ગુજરાતના શિક્ષણ મંત્રીની આ ટ્વિટ પર લોકોએ ઉઠાવ્યો શિક્ષકોની કાયમી ભરતીનો મુદ્દો! જાણો સમગ્ર વિગત


  • Published By :
  • Published Date : 2023-07-26 09:30:11

ગુજરાતના તેમજ દેશના યુવાનો પ્રગતિ કરી આગળ વધે તે માટે અનેક સરકારી યોજનાઓ અમલમાં છે. વિવિધ સરકારી યોજનાનો લાભ લઈ અંતરિયાળ વિસ્તારમાં વસતા યુવાનો પોતાના સપના સાકાર કરતા હોય છે. ગામડામાં રહેતા લોકોનું, યુવાનોનું પોટેન્શિયલ એટલું બધું હોય છે જો તેમને યોગ્ય માર્ગદર્શન, યોગ્ય સલાહ મળી જાય તો તે કંઈ પણ કરી શકવા સક્ષમ છે. એમની આંખમાં જે ઝનુન દેખાતું હોય છે જે તેમને આગળ વધવા માટે સતત પ્રોત્સાહિત કરતા રહે છે. ગામડાના લોકોમાં કંઈક કરી બતાવવાની તાલાવેલી હોય છે. 

મોરૂકા ગીરમાં વસતા સિદ્દી સમાજમાંથી પ્રથમ યુવાન વિદેશમાં ભણશે

ત્યારે ગીર સોમનાથ વિસ્તારના અંતરિયાળ ગામ મોરૂકા ગીરમાં વસતા સિદ્દી સમાજમાંથી પ્રથમ યુવાન અભ્યાસ અર્થે કેનેડા જવાનો છે. અંતરિયાળ વિસ્તારના લોકો પણ આગળ વધી રહ્યા છે. આ અંગેની જાણકારી સોશિયલ મીડિયા પર શિક્ષણમંત્રીએ આપી છે. પોતાની ટ્વિટમાં તેમણે લખ્યું કે મોરૂકા ગીરમાં વર્ષોથી વસતા સિદ્દી સમાજમાંથી પ્રથમ યુવાન સરકારી યોજનાના લાભ થકી અભ્યાસ થકી અભ્યાસ અર્થે કેનેડા જવાનો હોય તેને પ્રોત્સાહિત કર્યો તથા અભિનંદન પાઠવ્યા. આ વાતને અનેક લોકોએ બિરદાવી પરંતુ અનેક લોકોએ આ વાતને કમેન્ટમાં કાયમી શિક્ષકોની ભરતી સાથે જોડી દીધી.  





શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી અનેક લોકોએ કરી કમેન્ટ

શિક્ષણમંત્રીની આ પોસ્ટ પર કરાર આધારીત ભરતીનો વિરોધ કરતા લોકોએ જાણે કે પોતાનો રોષ વ્યક્ત કર્યો હોય તેવું લાગે છે. શિક્ષણ મંત્રીની ટ્વિટ પર કોઈએ કમેન્ટ કરી કે આમેય અહીંયા ગુજરાતમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ દ્વારા યુવાઓનું શોષણ જ થાય છે. તો કોઈએ લખ્યું કે ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે ટેટ ટાટ પાસ શિક્ષકો જોઈએ પણ શિક્ષણમાં સુધારો કરનાર મંત્રી અભણ ચાલે... મેરા ભારત મહાન.  તો કોઈએ લખ્યું કે દેખાવ જ કરો છો થોડીક બોલવામાં પણ સભ્યતા રાખો ડીંડોર સાહેબ આજ રોજ જે ટેટ ટાટ ઉમેદવારો આવ્યા હતા તેમનું અપમાન કરતા આપણે જરા પણ શરમ ના આવી???  તો કોઈએ લખ્યું કે કાયમી શિક્ષક ની રજૂઆત કરવા આવેલા લોકોને મનફાવે એવા જવાબ આપ્યા છે તો વિચારી લેજો આ વખતે બવ ઝાઝા વોટ થી જીત્યા નથી આપ અને અપક્ષ ના હોત તો ગરબો ઘરે હતો એટલે બવ અભિમાન રાખવું નહિ ક્યારે ઘર ભેગા થઇ જાસો ખબર પણ નહિ પડે.  


અનેક લોકોએ પોસ્ટમાં કરી પોઝિટિવ કમેન્ટ

આ પોસ્ટ પર માત્ર નેગેટિવ કમેન્ટ જ છે એવું નથી પરંતુ સારી પ્રતિક્રિયાઓ પણ છે. કોઈએ લખ્યું કે સરકાર સંપૂર્ણ રીતે કટિબદ્ધ.. તો કોઈએ લખ્યુ કે આદિજાતિ વિકાસ વિભાગની યોજના થકી આજે એક યુવાન પોતાના સપના પુરા કરવા પાંખો ફેલાવીને વિદેશ જઈ રહયો છે ત્યારે અભિનંદન સહ શુભકામનાઓ.... આદિમજૂથ સમુદાય ના વધુ ને વધુ લોકો આ યોજનાનો લાભ લે તો સમાજ ને પણ એક નવી દિશા મળશે... 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.