ફરી એક વખત કમોસમી વરસાદ ખેડૂતોને રડાવશે! આજે આ જગ્યાઓ માટે હવામાન વિભાગે કરી છે માવઠાની આગાહી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-09 10:42:43

કુદરત પણ જાણે Confuse હોય તેવું લાગી રહ્યું છે! શિયાળામાં કમોસમી વરસાદ આવે છે તો ચોમાસામાં મેઘરાજા પધરામણી કરવા માન માગે છે. હમણાંની પરિસ્થિતિ જોતા આવું કહીએ તો અતિશયોક્તિ ન કહેવાય કારણે ભર શિયાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં ધીરે ધીરે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો હતો, લાગતું હતું કે શિયાળાની સિઝન જામી છે પરંતુ કમોસમી વરસાદે ઠંડીના પ્રમાણમાં ઘટાડો કરી દીધો જેને કારણે ઠંડી ઓછીનું પ્રમાણ ઘટ્યું છે. આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા પણ કમોસમી વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. આજે અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જેને કારણે ધરતીપુત્ર ચિંતિત થયા છે.   

આ જગ્યાઓ પર આવી શકે છે મુસીબતનું માવઠું

ગુજરાતના હવામાનમાં પલટો આવી રહ્યો છે. શિયાળાની શરૂઆતમાં પણ માવઠાએ ખેડૂતોને રડાવ્યા ત્યારે હવે ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી રાજ્યના અનેક વિસ્તારો માટે કરવામાં આવી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં આજે માવઠું આવી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગાહી મુજબ આજે અમરેલી, ભાવનગર, નર્મદા, નવસારી. ડાંગ, તાપી અને વલસાડમાં કમોસમી વરસાદ આવી શકે છે.


ખેડૂતોને આવશે રડવાનો વારો! 

ન માત્ર આજે પરંતુ આવતીકાલે પણ રાજ્યના અમુક વિસ્તારોમાં માવઠું આવી શકે છે. એક તરફ લોકો ઠંડીનો અહેસાસ થશે તેવું મન બનાવીને બેઠા હતા તો બીજી તરફ કમોસમી વરસાદને કારણે ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો છે. સામાન્ય દિવસો કરતા તાપમાનમાં 2થી 3 ડિગ્રી જેટલો ફેરફાર આવી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન પહોંચશે તેવી ભીતિ સેવાઈ રહી છે. મહત્વનું છે કે ન માત્ર ગુજરાતમાં કમોસમી વરસાદ આવી રહ્યો છે પરંતુ દેશના અનેક ભાગોમાં કમોસમી વરસાદને કારણે જગતના તાંતની આંખો ભીંજાઈ ગઈ છે.  


ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

જો સોમવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 16.4 ડિગ્રી, ડીસાનું તાપમાન 12.2 ડિગ્રી નોંધાયું હતું. ગાંધીનગરનું તાપમાન 14.5 ડિગ્રી, સુરતનું તાપમાન 19.4, વલસાડનું તાપમાન 15.0 ડિગ્રી જ્યારે રાજકોટનું તાપમાન 13.4 ડિગ્રી નોંધાયું હતું. દીવનું તાપમાન 16.2 ડિગ્રી, સુરેન્દ્રનગરનું તાપમાન 13.5 ડિગ્રી નોંધાયું હતું અને દર વખતની જેમ નલિયાનું તાપમાન સૌથી ઓછું નોંધાયું. નલિયાનું તાપમાન 09.5 ડિગ્રી નોંધાયું છે.    



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."