Women's Day પર Modi સરકારે આપી મહિલાઓને ભેટ, Gas Cylinderના ભાવમાં કર્યો 100 રૂપિયાનો ઘટાડો, પરંતુ પ્રશ્ન થાય કે...


  • Published By :
  • Published Date : 2024-03-08 10:01:29

8 માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ...મહિલાઓને મોદી સરકારે મોટી ભેટ આપી છે. મોટી ભેટ કરતા મોંઘવારીમાંથી રાહત આપી તેવું કહીએ તો અતિશયોક્તિ ના કહેવાય. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં એક સાથે 100 રુપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અંગેની જાહેરાત કરી છે. પીએમ મોદીએ લખ્યું કે આજે મહિલા દિવસના અવસર પર અમે એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાની છૂટનો મોટો નિર્ણય લીધો છે. તેનાથી નારી શક્તિનું જીવન સરળ બનશે એટલું જ નહીં પરંતુ કરોડો પરિવારોનો આર્થિક બોજ પણ ઓછો થશે. આ પગલું પર્યાવરણ સંરક્ષણમાં પણ મદદરૂપ થશે, જેનાથી સમગ્ર પરિવારના સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે.

100 રૂપિયાનો ગેસ સિલિન્ડરના ભાવમાં કર્યો ઘટાડો! 

મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે. પેટ્રોલ, શાકભાજી, ગેસ સિલિન્ડર સહિતની રોજિંદી ચીજ વસ્તુઓ મોંઘી થઈ રહી છે. મોંઘવારીનો માર સહન કરવા મધ્યમ પરિવાર મજબૂર બન્યો છે. જ્યારે શાકભાજી, ગેસ સિલિન્ડરના ભાવમાં, અનાજ,કઠોળ જેવી વસ્તુઓમાં ભાવ વધારો કરવામાં આવે છે તેની સીધી અસર ગૃહિણીઓના બજેટ પર પડે છે. શાકભાજીના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. ગેસ સિલિન્ડરના ભાવમાં પણ વધારો થાય છે. એક તરફ મોંઘવારીનું સ્તર વધી રહ્યું છે તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર મહિલાઓને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.     


ચૂંટણી પહેલા કરવામાં આવતા હોય છે વાયદા! 

લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવે છે તેમ તેમ મોંઘવારી, બેરોજગારી જેવા અનેક મુદ્દાઓ ઉઠતા હોય છે. અનેક વખત ચૂંટણી પહેલા ગેસ સિલિન્ડરના ભાવને લઈ અનેક જાહેરાતો કરવામાં આવે છે. જો અમારી સરકાર બની તો આટલામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે વગેરે વગેરે... ચૂંટણી સમયે લાણી આપી પાર્ટી મતદાતાઓને રિજવવાનો પ્રયાસ કરતી હોય છે. અનેક વાયદાઓ કરવામાં આવતા હોય છે. ત્યારે આ વખતે લોકસભા ચૂંટણી પહેલા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસએ મહિલાઓને લાણી આપવામાં આવી છે અને ગેસ સિલિન્ડરના ભાવમાં તોતિંગ ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે. ત્યારે જોવું રહ્યું કે કંપની દ્વારા ભાવ વધારો ક્યારે અને કેટલો કરવામાં આવે છે! 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.