભાગો માટે કરવામાં આવી છે. ગરમીનો પારો એક તરફ ઉપર વધી રહ્યો છે તો બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી રહ્યું છે..! ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર 10 તેમજ 11 એપ્રિલે રાજ્યના અનેક ભાગોમાં વરસાદ આવવાની સંભાવના છે. તે ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ તેમજ પરેશ ગોસ્વામી દ્વારા પણ માવઠાને લઈ આગાહી કરવામાં આવી છે...


શું કહે છે હવામાન વિભાગની આગાહી? 

એક તરફ જગતના તાત અનેક મુશ્કેલીઓનો સામનો કરવા મજબૂર બન્યા છે. તો બીજી તરફ કમોસમી વરસાદ પણ ખેડૂતોને રડાવી રહ્યો છે. ગરમીની સિઝનમાં કમોસમી વરસાદની આગાહી કરાતા જગતના તાત ચિંતિત બન્યા છે. શિયાળાની શરૂઆતમાં પણ માવઠાએ જગતના તાતને બેહાલ કર્યા હતા ત્યારે ઉનાળામાં પણ કમોસમી વરસાદ જગતના તાતની ચિંતા વધારી શકે છે કારણ કે અનેક ભાગો માટે માવઠાને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 11થી 13 એપ્રિલ દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં છુટો છવાયો વરસાદ વરસી શકે છે... હવામાન વિભાગની આગાહી અનુસાર 11 એપ્રિલે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં તો 12મી તારીખે સુરત,ભરૂચ તેમજ નવસારીમાં વરસાદનું અનુમાન છે તો 13 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર ભરૂચ, સુરત, નવસારી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદ આવી શકે છે. મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા એવી પણ આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં અનેક જગ્યાઓ પર કાળઝાળ ગરમીનો અનુભવ થશે... 


ગાજવીજ સાથે આવશે વરસાદ?

વરસાદને લઈ ના માત્ર હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે પરંતુ હવામાન નિષ્ણાત દ્વારા પણ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર  12 થી 15 એપ્રિલ વચ્ચે પ્રીમોનસૂન એક્ટિવિટી શરૂ થશે જેને કારણે અનેક જગ્યાઓ પર ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. . આગાહી અનુસાર ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલનાં ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા. આ માવઠા બાદ રાજ્યમાં ગરમીનું તાપમાન વધી જશે તેવી આગાહી પણ કરવામા આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા... મહત્વનું છે કે કમોસમી વરસાદને કારણે જગતના તાતને સૌથી વધારે નુકસાન વેઠવાનો વારો આવતો હોય છે!



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.