Manipurમાં ફરી એક વખત વણસી પરિસ્થિતિ! ગઈકાલે બની ફાયરિંગની ઘટના.. જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-31 12:40:27

છેલ્લા ઘણા સમયથી મણિપુરમાં હિંસા ભડકેલી છે. ત્યાંની સ્થિતિ સામાન્ય થવાને બદલે ખરાબ થઈ રહી છે. મણિપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. મણિપુરમાં ફરીથી એક વખત હિંસા ભડકી ઉઠી છે તેવી માહિતી સામે આવી છે. મળતી માહિતી અનુસાર કાંગપોકપી જિલ્લામાં બે સમુદાય વચ્ચે ઘર્ષણ થયું હતું, ગોળીબારીની ઘટના બની હતી અને આ ઘટનામાં બે લોકોના મોત પણ થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. બે લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. 


મણિપુરમાં બની હતી ફાયરિંગની ઘટના!

30 જાન્યુઆરીએ મણિપુરમાં ફરી એક વખત હિંસા ભડકી ઉઠી છે. મીડિયા રિપોર્ટ અનુસાર કાંગપોકપી અને પશ્ચિમ ઈમ્ફાલ જિલ્લાના સરહદી વિસ્તારમાં ગોળીબારીની ઘટના બની છે. આ ગોળીબારીમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે તેવી માહિતી પણ સામે આવી છે અને ત્રણથી પાંચ જેટલા લોકો ઘાયલ પણ થયા છે. સારવાર માટે હોસ્પિટલ ઈજાગ્રસ્તોને ખસેડવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર મંગળવારે એટલે કે 30 જાન્યુઆરીએ બપોરના સમયે આ ફાયરિંગની ઘટના બની હતી. 


કેન્દ્ર સરકારને રાહુલ ગાંધીએ મણિપુર મુદ્દે અનેક વખત ઘેરી છે! 

મહત્વનું છે કે મણિપુરમાં છેલ્લા ઘણા સમયથી હિંસાની ઘટનાઓ બની રહી છે. મણિપુરમાં સ્થિતિ સુધરવાની જગ્યાએ બગડી રહી હોય તેવું લાગી રહ્યું છે. મણિપુર મુદ્દે કોંગ્રેસે અનેક વખત ભાજપ પર પ્રહાર કર્યા છે. પીએમ મોદી મણિપુરમાં થયેલી હિંસા મુદ્દે કેમ શાંત છે તેવા પ્રશ્નો પૂછ્યા છે. ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન પણ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા છે.    




લોકસભાની ચૂંટણીમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારા સૌરાષ્ટના ત્રણ નેતાઓને પક્ષમાંથી હાંકી કાઢવા માટે રજૂઆત કરવામાં આવી છે. ચૂંટણીના ઉમેદવારોની પ્રદેશ નેતાગીરીને આ મામલે રજૂઆત કરાઈ છે. ત્યારે ભાજપ ગમે ત્યારે આ મામલે એક્શન લઈ શકે છે....

આવનાર દિવસોમાં આ તાપમાનનો પારો વધી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી રહી છે... ફરી એક વખત ગરમીનો અહેસાસ કરવા તૈયાર રહેવું પડશે તેવી આગાહી પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે..

થોડા સમય પહેલા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પ્રાંગણમાં ડો. વૈશાલી જોશીએ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ કેસમાં એક મોટી અપડેટ સામે આવી છે જે મુજબ પીઆઈ ખાચરે આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી અને કોર્ટે તે અરજીને ફગાવી દીધી છે

ગુજરાતીમાં આપણે ત્યાં અલગ અલગ સંબોધો માટે અલગ અલગ ઉપમા હોય છે પરંતુ ઈન્ગલિશમાં દરેક માટે એક જ શબ્દ વપરાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - બધુ તણાઈ ગયું.