માવઠાની આગાહીથી જગતનો તાત ચિંતિત! આ તારીખે બદલાશે રાજ્યનું હવામાન, જાણો કઈ તારીખ માટે કરાઈ કમોસમી વરસાદની આગાહી?


  • Published By :
  • Published Date : 2024-04-06 16:26:55

ઉનાળાની શરૂઆત થતા કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો હતો. એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ તાપમાનનો પારો સતત વધી રહ્યો હતો. જે રીતે એપ્રિલમાં ગરમીનો અનુભવ થઈ રહ્યો હતો તેને જોતા લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો હતો કે એપ્રિલ મહિનામાં આ હાલત છે તો મે મહિનામાં શું હાલત થશે...? પરંતુ છેલ્લા થોડા દિવસથી કાળઝાળ ગરમીનો અનુભવ નથી થઈ રહ્યો  પરંતુ વાદળછાયું વાતાવરણને કારણે ગરમી ઓછી લાગી રહી છે... આ બધા વચ્ચે 10મી તેમજ 11મી એપ્રિલે રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.


હવામાન વિભાગે શું કરી છે આગાહી?  

કમોસમી વરસાદને કારણે ખેડૂતોને રડવાનો વારો અનેક વખત આવ્યો છે. શિયાળાની શરૂઆતમાં પણ કમોસમી વરસાદ આવ્યો હતો જેને કારણે જગતના તાતની ચિંતા વધી હતી. જગતના તાતને રડવાનો વારો આવ્યો હતો.. ત્યારે ઉનાળાની સિઝનમાં પણ માવઠું પીછો નહીં છોડે તેવું લાગી રહ્યું છે... એપ્રિલ મહિનામાં ફરી એક વખત કમોસમી વરસાદ આવી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. હવામાન વિભાગની આગાહી મુજબ 10 એપ્રિલે દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદામાં કમોસમી વરસાદ વરસી શકે છે.  


11 તારીખે પણ આવી શકે છે માવઠું!

ન માત્ર 10મી તારીખે પરંતુ 11 એપ્રિલે પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી અનુસાર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં માવઠાની શક્યતા છે. તે ઉપરાંત મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદામાં પણ છુટોછવાયો કમોસમી વરસાદ વરસી શકે છે. મહત્વનું છે કે ના માત્ર હવામાન વિભાગ દ્વારા આવી આગાહી કરવામાં આવી છે પરંતુ હવામાન નિષ્ણાત દ્વારા પણ આવી આગાહી કરવામાં આવી છે.. પરેશ ગોસ્વામી દ્વારા પણ માવઠાને લઈ આગાહી કરવામાં આવી છે...   


જગતના તાતને આવશે રડવાનો વારો!

પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર 13 એપ્રિલ સુધી ગરમીનો અહેસાસ થશે. પરંતુ 13 એપ્રિલ બાદ રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ જોવા મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 13થી 16 એપ્રિલ દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદની સંભાવના રહેલી છે.. ના માત્ર ગુજરાતમાં પરંતુ દેશના અનેક રાજ્યોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે કમોસમી વરસાદને કારણે જગતના તાતને રડવાનો વારો આવશે..   



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે