ફરી એક વખત કમોસમી વરસાદ ખેડૂતોને રડાવશે! આજે આ જગ્યાઓ માટે હવામાન વિભાગે કરી છે માવઠાની આગાહી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-09 10:42:43

કુદરત પણ જાણે Confuse હોય તેવું લાગી રહ્યું છે! શિયાળામાં કમોસમી વરસાદ આવે છે તો ચોમાસામાં મેઘરાજા પધરામણી કરવા માન માગે છે. હમણાંની પરિસ્થિતિ જોતા આવું કહીએ તો અતિશયોક્તિ ન કહેવાય કારણે ભર શિયાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં ધીરે ધીરે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો હતો, લાગતું હતું કે શિયાળાની સિઝન જામી છે પરંતુ કમોસમી વરસાદે ઠંડીના પ્રમાણમાં ઘટાડો કરી દીધો જેને કારણે ઠંડી ઓછીનું પ્રમાણ ઘટ્યું છે. આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા પણ કમોસમી વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. આજે અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જેને કારણે ધરતીપુત્ર ચિંતિત થયા છે.   

આ જગ્યાઓ પર આવી શકે છે મુસીબતનું માવઠું

ગુજરાતના હવામાનમાં પલટો આવી રહ્યો છે. શિયાળાની શરૂઆતમાં પણ માવઠાએ ખેડૂતોને રડાવ્યા ત્યારે હવે ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી રાજ્યના અનેક વિસ્તારો માટે કરવામાં આવી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં આજે માવઠું આવી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગાહી મુજબ આજે અમરેલી, ભાવનગર, નર્મદા, નવસારી. ડાંગ, તાપી અને વલસાડમાં કમોસમી વરસાદ આવી શકે છે.


ખેડૂતોને આવશે રડવાનો વારો! 

ન માત્ર આજે પરંતુ આવતીકાલે પણ રાજ્યના અમુક વિસ્તારોમાં માવઠું આવી શકે છે. એક તરફ લોકો ઠંડીનો અહેસાસ થશે તેવું મન બનાવીને બેઠા હતા તો બીજી તરફ કમોસમી વરસાદને કારણે ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો છે. સામાન્ય દિવસો કરતા તાપમાનમાં 2થી 3 ડિગ્રી જેટલો ફેરફાર આવી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન પહોંચશે તેવી ભીતિ સેવાઈ રહી છે. મહત્વનું છે કે ન માત્ર ગુજરાતમાં કમોસમી વરસાદ આવી રહ્યો છે પરંતુ દેશના અનેક ભાગોમાં કમોસમી વરસાદને કારણે જગતના તાંતની આંખો ભીંજાઈ ગઈ છે.  


ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

જો સોમવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 16.4 ડિગ્રી, ડીસાનું તાપમાન 12.2 ડિગ્રી નોંધાયું હતું. ગાંધીનગરનું તાપમાન 14.5 ડિગ્રી, સુરતનું તાપમાન 19.4, વલસાડનું તાપમાન 15.0 ડિગ્રી જ્યારે રાજકોટનું તાપમાન 13.4 ડિગ્રી નોંધાયું હતું. દીવનું તાપમાન 16.2 ડિગ્રી, સુરેન્દ્રનગરનું તાપમાન 13.5 ડિગ્રી નોંધાયું હતું અને દર વખતની જેમ નલિયાનું તાપમાન સૌથી ઓછું નોંધાયું. નલિયાનું તાપમાન 09.5 ડિગ્રી નોંધાયું છે.    



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.