વેલેન્ટાઈન ડેના દિવસે શાળાના વિદ્યાર્થીઓએ કરી માતા-પિતાની પૂજા, ઉજવ્યો માતૃ-પિતૃ દિવસ


  • Published By :
  • Published Date : 2023-02-14 17:15:58

14 ફેબ્રુઆરીના રોજ સમગ્ર વિશ્વમાં વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. ભારતમાં પણ આ દિવસની ઉજવણી કરવાનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે. આ દિવસે પ્રેમીઓ એક બીજાને ગુલાબના ફૂલો આપી પ્રેમનો હિઝહાર કરતા હોય છે. ત્યારે અનેક જગ્યાઓ પર વેલેન્ટાઈન ડેના દિવસે માતા-પિતાની પૂજા કરવામાં આવી હતી. વાપીની શાળામાં તેમજ ડીસાની શાળામાં માતા પિતાની પૂજા કરવામાં આવી હતી. 

 Nilesh Rana, Banaskantha: બનાસકાંઠાના ડીસામાં વેલેન્ટાઈન ડે ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. શાળાના બાળકોએ પશ્ચિમી સંસ્કૃતિનું આંધળુ અનુકરણ કરવાને બદલે આજે ભારતીય સંસ્કૃતિ મુજબ માતા-પિતાનું પૂજન કરી આશીર્વાદ મેળવી વેલેન્ટાઈન ડે ની ઉજવણી કરાઇ હતી.


 ત્યારે આજે બનાસકાંઠાના ડીસાની આદર્શ હાઇસ્કુલના વિદ્યાર્થીઓએ આજે વેલેન્ટાઇન ડે ની અનોખી રીતે ઉજવણી કરી હતી.જેમાં ભારતીય સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી.

 એક તરફ યુવા ધન પશ્ચિમી દેશો નું આંધળુ અનુકરણ કરી રહ્યા છે. ત્યારે ડીસામાં આદર્શ હાઈસ્કૂલના બાળકોએ આજે ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ માતા-પિતાનુ પૂજન કરી વેલેન્ટાઈન ડે ની અનોખી રીતે ઉજવણી કરી હતી.આવા કાર્યક્રમો થકી શાળાના સંચાલકો અને બાળકો અન્ય લોકોને પણ આપણી ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ ડે અને તહેવારોની ઉજવણી માટે અનોખો સંદેશ આપ્યો હતો.

માતા પિતાની પૂજા કરી ઉજવ્યો વેલેન્ટાઈન ડે 

આજની પેઢી વેસ્ટર્ન કર્લ્ચરથી ઘણી પ્રભાવિત થઈ રહી છે. ભારતમાં વેલેન્ટાઈન ડેની ઉજવણી અનેક લોકો કરી રહ્યા છે. આ દિવસે લોકો પ્રેમ વ્યક્ત કરતા હોય છે. ત્યારે રાજ્યની અનેક શાળાઓમાં આ દિવસની ખાસ રીતે ઉજવણી કરવામાં આવી હતી. ડીસામાં આવેલી આદર્શ હાઈસ્કુલ ખાતે વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવાની બદલે માતા પિતાનું પૂજન કરવામાં આવ્યું હતું. ડીસા ઉપરાંત વાપીની જ્ઞાનગંગા શાળામાં પણ માતા પિતાની પૂજા કરવામાં આવી હતી. 

      આવનાર નવી પેઢીને અત્યારથી જ વેલેન્ટાઇન એટલે પ્રેમીઓનો દિવસ નહીં પરંતુ પોતાના માતા-પિતાને પૂજવાનો દિવસ તરીકે ઉજવવામાં આવે, આ પ્રકારની પ્રેરણા આપવામાં આવી હતી. શાળા પરિસરમાં આ નિમિત્તે યોજાયેલા માતૃ-પિતૃ પૂજનવિધિમાં શાળાના 1,000થી વધુ બાળકો અને તેમના માતા-પિતા આ પૂજામાં જોડાયા હતા. જ્યાં બાળકોએ પુરા ભક્તિ ભાવપૂર્વક પોતાના માતા-પિતાની પૂજા આરતી કરી હતી.


 ભરતસિંહ વાઢેર, વાપી: દેશ અને દુનિયામાં આજે વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. પાશ્ચાત્ય સંસ્કૃતિ મુજબ 14 ફેબ્રુઆરીને પ્રેમીઓનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે પ્રેમીઓ એકબીજાને ગુલાબનું ફૂલ આપી પોતાના પ્રેમનો એકરાર કરતા હોય છે. આમ પાશ્ચાત્ય સંસ્કૃતિ પાછળ ઘેલી બનેલી આજની નવી પેઢીને ભારતીય સંસ્કૃતિથી ઉજાગર કરવા માટે વાપીની જ્ઞાન ગંગા શાળામાં આજના દિવસે વેલેન્ટાઈન ડેની ઉજવણીને બદલે  માતૃ-પિતૃ પૂજન દિવસ તરીકે ઉજવવામાં (Worship Of Parents On Valentine Day) આવ્યો હતો.

ઉત્સાહપૂર્વક વિદ્યાર્થી તેમજ વાલીઓએ લીધો ભાગ   

આ પૂજા જ્યારે કરવામાં આવી રહી હતી તે દરમિયાન અનેક ભાવુક દ્રશ્યો સામે આવ્યા હતા. આ દિવસની ઉજવણી કરવા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ પહોંચ્યા હતા. વેલેન્ટાઈન ડેની ઉજવણી ન કરી વાલીઓની પૂજા કરી સંસ્કૃતિનું જતન કર્યું હતું અને સમાજને એક નવો માર્ગ બતાવ્યો હતો.        




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.