કેમ મહારાષ્ટ્ર આજના દિવસને 'કાળો દિવસ' કહે છે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 17:25:11

મહારાષ્ટ્રના એ કાળા દિવસે શું થયું હતું?

વર્ષ 1993નો એ 30 સપ્ટેમ્બરના સવારના સમયની એ વાત છે. દેશના લોકો સૂઈ રહ્યા હતા અને મહારાષ્ટ્રમાં હજુ તો સવારના ચાર વાગ્યામાં થોડી મિનિટોની જ વાર હતી. મહારાષ્ટ્રના લાતુર અને ઓસ્માનાબાદ વિસ્તારમાં ભયાનક ભૂકંપ આવે છે. આ ભૂકંપ એક સાથે 52થી વધુ ગામોને અસર કરે છે, જેમાં લગભગ 10 હજાર લોકો મરી જાય છે. જો કે કુલ અસરની વાત કરીએ તો લગભગ 700થી વધુ ગામોમાં ભૂકંપના કારણે અસર થઈ હતી. 

આ દૂર્ઘટનામાં 30 હજાર લોકો તો ઈજાગ્રસ્ત થાય છે. સવારે 3 વાગીને 56 મિનિટે જે ભૂકંપ આવ્યો હતો તે મહારાષ્ટ્ર અને ભારત કોઈ દિવસ નહીં ભૂલી શકે. મહારાષ્ટ્રના આજના ભૂકંપની તીવ્રતા 6.4 હતી. ભૂકંપ સિસ્મોગ્રાફ નામના મશીનમાં માપવામાં આવે છે.


ભૂકંપનું વિજ્ઞાન સમજીએ તો...

આ ભૂકંપ જમીનની દસ કિલોમીટર અંદર આવ્યો હતો. દસ કિલોમીટર હોવાથી આ ભૂકંપ ભયાનકમાં ભયાનક હતો. જમીનના અંદર મેગ્મા નામનું પ્રવાહી રહેલું છે. આ મેગ્મા સતત હલન ચલન કરતું રહેતું હોય છે. તેની ઉપર પૃથ્વીનો પોપડો આવેલો છે જે તેના પર તરતો હોય છે. હલન ચલન વધે તો કંપારી છૂટે છે અને તેના કારણે ભૂકંપનું નિર્માણ થાય છે. જો આ ભૂકંપ ખૂબ ઉંડે સુધી હોય તો જાનહાનીના ચાન્સ ઓછા રહે છે, પરંતુ જો જમીનની સપાટી નજીક ભૂકંપનું કેન્દ્ર બિંદુ હોય તો મર્યા સમજજો. કારણ કે જેટલો ભૂકંપ અંદર હોય છે ત્યારે તે મેગ્મામાંથી પસાર થાય તો મેગ્મા તેની કંપારીને ઓછી કરી દે છે. જો ભૂકંપ પોપડામાં હોય તો તે ઘન પદાર્થમાં હોવાના કારણે મોટી જાનહાની કરે છે. 



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.