વેલેન્ટાઈન ડેના દિવસે શાળાના વિદ્યાર્થીઓએ કરી માતા-પિતાની પૂજા, ઉજવ્યો માતૃ-પિતૃ દિવસ


  • Published By :
  • Published Date : 2023-02-14 17:15:58

14 ફેબ્રુઆરીના રોજ સમગ્ર વિશ્વમાં વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. ભારતમાં પણ આ દિવસની ઉજવણી કરવાનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે. આ દિવસે પ્રેમીઓ એક બીજાને ગુલાબના ફૂલો આપી પ્રેમનો હિઝહાર કરતા હોય છે. ત્યારે અનેક જગ્યાઓ પર વેલેન્ટાઈન ડેના દિવસે માતા-પિતાની પૂજા કરવામાં આવી હતી. વાપીની શાળામાં તેમજ ડીસાની શાળામાં માતા પિતાની પૂજા કરવામાં આવી હતી. 

 Nilesh Rana, Banaskantha: બનાસકાંઠાના ડીસામાં વેલેન્ટાઈન ડે ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. શાળાના બાળકોએ પશ્ચિમી સંસ્કૃતિનું આંધળુ અનુકરણ કરવાને બદલે આજે ભારતીય સંસ્કૃતિ મુજબ માતા-પિતાનું પૂજન કરી આશીર્વાદ મેળવી વેલેન્ટાઈન ડે ની ઉજવણી કરાઇ હતી.


 ત્યારે આજે બનાસકાંઠાના ડીસાની આદર્શ હાઇસ્કુલના વિદ્યાર્થીઓએ આજે વેલેન્ટાઇન ડે ની અનોખી રીતે ઉજવણી કરી હતી.જેમાં ભારતીય સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી.

 એક તરફ યુવા ધન પશ્ચિમી દેશો નું આંધળુ અનુકરણ કરી રહ્યા છે. ત્યારે ડીસામાં આદર્શ હાઈસ્કૂલના બાળકોએ આજે ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ માતા-પિતાનુ પૂજન કરી વેલેન્ટાઈન ડે ની અનોખી રીતે ઉજવણી કરી હતી.આવા કાર્યક્રમો થકી શાળાના સંચાલકો અને બાળકો અન્ય લોકોને પણ આપણી ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ ડે અને તહેવારોની ઉજવણી માટે અનોખો સંદેશ આપ્યો હતો.

માતા પિતાની પૂજા કરી ઉજવ્યો વેલેન્ટાઈન ડે 

આજની પેઢી વેસ્ટર્ન કર્લ્ચરથી ઘણી પ્રભાવિત થઈ રહી છે. ભારતમાં વેલેન્ટાઈન ડેની ઉજવણી અનેક લોકો કરી રહ્યા છે. આ દિવસે લોકો પ્રેમ વ્યક્ત કરતા હોય છે. ત્યારે રાજ્યની અનેક શાળાઓમાં આ દિવસની ખાસ રીતે ઉજવણી કરવામાં આવી હતી. ડીસામાં આવેલી આદર્શ હાઈસ્કુલ ખાતે વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવાની બદલે માતા પિતાનું પૂજન કરવામાં આવ્યું હતું. ડીસા ઉપરાંત વાપીની જ્ઞાનગંગા શાળામાં પણ માતા પિતાની પૂજા કરવામાં આવી હતી. 

      આવનાર નવી પેઢીને અત્યારથી જ વેલેન્ટાઇન એટલે પ્રેમીઓનો દિવસ નહીં પરંતુ પોતાના માતા-પિતાને પૂજવાનો દિવસ તરીકે ઉજવવામાં આવે, આ પ્રકારની પ્રેરણા આપવામાં આવી હતી. શાળા પરિસરમાં આ નિમિત્તે યોજાયેલા માતૃ-પિતૃ પૂજનવિધિમાં શાળાના 1,000થી વધુ બાળકો અને તેમના માતા-પિતા આ પૂજામાં જોડાયા હતા. જ્યાં બાળકોએ પુરા ભક્તિ ભાવપૂર્વક પોતાના માતા-પિતાની પૂજા આરતી કરી હતી.


 ભરતસિંહ વાઢેર, વાપી: દેશ અને દુનિયામાં આજે વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. પાશ્ચાત્ય સંસ્કૃતિ મુજબ 14 ફેબ્રુઆરીને પ્રેમીઓનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે પ્રેમીઓ એકબીજાને ગુલાબનું ફૂલ આપી પોતાના પ્રેમનો એકરાર કરતા હોય છે. આમ પાશ્ચાત્ય સંસ્કૃતિ પાછળ ઘેલી બનેલી આજની નવી પેઢીને ભારતીય સંસ્કૃતિથી ઉજાગર કરવા માટે વાપીની જ્ઞાન ગંગા શાળામાં આજના દિવસે વેલેન્ટાઈન ડેની ઉજવણીને બદલે  માતૃ-પિતૃ પૂજન દિવસ તરીકે ઉજવવામાં (Worship Of Parents On Valentine Day) આવ્યો હતો.

ઉત્સાહપૂર્વક વિદ્યાર્થી તેમજ વાલીઓએ લીધો ભાગ   

આ પૂજા જ્યારે કરવામાં આવી રહી હતી તે દરમિયાન અનેક ભાવુક દ્રશ્યો સામે આવ્યા હતા. આ દિવસની ઉજવણી કરવા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ પહોંચ્યા હતા. વેલેન્ટાઈન ડેની ઉજવણી ન કરી વાલીઓની પૂજા કરી સંસ્કૃતિનું જતન કર્યું હતું અને સમાજને એક નવો માર્ગ બતાવ્યો હતો.        




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.