કેમ મહારાષ્ટ્ર આજના દિવસને 'કાળો દિવસ' કહે છે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 17:25:11

મહારાષ્ટ્રના એ કાળા દિવસે શું થયું હતું?

વર્ષ 1993નો એ 30 સપ્ટેમ્બરના સવારના સમયની એ વાત છે. દેશના લોકો સૂઈ રહ્યા હતા અને મહારાષ્ટ્રમાં હજુ તો સવારના ચાર વાગ્યામાં થોડી મિનિટોની જ વાર હતી. મહારાષ્ટ્રના લાતુર અને ઓસ્માનાબાદ વિસ્તારમાં ભયાનક ભૂકંપ આવે છે. આ ભૂકંપ એક સાથે 52થી વધુ ગામોને અસર કરે છે, જેમાં લગભગ 10 હજાર લોકો મરી જાય છે. જો કે કુલ અસરની વાત કરીએ તો લગભગ 700થી વધુ ગામોમાં ભૂકંપના કારણે અસર થઈ હતી. 

આ દૂર્ઘટનામાં 30 હજાર લોકો તો ઈજાગ્રસ્ત થાય છે. સવારે 3 વાગીને 56 મિનિટે જે ભૂકંપ આવ્યો હતો તે મહારાષ્ટ્ર અને ભારત કોઈ દિવસ નહીં ભૂલી શકે. મહારાષ્ટ્રના આજના ભૂકંપની તીવ્રતા 6.4 હતી. ભૂકંપ સિસ્મોગ્રાફ નામના મશીનમાં માપવામાં આવે છે.


ભૂકંપનું વિજ્ઞાન સમજીએ તો...

આ ભૂકંપ જમીનની દસ કિલોમીટર અંદર આવ્યો હતો. દસ કિલોમીટર હોવાથી આ ભૂકંપ ભયાનકમાં ભયાનક હતો. જમીનના અંદર મેગ્મા નામનું પ્રવાહી રહેલું છે. આ મેગ્મા સતત હલન ચલન કરતું રહેતું હોય છે. તેની ઉપર પૃથ્વીનો પોપડો આવેલો છે જે તેના પર તરતો હોય છે. હલન ચલન વધે તો કંપારી છૂટે છે અને તેના કારણે ભૂકંપનું નિર્માણ થાય છે. જો આ ભૂકંપ ખૂબ ઉંડે સુધી હોય તો જાનહાનીના ચાન્સ ઓછા રહે છે, પરંતુ જો જમીનની સપાટી નજીક ભૂકંપનું કેન્દ્ર બિંદુ હોય તો મર્યા સમજજો. કારણ કે જેટલો ભૂકંપ અંદર હોય છે ત્યારે તે મેગ્મામાંથી પસાર થાય તો મેગ્મા તેની કંપારીને ઓછી કરી દે છે. જો ભૂકંપ પોપડામાં હોય તો તે ઘન પદાર્થમાં હોવાના કારણે મોટી જાનહાની કરે છે. 



ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.