માવઠાની આગાહીથી જગતનો તાત ચિંતિત! આ તારીખે બદલાશે રાજ્યનું હવામાન, જાણો કઈ તારીખ માટે કરાઈ કમોસમી વરસાદની આગાહી?


  • Published By :
  • Published Date : 2024-04-06 16:26:55

ઉનાળાની શરૂઆત થતા કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો હતો. એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ તાપમાનનો પારો સતત વધી રહ્યો હતો. જે રીતે એપ્રિલમાં ગરમીનો અનુભવ થઈ રહ્યો હતો તેને જોતા લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો હતો કે એપ્રિલ મહિનામાં આ હાલત છે તો મે મહિનામાં શું હાલત થશે...? પરંતુ છેલ્લા થોડા દિવસથી કાળઝાળ ગરમીનો અનુભવ નથી થઈ રહ્યો  પરંતુ વાદળછાયું વાતાવરણને કારણે ગરમી ઓછી લાગી રહી છે... આ બધા વચ્ચે 10મી તેમજ 11મી એપ્રિલે રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.


હવામાન વિભાગે શું કરી છે આગાહી?  

કમોસમી વરસાદને કારણે ખેડૂતોને રડવાનો વારો અનેક વખત આવ્યો છે. શિયાળાની શરૂઆતમાં પણ કમોસમી વરસાદ આવ્યો હતો જેને કારણે જગતના તાતની ચિંતા વધી હતી. જગતના તાતને રડવાનો વારો આવ્યો હતો.. ત્યારે ઉનાળાની સિઝનમાં પણ માવઠું પીછો નહીં છોડે તેવું લાગી રહ્યું છે... એપ્રિલ મહિનામાં ફરી એક વખત કમોસમી વરસાદ આવી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. હવામાન વિભાગની આગાહી મુજબ 10 એપ્રિલે દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદામાં કમોસમી વરસાદ વરસી શકે છે.  


11 તારીખે પણ આવી શકે છે માવઠું!

ન માત્ર 10મી તારીખે પરંતુ 11 એપ્રિલે પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી અનુસાર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં માવઠાની શક્યતા છે. તે ઉપરાંત મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદામાં પણ છુટોછવાયો કમોસમી વરસાદ વરસી શકે છે. મહત્વનું છે કે ના માત્ર હવામાન વિભાગ દ્વારા આવી આગાહી કરવામાં આવી છે પરંતુ હવામાન નિષ્ણાત દ્વારા પણ આવી આગાહી કરવામાં આવી છે.. પરેશ ગોસ્વામી દ્વારા પણ માવઠાને લઈ આગાહી કરવામાં આવી છે...   


જગતના તાતને આવશે રડવાનો વારો!

પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર 13 એપ્રિલ સુધી ગરમીનો અહેસાસ થશે. પરંતુ 13 એપ્રિલ બાદ રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ જોવા મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 13થી 16 એપ્રિલ દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદની સંભાવના રહેલી છે.. ના માત્ર ગુજરાતમાં પરંતુ દેશના અનેક રાજ્યોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે કમોસમી વરસાદને કારણે જગતના તાતને રડવાનો વારો આવશે..   



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.