ગુજરાતના શિક્ષણ મંત્રીની આ ટ્વિટ પર લોકોએ ઉઠાવ્યો શિક્ષકોની કાયમી ભરતીનો મુદ્દો! જાણો સમગ્ર વિગત


  • Published By :
  • Published Date : 2023-07-26 09:30:11

ગુજરાતના તેમજ દેશના યુવાનો પ્રગતિ કરી આગળ વધે તે માટે અનેક સરકારી યોજનાઓ અમલમાં છે. વિવિધ સરકારી યોજનાનો લાભ લઈ અંતરિયાળ વિસ્તારમાં વસતા યુવાનો પોતાના સપના સાકાર કરતા હોય છે. ગામડામાં રહેતા લોકોનું, યુવાનોનું પોટેન્શિયલ એટલું બધું હોય છે જો તેમને યોગ્ય માર્ગદર્શન, યોગ્ય સલાહ મળી જાય તો તે કંઈ પણ કરી શકવા સક્ષમ છે. એમની આંખમાં જે ઝનુન દેખાતું હોય છે જે તેમને આગળ વધવા માટે સતત પ્રોત્સાહિત કરતા રહે છે. ગામડાના લોકોમાં કંઈક કરી બતાવવાની તાલાવેલી હોય છે. 

મોરૂકા ગીરમાં વસતા સિદ્દી સમાજમાંથી પ્રથમ યુવાન વિદેશમાં ભણશે

ત્યારે ગીર સોમનાથ વિસ્તારના અંતરિયાળ ગામ મોરૂકા ગીરમાં વસતા સિદ્દી સમાજમાંથી પ્રથમ યુવાન અભ્યાસ અર્થે કેનેડા જવાનો છે. અંતરિયાળ વિસ્તારના લોકો પણ આગળ વધી રહ્યા છે. આ અંગેની જાણકારી સોશિયલ મીડિયા પર શિક્ષણમંત્રીએ આપી છે. પોતાની ટ્વિટમાં તેમણે લખ્યું કે મોરૂકા ગીરમાં વર્ષોથી વસતા સિદ્દી સમાજમાંથી પ્રથમ યુવાન સરકારી યોજનાના લાભ થકી અભ્યાસ થકી અભ્યાસ અર્થે કેનેડા જવાનો હોય તેને પ્રોત્સાહિત કર્યો તથા અભિનંદન પાઠવ્યા. આ વાતને અનેક લોકોએ બિરદાવી પરંતુ અનેક લોકોએ આ વાતને કમેન્ટમાં કાયમી શિક્ષકોની ભરતી સાથે જોડી દીધી.  





શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી અનેક લોકોએ કરી કમેન્ટ

શિક્ષણમંત્રીની આ પોસ્ટ પર કરાર આધારીત ભરતીનો વિરોધ કરતા લોકોએ જાણે કે પોતાનો રોષ વ્યક્ત કર્યો હોય તેવું લાગે છે. શિક્ષણ મંત્રીની ટ્વિટ પર કોઈએ કમેન્ટ કરી કે આમેય અહીંયા ગુજરાતમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ દ્વારા યુવાઓનું શોષણ જ થાય છે. તો કોઈએ લખ્યું કે ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે ટેટ ટાટ પાસ શિક્ષકો જોઈએ પણ શિક્ષણમાં સુધારો કરનાર મંત્રી અભણ ચાલે... મેરા ભારત મહાન.  તો કોઈએ લખ્યું કે દેખાવ જ કરો છો થોડીક બોલવામાં પણ સભ્યતા રાખો ડીંડોર સાહેબ આજ રોજ જે ટેટ ટાટ ઉમેદવારો આવ્યા હતા તેમનું અપમાન કરતા આપણે જરા પણ શરમ ના આવી???  તો કોઈએ લખ્યું કે કાયમી શિક્ષક ની રજૂઆત કરવા આવેલા લોકોને મનફાવે એવા જવાબ આપ્યા છે તો વિચારી લેજો આ વખતે બવ ઝાઝા વોટ થી જીત્યા નથી આપ અને અપક્ષ ના હોત તો ગરબો ઘરે હતો એટલે બવ અભિમાન રાખવું નહિ ક્યારે ઘર ભેગા થઇ જાસો ખબર પણ નહિ પડે.  


અનેક લોકોએ પોસ્ટમાં કરી પોઝિટિવ કમેન્ટ

આ પોસ્ટ પર માત્ર નેગેટિવ કમેન્ટ જ છે એવું નથી પરંતુ સારી પ્રતિક્રિયાઓ પણ છે. કોઈએ લખ્યું કે સરકાર સંપૂર્ણ રીતે કટિબદ્ધ.. તો કોઈએ લખ્યુ કે આદિજાતિ વિકાસ વિભાગની યોજના થકી આજે એક યુવાન પોતાના સપના પુરા કરવા પાંખો ફેલાવીને વિદેશ જઈ રહયો છે ત્યારે અભિનંદન સહ શુભકામનાઓ.... આદિમજૂથ સમુદાય ના વધુ ને વધુ લોકો આ યોજનાનો લાભ લે તો સમાજ ને પણ એક નવી દિશા મળશે... 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.