Women's Day પર Modi સરકારે આપી મહિલાઓને ભેટ, Gas Cylinderના ભાવમાં કર્યો 100 રૂપિયાનો ઘટાડો, પરંતુ પ્રશ્ન થાય કે...


  • Published By :
  • Published Date : 2024-03-08 10:01:29

8 માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ...મહિલાઓને મોદી સરકારે મોટી ભેટ આપી છે. મોટી ભેટ કરતા મોંઘવારીમાંથી રાહત આપી તેવું કહીએ તો અતિશયોક્તિ ના કહેવાય. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં એક સાથે 100 રુપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અંગેની જાહેરાત કરી છે. પીએમ મોદીએ લખ્યું કે આજે મહિલા દિવસના અવસર પર અમે એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાની છૂટનો મોટો નિર્ણય લીધો છે. તેનાથી નારી શક્તિનું જીવન સરળ બનશે એટલું જ નહીં પરંતુ કરોડો પરિવારોનો આર્થિક બોજ પણ ઓછો થશે. આ પગલું પર્યાવરણ સંરક્ષણમાં પણ મદદરૂપ થશે, જેનાથી સમગ્ર પરિવારના સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે.

100 રૂપિયાનો ગેસ સિલિન્ડરના ભાવમાં કર્યો ઘટાડો! 

મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે. પેટ્રોલ, શાકભાજી, ગેસ સિલિન્ડર સહિતની રોજિંદી ચીજ વસ્તુઓ મોંઘી થઈ રહી છે. મોંઘવારીનો માર સહન કરવા મધ્યમ પરિવાર મજબૂર બન્યો છે. જ્યારે શાકભાજી, ગેસ સિલિન્ડરના ભાવમાં, અનાજ,કઠોળ જેવી વસ્તુઓમાં ભાવ વધારો કરવામાં આવે છે તેની સીધી અસર ગૃહિણીઓના બજેટ પર પડે છે. શાકભાજીના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. ગેસ સિલિન્ડરના ભાવમાં પણ વધારો થાય છે. એક તરફ મોંઘવારીનું સ્તર વધી રહ્યું છે તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર મહિલાઓને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.     


ચૂંટણી પહેલા કરવામાં આવતા હોય છે વાયદા! 

લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવે છે તેમ તેમ મોંઘવારી, બેરોજગારી જેવા અનેક મુદ્દાઓ ઉઠતા હોય છે. અનેક વખત ચૂંટણી પહેલા ગેસ સિલિન્ડરના ભાવને લઈ અનેક જાહેરાતો કરવામાં આવે છે. જો અમારી સરકાર બની તો આટલામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે વગેરે વગેરે... ચૂંટણી સમયે લાણી આપી પાર્ટી મતદાતાઓને રિજવવાનો પ્રયાસ કરતી હોય છે. અનેક વાયદાઓ કરવામાં આવતા હોય છે. ત્યારે આ વખતે લોકસભા ચૂંટણી પહેલા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસએ મહિલાઓને લાણી આપવામાં આવી છે અને ગેસ સિલિન્ડરના ભાવમાં તોતિંગ ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે. ત્યારે જોવું રહ્યું કે કંપની દ્વારા ભાવ વધારો ક્યારે અને કેટલો કરવામાં આવે છે! 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.