વેલેન્ટાઈન ડેના દિવસે શાળાના વિદ્યાર્થીઓએ કરી માતા-પિતાની પૂજા, ઉજવ્યો માતૃ-પિતૃ દિવસ


  • Published By :
  • Published Date : 2023-02-14 17:15:58

14 ફેબ્રુઆરીના રોજ સમગ્ર વિશ્વમાં વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. ભારતમાં પણ આ દિવસની ઉજવણી કરવાનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે. આ દિવસે પ્રેમીઓ એક બીજાને ગુલાબના ફૂલો આપી પ્રેમનો હિઝહાર કરતા હોય છે. ત્યારે અનેક જગ્યાઓ પર વેલેન્ટાઈન ડેના દિવસે માતા-પિતાની પૂજા કરવામાં આવી હતી. વાપીની શાળામાં તેમજ ડીસાની શાળામાં માતા પિતાની પૂજા કરવામાં આવી હતી. 

 Nilesh Rana, Banaskantha: બનાસકાંઠાના ડીસામાં વેલેન્ટાઈન ડે ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. શાળાના બાળકોએ પશ્ચિમી સંસ્કૃતિનું આંધળુ અનુકરણ કરવાને બદલે આજે ભારતીય સંસ્કૃતિ મુજબ માતા-પિતાનું પૂજન કરી આશીર્વાદ મેળવી વેલેન્ટાઈન ડે ની ઉજવણી કરાઇ હતી.


 ત્યારે આજે બનાસકાંઠાના ડીસાની આદર્શ હાઇસ્કુલના વિદ્યાર્થીઓએ આજે વેલેન્ટાઇન ડે ની અનોખી રીતે ઉજવણી કરી હતી.જેમાં ભારતીય સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી.

 એક તરફ યુવા ધન પશ્ચિમી દેશો નું આંધળુ અનુકરણ કરી રહ્યા છે. ત્યારે ડીસામાં આદર્શ હાઈસ્કૂલના બાળકોએ આજે ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ માતા-પિતાનુ પૂજન કરી વેલેન્ટાઈન ડે ની અનોખી રીતે ઉજવણી કરી હતી.આવા કાર્યક્રમો થકી શાળાના સંચાલકો અને બાળકો અન્ય લોકોને પણ આપણી ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ ડે અને તહેવારોની ઉજવણી માટે અનોખો સંદેશ આપ્યો હતો.

માતા પિતાની પૂજા કરી ઉજવ્યો વેલેન્ટાઈન ડે 

આજની પેઢી વેસ્ટર્ન કર્લ્ચરથી ઘણી પ્રભાવિત થઈ રહી છે. ભારતમાં વેલેન્ટાઈન ડેની ઉજવણી અનેક લોકો કરી રહ્યા છે. આ દિવસે લોકો પ્રેમ વ્યક્ત કરતા હોય છે. ત્યારે રાજ્યની અનેક શાળાઓમાં આ દિવસની ખાસ રીતે ઉજવણી કરવામાં આવી હતી. ડીસામાં આવેલી આદર્શ હાઈસ્કુલ ખાતે વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવાની બદલે માતા પિતાનું પૂજન કરવામાં આવ્યું હતું. ડીસા ઉપરાંત વાપીની જ્ઞાનગંગા શાળામાં પણ માતા પિતાની પૂજા કરવામાં આવી હતી. 

      આવનાર નવી પેઢીને અત્યારથી જ વેલેન્ટાઇન એટલે પ્રેમીઓનો દિવસ નહીં પરંતુ પોતાના માતા-પિતાને પૂજવાનો દિવસ તરીકે ઉજવવામાં આવે, આ પ્રકારની પ્રેરણા આપવામાં આવી હતી. શાળા પરિસરમાં આ નિમિત્તે યોજાયેલા માતૃ-પિતૃ પૂજનવિધિમાં શાળાના 1,000થી વધુ બાળકો અને તેમના માતા-પિતા આ પૂજામાં જોડાયા હતા. જ્યાં બાળકોએ પુરા ભક્તિ ભાવપૂર્વક પોતાના માતા-પિતાની પૂજા આરતી કરી હતી.


 ભરતસિંહ વાઢેર, વાપી: દેશ અને દુનિયામાં આજે વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. પાશ્ચાત્ય સંસ્કૃતિ મુજબ 14 ફેબ્રુઆરીને પ્રેમીઓનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે પ્રેમીઓ એકબીજાને ગુલાબનું ફૂલ આપી પોતાના પ્રેમનો એકરાર કરતા હોય છે. આમ પાશ્ચાત્ય સંસ્કૃતિ પાછળ ઘેલી બનેલી આજની નવી પેઢીને ભારતીય સંસ્કૃતિથી ઉજાગર કરવા માટે વાપીની જ્ઞાન ગંગા શાળામાં આજના દિવસે વેલેન્ટાઈન ડેની ઉજવણીને બદલે  માતૃ-પિતૃ પૂજન દિવસ તરીકે ઉજવવામાં (Worship Of Parents On Valentine Day) આવ્યો હતો.

ઉત્સાહપૂર્વક વિદ્યાર્થી તેમજ વાલીઓએ લીધો ભાગ   

આ પૂજા જ્યારે કરવામાં આવી રહી હતી તે દરમિયાન અનેક ભાવુક દ્રશ્યો સામે આવ્યા હતા. આ દિવસની ઉજવણી કરવા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ પહોંચ્યા હતા. વેલેન્ટાઈન ડેની ઉજવણી ન કરી વાલીઓની પૂજા કરી સંસ્કૃતિનું જતન કર્યું હતું અને સમાજને એક નવો માર્ગ બતાવ્યો હતો.        




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.