કેમ મહારાષ્ટ્ર આજના દિવસને 'કાળો દિવસ' કહે છે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 17:25:11

મહારાષ્ટ્રના એ કાળા દિવસે શું થયું હતું?

વર્ષ 1993નો એ 30 સપ્ટેમ્બરના સવારના સમયની એ વાત છે. દેશના લોકો સૂઈ રહ્યા હતા અને મહારાષ્ટ્રમાં હજુ તો સવારના ચાર વાગ્યામાં થોડી મિનિટોની જ વાર હતી. મહારાષ્ટ્રના લાતુર અને ઓસ્માનાબાદ વિસ્તારમાં ભયાનક ભૂકંપ આવે છે. આ ભૂકંપ એક સાથે 52થી વધુ ગામોને અસર કરે છે, જેમાં લગભગ 10 હજાર લોકો મરી જાય છે. જો કે કુલ અસરની વાત કરીએ તો લગભગ 700થી વધુ ગામોમાં ભૂકંપના કારણે અસર થઈ હતી. 

આ દૂર્ઘટનામાં 30 હજાર લોકો તો ઈજાગ્રસ્ત થાય છે. સવારે 3 વાગીને 56 મિનિટે જે ભૂકંપ આવ્યો હતો તે મહારાષ્ટ્ર અને ભારત કોઈ દિવસ નહીં ભૂલી શકે. મહારાષ્ટ્રના આજના ભૂકંપની તીવ્રતા 6.4 હતી. ભૂકંપ સિસ્મોગ્રાફ નામના મશીનમાં માપવામાં આવે છે.


ભૂકંપનું વિજ્ઞાન સમજીએ તો...

આ ભૂકંપ જમીનની દસ કિલોમીટર અંદર આવ્યો હતો. દસ કિલોમીટર હોવાથી આ ભૂકંપ ભયાનકમાં ભયાનક હતો. જમીનના અંદર મેગ્મા નામનું પ્રવાહી રહેલું છે. આ મેગ્મા સતત હલન ચલન કરતું રહેતું હોય છે. તેની ઉપર પૃથ્વીનો પોપડો આવેલો છે જે તેના પર તરતો હોય છે. હલન ચલન વધે તો કંપારી છૂટે છે અને તેના કારણે ભૂકંપનું નિર્માણ થાય છે. જો આ ભૂકંપ ખૂબ ઉંડે સુધી હોય તો જાનહાનીના ચાન્સ ઓછા રહે છે, પરંતુ જો જમીનની સપાટી નજીક ભૂકંપનું કેન્દ્ર બિંદુ હોય તો મર્યા સમજજો. કારણ કે જેટલો ભૂકંપ અંદર હોય છે ત્યારે તે મેગ્મામાંથી પસાર થાય તો મેગ્મા તેની કંપારીને ઓછી કરી દે છે. જો ભૂકંપ પોપડામાં હોય તો તે ઘન પદાર્થમાં હોવાના કારણે મોટી જાનહાની કરે છે. 



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.