Women's Day પર Modi સરકારે આપી મહિલાઓને ભેટ, Gas Cylinderના ભાવમાં કર્યો 100 રૂપિયાનો ઘટાડો, પરંતુ પ્રશ્ન થાય કે...


  • Published By :
  • Published Date : 2024-03-08 10:01:29

8 માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ...મહિલાઓને મોદી સરકારે મોટી ભેટ આપી છે. મોટી ભેટ કરતા મોંઘવારીમાંથી રાહત આપી તેવું કહીએ તો અતિશયોક્તિ ના કહેવાય. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં એક સાથે 100 રુપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અંગેની જાહેરાત કરી છે. પીએમ મોદીએ લખ્યું કે આજે મહિલા દિવસના અવસર પર અમે એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાની છૂટનો મોટો નિર્ણય લીધો છે. તેનાથી નારી શક્તિનું જીવન સરળ બનશે એટલું જ નહીં પરંતુ કરોડો પરિવારોનો આર્થિક બોજ પણ ઓછો થશે. આ પગલું પર્યાવરણ સંરક્ષણમાં પણ મદદરૂપ થશે, જેનાથી સમગ્ર પરિવારના સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે.

100 રૂપિયાનો ગેસ સિલિન્ડરના ભાવમાં કર્યો ઘટાડો! 

મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે. પેટ્રોલ, શાકભાજી, ગેસ સિલિન્ડર સહિતની રોજિંદી ચીજ વસ્તુઓ મોંઘી થઈ રહી છે. મોંઘવારીનો માર સહન કરવા મધ્યમ પરિવાર મજબૂર બન્યો છે. જ્યારે શાકભાજી, ગેસ સિલિન્ડરના ભાવમાં, અનાજ,કઠોળ જેવી વસ્તુઓમાં ભાવ વધારો કરવામાં આવે છે તેની સીધી અસર ગૃહિણીઓના બજેટ પર પડે છે. શાકભાજીના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. ગેસ સિલિન્ડરના ભાવમાં પણ વધારો થાય છે. એક તરફ મોંઘવારીનું સ્તર વધી રહ્યું છે તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર મહિલાઓને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.     


ચૂંટણી પહેલા કરવામાં આવતા હોય છે વાયદા! 

લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવે છે તેમ તેમ મોંઘવારી, બેરોજગારી જેવા અનેક મુદ્દાઓ ઉઠતા હોય છે. અનેક વખત ચૂંટણી પહેલા ગેસ સિલિન્ડરના ભાવને લઈ અનેક જાહેરાતો કરવામાં આવે છે. જો અમારી સરકાર બની તો આટલામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે વગેરે વગેરે... ચૂંટણી સમયે લાણી આપી પાર્ટી મતદાતાઓને રિજવવાનો પ્રયાસ કરતી હોય છે. અનેક વાયદાઓ કરવામાં આવતા હોય છે. ત્યારે આ વખતે લોકસભા ચૂંટણી પહેલા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસએ મહિલાઓને લાણી આપવામાં આવી છે અને ગેસ સિલિન્ડરના ભાવમાં તોતિંગ ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે. ત્યારે જોવું રહ્યું કે કંપની દ્વારા ભાવ વધારો ક્યારે અને કેટલો કરવામાં આવે છે! 



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.