ફરી એક વખત કમોસમી વરસાદ ખેડૂતોને રડાવશે! આજે આ જગ્યાઓ માટે હવામાન વિભાગે કરી છે માવઠાની આગાહી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-09 10:42:43

કુદરત પણ જાણે Confuse હોય તેવું લાગી રહ્યું છે! શિયાળામાં કમોસમી વરસાદ આવે છે તો ચોમાસામાં મેઘરાજા પધરામણી કરવા માન માગે છે. હમણાંની પરિસ્થિતિ જોતા આવું કહીએ તો અતિશયોક્તિ ન કહેવાય કારણે ભર શિયાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં ધીરે ધીરે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો હતો, લાગતું હતું કે શિયાળાની સિઝન જામી છે પરંતુ કમોસમી વરસાદે ઠંડીના પ્રમાણમાં ઘટાડો કરી દીધો જેને કારણે ઠંડી ઓછીનું પ્રમાણ ઘટ્યું છે. આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા પણ કમોસમી વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. આજે અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જેને કારણે ધરતીપુત્ર ચિંતિત થયા છે.   

આ જગ્યાઓ પર આવી શકે છે મુસીબતનું માવઠું

ગુજરાતના હવામાનમાં પલટો આવી રહ્યો છે. શિયાળાની શરૂઆતમાં પણ માવઠાએ ખેડૂતોને રડાવ્યા ત્યારે હવે ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી રાજ્યના અનેક વિસ્તારો માટે કરવામાં આવી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં આજે માવઠું આવી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગાહી મુજબ આજે અમરેલી, ભાવનગર, નર્મદા, નવસારી. ડાંગ, તાપી અને વલસાડમાં કમોસમી વરસાદ આવી શકે છે.


ખેડૂતોને આવશે રડવાનો વારો! 

ન માત્ર આજે પરંતુ આવતીકાલે પણ રાજ્યના અમુક વિસ્તારોમાં માવઠું આવી શકે છે. એક તરફ લોકો ઠંડીનો અહેસાસ થશે તેવું મન બનાવીને બેઠા હતા તો બીજી તરફ કમોસમી વરસાદને કારણે ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો છે. સામાન્ય દિવસો કરતા તાપમાનમાં 2થી 3 ડિગ્રી જેટલો ફેરફાર આવી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન પહોંચશે તેવી ભીતિ સેવાઈ રહી છે. મહત્વનું છે કે ન માત્ર ગુજરાતમાં કમોસમી વરસાદ આવી રહ્યો છે પરંતુ દેશના અનેક ભાગોમાં કમોસમી વરસાદને કારણે જગતના તાંતની આંખો ભીંજાઈ ગઈ છે.  


ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

જો સોમવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 16.4 ડિગ્રી, ડીસાનું તાપમાન 12.2 ડિગ્રી નોંધાયું હતું. ગાંધીનગરનું તાપમાન 14.5 ડિગ્રી, સુરતનું તાપમાન 19.4, વલસાડનું તાપમાન 15.0 ડિગ્રી જ્યારે રાજકોટનું તાપમાન 13.4 ડિગ્રી નોંધાયું હતું. દીવનું તાપમાન 16.2 ડિગ્રી, સુરેન્દ્રનગરનું તાપમાન 13.5 ડિગ્રી નોંધાયું હતું અને દર વખતની જેમ નલિયાનું તાપમાન સૌથી ઓછું નોંધાયું. નલિયાનું તાપમાન 09.5 ડિગ્રી નોંધાયું છે.    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.