Anandમાં તથ્ય કાંડ 2.0! ફરી એક નબીરાએ બેફામ કાર ચલાવી સર્જ્યો અકસ્માત, ગયો આટલા લોકોનો જીવ, જૂની ઘટનાઓમાંથી આપણે ક્યારે શીખીશું?


  • Published By :
  • Published Date : 2024-02-08 12:23:27

અનેક ઘટનાઓ એવી હોય છે જે ક્યારે પણ નથી ભૂલી શકતા. અનેક એવી ઘટનાઓ જે જ્યારે પણ યાદ આવે છે ત્યારે દિલ દુખી થઈ થાય છે. તેવી એક ઘટના હતી અમદાવાદમાં બનેલી તથ્યકાંડની ઘટના. એ અકસ્માતમાં 9 જેટલા નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બન્યા હતા અને મોતને ભેટ્યા હતા. ત્યારે આવો એક કિસ્સો આણંદમાં બન્યો છે. એક નબીરાએ અકસ્માત સર્જ્યો છે અને જેમાં 4 લોકોના મોત થયા છે. નબીરાએ નશાની હાલતમાં 3 બાઈકને ટક્કર મારી અને 4 લોકોના જીવ લીધા. 

નબીરાઓ રસ્તાને પોતાના બાપનો બગીચો સમજે છે....!

ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ તેવું આપણે અનેક વખત કહેતા હોઈએ છીએ. અનેક લોકો આવા કાયદાનું પાલન કરતા હોય છે અને પોતાના બાળકો પાસે કાયદાનું પાલન કરાવતા હોય છે. પરંતુ અનેક લોકો એવા હોય છે જેમને કાયદાનો ડર જ નથી હોતો. રસ્તાને બાપનો બગીચો સમજે છે, મરજી પડે તેમ ગાડીને ચલાવે છે, નશાની હાલતમાં પણ અનેક નબીરાઓ ઝડપાય છે. ત્યારે આણંદના નાપાડ ગામના જનીશ પટેલે એક અકસ્માત સર્જ્યો અને તેમાં 4 લોકોના મોત થઈ ગયા. 


જેનીશ પટેલે પોતાની ગાડીથી સાત લોકોને કચડી નાખ્યા!

જેનીશ પટેલ જે લંડન અભ્યાસ કરવા જવાનો હતો ભાઈ ફોમમાં હતા કે ફોરેન જવાના છે તો દોસ્તો જોડે પાર્ટી કરવા ઉપડી પડ્યા દારૂ પીધું અને ફોમમાં ને ફોમમાં નશાની હાલતમાં કાર ચલાવી અને  નાવલી ગામ નજીક 3 બાઈકને ટક્કર મારીને 4 લોકોના જીવ લીધા આ ઘટનામાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે વાહનોના ફુરચા ફુરચા વળી ગયા. કારનો પણ કચ્ચરઘાણ નીકળી ગયો આ ઘટના 1 ફેબ્રુઆરીની છે. ગુરુવારે રાત્રે નાપાડના નબીરા જેનિસ પટેલે નશાની હાલતમાં બેકામ ગાડી ચલાવી 7 લોકોને કચડયા હતા જેમાંથી 4 લોકોના કરૂણ મોત નિપજ્યાં છે ઈજાગ્રસ્ત લોકોના સ્ટેટમેન્ટ આધારે પોલીસ જેનિસ સામે આઇપીસી કલમ 304 એટલે સાપરાધ માનવ વધનો ગુન્હો નોંધ્યો છે.


કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી! 

ઘટના બાદ જેનિસ ઘટના સ્થળથી ભાગી ગયો હતો પણ કલાકોમાં જ પોલીસે જેનિશને પકડી અટકાયત કરી હતી. જેનિસનું બ્લડ સેમ્પલ લેવડાવી તપાસ કરાવતાં તે દારૂ પીધેલી હાલતમાં હોવાનું સ્પષ્ટ થયું. તો પોલીસે તેની કાયદેસરની ધરપકડ કરી અને રિમાન્ડની માંગ કરી. કોર્ટે છઠ્ઠી ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતાં. ત્યારે રિમાન્ડ પૂર્ણ થતાં આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને ત્યાંથી ફરી જેલ ભેગો કરી દેવામાં આવ્યો છે.  


આ ઘટનામાં કોના કોના થયા મોત? 

અકસ્માતના સામે આવેલા વીડિયો એટલા ભયંકર છે કે તે બતાવી શકાય તેમ નથી. પરંતુ જે સીસીટીવી સામે આવ્યા છે તેમાં સ્પષ્ટ દેખાય છે કે ઘટના સ્થળે એકનું મોત થઈ ગયું અને અન્ય ત્રણ રોડ પર તડપી રહ્યા હતા. વીડિયોમાં જોવા મળે છે કે એક યુવતી લોહીલુહાણ હાલતમાં પોતાના મિત્રને વળગીને ધ્રુસકે-ધ્રુસકે રડીને જતીન..ઊઠ..જતીન..ઊઠ.. એમ જોર-જોરથી બૂમો પાડી રહી છે. આ અકસ્માતમાં મૃત્યુ પામનારની વાત કરીએ તો જતીન હડિયા જેની ઉંમર માત્ર 21 વર્ષ હતી અંકિતા બલદાણિયા જેની ઉંમર 26 વર્ષ હતી અને આ બંને કોલેજમાં અભ્યાસ કરતાં હતા સાથે જ એક મૃતક જેનું નામ પિન્ટુ જાદવ જેના ખિસ્સામાંથી જીવતી કારતૂસ પોલીસને મળી આવી છે. 


જો આવા નબીરાઓને નહીં રોકાયને તો... 

જેના પગલે તપાસના ભાગરૂપે મૃતક પિન્ટુના ઘરે જઈ સર્ચ-ઓપરેશન હાથ ધર્યું હતું પણ કશું મળ્યું નહીં આ ઘટના હચમચાવી દે તેવી છે પણ સાથે જ આ ઘટના આ દ્રશ્યો બધુ તથ્યકાંડની યાદ અપાવે છે. તથ્યકાંડ થયો પછી પોલીસે ડ્રાઈવ કરી બધુ કર્યું પણ અફસોસ તંત્ર આવી ઘટનાઓને ગંભીરતાથી લેતું જ નથી અને છેલ્લે અફસોસ અને રડવા સિવાય કઈ ઓપ્શન લોકો પાસે બચતો નથી! તથ્ય કાંડ થયો ત્યારે બૂમો પાડી પાડીને કહ્યું હતું કે આવા નબીરાઓને રોકી લેજો નહીં તો આ અમીર બાપની ઓલાદો કોઈના ઘરના દીવા બુજાવશે અને ફરી કમનસીબે એની એ વાત કરવાનો સમય આવ્યો છે ફરી એક વાર ગુજરાતના આનંદમાં તથ્ય કાંડ થયો છે. આવા અકસ્માતો જલદી અટકે તેવી આશા... 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.