Manipurમાં ફરી એક વખત વણસી પરિસ્થિતિ! ગઈકાલે બની ફાયરિંગની ઘટના.. જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-31 12:40:27

છેલ્લા ઘણા સમયથી મણિપુરમાં હિંસા ભડકેલી છે. ત્યાંની સ્થિતિ સામાન્ય થવાને બદલે ખરાબ થઈ રહી છે. મણિપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. મણિપુરમાં ફરીથી એક વખત હિંસા ભડકી ઉઠી છે તેવી માહિતી સામે આવી છે. મળતી માહિતી અનુસાર કાંગપોકપી જિલ્લામાં બે સમુદાય વચ્ચે ઘર્ષણ થયું હતું, ગોળીબારીની ઘટના બની હતી અને આ ઘટનામાં બે લોકોના મોત પણ થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. બે લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. 


મણિપુરમાં બની હતી ફાયરિંગની ઘટના!

30 જાન્યુઆરીએ મણિપુરમાં ફરી એક વખત હિંસા ભડકી ઉઠી છે. મીડિયા રિપોર્ટ અનુસાર કાંગપોકપી અને પશ્ચિમ ઈમ્ફાલ જિલ્લાના સરહદી વિસ્તારમાં ગોળીબારીની ઘટના બની છે. આ ગોળીબારીમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે તેવી માહિતી પણ સામે આવી છે અને ત્રણથી પાંચ જેટલા લોકો ઘાયલ પણ થયા છે. સારવાર માટે હોસ્પિટલ ઈજાગ્રસ્તોને ખસેડવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર મંગળવારે એટલે કે 30 જાન્યુઆરીએ બપોરના સમયે આ ફાયરિંગની ઘટના બની હતી. 


કેન્દ્ર સરકારને રાહુલ ગાંધીએ મણિપુર મુદ્દે અનેક વખત ઘેરી છે! 

મહત્વનું છે કે મણિપુરમાં છેલ્લા ઘણા સમયથી હિંસાની ઘટનાઓ બની રહી છે. મણિપુરમાં સ્થિતિ સુધરવાની જગ્યાએ બગડી રહી હોય તેવું લાગી રહ્યું છે. મણિપુર મુદ્દે કોંગ્રેસે અનેક વખત ભાજપ પર પ્રહાર કર્યા છે. પીએમ મોદી મણિપુરમાં થયેલી હિંસા મુદ્દે કેમ શાંત છે તેવા પ્રશ્નો પૂછ્યા છે. ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન પણ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા છે.    




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે