Anandમાં તથ્ય કાંડ 2.0! ફરી એક નબીરાએ બેફામ કાર ચલાવી સર્જ્યો અકસ્માત, ગયો આટલા લોકોનો જીવ, જૂની ઘટનાઓમાંથી આપણે ક્યારે શીખીશું?


  • Published By :
  • Published Date : 2024-02-08 12:23:27

અનેક ઘટનાઓ એવી હોય છે જે ક્યારે પણ નથી ભૂલી શકતા. અનેક એવી ઘટનાઓ જે જ્યારે પણ યાદ આવે છે ત્યારે દિલ દુખી થઈ થાય છે. તેવી એક ઘટના હતી અમદાવાદમાં બનેલી તથ્યકાંડની ઘટના. એ અકસ્માતમાં 9 જેટલા નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બન્યા હતા અને મોતને ભેટ્યા હતા. ત્યારે આવો એક કિસ્સો આણંદમાં બન્યો છે. એક નબીરાએ અકસ્માત સર્જ્યો છે અને જેમાં 4 લોકોના મોત થયા છે. નબીરાએ નશાની હાલતમાં 3 બાઈકને ટક્કર મારી અને 4 લોકોના જીવ લીધા. 

નબીરાઓ રસ્તાને પોતાના બાપનો બગીચો સમજે છે....!

ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ તેવું આપણે અનેક વખત કહેતા હોઈએ છીએ. અનેક લોકો આવા કાયદાનું પાલન કરતા હોય છે અને પોતાના બાળકો પાસે કાયદાનું પાલન કરાવતા હોય છે. પરંતુ અનેક લોકો એવા હોય છે જેમને કાયદાનો ડર જ નથી હોતો. રસ્તાને બાપનો બગીચો સમજે છે, મરજી પડે તેમ ગાડીને ચલાવે છે, નશાની હાલતમાં પણ અનેક નબીરાઓ ઝડપાય છે. ત્યારે આણંદના નાપાડ ગામના જનીશ પટેલે એક અકસ્માત સર્જ્યો અને તેમાં 4 લોકોના મોત થઈ ગયા. 


જેનીશ પટેલે પોતાની ગાડીથી સાત લોકોને કચડી નાખ્યા!

જેનીશ પટેલ જે લંડન અભ્યાસ કરવા જવાનો હતો ભાઈ ફોમમાં હતા કે ફોરેન જવાના છે તો દોસ્તો જોડે પાર્ટી કરવા ઉપડી પડ્યા દારૂ પીધું અને ફોમમાં ને ફોમમાં નશાની હાલતમાં કાર ચલાવી અને  નાવલી ગામ નજીક 3 બાઈકને ટક્કર મારીને 4 લોકોના જીવ લીધા આ ઘટનામાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે વાહનોના ફુરચા ફુરચા વળી ગયા. કારનો પણ કચ્ચરઘાણ નીકળી ગયો આ ઘટના 1 ફેબ્રુઆરીની છે. ગુરુવારે રાત્રે નાપાડના નબીરા જેનિસ પટેલે નશાની હાલતમાં બેકામ ગાડી ચલાવી 7 લોકોને કચડયા હતા જેમાંથી 4 લોકોના કરૂણ મોત નિપજ્યાં છે ઈજાગ્રસ્ત લોકોના સ્ટેટમેન્ટ આધારે પોલીસ જેનિસ સામે આઇપીસી કલમ 304 એટલે સાપરાધ માનવ વધનો ગુન્હો નોંધ્યો છે.


કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી! 

ઘટના બાદ જેનિસ ઘટના સ્થળથી ભાગી ગયો હતો પણ કલાકોમાં જ પોલીસે જેનિશને પકડી અટકાયત કરી હતી. જેનિસનું બ્લડ સેમ્પલ લેવડાવી તપાસ કરાવતાં તે દારૂ પીધેલી હાલતમાં હોવાનું સ્પષ્ટ થયું. તો પોલીસે તેની કાયદેસરની ધરપકડ કરી અને રિમાન્ડની માંગ કરી. કોર્ટે છઠ્ઠી ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતાં. ત્યારે રિમાન્ડ પૂર્ણ થતાં આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને ત્યાંથી ફરી જેલ ભેગો કરી દેવામાં આવ્યો છે.  


આ ઘટનામાં કોના કોના થયા મોત? 

અકસ્માતના સામે આવેલા વીડિયો એટલા ભયંકર છે કે તે બતાવી શકાય તેમ નથી. પરંતુ જે સીસીટીવી સામે આવ્યા છે તેમાં સ્પષ્ટ દેખાય છે કે ઘટના સ્થળે એકનું મોત થઈ ગયું અને અન્ય ત્રણ રોડ પર તડપી રહ્યા હતા. વીડિયોમાં જોવા મળે છે કે એક યુવતી લોહીલુહાણ હાલતમાં પોતાના મિત્રને વળગીને ધ્રુસકે-ધ્રુસકે રડીને જતીન..ઊઠ..જતીન..ઊઠ.. એમ જોર-જોરથી બૂમો પાડી રહી છે. આ અકસ્માતમાં મૃત્યુ પામનારની વાત કરીએ તો જતીન હડિયા જેની ઉંમર માત્ર 21 વર્ષ હતી અંકિતા બલદાણિયા જેની ઉંમર 26 વર્ષ હતી અને આ બંને કોલેજમાં અભ્યાસ કરતાં હતા સાથે જ એક મૃતક જેનું નામ પિન્ટુ જાદવ જેના ખિસ્સામાંથી જીવતી કારતૂસ પોલીસને મળી આવી છે. 


જો આવા નબીરાઓને નહીં રોકાયને તો... 

જેના પગલે તપાસના ભાગરૂપે મૃતક પિન્ટુના ઘરે જઈ સર્ચ-ઓપરેશન હાથ ધર્યું હતું પણ કશું મળ્યું નહીં આ ઘટના હચમચાવી દે તેવી છે પણ સાથે જ આ ઘટના આ દ્રશ્યો બધુ તથ્યકાંડની યાદ અપાવે છે. તથ્યકાંડ થયો પછી પોલીસે ડ્રાઈવ કરી બધુ કર્યું પણ અફસોસ તંત્ર આવી ઘટનાઓને ગંભીરતાથી લેતું જ નથી અને છેલ્લે અફસોસ અને રડવા સિવાય કઈ ઓપ્શન લોકો પાસે બચતો નથી! તથ્ય કાંડ થયો ત્યારે બૂમો પાડી પાડીને કહ્યું હતું કે આવા નબીરાઓને રોકી લેજો નહીં તો આ અમીર બાપની ઓલાદો કોઈના ઘરના દીવા બુજાવશે અને ફરી કમનસીબે એની એ વાત કરવાનો સમય આવ્યો છે ફરી એક વાર ગુજરાતના આનંદમાં તથ્ય કાંડ થયો છે. આવા અકસ્માતો જલદી અટકે તેવી આશા... 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.