આ તારીખે ગુજરાતના અનેક ભાગોમાં આવી શકે છે મુસીબતનું માવઠું, જાણો હવામાન વિભાગ અને Ambalal Patelએ કમોસમી વરસાદને લઈ શું કરી આગાહી?


  • Published By :
  • Published Date : 2024-04-08 14:09:30

ગરમીની શરૂઆત રાજ્યમાં એક તરફ થઈ રહી છે તો બીજી તરફ જગતના તાતની ચિંતા વધી છે કારણ કે કમોસમી વરસાદની આગાહી રાજ્યના અનેક ભાગો માટે કરવામાં આવી છે. ગરમીનો પારો એક તરફ ઉપર વધી રહ્યો છે તો બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી રહ્યું છે..! ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર 10 તેમજ 11 એપ્રિલે રાજ્યના અનેક ભાગોમાં વરસાદ આવવાની સંભાવના છે. તે ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ તેમજ પરેશ ગોસ્વામી દ્વારા પણ માવઠાને લઈ આગાહી કરવામાં આવી છે...


શું કહે છે હવામાન વિભાગની આગાહી? 

એક તરફ જગતના તાત અનેક મુશ્કેલીઓનો સામનો કરવા મજબૂર બન્યા છે. તો બીજી તરફ કમોસમી વરસાદ પણ ખેડૂતોને રડાવી રહ્યો છે. ગરમીની સિઝનમાં કમોસમી વરસાદની આગાહી કરાતા જગતના તાત ચિંતિત બન્યા છે. શિયાળાની શરૂઆતમાં પણ માવઠાએ જગતના તાતને બેહાલ કર્યા હતા ત્યારે ઉનાળામાં પણ કમોસમી વરસાદ જગતના તાતની ચિંતા વધારી શકે છે કારણ કે અનેક ભાગો માટે માવઠાને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 11થી 13 એપ્રિલ દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં છુટો છવાયો વરસાદ વરસી શકે છે... હવામાન વિભાગની આગાહી અનુસાર 11 એપ્રિલે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં તો 12મી તારીખે સુરત,ભરૂચ તેમજ નવસારીમાં વરસાદનું અનુમાન છે તો 13 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર ભરૂચ, સુરત, નવસારી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદ આવી શકે છે. મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા એવી પણ આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં અનેક જગ્યાઓ પર કાળઝાળ ગરમીનો અનુભવ થશે... 


ગાજવીજ સાથે આવશે વરસાદ?

વરસાદને લઈ ના માત્ર હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે પરંતુ હવામાન નિષ્ણાત દ્વારા પણ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર  12 થી 15 એપ્રિલ વચ્ચે પ્રીમોનસૂન એક્ટિવિટી શરૂ થશે જેને કારણે અનેક જગ્યાઓ પર ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. . આગાહી અનુસાર ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલનાં ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા. આ માવઠા બાદ રાજ્યમાં ગરમીનું તાપમાન વધી જશે તેવી આગાહી પણ કરવામા આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા... મહત્વનું છે કે કમોસમી વરસાદને કારણે જગતના તાતને સૌથી વધારે નુકસાન વેઠવાનો વારો આવતો હોય છે!



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે