Manipurમાં ફરી એક વખત વણસી પરિસ્થિતિ! ગઈકાલે બની ફાયરિંગની ઘટના.. જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-31 12:40:27

છેલ્લા ઘણા સમયથી મણિપુરમાં હિંસા ભડકેલી છે. ત્યાંની સ્થિતિ સામાન્ય થવાને બદલે ખરાબ થઈ રહી છે. મણિપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. મણિપુરમાં ફરીથી એક વખત હિંસા ભડકી ઉઠી છે તેવી માહિતી સામે આવી છે. મળતી માહિતી અનુસાર કાંગપોકપી જિલ્લામાં બે સમુદાય વચ્ચે ઘર્ષણ થયું હતું, ગોળીબારીની ઘટના બની હતી અને આ ઘટનામાં બે લોકોના મોત પણ થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. બે લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. 


મણિપુરમાં બની હતી ફાયરિંગની ઘટના!

30 જાન્યુઆરીએ મણિપુરમાં ફરી એક વખત હિંસા ભડકી ઉઠી છે. મીડિયા રિપોર્ટ અનુસાર કાંગપોકપી અને પશ્ચિમ ઈમ્ફાલ જિલ્લાના સરહદી વિસ્તારમાં ગોળીબારીની ઘટના બની છે. આ ગોળીબારીમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે તેવી માહિતી પણ સામે આવી છે અને ત્રણથી પાંચ જેટલા લોકો ઘાયલ પણ થયા છે. સારવાર માટે હોસ્પિટલ ઈજાગ્રસ્તોને ખસેડવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર મંગળવારે એટલે કે 30 જાન્યુઆરીએ બપોરના સમયે આ ફાયરિંગની ઘટના બની હતી. 


કેન્દ્ર સરકારને રાહુલ ગાંધીએ મણિપુર મુદ્દે અનેક વખત ઘેરી છે! 

મહત્વનું છે કે મણિપુરમાં છેલ્લા ઘણા સમયથી હિંસાની ઘટનાઓ બની રહી છે. મણિપુરમાં સ્થિતિ સુધરવાની જગ્યાએ બગડી રહી હોય તેવું લાગી રહ્યું છે. મણિપુર મુદ્દે કોંગ્રેસે અનેક વખત ભાજપ પર પ્રહાર કર્યા છે. પીએમ મોદી મણિપુરમાં થયેલી હિંસા મુદ્દે કેમ શાંત છે તેવા પ્રશ્નો પૂછ્યા છે. ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન પણ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા છે.    




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.