Manipurમાં ફરી એક વખત વણસી પરિસ્થિતિ! ગઈકાલે બની ફાયરિંગની ઘટના.. જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-31 12:40:27

છેલ્લા ઘણા સમયથી મણિપુરમાં હિંસા ભડકેલી છે. ત્યાંની સ્થિતિ સામાન્ય થવાને બદલે ખરાબ થઈ રહી છે. મણિપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. મણિપુરમાં ફરીથી એક વખત હિંસા ભડકી ઉઠી છે તેવી માહિતી સામે આવી છે. મળતી માહિતી અનુસાર કાંગપોકપી જિલ્લામાં બે સમુદાય વચ્ચે ઘર્ષણ થયું હતું, ગોળીબારીની ઘટના બની હતી અને આ ઘટનામાં બે લોકોના મોત પણ થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. બે લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. 


મણિપુરમાં બની હતી ફાયરિંગની ઘટના!

30 જાન્યુઆરીએ મણિપુરમાં ફરી એક વખત હિંસા ભડકી ઉઠી છે. મીડિયા રિપોર્ટ અનુસાર કાંગપોકપી અને પશ્ચિમ ઈમ્ફાલ જિલ્લાના સરહદી વિસ્તારમાં ગોળીબારીની ઘટના બની છે. આ ગોળીબારીમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે તેવી માહિતી પણ સામે આવી છે અને ત્રણથી પાંચ જેટલા લોકો ઘાયલ પણ થયા છે. સારવાર માટે હોસ્પિટલ ઈજાગ્રસ્તોને ખસેડવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર મંગળવારે એટલે કે 30 જાન્યુઆરીએ બપોરના સમયે આ ફાયરિંગની ઘટના બની હતી. 


કેન્દ્ર સરકારને રાહુલ ગાંધીએ મણિપુર મુદ્દે અનેક વખત ઘેરી છે! 

મહત્વનું છે કે મણિપુરમાં છેલ્લા ઘણા સમયથી હિંસાની ઘટનાઓ બની રહી છે. મણિપુરમાં સ્થિતિ સુધરવાની જગ્યાએ બગડી રહી હોય તેવું લાગી રહ્યું છે. મણિપુર મુદ્દે કોંગ્રેસે અનેક વખત ભાજપ પર પ્રહાર કર્યા છે. પીએમ મોદી મણિપુરમાં થયેલી હિંસા મુદ્દે કેમ શાંત છે તેવા પ્રશ્નો પૂછ્યા છે. ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન પણ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા છે.    




સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.