ફરી એક વખત કમોસમી વરસાદ ખેડૂતોને રડાવશે! આજે આ જગ્યાઓ માટે હવામાન વિભાગે કરી છે માવઠાની આગાહી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-09 10:42:43

કુદરત પણ જાણે Confuse હોય તેવું લાગી રહ્યું છે! શિયાળામાં કમોસમી વરસાદ આવે છે તો ચોમાસામાં મેઘરાજા પધરામણી કરવા માન માગે છે. હમણાંની પરિસ્થિતિ જોતા આવું કહીએ તો અતિશયોક્તિ ન કહેવાય કારણે ભર શિયાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં ધીરે ધીરે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો હતો, લાગતું હતું કે શિયાળાની સિઝન જામી છે પરંતુ કમોસમી વરસાદે ઠંડીના પ્રમાણમાં ઘટાડો કરી દીધો જેને કારણે ઠંડી ઓછીનું પ્રમાણ ઘટ્યું છે. આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા પણ કમોસમી વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. આજે અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જેને કારણે ધરતીપુત્ર ચિંતિત થયા છે.   

આ જગ્યાઓ પર આવી શકે છે મુસીબતનું માવઠું

ગુજરાતના હવામાનમાં પલટો આવી રહ્યો છે. શિયાળાની શરૂઆતમાં પણ માવઠાએ ખેડૂતોને રડાવ્યા ત્યારે હવે ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી રાજ્યના અનેક વિસ્તારો માટે કરવામાં આવી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં આજે માવઠું આવી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગાહી મુજબ આજે અમરેલી, ભાવનગર, નર્મદા, નવસારી. ડાંગ, તાપી અને વલસાડમાં કમોસમી વરસાદ આવી શકે છે.


ખેડૂતોને આવશે રડવાનો વારો! 

ન માત્ર આજે પરંતુ આવતીકાલે પણ રાજ્યના અમુક વિસ્તારોમાં માવઠું આવી શકે છે. એક તરફ લોકો ઠંડીનો અહેસાસ થશે તેવું મન બનાવીને બેઠા હતા તો બીજી તરફ કમોસમી વરસાદને કારણે ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો છે. સામાન્ય દિવસો કરતા તાપમાનમાં 2થી 3 ડિગ્રી જેટલો ફેરફાર આવી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન પહોંચશે તેવી ભીતિ સેવાઈ રહી છે. મહત્વનું છે કે ન માત્ર ગુજરાતમાં કમોસમી વરસાદ આવી રહ્યો છે પરંતુ દેશના અનેક ભાગોમાં કમોસમી વરસાદને કારણે જગતના તાંતની આંખો ભીંજાઈ ગઈ છે.  


ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

જો સોમવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 16.4 ડિગ્રી, ડીસાનું તાપમાન 12.2 ડિગ્રી નોંધાયું હતું. ગાંધીનગરનું તાપમાન 14.5 ડિગ્રી, સુરતનું તાપમાન 19.4, વલસાડનું તાપમાન 15.0 ડિગ્રી જ્યારે રાજકોટનું તાપમાન 13.4 ડિગ્રી નોંધાયું હતું. દીવનું તાપમાન 16.2 ડિગ્રી, સુરેન્દ્રનગરનું તાપમાન 13.5 ડિગ્રી નોંધાયું હતું અને દર વખતની જેમ નલિયાનું તાપમાન સૌથી ઓછું નોંધાયું. નલિયાનું તાપમાન 09.5 ડિગ્રી નોંધાયું છે.    



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.