ફરી એક વખત વિવાદમાં આવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, પરીક્ષા પહેલા વાયરલ થયા પરીક્ષાના પેપર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 10:54:33

ગુજરાતમાં પેપર-લીક થવું હવે સામાન્ય થઈ ગયું છે. અનેક વખત પેપર લીક થવાના કિસ્સા સામે આવતા રહે છે. ત્યારે ફરી એક વખત પેપર લીક કાંડ  મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ સામે આવ્યું છે. BBA અને B.com સેમ 5ની પરીક્ષાનું પેપર ફુટતા વિવાદ સર્જાયો છે. જેને કારણે BBAનું નવું પેપર કાઢવામાં આવ્યું છે જ્યારે બીકોમની પરીક્ષા માટે નવી તારીખ જાહેર કરવામાં આવશે. પરીક્ષા રદ થતા વિદ્યાર્થીઓની ચિંતામાં વધારો થયો છે.  

સોશિયલ મીડિયા પર પેપર વાયરલ થતા વિદ્યાર્થીઓમાં રોષ

બી.બીએ સેમેસ્ટેર 5માં ડાયરેક્ટ ટેક્સની પરીક્ષા થવાની હતી એને બી.કોમ વાળાની આજે ઓડિટિંગ એન્ડ ગવર્નન્સ-1ની  પરીક્ષા લેવાની હતી. પરીક્ષા રદ થતા વિદ્યાર્થીઓ હેરાન થઈ ગયા છે અને રોષે ભરાયા છે. 12 ઓક્ટોબરના રોજ સોશિયલ મીડિયા પર પેપર વાયરલ થઈ ગયું હતું. પરીક્ષાના એક દિવસ પહેલા પેપર ફૂટતા તાત્કાલિક બીબીએનું નવું પેપર કાઢવામાં આવ્યું હતું. જ્યારે B.Comની પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે. પરીક્ષાના એક દિવસ પહેલા પેપર યુનિવર્સિટી દ્વારા પરીક્ષા કેન્દ્રો પર મોકલી દેવામાં આવે છે. જેને કારણે અનેક વખત પેપર ફૂટતા રહે છે અને હજારો વિદ્યાર્થીના ભાવિ સાથે ચેડા થાય છે.  

Rajkot: The exam papers of BBA and B.Com were leaked in this university ગુજરાતની આ યુનિવર્સિટી ફરી એકવાર આવી વિવાદમાં, BBA અને B.Comની પરીક્ષાના પેપર થયા લીક


વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા

અનેક વખત પેપર ફૂટવાનો મામલો સામે આવતો રહે છે. પેપર લીક થવું હવે સામાન્ય બની ગયું છે. અનેક યુનિવર્સિટીઓમાંથી પેપર લીક કાંડ સામે આવતા હોય છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કૌભાંડનું એપી સેન્ટર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. પેપર લીક થતા નિર્દોષ વિદ્યાર્થીઓના ભવિષ્ય પર આની અસર પડે છે. તેમનું ભવિષ્ય બગડી જતું હોય છે. આમાં મહેનત કરનાર વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફળી વળે છે. તંત્રને એક પ્રશ્ન પૂછવાની ઈચ્છા થાય કે ક્યાં સુધી તંત્રની બેદરકારીને કારણે વિદ્યાર્થી ભોગ બનશે.    


પેપર લીક પર રાજનીતિ:ઇશુદાન ગઢવીએ ટ્વિટ કરી ભાજપ પર પ્રહાર કર્યા 




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે