ફરી એક વખત વિવાદમાં આવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, પરીક્ષા પહેલા વાયરલ થયા પરીક્ષાના પેપર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 10:54:33

ગુજરાતમાં પેપર-લીક થવું હવે સામાન્ય થઈ ગયું છે. અનેક વખત પેપર લીક થવાના કિસ્સા સામે આવતા રહે છે. ત્યારે ફરી એક વખત પેપર લીક કાંડ  મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ સામે આવ્યું છે. BBA અને B.com સેમ 5ની પરીક્ષાનું પેપર ફુટતા વિવાદ સર્જાયો છે. જેને કારણે BBAનું નવું પેપર કાઢવામાં આવ્યું છે જ્યારે બીકોમની પરીક્ષા માટે નવી તારીખ જાહેર કરવામાં આવશે. પરીક્ષા રદ થતા વિદ્યાર્થીઓની ચિંતામાં વધારો થયો છે.  

સોશિયલ મીડિયા પર પેપર વાયરલ થતા વિદ્યાર્થીઓમાં રોષ

બી.બીએ સેમેસ્ટેર 5માં ડાયરેક્ટ ટેક્સની પરીક્ષા થવાની હતી એને બી.કોમ વાળાની આજે ઓડિટિંગ એન્ડ ગવર્નન્સ-1ની  પરીક્ષા લેવાની હતી. પરીક્ષા રદ થતા વિદ્યાર્થીઓ હેરાન થઈ ગયા છે અને રોષે ભરાયા છે. 12 ઓક્ટોબરના રોજ સોશિયલ મીડિયા પર પેપર વાયરલ થઈ ગયું હતું. પરીક્ષાના એક દિવસ પહેલા પેપર ફૂટતા તાત્કાલિક બીબીએનું નવું પેપર કાઢવામાં આવ્યું હતું. જ્યારે B.Comની પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે. પરીક્ષાના એક દિવસ પહેલા પેપર યુનિવર્સિટી દ્વારા પરીક્ષા કેન્દ્રો પર મોકલી દેવામાં આવે છે. જેને કારણે અનેક વખત પેપર ફૂટતા રહે છે અને હજારો વિદ્યાર્થીના ભાવિ સાથે ચેડા થાય છે.  

Rajkot: The exam papers of BBA and B.Com were leaked in this university ગુજરાતની આ યુનિવર્સિટી ફરી એકવાર આવી વિવાદમાં, BBA અને B.Comની પરીક્ષાના પેપર થયા લીક


વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા

અનેક વખત પેપર ફૂટવાનો મામલો સામે આવતો રહે છે. પેપર લીક થવું હવે સામાન્ય બની ગયું છે. અનેક યુનિવર્સિટીઓમાંથી પેપર લીક કાંડ સામે આવતા હોય છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કૌભાંડનું એપી સેન્ટર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. પેપર લીક થતા નિર્દોષ વિદ્યાર્થીઓના ભવિષ્ય પર આની અસર પડે છે. તેમનું ભવિષ્ય બગડી જતું હોય છે. આમાં મહેનત કરનાર વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફળી વળે છે. તંત્રને એક પ્રશ્ન પૂછવાની ઈચ્છા થાય કે ક્યાં સુધી તંત્રની બેદરકારીને કારણે વિદ્યાર્થી ભોગ બનશે.    


પેપર લીક પર રાજનીતિ:ઇશુદાન ગઢવીએ ટ્વિટ કરી ભાજપ પર પ્રહાર કર્યા 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.