આ તારીખે ગુજરાતના અનેક ભાગોમાં આવી શકે છે મુસીબતનું માવઠું, જાણો હવામાન વિભાગ અને Ambalal Patelએ કમોસમી વરસાદને લઈ શું કરી આગાહી?


  • Published By :
  • Published Date : 2024-04-08 14:09:30

ગરમીની શરૂઆત રાજ્યમાં એક તરફ થઈ રહી છે તો બીજી તરફ જગતના તાતની ચિંતા વધી છે કારણ કે કમોસમી વરસાદની આગાહી રાજ્યના અનેક ભાગો માટે કરવામાં આવી છે. ગરમીનો પારો એક તરફ ઉપર વધી રહ્યો છે તો બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી રહ્યું છે..! ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર 10 તેમજ 11 એપ્રિલે રાજ્યના અનેક ભાગોમાં વરસાદ આવવાની સંભાવના છે. તે ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ તેમજ પરેશ ગોસ્વામી દ્વારા પણ માવઠાને લઈ આગાહી કરવામાં આવી છે...


શું કહે છે હવામાન વિભાગની આગાહી? 

એક તરફ જગતના તાત અનેક મુશ્કેલીઓનો સામનો કરવા મજબૂર બન્યા છે. તો બીજી તરફ કમોસમી વરસાદ પણ ખેડૂતોને રડાવી રહ્યો છે. ગરમીની સિઝનમાં કમોસમી વરસાદની આગાહી કરાતા જગતના તાત ચિંતિત બન્યા છે. શિયાળાની શરૂઆતમાં પણ માવઠાએ જગતના તાતને બેહાલ કર્યા હતા ત્યારે ઉનાળામાં પણ કમોસમી વરસાદ જગતના તાતની ચિંતા વધારી શકે છે કારણ કે અનેક ભાગો માટે માવઠાને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 11થી 13 એપ્રિલ દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં છુટો છવાયો વરસાદ વરસી શકે છે... હવામાન વિભાગની આગાહી અનુસાર 11 એપ્રિલે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં તો 12મી તારીખે સુરત,ભરૂચ તેમજ નવસારીમાં વરસાદનું અનુમાન છે તો 13 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર ભરૂચ, સુરત, નવસારી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદ આવી શકે છે. મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા એવી પણ આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં અનેક જગ્યાઓ પર કાળઝાળ ગરમીનો અનુભવ થશે... 


ગાજવીજ સાથે આવશે વરસાદ?

વરસાદને લઈ ના માત્ર હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે પરંતુ હવામાન નિષ્ણાત દ્વારા પણ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર  12 થી 15 એપ્રિલ વચ્ચે પ્રીમોનસૂન એક્ટિવિટી શરૂ થશે જેને કારણે અનેક જગ્યાઓ પર ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. . આગાહી અનુસાર ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલનાં ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા. આ માવઠા બાદ રાજ્યમાં ગરમીનું તાપમાન વધી જશે તેવી આગાહી પણ કરવામા આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા... મહત્વનું છે કે કમોસમી વરસાદને કારણે જગતના તાતને સૌથી વધારે નુકસાન વેઠવાનો વારો આવતો હોય છે!



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે